Thursday, Jun 11, 2026

મુંબઈ ડિવિઝનની રેલવે લીગલ પેનલમાં સુરતનો દબદબો, અશ્વિન જોગડિયા સહિત 10 વકીલોની નિમણૂંક

2 Min Read

પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ થાય છે.

ભારતીય રેલવે, મુંબઈ ડિવિઝનના જનરલ મેનેજરની યાદીમાં જણાવ્યા મુજબ મુંબઈ ડિવિઝનની જિલ્લા અને ગૌણ અદાલતો સમક્ષ રેલવેના મુકદ્દમા (લિટિગેશન)નું કામકાજ સંભાળવા માટે, રેલવે બોર્ડ દ્વારા નિર્ધારિત અને સમયાંતરે સુધારવામાં આવતી સામાન્ય શરતો અને નિયમોને આધીન, ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા આગામી આદેશો સુધી રેલવે એડવોકેટ્સ તરીકે પેનલ પર એડવોકેટ્સના નામોને મંજૂરી આપી છે. જેમાં મુંબઈ, થાણે, પાલઘર, વસઈ સહિતની કોર્ટમાં 32 વકીલોની પસંદગી કરવામાં આવી છે.

સુરતમાં 10 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરત ડિવિઝનમાં અશ્વિન જોગડીયા, હાર્દિક શાહ, રવીન્દ્રન ટી. એસ. પંચાલ દિવ્યાકુમારી, મયુર બી. પટેલ, હીના શિંદે, ધ્રુમિકા લાંગલિયા, બિંદી દેસાઈ, માનવી પટેલ અને દિવ્યા અગ્રવાલની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈ ડિવિઝન માં આવતા નંદુરબારમાં 6, વલસાડ માં 5, નવસારી માં 2 અને વ્યારામાં 1 એકવોકેટ રુષિ ત્રિવેદીને રેલવેના કેસો ચલાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. અને આ રુષિ ત્રિવેદી સુરતના વકીલ હોવાનું જાણવા મળે છે.

નોંધનીય છે કે સુરતમાંથી નિમણૂક પામેલા અશ્વિન જોગડિયા અને હાર્દિક શાહ જીએસટીના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિકિટ્યુટર પણ છે. જ્યારે રવીન્દ્રન ટીએસ પણ NCBના ખાસ સરકારી વકીલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે હવે આ વકીલોની કામગીરી અને અનુભવ જોઈને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈને સુરતના વકીલ આલમમાં ખુશીનો માહોલ છે.

Share This Article