Home Blog Page 1410

 કર્મચારીઓ માટે હવે નહીં બને પગારપંચ : પગાર વધારા માટે નવી ફોર્મ્યુલા પર કામ કરી રહી છે મોદી સરકાર

0

There will no longer be a pay

  • મોદી સરકાર હવે નવું પગાર પંચ લાગૂ કરવાની જગ્યાએ સેલરી વધારવા માટે નવી ફોર્મ્યુલા લાવવાની તૈયારી કરી રહી છે.

સરકારી કર્મચારીઓના (Government employee) પગાર વધારાને લઈને અત્યાર સુધી સરકાર અમુક સમયના અંતરે નવું પગાર પંચ લાગૂ કરતી હતી. જેની ભલામણોના આધાર પર સેલરીમાં વધારો (Increase in celery) આવતો હતો. પણ મોદી સરકાર હવે નવું પગાર પંચ (New pay punch) લાગૂ કરવાની જગ્યાએ સેલરી વધારવા માટે નવી ફોર્મ્યુલા લાવવાની તૈયારી કરી રહી છે.

અત્યાર સુધી કેન્દ્ર તથા રાજ્યના કર્મચારીઓને વેતન વધારો ઉપરાંત દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળતો હતો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, નાણામંત્રાલય પગાર વધારાની નવી ફોર્મ્યુલા પર વિચાર કરી રહ્યું છે. મંત્રાલયના સૂત્રોનું કહેવુ છે કે, અત્યારે કર્મચારીઓ માટે નવા પગાર પંચ નહીં આવે, પણ કર્મચારીઓના પરફોર્મેંસના હિસાબે તેમની સેલરીમાં વધારો આવશે. જો કે, ભવિષ્યમાં આ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરશે, તેના પર સરકાર હજૂ મંથન કરી રહી છે.

6 વર્ષ પહેલા થઈ હતી નવી ફોર્મ્યુલા પર વાત :

પગાર પંચની જગ્યાએ સેલરી વધારવા માટે નવી ફોર્મ્યુલા લાગૂ કરવા માટે 6 વર્ષ પહેલા વાત થઈ હતી. તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં કહ્યું હતું કે, હવે કર્મચારીઓને પગાર પંચથી હટીને વિચારવાની જરૂર છે. માનવામા આવી રહ્યું છે કે, સરકાર હવે તેના પર વિચાર કરીને આખરી ઓપ આપવાની તૈયારી કરી રહ્યું છે.

આવું હોઈ શકે છે નવુ ફોર્મ્યુલા :

કર્મચારીઓની સેલરી વધારવાની નવી ફોર્મ્યુલાને હાલમાં અંતિમ મંજૂરી આપવામાં આવી નથી, પણ માનવામાં આવી રહ્યું છે કે, તે સમગ્રપણે ડીએ આધારિત હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી ફોર્મ્યુલા અંતર્ગત કર્મચારીઓના ડીએ 50 ટકા વધતા જ તેમની સેલરીમાં ઓટોમેટિક વધારો આવી જશે. આ ઓટોમેટિક પે રિવીઝનનું નામ આપવામાં આવી શકે છે. જેનો લાભ કેન્દ્રના 68 લાખ કર્મચારીઓ અને લગભગ 52 લાખ પેન્શનધારકોને મળશે.

નાના સ્તરના કર્મચારીઓને મોટો ફાયદો :

સરકારની આ ફોર્મ્યુલાનો સૌથી વધારે લાભ નાના સ્તરના કર્મચારીઓને મળશે. જો કે, હાલમાં ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. એવું માનવામા આવી રહ્યું છે કે, નવા નિયમ લાગૂ થયા બાદ નિન્મ સ્તર પર કર્મચારીઓની સેલરી વધી જશે. જે અંતર્ગત લેવલ મેટ્રિક્સ 1થી 5 કર્મચારીઓને ન્યૂનતમ બેસિક સેલરી 21 હજાર રૂપિયા થઈ જશે.

બિહારમાં અગ્નિપથ યોજનાના વિરોધની ગુજરાતમાં અસર, સુરતમાં પશ્ચિમ રેલવેની 6 ટ્રેનો થઇ રદ, જાણો વિગતવાર

0

Agneepath project in Bihar

  • અગ્નિપથ યોજનાના વિરોધની અસર ગુજરાતમાં, બિહારમાં વિરોધને પગલે ખોરવાયો રેલ વ્યવહાર

કેન્દ્ર સરકારે (Central Government) સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ (Agneepath)’નો ચોમેર વિરોધ થઇ રહ્યો છે. બિહારમાં (Bihar) અગ્નિપથ વિરોધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.તેમાં પણ ખાસ કરીને રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. વળી ભારત બંધનું (India closed) પણ એલાન આવામાં આવ્યુ છે જેને લઇને ગુજરાત પોલીસ સતર્ક બની છે. તેમાં પણ ખાસ કરીને સુરતમાં પશ્ચિમ રેલવેની (Western Railway) 8 જેટલી ટ્રેનો પ્રભાવિત થઇ છે.

