એશિયા કપ પહેલા ટીમ ઈંડિયાને મળી ખુશખબર, ટુંક સમયમાં આ ખેલાડી ટીમમાં કરશે વાપસી

Share this story

Team India got good news before the Asia Cup

  • Asia Cup 2023 : એશિયા કપ 2023 શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખુશખબરી સામે આવી છે. ટીમ ઈન્ડિયામાં એક ધુરંધર ખેલાડી ટૂંક સમયમાં જ વાપસી કરી શકે છે. જેના કારણે એશિયા કપ 2023 માં ટીમ ઈન્ડિયા વધારે મજબૂત થઈ જશે.

સપ્ટેમ્બર મહિનામાં ટીમ ઈન્ડિયા (Team India) એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે રમશે. એશિયા કપ 2023 નું શેડયુલ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ ચર્ચાઓ છે કે આ વખતે આ ટુર્નામેન્ટ હાઈબ્રીડ મોડલમાં રમાશે. જેમાં ટીમ ઈન્ડિયા પોતાના બધા જ મેચ શ્રીલંકામાં (Sri Lanka) રમશે. જોકે એશિયા કપ 2023 શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખુશખબરી સામે આવી છે. ટીમ ઈન્ડિયામાં એક ધુરંધર ખેલાડી ટૂંક સમયમાં જ વાપસી કરશે. જેના કારણે એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયા વધારે મજબૂત થઈ જશે.

ટીમ ઈન્ડિયાના બેટસમેન કે એલ રાહુલ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે. પગની સર્જરી પછી હવે રાહુલ ફિટ છે અને વન-ડે વર્લ્ડ કપ પહેલા સપ્ટેમ્બર મહિનામાં થનાર એશિયા કપમાં જ ટીમ ઇન્ડિયા માટે રમે તેવી શક્યતા છે. કે એલ રાહુલ આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટસની કપ્તાની સંભાળે છે. આ વખતે ટી ટ્વેન્ટી લીગ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયા હતા. જેના કારણે ટી ટ્વેન્ટી પછીની ટુર્નામેન્ટ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલમાંથી તેને બહાર કરી અને પગની સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી.

કે એલ રાહુલે બ્રિટનમાં પોતાનું સફળ ઓપરેશન કરાવ્યું છે અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેણે આ વાતની જાણકારી પણ આપી છે. ઓપરેશન પછી તે ઘરે પરત ફરી ચૂક્યા છે. મહત્વનું છે કે કે એલ રાહુલ ટીમ ઇન્ડિયા માટે બેટિંગ કરવા ઉપરાંત ઋષભ પંતની ગેરહાજરીમાં વિકેટકીપર તરીકેની જવાબદારી પણ સંભાળે છે. તેવામાં રાહુલ હવે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.

આ પણ વાંચો :-