ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. બુધવારે રાત્રે કેદારનાથ ધામની આસપાસ વાદળ ફાટવાથી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મંદાકિની નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થવાને કારણે આ વિસ્તારમાં ભારે વિનાશનો ભય છે. પ્રાપ્ત માહિતી અનુસાર લીંચોલી વિસ્તારમાં પણ વાદળ ફાટવાના સમાચાર છે. જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમોને રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેદારનાથ ધામમાં લગભગ 150 થી 200 શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે.મળતા સમાચાર મુજબ અત્યાર સુધીમાં ૬ના મોત થયા છે અને સેંકડો ઘર અને વાહનો તણાય ગયા છે.
આ ઘટનાને ગંભીરતાથી લેતા ઉત્તરાખંડ સરકારે તમામ જિલ્લા પ્રશાસનને એલર્ટ પર મૂકી દીધા છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તમને જણાવી દઈએ કે, ૨૦૧૩માં કેદારનાથમાં બનેલી ભયાનક દુર્ઘટનાને જોતા પ્રશાસન આ વખતે વધુ સતર્ક છે. જો કે, કુદરતના પ્રકોપથી સંપૂર્ણપણે બચવું મુશ્કેલ છે.
બુધવારે (31મી જુલાઈ) રાત્રે લગભગ 12 વાગ્યે રાજવન ગામમાં ગાજવીજ વચ્ચે જોરદાર ધડાકો થયો હતો. થોડી જ વારમાં સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું. માહિતી મળતાં વહીવટી તંત્ર રાત્રીમાં જ સંપૂર્ણ સક્રિય બની ગયું હતું. જિલ્લા વહીવટી તંત્રે દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી છે. ભૂસ્ખલનને કારણે પઠાણકોટ મંડી નેશનલ હાઈવે પણ સ્થળોએ બ્લોક થઈ ગયો છે. અહીં વાહનોની લાંબી કતારો લાગી છે.
ઉલ્લેખનીય છે કે, કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બાદ હવે કુલ્લુમાં પણ આભ ફાટવાં અને ભયાનક ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા છે. સૌથી વધુ નુકસાન અહીં નિરમંડ ઉપમંડલના બાગીપુલ વિસ્તાર થયું હતું. અહીં લગભગ 9 જેટલાં મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા હતા. જેના લીધે એક આખો પરિવાર એટલે કે ચાર લોકો મકાન સહિત ભૂસ્ખલનમાં વહી ગયા હતા.
આ પણ વાંચો :-