આજથી અમદાવાદ એરપોર્ટથી વડોદરાવચ્ચે GSRTCની વોલ્વો બસ સેવા શરૂ

Share this story

આજથી અમદાવાદ એરપોર્ટ-વડોદરા વચ્ચે GSRTCની વોલ્વો બસ દોડશે. તેથી ગુજરાતના દરેક મુસાફરને અમદાવાદ એરપોર્ટ તો આવવુ જ પડે છે. પરંતું અહી સુધી પહોંચવા માટે અને એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ ઘર સુધી પહોંચવા માટે તેમને કેબ કે ટેક્સી બુક કરાવવી પડતી હોય છે. આવામા એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે અનોખી સુવિધા શરૂ કરવામાં આવી છે. હવેથી અમદાવાદ એરપોર્ટથી સીધી વડોદરાની એસટીની એસી વોલ્વો બસ સેવા આજથી શરૂ થઈ રહી છે. દિવસમાં એસટીની આવી બે બસ અમદાવાદ એરપોર્ટથી વડોદરા જશે.

GSRTC seeks govt nod to increase fleet size to 8,700 buses | Ahmedabad News - The Indian Expressઅમદાવાદ એરપોર્ટથી સવારે ૬ વાગ્યે GSRTCની બસ વડોદરા પહોંચવા માટે રવાના થશે જે સવારે ૮:૩૦ કલાકે વડોદરા પહોંચશે. જ્યારે બીજી બસ રાત્રે ૧૧:૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈને મોડી રાત્રે ૧:૩૦ કલાકે વડોદરા પહોંચશે. જ્યારે વડોદરાથી બપોરે ૩:૧૫ કલાકે બસ અમદાવાદ એરપોર્ટ માટે રવાના થશે, જે સાંજે ૫:૪૫ કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે. જ્યારે અન્ય બસ સાંજે ૭:૩૦ કલાકે વડોદરાથી રવાના થશે જે રાત્રે ૧૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે.

ગતરોજ જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યું કે, સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરાયો છે, જેના ભાગરૂપે નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યું છે. નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેજ રીતે સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધા સભર બસ કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા-આવવા માટે વોલ્વો એ.સી.સીટર બસનો શુભારંભ કરાયો છે. હવે આ પ્રકરણમાં આગળ અમદાવાદ એરપોર્ટથી વડોદરાની બસ કનેક્ટિવિટી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો :-