જેસલમેરના આ આલિશાન પેલેસમાં લગ્નબંધનમાં બંધાશે સિદ્ધાર્થ-કિયારા ! રોજનું ભાડું જાણીને તમે ચોકી જશો 

Share this story

Siddharth-Kiara will get married

  • કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આ વર્ષે 6 ફેબ્રુઆરીએ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે અને બંનેએ સાત ફેરા લેવા માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસને પસંદ કર્યો છે.

બોલીવુડના ચર્ચિત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિયારા અડવાણીને (Kiara Advani) લઇને એક નવી માહિતી સામે આવી છે.એ મુજબ હાલ કહેવામાં આવી રહ્યું છે કે બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ લગ્ન રાજસ્થાનમાં (Rajasthan) થશે. જેમાં એમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 6 ફેબ્રુઆરીએ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે અને બંનેએ સાત ફેરા લેવા માટે જેસલમેરના (Jaisalmer) સૂર્યગઢ પેલેસને પસંદ કર્યો છે.

https://www.instagram.com/p/ClSkQD4D8Ub/?utm_source=ig_embed&ig_rid=ab2f3e74-00b4-4356-9aa7-40deb9abbeda

એમના લગ્ન સ્થળ વિશે વાત કરી તો જેસલમેરનો એ સૂર્યગઢ પેલેસ ઘણો સુંદર છે અને આ લક્ઝુરિયસ પેલેસમાં 83 રૂમ છે. આ પેલેસ 4 એકરમાં ફેલાયેલ છે અને તેનું દૈનિક ભાડું કરોડો રૂપિયા છે. આજે અમે તમને જેસલમેરના સૂર્યગઢ પેલેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પંજાબી રીતિ-રિવાજોથી લગ્ન કરશે :

પહેલા તમને જણાવી દઈએ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 4 ફેબ્રુઆરીએ સૂર્યગઢ હોટલ પહોંચશે અને ત્યારબાદ હલ્દીથી લઈને મહેંદી અને સંગીતની વિધિઓ શરૂ થશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને પંજાબી રીતિ-રિવાજોથી લગ્ન કરશે અને એ પછી સિદ્ધાર્થ અને કિયારા બે રિસેપ્શન પાર્ટીઓનું આયોજન કરશે. એક દિલ્હીમાં અને બીજી મુંબઈમાં.

https://www.instagram.com/p/Cjp9dCHr66u/?utm_source=ig_embed&ig_rid=3d5806a5-36f1-4ca2-aeb0-d65213531fef

કઇંક આવો છે સૂર્યગઢ પેલેસ :

જો તમે સૂર્યગઢ કિલ્લાને વધુ નજીકથી જોવા માંગો છો. તો તમે તેની વેબસાઈટ  https://www.suryagarh.com/ પર જઈ શકો છો. ત્યાં તમે રૂમથી લઈને ગાર્ડન સુધીનો દરેક ખૂણો જોઈ શકો છો. જણાવી દઈએ કે દરેક રૂમને રાજસ્થાની શૈલી સાથે વિન્ટેજ ટચ આપવામાં આવ્યો છે. સાગ અને ચંદનનું બનેલું ફર્નિચર વૈભવી છે સાથે જ સ્વિમિંગ પૂલ, જિમ અને સ્પા પણ મળી રહે છે. આ સાથે તમને જ ખાવા-પીવામાં પણ ઘણી ખાસ વસ્તુઓ મળે છે.

કરોડોમાં છે રોજનું ભાડું :

મળતી માહિતી મુજબ સૂર્યગઢ પેલેસના રૂમનું એક રાતનું ભાડું 12 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને અલગ-અલગ રૂમ અને સુવિધા પ્રમાણે આ ભાડું લાખોમાં પહોંચે છે. અને જો તમે અહીં લગ્નનું આયોજન કરવા માંગો છો. તો દરરોજનું ભાડું 1 થી 2 કરોડ રૂપિયાની નજીક પહોચે છે.

આ પણ વાંચો :-