છત્તીસગઢમાં મતગણતરી પહેલા જ નક્સલી હુમલામાં CRPFના ૨ જવાન ઈજાગ્રસ્ત

Share this story

છત્તીસગઢમાં મતગણતરી પહેલા જ નક્સલી હુમલાના સમાચાર સામે આવ્યા છે. આજે સવારે નક્સલવાદીઓએ દંતેવાડાના બરસૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મ અંજામ આપ્યો છે. IED બ્લાસ્ટમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના બે જવાનો ઈજાગ્રસ્ત થયા છે. IED બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યાં ૧૯૫મી બટાલિયનના જવાન એક પુલની પાસે બેનર પોસ્ટરો હટાવવામાં લાગેલા હતા. ઈજાગ્રસ્ત બંને જવાનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કા દરમિયાન પણ ધમતરીમાં CRPFની ટીમ પર નક્સલી હુમલો થયો હતો. પેટ્રોલિંગમાં નીકળેલી CRPF અને DRGની ટીમો પર નક્સલવાદીઓએ એક પછી એક IED બ્લાસ્ટ કર્યા. આ દરમિયાન બાઈક પર સવાર બે સીઆરપીએફ જવાનોનો માંડ-માંડ બચ્યા. સ્થળ પર બે IEDની પુષ્ટિ થઈ હતી. સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવા માટે નક્સલવાદીઓએ આ બ્લાસ્ટ કર્યો હતો.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આવતીકાલે એટલે કે 3જી ડિસેમ્બરે યોજાવાની છે. આવી સ્થિતિમાં નક્સલ પ્રભાવિત વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નક્સલી ઘટના બાદ આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-