આજે કરો યા મરો ! શ્રેણીમાં 1-1ની બરોબરી હોવાથી બન્ને ટીમ જીત માટે મરણીયો પ્રયાસ કરશે, આ ખેલાડીઓ પર રહેશે નજર

Share this story

Do or die today

  • હાલમાં ભારત માટે કપરો સમય છે. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજકોટમાં નિર્ણાયક ટી20નો રોમાંચ જામશે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 શ્રેણીમાં 1-1ની બરોબરી હોથી ત્રીજી અને અંતિમ ટી 20 જીતવા માટે બન્ને ટીમો મરણીયો પ્રયાસ કરો તે નક્કી છે. રાજકોટમાં સાજે 7 વાગ્યાથી ત્રીજી ટી20 મેચનો પ્રારંભ થશે.

રાજકોટમાં સાજે 7 વાગ્યાથી ત્રીજી ટી20 મેચનો પ્રારંભ થશે. ભારતે પ્રથમ ટી20 છેલ્લા બોલે જીત મેળવ્યા બાદ આત્મવિશ્વાસ વધ્યો હતો. પરંતુ પુણેમાં બીજી મેચમાં 200 નથી વધુના ટાર્ગેટને ચેઝ કરવામાં ભારતે લડત આપી હોવા છતાં પરાજય થયો હતો. પુનામાં ભારતની હારનું કારણ ખરાબ બોલિંગ રહી હતી.

આ પરાજયમાંથી ભારતને ઘણું શીખવા મળ્યું છે. ભારતીય બોલર્સની ખરાબ લાઈન લેન્થ સાથેની બોલિંગનો શ્રીલંકાના બેટસમેનો ભરપૂર ફાયદો લીધો હતો. ઈજામાંથી કમબેક કરનાર અર્શદીપ સિંઘે બે ઓવરમાં પાંચ નો બોલ ફેંક્યા હતા કુલ 37 રન ખર્ચ્યા હતા જે ટી20 ફોર્મેટમાં કોઈપણ બોલર માટે કંગાળ દેખાવ હતો.

ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે યુવા ખેલાડીઓની કારકિર્દીમાં આવી મેચો આવે અને અમારે તેમની સાથે સંયમથી વર્તવું પડે છે. જો કે એ પણ સમજવું પડશે કે અને આ પ્રકારનું પ્રદર્શન ના થવું જોઈએ. તેઓ શીખી રહ્યા છે. આ કપરું છે. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં શીખવું સરળ નથી માટે જ અમારે સંયમ જાળવવો પડશે.

બન્ને ટીમો :

ભારત : હાર્દિક (કેપ્ટન), કિશન (વિકી), ગાયકવાડ, ગિલ, સૂર્યકુમાર, હુડ્ડા, ત્રિપાઠી, જીતેશ, સુંદર, ચહલ, અક્ષર, અર્શદીપ, હર્ષલ, ઉમરાન, શિવમ, મુકેશ.

શ્રીલંકા : શનાકા (કેપ્ટન), નિસંકા, આવિષ્કા, સમરવિક્રમ, કુસાલ, ભાનુકા, અસાલન્કા, ધનંજય, હસરંગા, બંદારા, થીકશાના, કરુણારત્ને, મધુશન્કા, કાસુન, વેલાલાગે, તુષારા

આ પણ વાંચો :-