HomeSurat Cityઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

Date:

Related stories

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...
spot_img

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક ‘અકસ્માત’ હકીકતમાં એક સુનિયોજિત હત્યા હતી? સરોલી ગામના ૪૬ વર્ષીય યુવક અમીષ પટેલના શંકાસ્પદ મોતે સુરત જિલ્લાના રાજકારણ અને કાયદા વ્યવસ્થામાં ભારે ગરમાવો લાવી દીધો છે.

ગત ૧૨ સપ્ટેમ્બરના રોજ ઓલપાડ તાલુકાના અરીયાણા અને દિહેણ ગામ નજીક એક કાર અકસ્માતમાં સરોલીના અમીષ ગણપતભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ ઓલપાડ પોલીસે આ મામલાને માત્ર એક દુર્ઘટના ગણાવીને પૂરપાટ ઝડપે કાર ઝાડ સાથે અથડાઈ હોવાની થિયરી રજૂ કરી અને અકસ્માતે મોત (AD) નો ગુનો દાખલ કર્યો હતો. જોકે, કેસમાં સૌથી મોટો અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતક અમીષ પટેલના મોબાઈલની એક ઓડિયો ક્લિપ પરિવારના હાથમાં આવી.

આ ક્લિપમાં અમીષ પટેલ પોતાના મોતના થોડા સમય પહેલા જ કોઈને કહેતો સંભળાય છે કે, “આ લોકો મને મારી નાખવાના છે”. આ પુરાવા ઉપરાંત, ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ અને ક્ષતિગ્રસ્ત કારમાં મળેલા લોહીના ડાઘાઓએ સાબિત કર્યું કે આ કોઈ સાધારણ અકસ્માત ન હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે, કેટલાક અસામાજિક તત્વોએ અમીષની હત્યા કરી પુરાવાઓનો નાશ કરવા માટે આયોજનબદ્ધ રીતે તેને રોડ અકસ્માતમાં ખપાવી દીધો છે.

પોલીસની ઢીલી કામગીરીથી નારાજ થઈને બુધવારે અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો, ગ્રામજનો અને મૃતકના પરિવારજનો સહિત ૨૦૦થી વધુ લોકો ઓલપાડ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે હોબાળો મચાવી લોકોએ ધરણાં કર્યા હતા અને ‘ઓલપાડ પોલીસ હાય હાય’ ના નારા લગાવ્યા હતા. આંદોલનકારીઓએ સ્થાનિક પીઆઈ સી. આર. જાદવ પર આરોપીઓને છાવરવાનો આરોપ લગાવી તેમની તાત્કાલિક બદલી અથવા સસ્પેન્શનની ઉગ્ર માંગ કરી છે. ધરણાં દરમિયાન સરોલીના માજી સરપંચે હાલના સ્થાનિક રાજકીય અગ્રણીઓની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

કોળી સમાજમાં છેલ્લા ૨૫ દિવસમાં હત્યાની આ બીજી શંકાસ્પદ ઘટના હોવાથી લોકોનો આક્રોશ ચરમસીમા પર છે. સમાજના આગેવાનોએ પોલીસને ઔપચારિક રીતે હત્યાનો ગુનો નોંધવા બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. બીજી તરફ, મામલાની ગંભીરતા અને જનરોષને જોતા ધારાસભ્ય મુકેશ પટેલની ઉચ્ચ સ્તરીય રજૂઆત બાદ આ ચકચારી કેસની તપાસ હવે સુરત જિલ્લા એસ.ઓ.જી. (SOG) ને સોંપવામાં આવી છે.

હવે સવાલ એ છે કે શું અમીષ પટેલના હત્યારાઓ કાયદાના સકંજામાં આવશે કે પછી કોઈ રાજકીય દબાણ હેઠળ સત્ય દબાઈ જશે? સમગ્ર દક્ષિણ ગુજરાતની નજર હવે એસ.ઓ.જી.ની ઊંડાણપૂર્વકની તપાસના નિષ્કર્ષ પર મંડાયેલી છે.

Subscribe

Latest stories

spot_img