સરકારનો આદેશ ! 30 સેકન્ડ રીંગ વાગ્યા બાદ આવશે મેસેજ, વાંચ્યો નહી તો જાતે વાંચી સંભળાવશે

Share this story

Government order

  • જો સરકાર એલર્ટ કરશે તો ફોન ઓછામાં ઓછી 30 સેકન્ડ વાગશે ફોન, ફોન વાંચીને સંભળાવશે Disaster Alert. આ સુવિધા Covid19, હવામાન, પૂર, રમખાણો, કાયદો અને વ્યવસ્થા સહિતની ઘણી કટોકટીમાં મહત્વપૂર્ણ રહેશે. DoT એ Indian Wireless Telegraphy (Cell Broadcasting Service for Disaster Alerts) Rules, 2023 જાહેર કર્યા કર્યા છે.

Disaster Alert : આજકાલ સમાજ માટે કટોકટીનો સામનો કરવો સામાન્ય બની ગયો છે. આવી પરિસ્થિતિઓમાં મોટાભાગના લોકોને તાત્કાલિક માહિતીની (Immediate information) જરૂર હોય છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ભારત માટે ભારત માટે ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે “Indian Wireless Telegraphy (Cell Broadcasting Service for Disaster Alerts) Rules, 2023” નામના નિયમો જારી કર્યા છે.

આ નિયમો હેઠળ સરકારે ફોન યૂઝર્સને દેશમાં થનાર કટોકટી સંબંધિત એલર્ટ આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. નિયમો અનુસાર હવે દરેક ફોનમાં ડિઝાસ્ટર એલર્ટ માટે સપોર્ટ હશે. મતલબ કે જ્યારે પણ કટોકટી હોય ત્યારે સ્માર્ટફોન કે ફીચર ફોન એક જ મેસેજથી સમગ્ર સમુદાયને એલર્ટ કરી શકે છે. આ નિયમ આજથી લાગુ થઈ ગયો છે. આવો જાણીએ શું કહે છે આ નિયમ..

નિયમ શું કહે છે?

–  દરેક ફોન પર હિન્દી અને અંગ્રેજીમાં બ્રોડકાસ્ટ મેસેજ રિસીવિંગ ફરજિયાત

– સ્માર્ટફોન હોય કે ફીચર ફોન, તેના પર મેસેજ દેખાવા જોઈએ

– આવા મેસેજ માટે લાઈટ, સાઉન્ડ અને વાઈબ્રેશન 30 સેકન્ડ માટે ફરજિયાત છે.

–  એલર્ટ મેસેજ ફોનમાં ઓછામાં ઓછા 24 કલાક સુધી રહેવો જોઈએ.

– આ મેસેજ ત્યાં સુધી સ્ક્રીન પર રહેશે જ્યાં સુધી ગ્રાહક તેને જોયા પછી સ્વીકારે નહીં.

– ફોનના ફીચર લિસ્ટમાં બ્રોડકાસ્ટ માટે અલગ કેટેગરી.

– એલર્ટ મેસેજ ઓડિયો મેસેજ તરીકે પણ સંભળાશે.

આ પણ વાંચો :-