લેપટોપને શટડાઉન કરવું કેમ જરૂરી ? આ કારણો જાણી ન કરતાં હોય તો કરી દેજો હવે..

Share this story
  • લેપટોપ બંધ કરવા માટે યૂઝર સ્લીપ મોડનો ઉપયોગ કરે છે. લેપટોપ શટડાઉન કરવા માટે અનેક આદતોને ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

અનેક યૂઝર્સ પોતાની સગવડતા માટે લેપટોપ સ્લીપ મોડમાં રાખે છે. શું તમે પણ આ પ્રકારે કરી રહ્યા છો, તો તમારે આ તમામ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે. લેપટોપ બંધ કરવા માટે યૂઝર સ્લીપ મોડનો ઉપયોગ કરે છે. લેપટોપ શટડાઉન કરવું શા માટે જરૂરી છે, તે અંગે જણાવવામાં આવ્યું છે.

લેપટોપ શટડાઉન કરવું શા માટે જરૂરી છે?

બેટરી

લેપટોપ સ્લીપ મોડ હોય તો પણ તે મોડમાં એક્ટીવ રહેવા માટે લેપટોપની બેટરી પણ યૂઝ થાય છે. વારંવાર સ્લીપ મોડનો ઉપયોગ કરવાને કારણે લેપટોપની બેટરી ડ્રેન થઈ શકે છે. ૩૦૦ ચાર્જ સાઈકલ પૂર્ણ થયા પછી લેપટોપની બેટરી લાઈફ શોર્ટ થવા લાગે છે. લેપટોપની બેટરી સારી ચાલે તે માટે તેને શટડાઉન કરવું જરૂરી છે.

પાવર સર્જ :

પાવર સર્જ પર કોઈ વ્યક્તિનો કંટ્રોલ રહેતો નથી. પાવર સર્જની સાથે લેપટોપને નુકસાન થાય છે અને યૂઝરનો ડેટા પણ લોસ્ટ થઈ શકે છે. લેપટોપ સ્લીપ મોડ પર રાખવાથી પાવર્જ સર્જના કારણે નુકસાન થઈ શકે છે. જેથી લેપટોપ શટડાઉન કરવામાં આવે તો મોટા ખર્ચાથી બચી શકાય છે.

પ્રોડક્ટિવિટી :

લેપટોપ સ્લીપ મોડ પર રાખવામાં આવે ત્યારે તમામ ટેબ એક્ટિવ હોય છે, જેના કારણે યૂઝરની પ્રોડક્ટિવિટી પર અસર થાય છે. લેપટોપ શટડાઉન કરવાથી ટેબ્સ, વિંડોઝ, ફાઈલ્સને એક નવું સ્ટાર્ટ મળે છે, જેથી તમામ જૂનો ડેટા ક્લિઅર થવાની સાથે પ્રોડક્ટિવિટી વધે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત ગાર્ડિયન આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો :-