Thursday, May 22, 2025

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, SC-ST અનામતમાં સબ-કેટેગરીને મળી લીલી ઝંડી

2 Min Read

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં ક્વોટાને મંજૂરી આપી દીધી છે. કોર્ટનું કહેવું છે કે ક્વોટા અસમાનતાની વિરુદ્ધ નથી. સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વચ્ચે પેટા કેટેગરીઓ બનાવી શકે છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને અનામતનો વધુ લાભ મળે. કોર્ટે 6-1ની બહુમતી સાથે કહ્યું કે અમે માનીએ છીએ કે સબ કેટેગરની મંજૂરી છે પરંતુ જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદીએ આ સાથે અસંમતી બતાવી હતી. આ સાથે કોર્ટે 2004માં ઈવી ચિન્નૈયા કેસમાં આપેલા સુપ્રીમ કોર્ટના પાંચ જજોના નિર્ણયને પણ રદ કરી દીધો છે. વર્તમાન બેન્ચે 2004માં આપેલા નિર્ણયને બાજુ પર રાખ્યો છે.

Image

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્વોટાની અંદર ક્વોટા વ્યાજબી તફાવત પર આધારિત હશે. રાજ્યો આ અંગે તેમની ઈચ્છા મુજબ કાર્યવાહી કરી શકતા નથી. આ સાથે રાજ્યોની ગતિવિધિઓ ન્યાયિક સમીક્ષાને આધીન રહેશે. આ સાથે કોર્ટે 2004માં ઈવી ચિન્નૈયા કેસમાં આપેલા સુપ્રીમ કોર્ટના પાંચ જજોના નિર્ણયને પણ રદ કરી દીધો છે. વર્તમાન બેન્ચે 2004 માં આપેલા નિર્ણયની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC/ST જનજાતિઓમાં પેટા-શ્રેણીઓ બનાવી શકાય નહીં.

વાસ્તવમાં, 1975 માં, પંજાબ સરકારે અનુસૂચિત જાતિઓ માટે અનામત નીતિને બે શ્રેણીઓમાં વહેંચીને અનામતની નીતિ રજૂ કરી હતી. એક બાલ્મિકી અને મઝહબી શીખો માટે અને બીજી બાકીની અનુસૂચિત જાતિ વર્ગ માટે સબ-કેટેગરી બનાવવામાં આવી હતી. આ નિયમ 30 વર્ષ સુધી અમલમાં રહ્યો. તે પછી, 2006 માં, આ મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પહોંચ્યો અને ઇવી ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્યના કેસમાં સુપ્રીમ કોર્ટના 2004ના નિર્ણયને ટાંકવામાં આવ્યો. પંજાબ સરકારને ઝટકો લાગ્યો અને આ પોલિસી રદ કરવામાં આવી. ચિન્નૈયાના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે એસસી કેટેગરીમાં પેટા કેટેગરીઝને મંજૂરી નથી. કારણ કે તે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. પરંતુ આજે આ ચુકાદાને પલટાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Share This Article