‘મારી જેટલી ઉંમર છે મને લગ્નની ચિંતા નથી, થવાના હશે ત્યારે થશે’, અનન્યા….

Share this story
  • અનન્યા અને આદિત્યના રિલેશનશિપમાં હોવાની અફવાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. આના પર આદિત્યએ કહ્યું હતું કે મને લાગે છે કે લગ્નના વિષય પર ચર્ચા થવા દો તે સારું છે.

એવા અહેવાલો છે કે બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર આ દિવસોમાં અનન્યા પાંડેને ડેટ કરી રહ્યો છે. બંને ઘણી વખત સાથે વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા છે.  હાલમાં જ બંને ગોવાથી પરત ફર્યા છે. આ પહેલા બંને વિદેશ ગયા હતા. જ્યાંથી તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

હાલમાં જ આદિત્યએ આપેલા ઈન્ટરવ્યુમાં લગ્ન વિશે વાત કરી હતી. અભિનેતાને પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરશે? તેનું નામ અનન્યા સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. આના પર આદિત્યએ કહ્યું હતું કે મને લાગે છે કે લગ્નના વિષય પર ચર્ચા થવા દો તે સારું છે. જ્યાં સુધી આ અંગે ચર્ચા થશે ત્યાં સુધી મને સારું લાગશે.

મારી જેટલી ઉંમર છે મને લગ્નની ચિંતા નથી :

આદિત્યએ કહ્યું કે “અને એ પણ સારી વાત છે કે લોકો લગ્નના વિષય પર વાત કરી રહ્યા છે, તે પણ મારા. મને લાગે છે કે વસ્તુઓને નેચરલી આગળ વધવા દો, તે સારું રહેશે. હું રાત્રે આરામથી સૂઈ જાઉં છું. મારી જેટલી ઉંમર છે મને લગ્નની ચિંતા નથી, કે હું તેના વિશે વિચારતો નથી. જ્યારે લગ્ન થવાના હશે ત્યારે થશે.”

અનન્યા અને આદિત્યના રિલેશનશિપની શરૂઆત કેવી રીતે ?

જણાવી દઈએ કે અનન્યા અને આદિત્યના રિલેશનશિપમાં હોવાની અફવાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. અનન્યાએ કરણ જોહરના ચેટ શોમાં કહ્યું હતું કે તે આદિત્યને ડેટ કરવા માંગે છે. જ્યારે તેમની ડેટિંગના સમાચાર આવ્યા. ત્યારે એવું લાગ્યું કે કદાચ અનન્યાએ જે કહ્યું હતું તે સાચું પડયું. બંનેને સાથે જોવા માટે ચાહકો ઉત્સાહિત છે.

જ્યારે અનન્યાને આદિત્ય સાથેની ડેટિંગની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ચૂપ રહેવું વધુ સારું માન્યું. પણ અનન્યા પાંડેએ ચાહકોની ઉત્સુકતા વિશે કંઈક કહ્યું, જે ખૂબ જ રમુજી હતું. અભિનેત્રીએ કહ્યું, ‘ઉત્સુક હોવું સારી વાત છે લોકોએ અનુમાન લગાવતા રહેવું જોઈએ કે હું કોને ડેટ કરી રહી છું.’ જો કે અભિનેત્રીને આ સમયે તેના ડેટિંગ જીવન કરતાં તેના પ્રોફેશનલ જીવન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય લાગે છે.

આ પણ વાંચો :-