જો તમને પણ છે આ 3 સમસ્યા, તો ભૂલથી પણ ન કરતા ‘મખાના’નું સેવન, નહીંતર…

Share this story

If you also have these 3 problems, then do not consume ‘Makhana’

  • મખાનામાં મેંગેનીઝ, પોટેશિયમ, થિયાનીન, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષકતત્વો રહેલા હોય છે. મખાનાના ફાયદાની સાથે સાથે નુકસાન પણ છે.

મખાનામાં (Makhana) ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે તથા સોડિયમ પણ ઓછું હોય છે. મખાનામાં મેંગેનીઝ, પોટેશિયમ, થિયાનીન, પ્રોટીન અને ફોસ્ફરસ જેવા પોષકતત્વો રહેલા હોય છે. મખાનાના ફાયદાની સાથે સાથે નુકસાન પણ છે. મખાનામાં રહેલ ફાઈબર (Fiber) નુકસાનકારક હોય છે. જેથી તેને પચાવવું થોડું મુશ્કેલ હોય છે. આ કારણોસર શરીર બિમારીઓનું (Disease) ઘર થઈ જાય છે.

મખાના ક્યારે ના ખાવા જોઈએ :

પેટ નબળું હોય ત્યારે :

જો તમારું પેટ નબળું હોય તો તમારે મખાના ના ખાવા જોઈએ. મખાના ખાવાથી પેટ ભારે થઈ જાય છે, જેથી મખાના સરળતાથી પચી શકતા નથી. આ ફાઈબરને પચાવવા માટે વધુ પાણીની જરૂર હોય છે. જ્યારે પણ મખાના ખાવામાં આવે ત્યારે તે પેટનું પાણી શોષવા લાગે છે. મખાનાનું વધુ માત્રામાં સેવન કરવાથી કબજિયાતની સમસ્યા થાય છે. ઉપરાંત પેટનો દુ:ખાવો, નબળું પાચન તંત્ર હોય તો મખાનાનું સેવન ના કરવું જોઈએ.

પથરીની સમસ્યા :

પથરીની સમસ્યામાં મખાના ખાવાથી અનેક સમસ્યા થાય છે. શરીરમાં વધુ માત્રામાં કેલ્શિયમ હોય તો પથરીની સમસ્યા થાય છે. આ કારણોસર કેલ્શિયમથી ભરપૂર મખાનાનું સેવન કરવાથી આ સમસ્યા વધી શકે છે.

ડાયેરિયા :

ડાયેરિયા થયા હોય ત્યારે મખાનાનું સેવન ના કરવું જોઈએ, તે સમયે મખાના ખાવાથી હાનિકારક સાબિત તઈ શકે છે. મખાનામાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું છે. આ કારણોસર વારંવાર મળત્યાગ થાય છે. આ પરિસ્થિતિમાં મખાના ખાવાથી સમસ્યામાં આરોગ્યની સમસ્યામાં વધારો થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે Gujarat Guardian આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો :-