૨૨ જુલાઈ શુક્રવારના રોજ લક્ષ્મીજીની કૃપાથી આ રાશિના લોકોને થશે ધનલાભ – જાણો આજનું રાશિફળ

Share this story

Friday, July 22 – Gujarat Guardian

મેષઃ
માનસિક શાંતિ જળવાય. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણય લઈ શકાય. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોના સારા ફળ મળતા જણાય. સુખ શાંતિમાં વધારો થાય.

વૃષભઃ
ધન સાથે સંકળાયેલા બાબતો માટે સાવચેતી જરૂરી. ખર્ચ ઘટાડવાના પ્રયત્નો કરવા. નાણાંના આયોજનમાં સાવધાની જરૂરી. વિદેશ સંબંધી બાબતો માટે શુભ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

મિથુનઃ
નાણાંની વખતસર હેરફેર થતી જણાય. કાર્યક્ષેત્રે મિત્રોનો સાથ સહકાર મળે. સંતાનો તરફથી હર્ષ. સાંસારિક સંબંધોમાં તણાવ વધવાની શક્યતા. આરોગ્ય જળવાશે. ભાગ્ય બળવાન.

કર્કઃ
માનસિક સ્વાસ્થ્ય ખુબ સારું રહે. નોકરી ધંધામાંથી સારા સમાચાર મળે. માતા-પિતાનું આરોગ્ય જળવાય તથા તેમની મદદ મળે. સ્નાયુના રોગોથી સાચવવું. જીવનસાથી સાથે આનંદ જળવાય.

સિંહઃ
આકસ્મિક ધન પ્રાપ્‍ત‌િ‍ના યોગ બની રહ્યાં છે. ભાગ્યના બળે ફસાયેલા નાણાં છુટા થાય. પરિવારમાં આનંદ. કરેલા રોકાણોમાંથી આવક મળતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે ગુસ્સો ટાળવો. ભાગ્ય બળવાન.

કન્યાઃ
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો. સંતાનોની પ્રગતિ સંતોષકારક નીવડે. આરોગ્યની દૃષ્ટિએ દિવસ સારો રહેશે.

તુલાઃ
જીવનસાથી સાથે આનંદની અનુભૂતિ કરી શકો. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારીના સંબંધોમાં ફાયદો થતો અનુભવાય. આરોગ્ય જળવાશે. ભાગ્ય દ્વારા કાર્ય સફળતા અનુભવી શકાય.

વૃશ્ચિકઃ
આજે આરોગ્યની કાળજી રાખવી. શરદી-ખાંસીની સમસ્યા વધતી જણાય. પરિવાર માટે સામાન્ય દિવસ છે. નવા રોકાણો કરવાની શક્યતા વધતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ કરી શકાય.

ધનઃ
થોડી માનસિક અશાંતિ અનુભવી શકાય. પરંતુ સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. આદ્યાત્મિક પ્રગતિ શક્ય બને. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. માન-સન્માનમાં વધારો થતો અનુભવાય.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

મકરઃ
માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. જમીન-મકાન વાહન સુખમાં વધારો થાય. ધંધાકીય રીતે દિવસ સારો પસાર થાય. સાંધાના દુઃખાવાથી સાચવવું. આદ્યાત્મિક પ્રગતિથી આનંદ થાય. આવક વધતી જણાય.

કુંભઃ
પરિવારમાં વિખવાદને કારણે માનસિક અશાંતિ રહે. યાત્રા-પ્રવાસ ટાળવા. ભાગ્ય બે ડગલાં પાછળ ચાલતું જણાય. મહેનત વધારે કરવી પડે. માન-સન્માન હણાતુ જણાય. અગત્યના રોકાણો ટાળવા.

મીનઃ
આવકનું પ્રમાણ જળવાતાં આનંદ-ઉત્સાહ વધવા પામે. નાના ભાઈ-બહેનોનો સાથ સહકાર મળે. જુના મિત્રોના મિલન મુલાકાત શક્ય બને. સ્વાસ્થ્ય સારું રહેશે. સંતાનોની પ્રગતિથી આનંદ.

આ પણ વાંચો –