બિહારમાં ચાલી રહેલા આંદોલનની અસર ટ્રેન વ્યવહાર પર :

બિહારમાં ચાલતાં અગ્નિપથ વિરોધની અસર સુરતમાં જોવા મળી રહી છે. સુરતમાં પશ્ચિમ રેલવેની 8 ટ્રેનો પ્રભાવિત થઇ છે. જ્યારે 6 ટ્રેનો રદ કરાઇ છે અને 2 ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો છે. ઉધના -દાનાપુર અને મુઝફરપુર- સુરત સહિતની ટ્રેનો પ્રભાવિત થઈ છે. જ્યારે બાંદ્રા-સહરસા એક્સપ્રેસ સહિત 6 ટ્રેન રદ કરાઈ છે.

આ ટ્રેનો કરવામાં આવી રદ :

મહત્વનું છે કે બિહારના અલગ અલગ વિસ્તારોમાં અગ્નિપથ યોજનાનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જેની અસર આખા દેશમાં જોવા મળી રહી છે. આંદોલનને પગલે ખાસ કરીને પશ્ચિમ રેલવે વધારે પ્રભાવિત થઇ છે. જેમાં ૧૯ જુનની અમદાવાદ-પટના એક્સપ્રેસ, અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ રદ કરી દેવાઇ હતી. તા.20 જુનની અમદાવાદ-બરૌની એક્સપ્રેસ, તા.૨૨ જુનની બરૌની-અમદાવાદ એક્સપ્રેસ  તેમજ  તા.૨૧ જુનની પટના -અમદાવાદ એક્સપ્રેસ પણ રદ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ભારતીય  સેનામાં  ૪ વર્ષની ભરતી વાળી અગ્નિપથ યોજનાને લઇને બિહારમાં ચાલી રહેલા હિંસક આંદોલનને લઇને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદની પણ પાંચ ટ્રેનોને રદ કરી દેવામાં આવી  છે.

‘ધ ફિનિશર’ દિનેશ કાર્તિક આફ્રિકન બોલરોની સામે ‘ડી વિલિયર્સ’ બન્યો, મેદાનમાં આગ લગાવી દીધી- વીડિયો

0

The Finisher Dinesh Karthik

  • IND vs SA 2022, 4થી T20I: ચોથી T20માં, ભારતે દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું. ભારતની જીતમાં દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા હીરો રહ્યા હતા.

ચોથી T20માં ભારતે દક્ષિણ આફ્રિકાને (South Africa) 82 રને હરાવ્યું. ભારતની જીતમાં દિનેશ કાર્તિક (Dinesh Karthik) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) હીરો રહ્યા હતા. આ સાથે 33 બોલમાં 66 રનની ભાગીદારીએ ટીમનો સ્કોર 169 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક તરફ જ્યાં કાર્તિકે 27 બોલમાં 55 રન બનાવ્યા તો બીજી તરફ હાર્દિકે 31 બોલમાં 46 રન બનાવી ટીમને 169 રન સુધી પહોંચાડી દીધી. હાર્દિકે 46 રનની ઈનિંગમાં 3 ફોર અને 3 સિક્સ ફટકારી હતી જ્યારે કાર્તિકે 55 રનની ઈનિંગમાં 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. જ્યાં સુધી બંને ક્રિઝ પર બેટિંગ કરતા હતા ત્યાં સુધી તેઓ ચાહકોના દિલ જીતવામાં સફળ રહ્યા હતા.

ખાસ કરીને તેની બેટિંગ દરમિયાન કાર્તિકે એવા શોટ્સ ફટકાર્યા જેણે માત્ર બોલરો જ નહીં પરંતુ ક્રિકેટના પંડિતો પણ ચોંકી ગયા. કોમેન્ટ્રી કરી રહેલા કોમેન્ટેટર્સ પણ કાર્તિકના અવનવા શોટ્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કાર્તિકનો શોટ જોઈને ચાહકોને એબી ડી વિલિયર્સની યાદ આવી ગઈ. વાસ્તવમાં એબી તેની બેટિંગ દરમિયાન નવીન શોટ મારવા માટે જાણીતો છે. આવી સ્થિતિમાં ચોથી ટી-20માં જ્યારે કાર્તિકે બોલર ડ્વેન પ્રિટોરિયસના બોલ પર સ્લોગ-સ્વીપ શોટ માર્યો તો ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોએ કાર્તિકની સરખામણી એબી ડી વિલિયર્સ સાથે કરી છે.

મેચ વિશે વાત કરીએ તો T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં દિનેશ કાર્તિક (55 રન)ની પ્રથમ અડધી સદી બાદ અવેશ ખાન (4 રન આપીને 18) અને અન્ય બોલિંગના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે અહીં ચોથી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું. શુક્રવાર. 82 રને જીત સાથે, પાંચ મેચની શ્રેણી 2-2 થી બરાબર થઈ ગઈ. જયારે પાંચમી મેચ વરસાદને કારણે રદ કરવી પડી હતી. પાંચ મેચની શ્રેણી 2-2 થી બરાબર થઈ હતી.

 

બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયા પછી પણ ધો.11 માં એડમિશન લેવામાં વિદ્યાર્થીઓને પડી રહી છે તકલીફ, જાણો કારણ

0

Even after the result

  • ધો. 10નું પરિણામ જાહેર થયાને આજે 2 સપ્તાહ થઇ ગયા છે છતાં વિદ્યાર્થીઓને માર્કશીટ ન મળતા ધો.11માં એડમિશન મેળવવાની પ્રક્રિયા અટવાઇ.

રાજ્યમાં ધોરણ 10નું પરિણામ  6 જૂનના રોજ  જાહેર કરી દેવાયું છે. છતાં ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ હજુ પણ માર્કશીટથી વંચિત છે. પરિણામ આવ્યાના 2 અઠવાડિયા બાદ પણ વિદ્યાર્થીઓને માર્કશીટ નથી મળી. જેના કારણે તેઓની ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા અટવાઈ ગઇ છે. હજુ સુધી ધો. 10ની માર્કશીટ તેઓને ન મળતા તેઓને ધોરણ 11માં પ્રવેશ મેળવવામાં તકલીફ પડી રહી છે. માર્કશીટ મળ્યા બાદ જ તેઓની ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.

આ સાથે વધુમાં તમને જણાવીએ કે, રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થતાં શાળાઓ વિધાર્થીઓથી ધમધમી ઉઠી છે પરંતુ બીજી બાજુ સૌથી મોટી મુશ્કેલી એ પણ સર્જાઈ છે કે હજુ સુધી માર્કેટમાં 80 ટકા જેટલાં પુસ્તકો પહોંચ્યા નથી. જેના લીધે વાલીઓની મુશ્કેલી પણ વધી છે. વિધાર્થીઓ શાળાએ તો જાય છે પરંતુ અભ્યાસ શું કરે તે પણ એક સૌથી મોટો સવાલ છે. તો બીજી તરફ ધોરણ 10નું પરિણામ જાહેર થયાને 2 અઠવાડિયા થઇ ગયા છતાં વિદ્યાર્થીઓને માર્કશીટ (10th Marksheet) ન મળતા ધોરણ-11માં તેઓની એડમિશનની (Admission) પ્રક્રિયા અટવાઈ ગઇ છે.

બીજી તરફ પાઠ્યપુસ્તકોની અછત સર્જાતા વિદ્યાર્થીઓને હાલાકી :

પાઠ્ય પુસ્તકોની અછત મામલે વાલીઓનું કહેવું છે કે, આવું પ્રથમ વખત નથી બન્યું. દર વર્ષે પુસ્તકોને લઈને આવી મુશ્કેલી સર્જાય છે. આ વખતે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાની સાથે જ બજારોમાં પુસ્તકોની ભારે અછત સર્જાઈ છે. સ્ટેશનરીની દુકાનોમાં 80 ટકા પુસ્તકો ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે. એક તરફ નોટબુકનાં ભાવમાં 25 ટકા જેટલો વધારો થયો છે. તો બીજી તરફ આ વર્ષે પણ કાગળના ભાવમાં વધારો કરાતા નોટબુકનાં ભાવમાં પણ વધારો નોંધાયો છે. એવામાં વાલીઓ સ્ટેશનરીની દુકાનો પર ધક્કા ખાવા મજબૂર બન્યા છે.

