HomeSurat Cityનાસીરનગરના અસરગ્રસ્તો માટે રાહતના સમાચાર! સુરત પાલિકાએ લીધો મહત્વનો નિર્ણય

નાસીરનગરના અસરગ્રસ્તો માટે રાહતના સમાચાર! સુરત પાલિકાએ લીધો મહત્વનો નિર્ણય

Date:

Related stories

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...
spot_img

નાસીરનગર ડિમોલિશન બાદ બેઘર બનેલા પરિવારો માટે હવે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી વૈકલ્પિક આવાસની રાહ જોઈ રહેલા અસરગ્રસ્તો માટે સુરત મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાલિકાએ ઉચ્ચ અધિકારીઓની વિશેષ કમિટી રચીને પુનર્વસનની પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને નિયમબદ્ધ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, નાસીરનગર ડિમોલિશનમાં પ્રભાવિત થયેલા પાત્ર પરિવારોને સમયસર વૈકલ્પિક આવાસ ફાળવવાની સમગ્ર પ્રક્રિયા પર આ કમિટી નજર રાખશે. સાથે જ કામગીરીની નિયમિત સમીક્ષા કરીને સંબંધિત વિભાગને અહેવાલ પણ મોકલવામાં આવશે.

કમિટીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આઈએએસ અધિકારી નિધિ સિવાચ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ.પી. દેસાઈ તેમજ એડિશનલ સિટી એન્જિનિયર અને ડેપ્યુટી સિટી એન્જિનિયર એમ.ડી. ચાવડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અગાઉ પુનર્વસન પ્રક્રિયામાં વિલંબ અને ગેરસમજ અંગે ફરિયાદો ઉઠતી હતી. તેને ધ્યાનમાં રાખીને પાલિકાએ સીધી ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કમિટી બનાવી છે. આ પગલાથી પાત્ર પરિવારોને ઝડપથી આવાસ ફાળવણી થશે અને સમગ્ર પ્રક્રિયામાં વધુ પારદર્શિતા જળવાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Subscribe

Latest stories

spot_img