HomeNationalમોરબીનો “ઝુલતો પુલ” મચ્છુમાં ડુબ્યો, મુસાફરો ભરેલી આખી ટ્રેન નદીમાં ખાબકી… આ...

મોરબીનો “ઝુલતો પુલ” મચ્છુમાં ડુબ્યો, મુસાફરો ભરેલી આખી ટ્રેન નદીમાં ખાબકી… આ છે 22 વર્ષ, 11 સૌથી ભયાનક પુલ દુર્ઘટનાઓ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Morbi’s “suspension bridge” sinks in Machhu

  • મોરબી પુલ અકસ્માતમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જોકે, આ પ્રથમ વખત નથી કે અધિકારીઓની બેદરકારીના કારણે પુલ અકસ્માતમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોય. આવો અમે તમને જણાવીએ પાછલા વર્ષોના કેટલાક સૌથી ભયાનક પુલ અકસ્માતો…

30 ઓક્ટોબરની મોડી સાંજે ગુજરાતના મોરબીમાં (Morbi) મચ્છુ નદી (Machhu river) પરનો લટકતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પ્રત્યક્ષદર્શીઓ અને બચાવકર્મીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. રિનોવેશન (Renovation) બાદ માત્ર 5 દિવસ પહેલા જ બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જેના કારણે સંબંધિત અધિકારીઓની બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. જો કે આ પહેલીવાર નથી. બેદરકારીના કારણે પુલ અકસ્માતમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આવો અમે તમને જણાવીએ પાછલા વર્ષોના કેટલાક સૌથી ભયાનક પુલ અકસ્માતો…

1.) કાદલુંડી નદી પુલની ઘટના (કેરળ, 2001)

કેરળમાં 2001માં કાદલુન્ડી નદી રેલ પુલ દુર્ઘટનામાં 50 થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં લગભગ 300 લોકો ઘાયલ થયા હતા અને ઓછામાં ઓછા 57 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જે સૌથી મોટી ટ્રેન દુર્ઘટનાઓમાંની એક છે. ટ્રેન કેરળના કોઝિકોડ પાસે કાદલુન્ડી નદી પર પુલ પાર કરી રહી હતી. જ્યારે એક કોચ તૂટી પડ્યો અને ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. ભારે ચોમાસા અને ટ્રેનમાં જ કેટલીક ખામીઓને કારણે આ દુર્ઘટના બની હતી.

2) રફીગંજ રેલ બ્રિજ (બિહાર, 2002)

10 સપ્ટેમ્બર 2002ના રોજ ઉત્તર-મધ્ય ભારતમાં ધાવે નદી પરના પુલ પર ઝડપી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 130 લોકોના મોત થયા હતા. શરૂઆતમાં અકસ્માતનું કારણ જૂના બ્રિજમાં કાટ લાગવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે આ દુર્ઘટના વિસ્તારના નક્સલવાદીઓ દ્વારા જાણી જોઈને કરવામાં આવી હતી.

3) વેલીગોંડા રેલ્વે બ્રિજ (તેલંગાણા, 2005)

હૈદરાબાદ નજીક વેલીગોંડા ખાતે આવેલ એક નાનો પુલ અચાનક પૂરના કારણે ધોવાઈ ગયો હતો. 29 ઓક્ટોબર 2005ના રોજ એક ટ્રેન પુલના આ ભાગને પાર કરી રહી હતી. બ્રિજનો એક ભાગ ગાયબ હોવાની ટ્રેનને જાણ નહોતી અને ટ્રેન તેના મુસાફરો સહિત પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 114 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.

4) ભાગલપુર (બિહાર, 2006)

ડિસેમ્બર 2006માં હાવડા જમાલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ પર 150 વર્ષ જૂનો ઓવરબ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં લગભગ 30 લોકોના મોત થયા હતા.

5) પંજગુટ્ટા બ્રિજ (તેલંગાણા, 2007)

સપ્ટેમ્બર 2007માં હૈદરાબાદના પંજગુટ્ટા ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર ક્રેશ થયો હતો. ફ્લાયઓવરનો કાટમાળ બ્રિજની નીચેથી પસાર થતા વાહનો પર પડ્યો હતો, જેના કારણે અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત પણ થયા હતા.

6) કોટા ચંબલ બ્રિજ (રાજસ્થાન, 2009)

ડિસેમ્બર 2009 માં રાજસ્થાનના કોટા જિલ્લામાં ચંબલ નદી પર એક નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો, જેમાં 28 કામદારો કાટમાળ નીચે દટાઇ મર્યા હતા. પ્રોજેક્ટના ઈન્ચાર્જ હ્યુન્ડાઈ અને ગેમનના 14 અધિકારીઓ સામે પણ બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

7) કોલકાતા ફ્લાયઓવર (પશ્ચિમ બંગાળ, 2016)

31 માર્ચ 2016 ના રોજ, કોલકાતામાં નિર્માણાધીન વિવેકાનંદ ફ્લાયઓવર તૂટી પડ્યો જેમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો અને 80 જેટલા ઘાયલ થયા. કન્સ્ટ્રક્શન ફર્મ, IVRCL વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

8) મુંબઈ-ગોવા હાઈવે બ્રિજ (મહારાષ્ટ્ર, 2016)

2 ઓગસ્ટ 2016ની મોડી રાત્રે મુંબઈ-ગોવા હાઈવે પર સાવિત્રી નદી પરનો બ્રિટિશ સમયનો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 41 લોકોનાં મોત થયાં હતાં. લગભગ એક ડઝન વાહનો નદીમાં પડ્યા. જેમાં અનેક લોકો ઘાયલ થયા.

9) મુંબઈ ફૂટ ઓવર બ્રિજ, (મહારાષ્ટ્ર, 2017)

એલ્ફિન્સ્ટન રોડ રેલ્વે સ્ટેશન પર 29 સપ્ટેમ્બર, 2017 ના રોજ એક ફૂટ ઓવર બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં 29 મુસાફરોના મોત થયા હતા.

10) માજેરહાટ બ્રિજ, કોલકાતા (પશ્ચિમ બંગાળ, 2018)

કોલકાતામાં 04 સપ્ટેમ્બર, 2018ના રોજ એક મોટો પુલ ધરાશાયી થયો હતો. માજેરહાટ બ્રિજ દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ કોલકાતા વચ્ચેના મુખ્ય જોડાણોમાંનો એક હતો. સાંજના ટ્રાફિકના ભારણને કારણે આખો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા.

11) પેડેસ્ટ્રિયન બ્રિજ, મુંબઈ (મહારાષ્ટ્ર, 2019) 

14 માર્ચ, 2019 ના રોજ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર એક ઓવરહેડ પેડેસ્ટ્રિયન બ્રિજનો એક ભાગ તૂટી પડતાં ઓછામાં ઓછા 6 લોકો માર્યા ગયા હતા અને 30 અન્ય ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img