HomeNationalભાજપ અને આપ ના કોર્પોરેટરો વચ્ચે જોરદાર મારામારી, મેયરની ચૂંટણીમાં ખુરશીઓ ઉછળી

ભાજપ અને આપ ના કોર્પોરેટરો વચ્ચે જોરદાર મારામારી, મેયરની ચૂંટણીમાં ખુરશીઓ ઉછળી

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Heavy fighting between BJP and AAP corporators

  • MCD મેયરની ચૂંટણી પહેલા જ સિવિક સેન્ટર ખાતે આપ – ભાજપનાં કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ના મેયરની ચૂંટણી પહેલા જ ગૃહની અંદર BJP અને AAPના કાઉન્સિલરો વચ્ચે લડાઈ થઈ છે. સિવિક સેન્ટરમાં બંને પક્ષના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટના એમસીડીના કાઉન્સિલરોના (Councillors) શપથ ગ્રહણ દરમિયાન બની હતી. પહેલા તમામ કાઉન્સિલરોને શપથ ગ્રહણ કરવાના હતા ત્યારબાદ મેયર પદ માટે ચૂંટણી યોજાવાની હતી. સિવિક સેન્ટરના વીડિયોમાં ભાજપ અને આપના કોર્પોરેટરો ઝપાઝપી કરતા જોવા મળે છે.

સિસોદિયાએ આવી પ્રતિક્રિયા આપી હતી :

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું કે, ‘MCDમાં પોતાના કુકર્મ છુપાવવા માટે બીજેપીના લોકો કેટલા નીચા જશે ! ચૂંટણી મોકૂફ રાખવામાં આવી, પ્રિસાઇડિંગ ઓફિસરની ગેરકાયદેસર નિમણૂક, નોમિનેટેડ કાઉન્સિલરોની ગેરકાયદે નિમણૂક અને હવે લોકો દ્વારા ચૂંટાયેલા કાઉન્સિલરોને શપથ લેવડાવવામાં આવતા નથી. જનતાના ચુકાદાને માન આપી શકતા નથી તો ચૂંટણી શા માટે ?

શપથના મુદ્દે હોબાળો :

જણાવી દઈએ કે AAPના ગૃહના નેતા મુકેશ ગોયલે નોમિનેટેડ કાઉન્સિલરો સમક્ષ શપથ લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મુકેશ ગોયલે કહ્યું કે 25 વર્ષ સુધી આ ગૃહમાં અગાઉ ક્યારેય નોમિનેટેડ કાઉન્સિલરોની શપથવિધિ થઈ નથી. જો કે આ દરમિયાન ભાજપના મેયર પદના ઉમેદવાર રેખા ગુપ્તા અને AAPના ઉમેદવાર શેલી ઓબેરોય મૂક પ્રેક્ષક બનીને હંગામો જોતા રહ્યાં.

નોંધપાત્ર વાત એ છે કે દિલ્હી એલજીએ દિલ્હી રાજ્ય હજ સમિતિના અધ્યક્ષપદ માટે કોંગ્રેસના કાઉન્સિલર અને ગૃહના નેતા નાઝિયા દાનિશનું નામ મોકલ્યું છે. AAP વિધાનસભ્ય આતિશીના કહેવા પ્રમાણે, સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. સ્થાયી સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ કાઉન્સિલરોને વોકઆઉટ કરાવવાની જવાબદારી નાઝિયા દાનિશને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img