ગુજરાત હાઇકોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિરૂદ્ધ અરજીઓ કરવામાં આવી હતી પરંતુ આ તમામ અરજીઓને ફગાવી દેવમાં આવી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટે લીલીઝંડી આપી હતી. હાઈકોર્ટે કાયદા પરનાં તમામ આક્ષેપો ફગાવ્યા હતા. તેમજ કાયદાને પડકારતી અરજીઓમાં કાયદાની કેટલીક કલમો ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધાઁ માયીની ખંડપીઠે કાયદાકીય અને ન્યાયિક રીતે પણ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટની બંધારણીયતાને માન્યતા આપી છે.
ગુજરાત રાજયમાં લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબિશન એકટની બંધારણીય કાયદેસરતાને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી ૧૫૦ થી વધુ પિટિશનો ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ફ્ગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતાં ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ અને તેની સંબંધિત જોગવાઇઓને કાયદેસર અને બહાલ રાખી હતી. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં બહુ ગંભીર અને મહત્ત્વપૂર્ણ અવલોકનો પણ કર્યા હતા.
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ કોઇપણ રીતે નાગરિકોના સમાનતાના અધિકાર કે અન્ય મૂળભૂત અધિકારોનુ કોઇપણ રીતે હનન કરતો નથી. આ કાયદા કે તેની જોગવાઇઓના કારણે બંધારણની કલમ-૧૩,૧૪,૧૯,૨૦ કે ૨૧નો ભંગ થતો નથી. આ કાયદાને હજુ રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની બાકી છે ત્યારે બંધારણની કલમ- ૨૫૪ દ્વારા અસર પામતી હોય તેવું પણ કહી શકાય નહી. કારણ કે, આ કાયદો અને તેની જોગવાઇઓ જમીન પચાવી પાડવાની ગેરકાયદે પ્રવૃત્તિને કચડી નાંખવા લાગુ પડાયો છે.
હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, લોક પ્રતિનિધિઓ દ્વારા બનાવવામાં આવેલા આ કાયદામાં કોઈપણ પ્રકારની ત્રુટિ જણાતી નથી. વિધાનસભામાં પસાર કરાયેલા કાયદામાં થયેલી સજાની જોગવાઈ એ લોક પ્રતિનિધિઓની વિવેકબુધ્ધિ અને હાલના સમયની જરૂરિયાત પ્રમાણે કરાઈ હોવાનું પણ કોર્ટે ઠરાવ્યું હતું.
આ પણ વાંચો :-