PM મોદીના નાનપણના મિત્ર અબ્બાસ કોણ છે, જેમના માટે માતા હીરાબેન બનાવતા ખાસ પકવાન

0

Who is PM Modi’s childhood friend Abbas

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જૂને પોતાની માતા હીરાબેનનો 100મા જન્મદિવસની ઉજવણી કરી હતી. બ્લોગમાં PMએ પોતાના ઘરમાં રહેતા મુસ્લિમ છોકરા અબ્બાસનો પણ ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) 18 જૂને પોતાની માતા હીરાબેનનો (Mother Hiraben) 100મા જન્મદિવસની ઉજવણી કરી હતી, આ અવસરે PM ગાંધીનગર સ્થિત નાના ભાઈના ઘરે માતાને મળવા પહોંચ્યા હતા. PMએ એક બ્લોગ પણ લખ્યો, જેમાં તેમણે પોતાની માતા સાથે જોડાયેલી બાળપણની યાદોને લોકો સાથે શેર કરી. આ જ બ્લોગમાં PMએ પોતાના ઘરમાં રહેતા મુસ્લિમ છોકરા (Muslim boy) અબ્બાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી ઇન્ટરનેટ યૂઝર્સથી લઈને દરેક વ્યક્તિ અબ્બાસ (Abbas) વિશે જાણવા માટે ઉત્સુક છે. અબ્બાસ ગુજરાત સરકારની નોકરીમાંથી રીટાયર્ડ થઈને હાલમાં ઓસ્ટ્રેલિયામાં  (Australia) રહી રહ્યા છે.

PM મોદીના વડનગર સ્થિત ઘરમાં રહેતા અબ્બાસ ભાઈના બે દીકરાઓ છે, મોટો દીકરો વડનગરના કાસીમ્પા ગામમાં રહે છે. જ્યારે નાનો દીકરો ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહે છે. અબ્બાસ ભાઈ પણ હાલમાં પોતાના નાના દીકરા સાથે સિડનીમાં રહે છે. આ ફોટો અબ્બાસનું કાસિમ્પા ગામમાં બનેલા ઘરનો છે.

PM મોદીના ઘરમાં નાનાથી મોટા થયેલા અબ્બાસ ગુજરાત સરકારમાં ક્લાસ-2 કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા, તે ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હતા, તેઓ થોડાં મહિનાઓ પહેલા જ સરકારી નોકરીમાંથી રિટાયર થયા છે.

PM મોદીએ પોતાના બ્લોગમાં અબ્બાસનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે, માતા હંમેશાં બીજાને ખુશ જોઇને ખુશ રહેતી હતી, ઘરમાં ભલે જગ્યા ઓછી હોય, પણ તેમનું દિલ ખૂબ જ મોટું છે. એના ઉદાહરણ તરીકે PM એ જણાવ્યું કે, અમારા ઘરથી થોડે દૂર એક ગામ હતું, જ્યાં મારા પિતાના ખૂબ જ નજીકના મુસ્લિમ મિત્ર રહેતા હતા, તેમનો દીકરો હતો અબ્બાસ.

PMએ આગળ લખ્યું કે, ‘મિત્રના અકાળ મૃત્યુ પછી પિતા અસહાય અબ્બાસને અમારા ઘરે લઇ આવ્યા હતા, એક રીતે અબ્બાસે અમારા ઘરે જ રહીને શિક્ષણ પૂરૂ કર્યું, અમે બધા બાળકોની જેમ માતા અબ્બાસની પણ ખૂબ જ દેખરેખ રાખતી હતી. ઈદ પર માતા, અબ્બાસ માટે તેને ગમતું જમવાનું બનાવતી હતી.

એરપોર્ટ પર પહોંચતા જ રાખી સાવંતને પોતાની ભૂલ યાદ આવી અને પછી તેના બોયફ્રેન્ડની સામે ચહેરો છુપાવીને ભાગી 

Arriving at the airport

  • રાખી સાવંત અવારનવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. હવે આવી સ્થિતિમાં રાખીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાખી તેના બોયફ્રેન્ડ સાથે એરપોર્ટ પર જોવા મળી રહી છે.

રાખી સાવંત (Rakhi Sawant) અવારનવાર પોતાની હરકતોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણીએ તેના પૂર્વ પતિ રિતેશ સિંહ વિશે વાત કરતા કહ્યું કે તે તેને પરેશાન કરી રહ્યો છે. રાખીએ રિતેશ (Riteish) વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે આ વખતે રાખી કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે. વાસ્તવમાં રાખી (રાખી સાવંતનો વાયરલ વીડિયો)નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાખી તેના બોયફ્રેન્ડ સાથે એરપોર્ટ પર જોવા મળી રહી છે. પરંતુ ત્યાં કંઈક એવું બને છે કે અભિનેત્રીને પોતાનો ચહેરો છુપાવવો પડે છે. તમે પણ વિડિયો જુઓ –

રાખી પાસપોર્ટ લાવવાનું ભૂલી ગઈ હતી :

તમને જણાવી દઈએ કે વાયરલ વિડિયો પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાખી તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે વાત કરી રહી છે. તેણી કહે છે કે ‘માફ કરજો, હું મારો પાસપોર્ટ ઘરે ભૂલી ગઈ છું.’ રાખી પોતાનો ચહેરો છુપાવે છે અને ત્યાંથી બીજી બાજુ જાય છે. જ્યારે આદિલ (આદિલ દુરાની) રાખી પાસે જાય છે, ત્યારે અભિનેત્રી તેને તેનો ફોન અને બેગ આપે છે અને તેનો પાસપોર્ટ શોધવા લાગે છે. હવે સોશિયલ મીડિયા પર ઘણા લોકો કહી રહ્યા છે કે શું રાખી ખરેખર તેનો પાસપોર્ટ ઘરે ભૂલી ગઈ છે કે પછી તે નાટક કરી રહી છે. રાખીના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂક્યા છે.

રાખી ટૂંક સમયમાં ફરી લગ્ન કરશે :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાખી સાવંત ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કરી શકે છે. થોડા દિવસો પહેલા રાખીએ આ વિશે વાત કરતા કહ્યું હતું કે- ‘આ વખતે હું મહેંદી પણ પહેરીશ અને મારા લગ્નની સરઘસ પણ આવશે.’ જો કે, રાખીએ એમ પણ કહ્યું કે તેણીને ખબર નથી કે તેઓ ક્યારે લગ્ન કરશે. જ્યારે રાખીના લગ્ન થશે ત્યારે બધાને ખબર પડશે.

 

VIDEO : રસ્તા પર ફરતો હતો વાઘ, લોકોમાં ભાગમભાગ, એક શખ્સ આવ્યો બિલાડીની જેમ ઉપાડીને લઈ ગયો

A tiger was walking

  • મેક્સિકોમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં એક બંગાળ વાઘ રહેણાંક વિસ્તારના રસ્તા પર ફરતા દેખાય છે. ત્યારબાદ સ્થાનિકોમાં વધુ દહેશત ફેલાઈ છે. જો કે, વાઘે કોઈને નુકસાન પહોંચાડ્યુ નથી.

પરંતુ જ્યારે સ્થાનિકોએ ફૂટપાથ પર વાઘને ચાલતા જોયો ત્યારે સ્થાનિકોના રૂંવાડા ઉભા થયા. તો કેટલાંક લોકો આ ઘટનાને કેમેરામાં કેદ (Captured on camera) કરવા લાગ્યા તો કેટલાંક લોકો પોતાના ઘરમાં ભાગી ગયા. થોડા સમય બાદ એક માણસ વાઘની પાસે પહોંચે છે અને સરળતાપૂર્વક તેના ગળામાં દોરડુ બાંધીને વાઘને પોતાની સાથે લઇ જાય છે. આ ચોંકાવનારો વીડિયો ટ્વિટર એકાઉન્ટ @AmazingPosts_ પરથી 15 જૂને શેર કરવામાં આવ્યો હતો.

તેણે કેપ્શનમાં લખ્યુ એક બંગાળ વાઘ શહેરમાં ફરતો જોવા મળ્યો. ત્યારબાદ સરળતાપૂર્વક પકડીને ઘરે લઇ જવામાં આવે છે. આ ઘટના મેક્સિકોના ટેકુઆલામાં થઇ. આ ક્લિપને અત્યાર સુધી અંદાજે 13 હજારથી વધુ વ્યુજ અને સેંકડો લાઈક્સ મળી છે. આ સાથે યુઝર તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

યુવક વાઘને બિલાડીની જેમ પકડીને લઇ ગયો :

આ 31 સેકન્ડના વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક બંગાળ વાઘને ફૂટપાથ પર ફરતો જોઈને સ્થાનિકો ડરી જાય છે અને તેનો વીડિયો બનાવવા લાગે છે. ક્લિપમાં એક મહિલા કહેતી સંભળાય છે કે ચૂપ રહો, તે અમારી નજીક આવી શકે છે. જો કે, વાઘ શાંતિથી આગળ વધી રહ્યો છે. થોડી વાર આમતેમ ફર્યા બાદ તે એક જગ્યાએ શાંતિથી બેસી જાય છે. આ દરમ્યાન એક યુવક હાથમાં દોરડુ લઇને આવે છે અને સરળતાપૂર્વક વાઘને પકડી લે છે. એવુ લાગે છે કે વાઘ તેનુ પાલતુ પશુ છે. જો કે, વાઘ કોઈના પર અટેક કરતો નથી.

ભરતસિંહનું વેકેશનના બહાને સંપર્ક અભિયાન ? જો કે બેનરથી માંડી ખેસ સુધી કોંગ્રેસની બાદબાકી ! નવાજૂની કરવાનાં મૂડમાં !

હાઈકોર્ટનો મોટો ચુકાદો : 16 વર્ષથી મોટી ઉંમરની મુસ્લિમ છોકરી પોતાની પસંદના સાથી સાથે લગ્ન કરી શકે

 

ભરતસિંહનું વેકેશનના બહાને સંપર્ક અભિયાન ? જો કે બેનરથી માંડી ખેસ સુધી કોંગ્રેસની બાદબાકી ! નવાજૂની કરવાનાં મૂડમાં !

0

Bharat Singh’s campaign

  • સક્રિય રાજકારણથી થોડા સમય માટે દુર એવા ભરતસિંહ સોલંકી આજે હિંમતનગરની મુલાકાતે પહોચ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ ઓબીસી સમાજ સાથે સંવાદ કર્યો હતો. દરેક સમાજ સાથે મળવાનું ઊંઝાથી શરુ કર્યું છે.

સક્રિય રાજકારણથી થોડા સમય માટે દુર એવા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) હિંમતનગરની મુલાકાતે પહોચ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ ઓબીસી સમાજ (OBC society) સાથે સંવાદ કર્યો હતો. દરેક સમાજ સાથે મળવાનું ઊંઝાથી શરુ કર્યું છે. થોડા સમય અગાઉ ભરતસિંહ સોલંકીના વિડીયો વાઈરલ થયા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં (Press conference) નિવેદન આપ્યુ હતુ કે, રાજકારણમાંથી ટેમ્પરરી સ્ટોપ ગેપ લઈ રહ્યો છે ત્યારે આજે હિંમતનગરના પરબડામાં ઓબીસી સમાજ સાથે સંવાદ કરવા આવ્યા હતા.

તે અગાઉ ભોલેશ્વર મંદિરે દાદાના દર્શન કર્યા બાદ ભરતસિંહ સોલંકી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા બાદમાં ઓબીસી સમાજ સાથેના સંવાદ સ્થળે પહોચ્યા હતા. જ્યાં ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત વિવિધ સમાજ ધ્વારા ભરતસિંહને ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. સમાજના તમામ વર્ગ જેવા કે ક્ષત્રિય, એબીસી, દલિત સહિત અન્ય સમાજના વર્ગના લોકોની સાથે સામાજીક એકરસતા થાય અને સમાજ દિશા બતાવે અને એ પ્રમાણે એના ભાગરૂપે આજે સમાજ સાથે સંવાદ સાથે વિચાર વિમર્સ કરવા માટે આજે હિંમતનગર મુલાકાતે ભરતસિંહ આવ્યા હતા. રાજકીય કારણસર નહિ પણ સામાજીક કારણસર આવ્યા છે. આમ તો તમામ સમાજના લોકો સાથે ઉંઝાઉમિયા માતાજીના દર્શન બાદ સંવાદ શરુ કર્યો હતો.

ઊંઝાના ડાભી ગામે મુલાકાત કરી તેમની વિવિધ સમસ્યાઓ, આર્થિક સાધનો ટુંકા થયા મોંઘવારી વધતી ગઈ રોજગારી, શિક્ષણ અને આરોગ્ય મોઘુ થતુ ગયુ તો પણ ઉકેલ ન આવે વિશ્વમાં આર્થિક મંદી આવવાની તમામ શક્યતાઓ છે. ત્યારે લોકોના જીવવા માટેની જે અગત્યતા છે એવા સમાજ શું દોરવણી આપે છે તે તમામ ચર્ચાઓ થઈ હતી. સૌ લોકો એક થઈને અવાજ કાઢશે તો મને લાગે છે કે બધા રાજકીય લોકોએ એ દિશામાં ગંભીર પુર્વક નિર્ણય અને વિચાર કરવા પડશે તેવુ પણ નિવેદન આપ્યુ હતુ.

સૌ કોઈની નજર એક બેનર પણ આવ્યુ હતું. જેમાં ભરતસિહ કોંગ્રેસના બેનર સાથે નહિ અલગ જ બેનર સાથે જોવા મળ્યા હતાં ત્યારે કઈક નવા જુની પણ આ બેનર જોઈને દેખાઈ રહી હતી. પરંતુ આવનારા દિવસોમાં ભરતસિંહ સંવાદ ગુજરાત ભરમાં વિવિધ સમાજો સાથે કરશે તો આવનારી ચુંટણીઓમાં કોનું પરિણામ બદલાશે તે આવનારો સમય બતાવશે કોઈના પર લગામ કે મદદ એ આવનારો સમય બતાવશે. હિમતનગરમાં કોંગ્રેસ બેનર હેઠળ નહિ આવ્યા હોવાનું ભરતસિંહે જણાવ્યું હતું પરંતુ મુલાકાત સમયે સાથે કોંગ્રેસ પ્રમુખથી માંડીને હોદ્દેદારો અને કાર્યકરો સાથે જોડાયા હતા માત્ર કોંગ્રેસનો ખેસ નહોતો.

હાઈકોર્ટનો મોટો ચુકાદો : 16 વર્ષથી મોટી ઉંમરની મુસ્લિમ છોકરી પોતાની પસંદના સાથી સાથે લગ્ન કરી શકે

0

Big judgment of the High Court

  • પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, 16 વર્ષની મોટી ઉંમરની મુસ્લિમ છોકરીઓ પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરી શકે છે.

છોકરીઓના લગ્નને લઈને ભારે વિવાદો થઈ રહ્યા છે. ખાસ કરીને તેમની ઉંમરના સંબંધમાં. હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, 16 વર્ષની મોટી ઉંમરની મુસ્લિમ છોકરીઓ (Muslim girl) પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરી શકે છે. આપને જણાવી દઈએ કે, કોર્ટે એક મુસ્લિમ કપલની (Muslim couple) સુરક્ષા અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન જસ્ટિસ જસજીત સિંહ બેદીની બેન્ચે આ ચુકાદા પર મહોર લગાવી હતી.

શું છે મામલો :

હકીકતમાં કોર્ટે એક કપલની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં અરજીકર્તાઓ કહ્યુ હતું કે, આ બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા, જેને લઈને તેમને કથિત રીતે ધમકીઓ મળવા લાગી હતી. તેમણે અરજીમાં કહ્યુ હતું કે, બંને વયસ્ક થઈ ચુક્યા છે અને લગ્ન બાદ તેમને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે. અરજીમાં તેમણે પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેમણે આ મામલે પોલીસ ફરિયાદ પઠાણકોટમાં કરી હતી. પણ અત્યાર સુધીમાં કોઈ એક્શન લેવામાં આવી નથી.આપને જણાવી દઈએ કે, છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 16 વર્ષ છે. એક રિપોર્ટ અનુસાર આ બંને વચ્ચે પ્રેમ પ્રસંગ હતો. પણ પરિવારના લોકો તેમના લગ્નની વિરુદ્ધમાં હતા, જે બાદ બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા.

કોર્ટે શું કહ્યું :

કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન કહ્યું કે, મુસ્લિમ છોકરીના લગ્ન મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અંતર્ગત થાય છે. કોર્ટે ફરદુનજી મુલ્લાની પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ મોહમ્મદન લોના આર્ટિકલ 195 નો હવાલો આપતા કહ્યું કે, છોકરીની ઉંમર 16 વર્ષથી વધારે છે. તે પોતાની પસંદ અનુસાર પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી શકે છે. તો વળી છોકરાની ઉંમર 21 વર્ષ છે. આવા સમયે બંને પોતાની મરજીથી લગ્ન કરી શકે છે.

કોર્ટે આપ્યા સુરક્ષાના આદેશ :

આ તમામની ઉપરાંત કોર્ટે એસએસપી પઠાણકોટને બંનેને સુરક્ષા આપવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે, ફક્ત એટલા માટે નહીં કે છોકરી પોતાની પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરી રહી છે, તો તેમને ભારતીય સંવિધાનમાં મૌલિક અધિકારોથી વંચિત કરી શકાય નહીં.

ફોન પર કવર લગાવવાથી થાય છે 6 મોટા નુકસાન, જાણી લેજો નહીંતર ખરાબ થઈ જશે હજ્જારોનો ફોન

Putting a cover

  • આજકાલ બધા જ લોકો સ્માર્ટફોન વાપરતા જ હશે, અને સાથે તેમાં કવર પણ વધુ પડતા લોકોને હશે જ ત્યારે તમે જે કવર વાપરો છો તેના લીધે તમારા ફોનના પર્ફોમન્સમાં ઘટાડો આવી શકે છે .

ઘણા લોકો સ્માર્ટફોનના (Smartphone) પ્રોટેક્શન માટે બેક કવરનો ઉપયોગ કરે છે. જો કે તેનો ઉપયોગ ફોનને સુરક્ષિત રાખે છે, પરંતુ આ કવર પોતે જ ઘણી રીતે ફોનને નુકસાન (Damage) પહોંચાડે છે.તમને વિચિત્ર લાગશે કે કવરનો ઉપયોગ કરવાથી ફોનને કેવી રીતે નુકસાન થાય છે ? પરંતુ લાંબાગાળે કવરના કારણે તમારા ફોનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. મોટાભાગના લોકો કવરનો ઉપયોગ કરે છે તેનું કારણ માત્ર ફોનનું પ્રોટેક્શન (Protection) છે, પરંતુ જો તમારા ફોનમાં ગરબડ થવાનું કારણ પ્રોટેક્ટર બની જાય તો તમે શું કરશો ? ચાલો આજે જાણીએ કે સ્માર્ટફોન કવર કેવી રીતે તમારા ફોનને બગાડે છે.

ગરમીનું ન નિકળવું :

ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે, શિયાળામાં આપણે પોતાને ગરમ રાખવા ધાબળાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ગરમીમાં આપણે એવું કરતા નથી. કારણ કે આપણે પહેલેથી જ ગરમી અનુભવી રહ્યા છીએ. આ જ રીતે સ્માર્ટફોન પણ દરેકના ફંક્શનના કારણે ગરમી પેદા કરે છે. મોબાઈલ કવર હાર્ડ પ્લાસ્ટિક કે રબરના હોવાથી તે ગરમીને સહેલાઈથી બહાર નીકળવા દેતા નથી. આ કારણે તમારા ફોનનું પરફોર્મન્સ સ્લો લાગે છે.

ચાર્જિંગ સ્પીડમાં પણ અસર પડે છે :

જો તમે સ્માર્ટફોનને કવર લગાવીને ચાર્જ કરો છો, તો તેમની ચાર્જીંગ સ્પીડ પણ ધીમી પડી જશે. આનું કારણ પર પર્ફોમન્સ વાળું જ છે. ગરમી બરોબર બહાર ન નીકળતા ફોન ચાર્જીગ સ્પીડને ધીમી પાડી દે છે, જેથી બેટરી ઉપર વધુ પ્રેસર ન આવે.

સ્ક્રીનમાંથી નીકળે છે ગરમી :

કવર રબર કે હાર્ડ પ્લાસ્ટિકના હોવાથી ગરમી સહેલાઈથી બહાર આવતી નથી. બીજી તરફ તમારા ફોનની સ્ક્રીન કવર કરતા ગરમીને સરળતાથી બહાર કાઢી શકે છે. આવી સ્થિતિમાં, ફોનની ગરમી સ્ક્રીનમાંથી બહાર આવે છે, જે તમારા મોબાઇલ માટે બિલકુલ સારી વાત નથી.

નેટવર્ક પર પડે છે અસર :

નેટવર્કનો મતલબ એટલે કનેક્ટિવિટી. કવરના કારણે ફોનના મોટા ભાગના સેન્સર કવર થઈ જતા હોવાથી નેટવર્ક રિસેપ્શન અને કનેક્ટિવિટીમાં ઘણી સમસ્યાઓ આવે છે.વધુ સારી કનેક્ટિવિટી માટે, તમારે ફોનનું કવર દૂર કરવું જોઈએ.

ઘણા ફીચર્સ યોગ્ય રીતે કામ નથી કરતા :

વાયરલેસ ચાર્જિંગ, NFC, ટેપ ટુ પે અને કમ્પાસ જેવા ઘણા ફીચર્સ તમારા સ્માર્ટફોનના કવરને કારણે યોગ્ય રીતે કામ કરતા નથી. કારણ કે આ ફીચરને કામ કરવા માટે જે સેન્સરની જરૂર પડે છે, તેને તમે કવરથી ઢાંકી દીધા છે.

ફોનને નુકસાન પહોચે છે :

કેસ કે કવરના કારણે તમારા ફોનમાં ઘણી જગ્યાએ ધૂળ જમા થઇ જાય છે. તેના કારણે ઘણી વખત ફોન સ્ક્રેચ થઇ જાય છે અને ઘણી વખત તો ચાર્જિંગ અને અન્ય પોર્ટ પણ બ્લોક થઇ જાય છે. સાથે જ કવરના કારણે હેન્ડસેટનું વજન પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે તેનો ઉપયોગ કવર વિના કરો તો તે વધુ સારું રહેશે.