ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો ૧૧ ડિગ્રી

Share this story

ગુજરાતની ઠંડીમાં આંશિક રાહત મળી છે. જેમાં રાજ્યના ચાર શહેરોમાં તાપમાનનો પારો ૧૧ ડિગ્રી થયો છે. તેમજ નલિયા નહિ આ વખતે મહુવા શહેરનું તાપમાન સૌથી ઓછુ રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ત્યારે નવસારીમાં ૮ ડિગ્રી સાથે ઠંડું શહેર રહેવા પામ્યું હતું. રાજ્યમાં ૬ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં મહુવામાં ૧૦ ડિગ્રી તાપમાન છે. તેમજ ગાંધીનગર, ડિસા, નલિયા અને રાજકોટમાં ૧૧ ડિગ્રી સાથે અમરેલી, દિવ અને સુરેન્દ્રનગરમાં ૧૨ ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ઘણાં શહેરોમાં તાપમાન ઘટ્યું છે.

રાજ્યના ૧૫ શહેરોમાં તાપમાન ૧૫ ડિગ્રી નીચે નોંધાયું છે. ૧૦.૫ ડિગ્રી તાપમાન સાથે ભાવનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી હતી કે, હાલ શિયાળાની ૭૦ ટકા સીઝન પૂર્ણ થઈ ગઈ છે.  શિયાળાની સીઝન દરમ્યાન બે થી ત્રણ રાઉન્ડ સારા હતા. આ વર્ષે અલનીનોને કારણે ઠંડી ખૂબ જ ઓછી રહેવા પામી હતી. તેમજ વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ૨૮ ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે. અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે. ત્યારે આ વર્ષે ૨૦૨૩-૨૪ માં શિયાળો ૧૫ ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.  માર્ચ મહિનાથી તાપમાન વધતું હોય છે. તેમ ૧૫ ફેબ્રુઆરીથી તાપમાનનો પારો વધવાની શક્યતા છે.

આ પણ વાંચો :-