HomeNationalસુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

સુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

Date:

Related stories

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...

દિલ્હીમાં મળેલા સગીરાના મૃતદેહનો રહસ્ય ઉકેલાયો!

દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં ખેતરમાંથી મળી આવેલી કિશોરીની લાશ...
spot_img

દારૂબંધીની અસરકારકતા અંગે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ સાથે જોડાયેલા પાંચ મોટા નુકસાન તરફ ધ્યાન દોર્યું છે. કોર્ટે ખાસ કરીને સરકારી આવકમાં ઘટાડો, દારૂબંધીના અમલ પાછળ થતો મોટો ખર્ચ, પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર, ગેરકાયદે દારૂના વેપાર અને ડ્રગ્સના વધતા જોખમનો ઉલ્લેખ કર્યો હતો.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે મહારાષ્ટ્ર પોઈઝન રૂલ્સના નિયમ 18A અને 18B રદ કરતી વખતે આ ટિપ્પણીઓ કરી હતી. આ નિયમો હેઠળ મેથનોલની ખરીદી અને તેના વેચાણ પહેલાં તેમાં કડવો પદાર્થ તથા રંગ ઉમેરવાની જોગવાઈ હતી.

કોર્ટે કહ્યું કે સંપૂર્ણ દારૂબંધી ઘણી વખત દારૂના વેપારને ગેરકાયદેસર બનાવી દે છે, જેના કારણે અનિયંત્રિત અને ઝેરી દારૂનું ચલણ વધી શકે છે. કોર્ટે ગુજરાતના ભાવનગર અને મધ્યપ્રદેશના સાગરમાં થયેલી ઝેરી દારૂની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં રાજ્યમાં સમયાંતરે ઝેરી દારૂની મોટી દુર્ઘટનાઓ સામે આવી છે. કોર્ટે આવી ઘટનાઓને તંત્ર માટે ચેતવણી ગણાવી હતી.

મહારાષ્ટ્ર સરકારની દલીલો અંગે કોર્ટે કહ્યું કે નિયમો પાછળ સરકારનો હેતુ સારો હોવા છતાં માત્ર સારા ઈરાદાથી કોઈ નિયમને કાયદાકીય રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. સરકારે એ પણ સ્પષ્ટ કરી શક્યું નહોતું કે મેથનોલમાં ચોક્કસ પદાર્થો ઉમેરવાથી ઝેરી દારૂના કારણે થતા મોતને કેવી રીતે અટકાવી શકાય.

Subscribe

Latest stories

spot_img