ગુજરાત પર બબ્બે વિનાશક વાવાઝોડાનું જોખમ ! અંબાલાલે કહ્યું જાણો ક્યારથી શરૂ થશે ચોમાસું

Share this story

Danger of devastating storm over Gujarat

  • Ambalal Patel : અંબાલાલાની છાતીના પાટિયા બેસી જાય એવી આગાહી ! ગુજરાત પર તોળાઈ રહ્યું છે બબ્બે વિનાશક વાવાઝોડાનું જોખમ. જાણો ક્યાં સૌથી વધારે છે વાવાઝોડાનું જોખમ.

ફરી એકવાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો. ગુજરાતની ધરતી પર આકાશથી તોળાઈ રહ્યું છે મોટો સંકટ. ઉનાળા અને ચોમાસાની (Monsoon) સિઝનની સંતાકુકડી વચ્ચે ગુજરાતના માથે આવીને ઉભું છે વાવાઝોડાનું  (Storm) જોખમ. અરબી સમુદ્રમાં તો વાવાઝોડું સક્રિય થવાનું છે.

પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં (Arabian Sea) કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળતી હોય છે. અરબ સાગરનું તાપમાન ઊંચું હોવાના કારણે વાવઝોડું સક્રિય થશે.

ગુજરાત માટે કેમ જોખમી છે અરબી સમુદ્રમાં થતી હલચલ?

હાલ ભરઉનાળે જે પ્રકારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે એ એક ગંભીર બાબત છે. ગુજરાતના માટે મસમોટા વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. જે અરબી સમુદ્રમાં થતી હલચલને કારણે છે. બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવે છે કે થોડા જ ટાઈમમાં અરબી સમુદ્રમાં ભયંકર વાવાઝોડું સક્રિય થશે. બીજી તરફ બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. આ બંને વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંધ થઈ જશે.

ક્યારે સક્રિય થશે વાવાઝોડુ?

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ૩ થી ૭ જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થઈ શકે છે. એટલું જ નહીં બંગાળની ખાડીમાં ૭ થી ૧૦ જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થઈ શકે છે.

એક સાથે બબ્બે વાવાઝોડાનું જોખમ :

વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે. અરબી સમુદ્રમાં ૩ થી ૭ જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં ૭ થી ૧૦ જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થશે. વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. બે વાવાઝોડા સક્રિય થવાનું કારણ છે હવાનું દબાણ. આવું ક્યારે બન્યું નથી. પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે.

ગુજરાતમાં ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ :

ગુજરાતમાં વાવઝોડાના કારણે ૭ થી ૧૧ જૂન વચ્ચે વરસાદ આવવાની શક્યતા રહેશે. ૮ થી ૧૦ જૂનમાં ભારે વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો હોય અથવા સૌરાષ્ટ્ર તરફનો પણ હોઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થતો હોય છે. ચક્રવાત બન્યા પછી ગુજરાત તરફનો માર્ગ હશે તો રોહિણી નક્ષત્ર ઉતરતા સારો વરસાદ થશે. ઓમાન તરફ જશે તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

ક્યા-ક્યા રાજ્યોમાં થશે વાવાઝોડાની અસર?

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું અનુસાર અરબ સાગરનું વાવાઝોડું દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, મુંબઇ અને ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે.

આ પણ વાંચો :-