શાહરુખ ખાને વૈષ્ણોદેવીમાં માતાજીના શરણે : જવાન ફિલ્મની સફળતા માટે કરી પ્રાર્થના

Share this story
  • શાહરૂખ વૈષ્ણો દેવીના દરબારમાં ગયા હતા અને પોતાની ફિલ્મ ‘જવાન’ની સફળતા માટે પ્રાર્થના કરી હતી, જવાન ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થવાના આડે હવે થોડોક જ દિવસો બાકી રહ્યા છે. ફિલ્મ સ્ક્રીન પર આવે તે પહેલા કિંગ ખાનએ મા વૈષ્ણો દેવીના દરબારમાં શિશ જુકાવ્યું છે. શાહરૂખ ખાન વૈષ્ણો દેવીના દરબારમાં ગયા અને પોતાની ફિલ્મ જવાનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

વૈષ્ણો દેવી મંદિરે પહોંચ્યા શાહરૂખ ખાન :

વૈષ્ણો દેવીના મંદિરે જતાનો શાહરૂખ ખાનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કિંગ ખાન કડક સુરક્ષા વચ્ચે ચહેરો ઢાંકીને ચાલતો જોવા મળ્યો હતો. શાહરૂખે સફેદ ટી-શર્ટ, ડેનિમ, સ્કાય બ્લુ જેકેટ અને ફેસ માસ્ક પહેર્યો છે. શાહરૂખ વૈષ્ણો દેવીના દરબારમાં ગયા હતા અને પોતાની ફિલ્મ ‘જવાન‘ની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જવાન ફિલ્મ ૭ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. અટલીને ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. જેમાં કિંગ ખાનની જોડી નયનતારા સાથે છે.

ફિલ્મમાં અભિનેતાનો ડબલ રોલ :

જવાનનું ટ્રેલર હજુ આવ્યું નથી. પરંતુ તેના ગીતો અને પ્રિવ્યુ આવી ગયા છે. જેમાં કિંગ ખાનના ધમાકેદાર રોલને લઈ ચાહકોના દિલ જીતી લીધા છે. વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં શાહરૂખની ફિલ્મ પઠાણથી ધમાકેદાર શરૂઆત થઈ હતી. અભિનેતાની કમબેક ફિલ્મે ઘણી કમાણી કરી છે.

હવે વર્ષના અંત પહેલા શાહરૂખ તેની બીજી ફિલ્મ સાથે જોવા મળવાનો છે. જવાન ફિલ્મમાં અભિનેતાનો ડબલ રોલ હશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ગીત ‘નોટ રમૈયા વસ્તાવૈયા‘ રિલીઝ થયું છે. જેમાં નયનતારા સાથે શાહરૂખની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.

આ પણ વાંચો :-