- Taarak Mehta Ka Ooltah Chashmah છેલ્લા ૧૫ વર્ષથી નાના પડદા પર રાજ કરી રહ્યો છે. અમે આજે તમારા માટે શો સાથે જોડાયેલી એક ખૂબ જ ફની સ્ટોરી લઈને આવ્યા છીએ.
Taarak Mehta Ka Ooltah Chashmah છેલ્લા ૧૫ વર્ષથી નાના પડદા પર રાજ કરી રહ્યો છે. નાનાથી લઈને વૃદ્ધ સુધી તમામ ઉંમરના લોકોને શો ગમે છે. આવી સ્થિતિમાં અમે આજે તમારા માટે શો સાથે જોડાયેલી એક ખૂબ જ ફની સ્ટોરી લઈને આવ્યા છીએ.
વર્ષ ૨૦૦૮માં ટીવી પર શરૂ થયેલો શો ‘તારક મહેતા‘ દર્શકોનો ફેવરિટ શો છે. જેના દરેક પાત્ર પર માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ લોકો ઘણો પ્રેમ વરસાવે છે. શોના તમામ કલાકારો પડદાની પાછળ એટલે કે શૂટિંગ દરમિયાન પડદા પર જેટલી મસ્તી કરતા હોય છે તેના કરતાં વધુ મસ્તી કરતા હોય છે.
પરંતુ આજે અમે તમને શોમાં ‘ચંપક ચાચા‘નું પાત્ર ભજવનાર અભિનેતાની વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ. આ વાતનો ખુલાસો શોની અભિનેત્રી અંબિકા રાજનકર એટલે કે કોમલ હાથીએ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, “એકવાર સેટ પર સાપના એપિસોડનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે અમિતે મુનમુન પર નકલી સાપ ફેંક્યો અને તે આખા સેટ પર ચપ્પલ લઈને તેની પાછળ દોડી હતી.
વાસ્તવમાં એકવાર શૂટિંગ દરમિયાન ચંપક ચાચા એટલે કે અમિત ભટ્ટે એક વખત મુનમુન દત્તા પર નકલી સાપ ફેંક્યો હતો. જેના કારણે અભિનેત્રી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. એટલું જ નહીં મુનમુન એટલી નારાજ થઈ ગઈ હતી કે તે ચપ્પલ લઈને અમિત ભટ્ટની પાછળ દોડી ગઈ હતી.
આ દરમિયાન તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે સેટ પર સૌથી તોફાની બાપુજી એટલે કે અમિત ભટ્ટ છે.. પરંતુ હવે અમે બધા એક પરિવાર બની ગયા છીએ. તેથી જ અમારી વચ્ચે મજાક મસ્તી ચાલે છે.
ઉલ્લેખનીય છે શોમાં દયાબેન અને જેઠાલાલ સિવાય દર્શકોને બબીતાજી અને જેઠાલાલ વચ્ચેની ફ્લર્ટિંગ પણ પસંદ છે.
આ પણ વાંચો :-