- દક્ષિણ ભારતના મંદિરોમાં ભારે દાનના કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે. પણ અમુક એવા ભક્તો પણ હોય છે જેઓ ભગવાન સાથે જ દગો કરી જતા હોય છે.
મંદિરની દાનપેટીમાં એક ભક્તે ૧૦૦ કરોડનો ચેક નાખી દીધો હતો. જ્યારે મંદિરના મેનેજમેન્ટે આ ચેક કેશ કરાવવા માટે બેન્કનો સંપર્ક કર્યો તો તેના એકાઉન્ટમાં ફક્ત ૨૨ જ રૂપિયા નીકળ્યા હતા. જોકે કેટલાક અહેવાલોમાં ૧૭ રૂપિયા નીકળ્યા હોવાનો પણ દાવો કરાયો છે.
વિશાખાપટ્ટનમના આ મંદિરમાં બની ઘટના :
તાજેતરની ઘટના વિશાખાપટ્ટનમમાં બની હતી. સિમ્હાચલમ દેવસ્થાનમના અધિકારીઓ ત્યારે અચરજમાં પડી ગયા જ્યારે તેમને બુધવારે હુંડી સંગ્રહની ગણતરી વખતે મંદિરમાં દાન કરાયેલા ૧૦૦ કરોડ રૂપિયાનો ચેક મળ્યો. આ ચેક પર કોઈ બોડ્ડેપલ્લી રાધાકૃષ્ણ નામની વ્યક્તિના હસ્તાક્ષર હતા.
બેન્ક વેરિફિકેશનમાં આંખો પહોળી થઈ ગઈ :
મંદિરના સૂત્રોએ જણાવ્યું કે ભક્તોના બેન્ક ખાતાનું વેરિફિકેશન કરવામાં આવતા જાણ થઈ કે રાધાકૃષ્ણના ખાતામાં ફક્ત ૨૨ જ રૂપિયા હતા. જોકે તેનું સરનામું મળ્યું નથી. સિમ્હાચલ ઈઓએ કહ્યું કે આ મંદિર માટે કોઈ નવાઈની વાત નથી. અગાઉ પણ ભક્તો દ્વારા આવી મોટી રકમના ચેક હુંડીમાં નાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :-