Home Blog Page 1416

ઉર્વશી રૌતેલા કોલેજ પહોંચતા જ વિદ્યાર્થીઓએ લગાવ્યા ‘ઋષભ-ઋષભ’ના નારા, VIDEOમાં જુઓ શું હતું એક્ટ્રેસનું રિએક્શન

Urvashi Rautela arrives at the college

  • ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતે કથિત રીતે એકબીજાને ડેટ કર્યા હતા અને પછીથી બંનેએ એકબીજાને વોટ્સએપ પરથી બ્લોક કરી દીધા હતા.

ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત એક બીજાને ડેટ કરી ચુક્યા છે. ઉર્વશી રૌતેલાને આઈપીએલ મેચ (IPL match) વખતે સ્ટેડથી પંત માટે ચીયર કરતા પણ જોવામાં આવી છે. પરંતુ થોડા સમયમાં જ સંબંધ તૂટી ગયો અને ખબર આવી કે ઋષભ પંતે ઉર્વશી રૌતેલાને (Urvashi Rautela) બ્લોક કરી દીધી છે. આ બન્ને સ્ટાર્સ તો બ્રેકઅપથી (Breakup) આગળ વધી ચુક્યા છે. પરંતુ ફેન્સ સતત તેમને આ ભુલવા નથી દઈ રહ્યા. ત્યાંરે જ હાલમાં જ ઉર્વશી જ્યારે એક કોલેજમાં ગઈ તો ત્યાં સ્ટૂડન્ટ્સ ઋષભ-ઋષભના નારા લગાવવા લાગ્યા.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો :

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઉર્વશીને ગુલાબી રંગના ડ્રેસમાં જોઈ શકાય છે. ત્યાં તે પોતાના બોડીગાર્ડ્સની સાથે જોવા મળી રહી છે. પાછળ ઋષભ-ઋષભનો અવાજ આવી રહ્યો છે પરંતુ ઉર્વશી તેને ઈગ્નોર કરીને આગળ જતી દેખાઈ રહી છે. આ વીડિયો દહેરાદૂનની એરા યુનિવર્સિટીનો છે.

બન્નેએ એક બીજાને કર્યા છે બ્લોક :

ઉર્વશી અને ઋષભના બ્રેકઅપ બાદ ખબર આવી કે ઉર્વશી અને ઋષભે એક બીજાને વોટ્સએપ પર બ્લોક કરી દીધા કારણ કે તેમના સંબંધને આગળ વધારવા ન હતા માંગતા. ઉર્વશીના પ્રવક્તાએ કહ્યું કે મેસેજીંગ એપ પર એક બીજાને બ્લોક કરવાનો નિર્ણય બન્ને પક્ષોએ લીધો હતો.

ઈશા નેગીને ડેટ કરી રહ્યો છે પંત :

બાદમાં ઋષભે ઈશા નેગીની સાથે પોતાના સંબંધની પુષ્ટિ કરી હતી. ઋષભે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેમીકાની સાથે એક કોઝી ફોટો શેર કરતા એક નોટ લખ્યું હું. “મેં ફક્ત તમને ખુશ કરવા માંગુ છુ કારણ કે તમે જ કારણ છો કે હું ખૂબ જ ખુશ છું.” ઈશાએ ઋષભ માટે એક નોટ શેર કરી હતી જેમાં લખ્યું હતું, “માય મેન, માય સોલમેટ, માય બેસ્ટ ફ્રેન્ડ, લવ ઓફ માય લાઈફ.”

આ પંખો વીજળી વિના જબરદસ્ત ઠંડક આપશે, કિંમત જાણીને આજે ખરીદી લેશો 

fan cools tremendously without electricity

  • બજારમાં આવા ઘણા ઉપકરણો છે, જેનાથી તમે પાવર ગયા પછી પણ ગરમીથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને એક એવા પંખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વીજળી વગર જબરદસ્ત ઠંડક આપશે. આવો જાણીએ…

ઉનાળાની સિઝન (Summer season) ચાલી રહી છે અને તેની સાથે એસી અને કુલરની માંગ પણ આસમાને સ્પર્શવા લાગી છે. સિઝન આવતાની સાથે જ કુલર-એસીના ભાવ (Cooler-AC prices) વધી જાય છે. આ સિવાય ઉનાળામાં સૌથી મોટી સમસ્યા પાવર કટની છે. વીજકાપના કારણે મજબૂરીમાં ગરમીમાં રહેવું પડે છે. પરંતુ માર્કેટમાં આવા ઘણા બધા ઉપકરણો છે જેનાથી તમે પાવર ગયા પછી પણ ગરમીથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને એક એવા પંખા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વીજળી વગર જબરદસ્ત ઠંડક આપશે. આવો જાણીએ…

Adonai Folding Fan  :

એડોનાઈ ફોલ્ડિંગ ફેન એકદમ હલકો છે અને વીજળી વિના રૂમને જબરદસ્ત ઠંડક આપે છે. તેમાં બેટરી ફીટ કરવામાં આવી છે. ફુલ ચાર્જ થતાં જ તે કલાકો સુધી વીજળી વગર ચાલે છે. પંખાની બેટરી ચાર્જ કરવા માટે તેમાં USB પોર્ટ છે. તેમાં એલઈડી લાઈટ પણ છે, જેનો ઉપયોગ ઈમરજન્સી તરીકે થઈ શકે છે. આ પંખો રસોડામાં, ઓફિસમાં ગમે ત્યાં વાપરી શકાય છે. આ પંખો ફોલ્ડ થાય છે. એટલે કે તેને બેગ કે લેડીઝમાં પણ રાખી શકાય છે.

મહત્વની બાબત એ છે કે પંખો 180 ડિગ્રી સુધી ફેરવી શકે છે. એટલે કે, તે દિવાલ અથવા ટેબલ પર મૂકી શકાય છે. આ આસપાસ હવા આપશે અને રૂમને ઝડપથી ઠંડુ કરશે. તે ખૂબ જ હળવા છે, તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તે સંપૂર્ણપણે પ્લાસ્ટિકમાંથી બનેલું છે. તેમાં બટન્સ આપવામાં આવ્યા છે, જેના દ્વારા ફેનને કંટ્રોલ કરી શકાય છે.

Adonai ફોલ્ડિંગ ફેન કિંમત :

આ પોર્ટેબલ ફેન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. Adonai ફોલ્ડિંગ ફેનની કિંમત રૂ. 1,899 છે પરંતુ એમેઝોન પર રૂ. 1,198માં ઉપલબ્ધ છે. એટલે કે ફેન પર સંપૂર્ણ 37% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

Team India : આ 3 ખેલાડીઓ છે ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બનવાના દાવેદાર, તેવોનાં તેવર છે તોફાની 

0

These 3 players are the next captain of Team Indian

  • ટીમ ઈન્ડિયા : રોહિત શર્મા હાલમાં 35 વર્ષનો છે અને 3 એવા ખતરનાક ક્રિકેટર છે, જે રોહિત શર્મા પાસેથી ટેસ્ટ, ODI અને T20માં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છીનવી શકે છે. ચાલો તે 3 ખેલાડીઓ પર એક નજર કરીએ.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) વર્તમાન કેપ્ટન રોહિત શર્મા પાસે કેપ્ટનશિપ (Captaincy) કરવા માટે વધુ સમય બચ્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમ પાસે 3 એવા મજબૂત ક્રિકેટર છે, જે રોહિત શર્મા (Rohit Sharma) પાસેથી ટેસ્ટ, ODI અને T20ની કેપ્ટનશિપ છીનવી શકે છે. આ ત્રણેય બેટ્સમેન ખૂબ જ તોફાની બેટિંગમાં પણ નિષ્ણાત છે. રોહિત શર્માની ઉંમરને જોતા ભારતીય ક્રિકેટ ટીમમાં તેનું શાસન લાંબો સમય ટકશે નહીં. રોહિત શર્મા અત્યારે 35 વર્ષનો છે અને 3 એવા ખતરનાક ક્રિકેટર છે, જેઓ રોહિત શર્મા પાસેથી ટેસ્ટ, ODI અને T20માં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છીનવી શકે છે. ચાલો તે 3 ખેલાડીઓ પર એક નજર કરીએ:

1. ઋષભ પંત :

ઋષભ પંત ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રણેય ફોર્મેટમાં પંતનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. રિષભ પંત સ્માર્ટ મન ધરાવે છે. ઋષભ પંતમાં કેપ્ટન બનવાના તમામ ગુણો છે. IPLમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતી વખતે પંતે શાનદાર પ્રદર્શન કર્યું છે.

2. શુભમન ગિલ :

શુભમન ગિલે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. તે પ્રવાસમાં, શુભમન ગિલે વિશ્વના શ્રેષ્ઠ બોલર પેટ કમિન્સનો સારી રીતે સામનો કર્યો અને ભારતીય ટીમની શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી. શુભમન ગિલ 2019 દેવધર ટ્રોફીમાં સુકાની હતી. ઈન્ડિયા સીની કેપ્ટનશીપ કરતી વખતે ગિલે પહેલી જ મેચમાં 143 રનની શાનદાર સદી ફટકારી હતી. આ પછી, શુબમન ગીલના નેતૃત્વમાં ઇન્ડિયા Cની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો. શક્ય છે કે શુભમન ગિલ 2023 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કમાન સંભાળતા જોવા મળે.

3. શ્રેયસ અય્યર :

મુંબઈના 27 વર્ષીય બેટ્સમેન શ્રેયસ અય્યરે વર્ષ 2017માં ભારતીય ટીમ માટે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. કેપ્ટનશીપ વિશે વાત કરીએ તો, ઐયરને IPL 2018માં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, IPL 2020 માં, દિલ્હી કેપિટલ્સની ટીમે તેની કેપ્ટનશીપમાં ફાઈનલ સુધીનો પ્રવાસ કર્યો. આ સંદર્ભમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે તે વર્લ્ડ કપ 2023 પછી ભારતીય ટીમની કેપ્ટનશિપનો મુખ્ય દાવેદાર છે. આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો, જેના કારણે તેને ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનવાની તકો પણ મળી હતી.

અભિનેત્રી દિપિકા પાદુકોણની તબિયત બગડી, તાબડતોબ હોસ્પિટલ લઈ જવાઈ, જાણો લેટેસ્ટ અપડેટ

Actress Deepika Padukone

  • શૂટિંગ દરમ્યાન અભિનેત્રી નર્વસ થઈ ગઈ હતી, ત્યારબાદ શૂટિંગ અટકાવીને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી

બૉલીવુડ અભિનેત્રી (Bollywood actress) દીપિકા પાદુકોણની (Bollywood actress) તબિયત લથડતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. વિગતો મુજબ  શૂટિંગ દરમ્યાન અભિનેત્રી નર્વસ થઈ ગઈ હતી, ત્યારબાદ શૂટિંગ અટકાવીને તેને હોસ્પિટલ (Hospital) લઈ જવામાં આવી હતી. જો કે હજુ સુધી આ અંગે કોઈપણ કન્ફર્મેશન આવ્યું નથી. તો વળી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, દીપિકા હવે ઠીક છે અને મુંબઈ જવા રવાના થઈ ગઈ છે.

દીપિકા પાદુકોણ હોસ્પિટલમાં દાખલ ? 

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તે હવે મુંબઈ પરત જવા રવાના થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ અચાનક તબિયત બગડવાના કારણે તેણી હોસ્પિટલમાં ગઈ હતી.

હૈદરાબાદમાં શૂટિંગ દરમ્યાન તબિયત લથડી હતી ? 

દીપિકા પાદુકોણ તેના પ્રોજેક્ટ K ના સંબંધમાં હૈદરાબાદમાં તેનું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે. આ શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં થઈ રહ્યું હતું. દીપિકા પાદુકોણ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે અચાનક અભિનેત્રીને ખૂબ જ નર્વસ લાગી રહી હતી. જે બાદમાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે હવે એવી વાત સામે આવી છે કે, દીપિકા પાદુકોણની તબિયત હવે ઠીક છે.

દીપિકા પાદુકોણની ટીમ તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી

દીપિકા પાદુકોણની પ્રોજેક્ટ Kના સંબંધમાં હૈદરાબાદમાં તબિયત બગડવાના સમાચાર હાલ સામે આવ્યા છે. જોકે હજી સુધી દીપિકા પાદુકોણની ટીમ તરફથી પણ આ બાબતો અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. તે સ્વાસ્થ્ય સમસ્યાને લઈને હજુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

હૈદરાબાદની હોસ્પિટલમાં ગઈ હતી દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ રવિવારે 12 જૂને હૈદરાબાદમાં આવેલી કામીનેની હોસ્પિટલમાં ગઈ હતી. અચાનક તબિયત બગડતાં તે ડૉક્ટરની સલાહ લેવા ગઈ હતી. ચેકઅપ બાદ તે જ દિવસે ડોક્ટરે તેને પરત મોકલી દીધી હતી. જોકે કામિનેની હોસ્પિટલ દીપિકા પાદુકોણના સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી આપવા તૈયાર નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દીપિકા મુંબઈ જવા રવાના થઈ ગઈ છે.

રાહુલે જીતી જીંદગીની જંગ, 100 કલાકથી પણ વધુ સમય મોત સામે ઝઝૂમ્યો

0

Rahul won the battle

બોરવેલમાં (Borewell) ફસાયેલા રાહુલને (Rahul) બચાવવા માટે છત્તીસગઢ સરકાર (Government of Chhattisgarh) અને સ્થાનિક તંત્રએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. જોકે, તેમની આ મહેનત આખરે રંગ લાવી અને 100 કલાકથી પણ વધુ સમય બોરવેલમાં ફસાયેલા રાહુલે આખરે જીતી તેની જીંદગીની જંગ.

છત્તીસગઢના જાંજગીર-ચંપા (Janjgir-Champa) ખાતે 105 કલાક સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ આખરે રાહુલે જીવનની લડાઈ જીતી લીધી છે. બોરવેલમાં ફસાયેલા રાહુલને બચાવી લેવામાં આવ્યો હતો અને તેને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યો હતો અને હાલમાં તેની બિલાસપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં તે ખતરાની બહાર જણાવવામાં આવી રહ્યો છે. હાલ તો રાહુલને ટનલમાંથી બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે બિલાસપુરની અપોલો હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. રાહુલને સુરંગમાંથી બહાર કાઢતી વખતે તેની આંખો ખુલ્લી જોવા મળી હતી.

આ સમગ્ર મામલા પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની નજર હતી. તેમણે લગભગ 11:50 વાગ્યે આ વિશે એક ટ્વિટ કર્યું હતું. જેમા તેમણે લખ્યું છે કે, ‘આ પડકાર મોટો હતો તે જોતાં અમારી ટીમ પણ શાંતિથી ક્યાં ઊભી રહી. જો રસ્તાઓ પથરાળ હતા, તો અમારા ઇરાદાઓ ચુસ્ત હતા. દરેકની પ્રાર્થના અને બચાવ ટીમના અથાક, સમર્પિત પ્રયત્નોથી રાહુલ સાહુને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. અમારી ઈચ્છા છે કે તે શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય.”

મુખ્યમંત્રી બઘેલે આ પછી એકવાર ફરી ટ્વીટ કર્યું અને તેમાં લખ્યું કે, અમારું બાળક ખૂબ બહાદુર છે. તેની સાથે 104 કલાક સુધી ખાડામાં સાપ અને દેડકા તેના મિત્ર હતા. આજે આખું છત્તીસગઢ તહેવારની ઉજવણી કરી રહ્યું છે, જલ્દીથી હોસ્પિટલમાંથી સંપૂર્ણ રીતે પાછો ફરે, અમે બધા તે કામના કરીએ છીએ. આ કામગીરીમાં સામેલ તમામ ટીમને ફરી અભિનંદન અને આભાર.

‘ઓપરેશન રાહુલ – હમ હોંગે ​​કામયાબ’ સાથે, રાહુલને બચાવવા લગભગ 65 ફૂટ ખાડામાં ઉતરેલી રેસ્ક્યૂ ટીમે ભારે જહેમત બાદ રાહુલને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. સુરંગમાંથી બહાર આવતા જ રાહુલે આંખો ખોલી અને ફરી એક વાર દુનિયા જોઈ. આ ક્ષણ દરેક માટે ખુશીની ક્ષણ હતી. કલેક્ટર જીતેન્દ્ર કુમાર શુક્લના નેતૃત્વમાં દેશનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરંગના માર્ગમાં વારંવાર આવતા મજબૂત ખડકના કારણે 5 દિવસ સુધી ચાલેલા આ ઓપરેશનને પાર પાડીને રેસ્ક્યુ ટીમે માસૂમ રાહુલને નવું જીવન આપ્યું છે.

ડાયાબિટીસના દર્દીઓએ ટામેટા ખાવા જોઈએ કે નહીં ? જાણો શરીરને ફાયદો કરે છે કે નુકસાન

0

Patients with diabetes

  • ડાયાબિટીસમાં આપણે દરેક વસ્તુ ધ્યાનથી ખાવી જોઈએ. બીજી તરફ ટામેટા એક એવું શાક છે કે સુગરના દર્દીઓ તેને ખાવા અંગે હંમેશા કન્ફ્યુઝ રહે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે તમારે ટામેટાં ખાવા જોઈએ કે નહીં.

ડાયાબિટીસમાં (Diabetes) આપણે બધું જ સાવચેત રહીને ખાવું જોઈએ. કારણ કે કંઈપણ વિચાર્યા વગર ખાવાથી શરીરમાં બ્લડ સુગર વધી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓની (Patients with diabetes) સામે હંમેશા એક પ્રશ્ન રહે છે કે શું ખાવું જોઈએ અને શું નહીં ?

સાથે જ ટામેટા એક એવું શાક છે કે શુગરના દર્દીઓ તેને ખાવા અંગે હંમેશા કન્ફ્યુઝ રહે છે. તેમને લાગે છે કે ટામેટા ખાવાથી બ્લડ શુગર ક્યાંક વધી ન જાય. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીં અમે તમને જણાવીશું કે ડાયાબિટીસના દર્દીએ ટામેટાંનું સેવન કેવી રીતે કરવું જોઈએ? ચાલો જાણીએ.

ડાયાબિટીસમાં ટામેટા ખાવા જોઈએ કે નહીં :

ટામેટામાં બીટા-કેરોટીન, પોટેશિયમ, વિટામિન સી અને અન્ય વિટામિન્સ હોય છે. જે ડાયાબિટીસને રોકવામાં મદદ કરે છે. આ સિવાય દરરોજ 200 ગ્રામ કાચા ટામેટાનું સેવન કરવાથી તમારું હાઈ બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.

ડાયાબિટીસમાં ટામેટાં ખાવાના ફાયદા :

વિટામિન Cથી ભરપુર : 

ટામેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે શરીરને ચેપી રોગોથી બચાવે છે. આ સિવાય વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેની સાથે તે ડાયાબિટીસના દર્દીઓને ઘણા ચેપથી બચાવે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ દરરોજ ટામેટાનું સેવન કરી શકે છે.

પોટેશિયમથી ભરપૂર :

ટામેટામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે રક્તકણોને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ છે. જો તમે દરરોજ ટામેટાનું સેવન કરો છો તો તે તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

વજન સંતુલિત રાખવામાં મદદરૂપ  :

ટામેટામાં કેલરી પણ ઓછી હોય છે જે તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓને તેમના વજનને લઈને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે તમારા આહારમાં ટામેટાનો સમાવેશ કરી શકો છો આ કરવાથી તમે તમારું વજન નિયંત્રણમાં રાખી શકો છો.

અકસ્માત / સુરતમાં બેફામ ડમ્પર બન્યું યમરાજ ! ઘરે જઈ રહેલા બે યુવકોને અડફેટે લીધાં

Yamraj became a headless

  • સુરતના દેવધ ગામમાં મિલથી ઘરે જવા નીકળેલા મોપેડ સવાર બે યુવકોને એક ડમ્પર ચાલકે અડફેટે લઈને કચડી નાંખતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુરતના દેવધ ગામ (Devadh village) પાસે મિલથી ઘરે જવા માટે નીકળેલા મોપેડ સવાર (Moped rider) બે યુવકોને બેફામ ગતિએ ચલાવતા ડમ્પર ચાલકે કચડી નાંખતા બંનેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગમ્ખવાર હતો કે, ડમ્પર ચાલક એક યુવકને દુર સુધી ધસડી ગયો હતો. બનાવની જાણ બાદ પોલીસ મથકની (Police station) હદના વિવાદમાં કલાકો સુધી પોલીસે કાર્યવાહી હાથ ન ધરતા મૃતદેહ કલાકો સુધી ઘટના સ્થળે પડી રહ્યા હતા.

રેતી ભરેલા ડમ્પરના ચાલકે બંને યુવકો અડફેટમાં લીધા :

પુણા નેચરવેલી ખાતે રહેતો 28 વર્ષીય શિવા ચાંડક અને ગોડાદરા ખોડિયાર નગરનો અનિરૂધ્ધ શર્મા(૨૭)પલસાણાની સ્ટાર નિટ્સ મિલમાં માર્કેટિંગમાં કામ કરતા હતા. સોમવારે સાંજે બન્ને માર્કેટ જવા માટે મોપેડ પર નિકળ્યા હતા.બન્ને દેવધ ગામ નજીક રસ્તો ઓળંગતા હતા ત્યારે પુરપાટ ઝડપે પસાર થતા એક રેતી ભરેલા ડમ્પરના ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા અને કડડી નાંખ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક બન્ને યુવકોને દુર સુધી ધસડી ગયો હતો.

પોલીસહદના વિવાદમાં મૃતદેહ કલાકો પડ્યાં રહ્યાં :

અકસ્માત બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ મથકની હદના વિવાદને લઈ કલાકો સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેના કારણે કલાકો સુધી મૃતદેહ ઘટના સ્થળે પડી રહ્યા હતા. આખરે ગોડાદરા પોલીસ મથકની હદ હોવાનું નક્કી થતા ગોડાદરા પોલીસે 3 કલાક બાદ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

15,800 ઘેટાં ભરેલું જહાજ ડૂબી જતા 31.20 કરોડની કિંમતના ઘેટાં મૃત્યુ પામ્યા

15,800 ships full of sheep sinking

તારીખ 12/6/2022ને રવિવારના રોજ સુદાન (Sudan)ના Red Sea બંદર સુઆકિન (Suakin)માં એક જહાજ ડૂબી ગયું હતું. આ જહાજમાં 15800 ઘેટાં સવાર હતા. ત્યારે વહાણ ડૂબી જતાં મોટાભાગના ઘેટાં મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામેલા પશુઓની કુલ કિંમત 40 લાખ ડોલર હતી. જાણવા મળ્યું છે કે, જહાજના તમામ ક્રૂ મેમ્બર્સ (Crew members) નો જીવ બચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, આ જહાજ પશુઓને સુદાનથી સાઉદી અરેબિયા લઈ જઈ રહ્યું હતું. આ દરમિયાન, આ જહાજ ડૂબી જવા પામ્યું હતું. જહાજમાં માત્ર 9,000 ઘેટાં વહન કરવાની ક્ષમતા હતી પરંતુ 15,800 ઘેટાંનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું. આ સાથે અધિકારીએ અકસ્માતની આર્થિક અને પર્યાવરણીય અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ડૂબી ગયેલા જહાજથી માત્ર બંદરની કામગીરીને જ અસર નહીં થાય પરંતુ પર્યાવરણ પર પણ તેની અસર થશે.

several sheep died when the ship sank in sudan1 1 - Trishul News Gujarati Suakin, Sudan, trishul news, સુઆકિન, સુદાન

નેશનલ એક્સપોર્ટ એસોસિએશનના વડા ઓમર અલ-ખલીફાએ જણાવ્યું હતું કે, જહાજને ડૂબવા માટે ઘણા કલાકો લાગ્યા હતા. મતલબ કે ઘેટાંને બચાવી શકાયા હોત. તેમણે કહ્યું કે પશુઓના માલિકોને 15800 ઘેંટામાંથી માત્ર 700 જેટલા ઘેટાં જીવંત હાલતમાં જોવા મળ્યા પરંતુ તેમની હાલત ખૂબ જ ખરાબ છે. અમને નથી લાગતું કે તે બચી જશે.

જણાવી દઈએ કે, સુઆકિન એક ઐતિહાસિક બંદર છે. જે એક સમયે મુખ્ય વિદેશી વેપાર હબ હતું. સુદાન લાંબા સમયથી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે આર્મી ચીફ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાનના નેતૃત્વમાં ગયા વર્ષે લશ્કરી બળવાથી સંકટ વધુ ઊંડું બન્યું છે.

ગેસ સિલિન્ડર તો મોંઘું હતું જ પણ હવે નવું કનેક્શન લેવું પણ મોંઘું પડશે, ડાયરેક્ટ રૂ.750નો વધારો ઝીંકાયો

0

The gas cylinder was expensive

  • જો આપ નવું રસોઈ ગેસ કનેક્શન લેવાનું પ્લાન કરી રહ્યા છો, તો આ સમાચાર આપના માટે ઝટકા રૂપ હશે. કેમ કે હવે આપને નવા કનેક્શન લેવા માટે પહેલા વધારે રૂપિયા આપવા પડશે.

જો આપ નવું રસોઈ ગેસ કનેક્શન (Needle gas connection) લેવાનું પ્લાન કરી રહ્યા છો, તો આ સમાચાર આપના માટે ઝટકા રૂપ હશે, પેટ્રોલિયમ કંપનીઓએ (Petroleum Company) ઘરેલૂ ગેસના નવા કનેક્શનની કિંમતમાં વધારો કર્યો છે. પહેલા એક સિલેન્ડરના કનેક્શન લેવા માટે 1450 રૂપિયા આપવા પડતાં હતા. પણ હવે તેના માટે 750 રૂપિયાથી વધારે એટલે 2200 રૂપિયા આપવા પડશે.

બે સિલેન્ડર માટે 4400 રૂપિયા સિક્યોરિટી  :

હકીકતમાં જોઈએ તો, પેટ્રોલિયમ કંપનીઓ તરફથી 14.2 કિલો વજનવાળા ગેસ સિલેન્ડરના કનેક્શન પર પ્રતિ સિલેન્ડર 750 રૂપિયાનો વધારો કર્યો છે. જો આપ બે સિલેન્ડરવાળા કનેક્શન લેવા માગો છો તો આપને 1500 રૂપિયા વધારે આપવા પડશે. એટલે કે, તેના માટે આપે કુલ 4400 રૂપિયા સિક્યોરિટી તરીકે આપવા પડશે. આ અગાઉ તેના માટે 2900 રૂપિયા હતા, કંપનીઓ તરફથી આ વધારે 16 જૂનથી લાગૂ થશે.

