સુરતમાં ટેક્સટાઈલના મોટા ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યાં છે. શહેરમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ તરીકે જાણિતા એશ્વર્યા ગ્રુપ પર આઈટીનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. શહેરમાં અન્ય વેપારીઓ અને નાના વેપારીઓ પણ દરોડાની ખબરો સાંભળીને ચિંતામાં મુકાયા છે.
સુરત શહેરમાં ટેક્સટાઇલના એશ્વર્યા ગ્રુપ ઉપર ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. શહેરમાં એક સાથે બારેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. મોરબીમાં કોલ બિઝનેસના સીરામિક એકમો પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એક સાથે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ આવી છે. કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સીરામીક ઉપર પણ તપાસ કરવામાં આવી રહીછે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :-