યુપીના શાહજહાંપુર ગુરુવારે ટ્રક સાથે ટેમ્પો અથડાતા ૧૨ લોકોના મોત થયા હતા. ટેમ્પોમાં સવાર લોકો પૂર્ણિમાએ ગંગામાં પવિત્ર ડૂબકી લેવા જઈ રહ્યા હતા. ધુમ્મસને કારણે સામેથી આવેલી ટ્રકે ટેમ્પોને ટક્કર મારી હતી, ટેમ્પો ટ્રકમાં ફસાઈ ગયો હતો, જે બાદ ડ્રાઈવરે ટ્રકને ટેમ્પો પર ચઢાવી દીધી હતી અને હંકારી મૂકી હતી જેને કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. ભીષણ ટક્કર બાદ રસ્તા પર ચીસાચીસ મચી ગઈ હતી. ચીસો સાંભળીને આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શાહજહાંપુરમાં અકસ્માતને લઇને દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઘાયલોને તુરંત હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળે તે માટે જિલ્લા તંત્રને જાણ કરી છે. શાહજહાંપુર જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. CMએ ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, હરદોઈ ડેપોની બસ શાહજહાંપુરથી હરદોઈ જઈ રહી હતી ત્યારે ગાઢ ધુમ્મસના કારણે ડમ્પર સાથે અથડાઈ હતી.