HomeGujaratસાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

Date:

Related stories

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...

સુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

દારૂબંધીની અસરકારકતા અંગે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ...

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...
spot_img

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે રાજુએ નવસારી પોલીસને ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. માઉન્ટ આબુના આશ્રમમાંથી સાધુનો વેશ ધારણ કરેલી હાલતમાં માંડ ઝડપાયેલો આ શાતિર ગુનેગાર નવસારી સિવિલ હોસ્પિટલમાંથી સારવાર બાદ પોલીસ જાપ્તાને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાથી પોલીસમાં ભારે દોડધામ મચી ગઈ છે.

મળેલી વિગતો અનુસાર, વાંસદામાં રૂ. ૧૨.૫૦ લાખની આંગડિયા લૂંટ ચલાવ્યા બાદ રાજારામ મુંબઈ થઈને રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતેના ગીરી આશ્રમમાં છુપાઈ ગયો હતો. ત્યાં તેણે આશ્રમના મહંતને ગેરમાર્ગે દોરી સાધુનો વેશ ધારણ કરી લીધો હતો. જોકે, આશ્રમની સોશિયલ મીડિયા રીલ્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વાંસદા પોલીસે મહંતને વિશ્વાસમાં લઈ કડક ઓપરેશન પાર પાડી તેને દબોચી લીધો હતો.

રિમાન્ડ દરમિયાન આરોપીએ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનું નાટક ઊભું કર્યું હતું, જેથી તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સારવાર બાદ રજા મળતાં ત્રણ સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ તેને બહાર લાવી રહ્યા હતા, ત્યારે જ તકનો લાભ ઉઠાવી તે પોલીસને હાથતાળી આપીને ભાગી છૂટ્યો હતો.

ફરાર થયા બાદ સાંજના સમયે તે સ્ટેશન વિજલપોર રોડ પર આવેલા સાઈબાબા મંદિર નજીક નજરે પડ્યો હતો. જેના આધારે ૧૦થી વધુ પોલીસ ટીમોએ આખી રાત વિજલપુર ફાટક વિસ્તારમાં ઘેરાબંધી કરી સઘન શોધખોળ હાથ ધરી હતી. ગૌણ બાતમી મુજબ, વહેલી સવારે શારદા મંદિર શાળાના વિદ્યાર્થીઓએ પણ તેને ભાગતો જોયો હતો. હાલ સમગ્ર જિલ્લામાં કડક નાકાબંધી કરી નવસારી પોલીસે આ શાતિર લૂંટારાને ફરી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Subscribe

Latest stories

spot_img