HomeECONOMICSEMI ભરનારા માટે મોટા સમાચાર! RBIના નિર્ણયથી હવે શું બદલાશે?

EMI ભરનારા માટે મોટા સમાચાર! RBIના નિર્ણયથી હવે શું બદલાશે?

Date:

Related stories

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...

સુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

દારૂબંધીની અસરકારકતા અંગે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ...
spot_img

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ફરી એક વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરતાં કરોડો હોમ લોન, કાર લોન અને અન્ય લોનધારકોને તાત્કાલિક રાહત મળી છે. જો તમે નજીકના સમયમાં લોન લેવાનું વિચારી રહ્યા છો અથવા હાલ EMI ચૂકવી રહ્યા છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. RBIએ વ્યાજદર 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, એટલે હાલ બેંકો તરફથી લોનના વ્યાજદરમાં વધારો થવાની શક્યતા ઓછી છે. જોકે, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંકે સાવચેતીભર્યો અભિગમ જાળવી રાખ્યો છે.

RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ ત્રણ દિવસ ચાલેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક બાદ જાહેરાત કરી હતી કે રેપો રેટ 5.25 ટકા પર જ રહેશે. સાથે જ પોલિસી સ્ટાન્સ ‘ન્યુટ્રલ’ રાખવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF)નો દર 5 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) તેમજ બેંક રેટ 5.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હોવાનું RBIએ જણાવ્યું.

RBIએ જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં વધતું ભૂરાજકીય તણાવ, વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા, કાચા તેલના ભાવ અને ચોમાસાની સ્થિતિ જેવા પરિબળો અર્થતંત્ર પર અસર કરી શકે છે. જૂન 2026માં ભારતની રિટેલ મોંઘવારી વધીને 4.38 ટકા પહોંચી હતી, જે RBIના 4 ટકાના લક્ષ્યાંકથી ઉપર છે. ખાદ્યપદાર્થો અને ઇંધણના ભાવમાં દબાણને કારણે આગામી ત્રિમાસિકમાં પણ મોંઘવારી ઊંચી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જોકે ત્યારબાદ તેમાં ઘટાડાની અપેક્ષા છે.

ગવર્નર મલ્હોત્રાએ કહ્યું કે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ મજબૂત છે અને બેંકિંગ ક્ષેત્રની મૂડી, લિક્વિડિટી, એસેટ ક્વોલિટી તથા નફાકારકતા સંતોષજનક છે. NBFC ક્ષેત્રની સ્થિતિ પણ અગાઉ કરતાં વધુ મજબૂત હોવાનું તેમણે જણાવ્યું. સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે ભવિષ્યમાં વ્યાજદર અંગેનો કોઈપણ નિર્ણય મોંઘવારી, વૈશ્વિક પરિસ્થિતિ અને આર્થિક આંકડાઓને આધારે લેવામાં આવશે. હાલ માટે સામાન્ય ગ્રાહકોની EMIમાં કોઈ ફેરફાર નહીં થાય અને લોનધારકોને રાહત યથાવત રહેશે.

Subscribe

Latest stories

spot_img