રેગ્યુલેટર માટે હવે આપવા પડશે 250 રૂપિયા :

આવી રીતે રેગ્યુલેટર માટે પણ આપને 150 રૂપિયાની જગ્યાએ હવે 250 રૂપિયા ખર્ચ કરવો પડશે. ઈંડિયન ઓયલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવાયુ છે કે, 5 કિલોના સિલેન્ડરની સિક્યોરિટી હવે 800 રૂપિયાની જગ્યાએ 1150 રૂપિયા કરી દેવામાં આવી છે.

ઉજ્જવલા યોજના પર પણ મોંઘવારીનો માર :

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને પણ નવા દર લાગૂ થવાથી ઝટકો લાગ્યો છે. ઉજ્જવલા યોજના અંતર્ગત ગ્રાહકો જો પોતાનું કનેક્શન પર સિલેન્ડરને ડબલ કરવા માગે છે તો, બીજા સિલેન્ડર માટે પણ સિક્યોરીટ વધારાના ચાર્જ સાથે જમા કરાવાની રહેશે. જો કે, કોઈ નવા કનેક્શન મળે તો, તેને સિલેન્ડરની સિક્યોરિટી પહેલાની માફક જ આપવાની રહેશે.

 દ. ગુજરાતના આ ઉદ્યોગપતિઓ ITની રડારમાં, 300 કરદાતાઓએ વિદેશમાં કરોડોનું રોકાણ કર્યાનું ખુલ્યું

0

The. These Gujarat businessmen

  • દક્ષિણ ગુજરાતના 300 ઉદ્યોગપતિઓ ITની રડારમાં. 300 રોકાણકારોએ વિદેશમાં ઘર, હોટલ અને જમીનમાં રોકાણો કર્યાની વિગતો સામે આવી.

દક્ષિણ ગુજરાતના 300 ઉદ્યોગપતિઓ હવે ITના રડારમાં આવ્યા છે. ITના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા આ તપાસ હાથ ધરાશે. કારણ કે 300 કરદાતાઓએ વિદેશમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યાનું ખુલ્યું છે. 300 રોકાણકારોએ વિદેશમાં ઘર, હોટલ અને જમીનમાં રોકાણો કર્યાની વિગતો સામે આવી છે.

જેમાં સુરતના 2 ઉદ્યોગકારો વિદેશમાં પોતાનું ચાર્ટર્ડ પ્લેન પણ ધરાવે છે. ITના ફોરેન એસેટ ઇન્વેસ્ટિગેશન યુનિટે કરદાતાઓના રિટર્ન ચકાસવાનું શરૂ કર્યું છે. જો કે, આ મામલે આગામી દિવસોમાં અનેક મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતા રહેલી છે.

તાજેતરમાં જ વડોદરા અને સુરતની બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પર ITએ દરોડા પાડ્યા હતા :

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ IT વિભાગ દ્વારા વડોદરાની બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. વડોદરાના ઓપી રોડ પર આવેલી બેંકર્સ હોસ્પિટલ તેમજ સુરત ખાતે આવેલી હોસ્પિટલના નાણાકીય વહીવટોની બેંક દ્વારા તપાસ કરવામાં આવી હતી.

ઈન્કમ ટેક્સ વિભાગની ત્રણ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી :

બેંકર્સ ગ્રુપની ઓફિસ, હોસ્પિટલ સહિતના માલિકોના ઘર પર પણ આઈટીની ટીમ ત્રાટકી હતી. જમીનો અને સોનામાં રોકાણ કર્યું હોવાની પણ તપાસ કરવામાં આવી રહી હતી. વહેલી સવારથી જ આઇટી વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આઇટી વિભાગની 3 ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરાઇ હતી.

સુરતમાં બેંકર્સ હોસ્પિટલ ખાતે પણ રેડ પાડવામાં આવી હતી :

સુરતમાં પણ બેંકર્સ હોસ્પિટલ ખાતે પણ આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પીપલોદ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ટીમ તપાસમાં જોતરાઇ હતી. NGOના સહકારથી તેમના જ કેમ્પસમાં આ હોસ્પિટલ ચાલી રહી છે આ અંગે પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી.