Home Blog Page 1408

અરે બાપ રે ભગવાન સાથે પણ છેતરપીંડી : રામ મંદિર નિર્માણમાં દાનમાં મળેલા રૂપિયામાંથી આટલાં કરોડના ચેક બાઉન્સ

0

Oh Baap Ray cheating with God too

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (Ramjanmabhoomi Tirth Kshetra Trust) તરફથી ચલાવવામાં આવેલ નિધિ સમર્પણ અભિયાનમાં (Fundraising Campaign) અત્યાર સુધીમાં કુલ 5457.94 કરોડ રૂપિયા એકઠા થઈ ચુક્યા છે. જો કે આ સંખ્યા અંતિમ નથી કારણ કે, જિલ્લાવાર ઓડિટનુ કામ હજૂ પણ ચાલું છે. હાલમાં અખિલ ભારતીય સ્તરથી (All India level) ફંડ એકત્રિકરણનું મોનિટરીંગ કરી રહેલી ટીમની ગણતરી એક ટેન્ટિવ રિપોર્ટમાં સામે આવી છે. તે અનુસાર શ્રીરામ મંદિર માટે દાન કરનારા લોકોમાં લગભગ 22 કરોડથી વધારે ચેક એવા છે, જે બાઉન્સ થઈ ગયા છે. તેને અલગ કરીને એક અન્ય રિપોર્ટ બનાવામાં આવી રહ્યો છે.

આવી રીતે એકઠુ થયું ભંડોળ :

રિપોર્ટ દ્વારા ચેક બાઉન્સ થવાના કારણો શોધવામાં આવી રહ્યા છે. ટેકનિકલ કારણોથી બાઉન્સ થનારા ચેકને બેંક સાથે બેસીને ફરી વાર રિપ્રેજેંટ કરવામા આવશે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કૂપનો તથા રસીદ દ્વારા 2253.97 કરોડનું ભંડોળ ભેગુ થયું છે. આવી જ રીતે ડિજિટલ માધ્યમોથી 2753.97 કરોડ તથા એસબીઆઈ-પીએનબી તથા બીઓબીના બચત ખાતામાં લગભગ 450 કરોડ રૂપિયાની રકમ ભેગી થઈ છે. ટ્રસ્ટ તરફથી ભંડોળ માટે દશ, સૌ, તથા એક હજારના કૂપન છપાવ્યા હતા. આ ઉપરાંત ઘણી રકમ રસીદ દ્વારા પણ આવી છે.

ramjanmabhoomi nidhi samarpan cheque bounce of 22 crores donated for shri ram temple

ટ્રસ્ટે કૂપન છપાવ્યા હતા, જેમાં આવ્યું ખાસ્સુ દાન :

ટ્ર્સ્ટના મહાસચિવ ચંપત રાય તરફથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, દશ રૂપિયાના કૂપથી 30.99 કરોડ રૂપિયા, સો રૂપિયાના કૂપનથી 372.48 કરોડ રૂપિયા તથા એક હજારના કૂપનથી 225.46 કરોડ રૂપિયા તથા રસીદ દ્વારા 1625.04 કરોડ રૂપિયા ભેગા થયા છે. આમ કુલ રકમ 2253.97 કરોડ થયા છે.

 

રાજીનામું આપી વિધાનસભા ભંગ કરી શકે છે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતના ટ્વિટથી રાજકારણમાં ભૂકંપ

0

Uddhav Thackeray resignation

  • મહારાષ્ટ્રના શિવસેના નેતા સંજય રાઉતે વિધાનસભા ભંગ કરવાના સંકેત આપ્યા

મંગળવાર સવારથી જ મહારાષ્ટ્રમાં (Maharashtra) શિવસેનામાં (Shiv Sena) બળવાને લઈને મોટી ઊથલપાથલ મચી ગઈ છે ત્યારે ઉદ્ધવ ઠાકરે સામે નારાજ નેતા એકનાથ શિંદેને (Eknath Shinde) માનવવાની જગ્યાએ રાજ્યમાં વિધાનસભા જ ભંગ કરી દેવાના સંકેત મળી રહ્યા છે.

સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલની પરિસ્થિતિ વિધાનસભા ભંગ કરવા તરફ જઈ રહી છે. હવે આ ટ્વિટ બાદ સંપૂર્ણ શક્યતા છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપીને વિધાનસભા ભંગ કરાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.

ઉદ્ધવ ઠાકરેએ સાંજે 5 વાગે બોલાવી ધારાસભ્યો અને સાંસદોની બેઠક :

મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા સમાચાર  ઉદ્ધવ ઠાકરે શિવસેનાના ધારાસભ્યો અને સાંસદોને સાંજે 5 વાગે   નિવાસે યોજાનારી બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે આ બેઠકમાં રાજકીય સંકટને લઈને બેઠકમાં થશે ચર્ચા

મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક મળશે : કમલનાથ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે   કોંગ્રેસ નેતા કમલનાથનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કમલનાથે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના કોંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક મળશે. કોંગ્રેસના
તમામ ધારાસભ્યો અમારી સાથે જ છે. અમારા એક પણ ધારાસભ્ય બહાર નથી ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે કમલાનાથને પ્રર્યવેક્ષક બનાવ્યા છે.

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય હલચલ :

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા પોલીટીકલ હાઈવોલ્ટેજ ડ્રામની વચ્ચે આદિત્ય ઠાકરેએ ટ્વિટર પ્રોફાઇલમાંથી મંત્રી શબ્દ હટાવ્યો ઉલ્લેખનીય છે કે,આજે ઉદ્ધવ ઠાકરેએ તમામ ધારાસભ્યો-સાંસદોની સાંજે 5 વાગ્યે બેઠક બોલાવી

ભાજપે તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા કર્યો આદેશ :

બીજી તરફ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે   ભાજપે તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચવા કર્યો આદેશ છે. જેમાં ભૂપેન્દ્ર યાદવ મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે અને મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે બેઠકમાં થશે ચર્ચા

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી આવ્યો કોરોના પોઝિટિવ ! શું ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાંથી કપાશે પતું ?

0

Team India

  • ટીમ ઈન્ડિયા : ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખર, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન ટેસ્ટ મેચ રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ખરેખર ઈંગ્લેન્ડ (England) સામેની ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી કોરોના પોઝિટિવ (Corona positive) હોવાનું જાણવા મળ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન ટેસ્ટ મેચ રમાશે.

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી કોરોના પોઝિટિવ નીકળ્યો :

આ ટેસ્ટ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયા વર્ષે અધૂરી 5 મેચની ટેસ્ટ શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ છે. ગયા વર્ષે કોરોનાને કારણે આ ટેસ્ટ મેચ સ્થગિત કરવામાં આવી હતી.

શું ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાંથી કપાઈ શકે છે પતું :

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યો છે. રવિચંદ્રન અશ્વિન હાલમાં ભારતમાં છે અને ઈંગ્લેન્ડ જવા રવાના થયો નથી.

ટીમ ઈન્ડિયા 16 જૂને યુકે જવા રવાના થઈ હતી :

બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન હાલમાં ક્વોરેન્ટાઈનમાં છે અને તમામ કોવિડ પ્રોટોકોલ પૂર્ણ કર્યા પછી જ ટીમ ઈન્ડિયામાં જોડાશે. ટીમ ઈન્ડિયા 16 જૂને યુકે જવા રવાના થઈ હતી. રવિચંદ્રન અશ્વિન શુક્રવાર 24 જૂનથી રમાનારી લેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચ ગુમાવશે.

આવતીકાલથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી વચ્ચે સૌરાષ્ટ્રમાં કોરોના વકર્યો, 7 વર્ષના બાળક સહિત 16 લોકો સંક્રમિત

0

Corona erupts

  • રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ફરીવાર કોરોનાના કેસો વધી રહ્યાં છે એવામાં 7 વર્ષના બાળક સહિત 16 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચડ્યાં છે.

આવતીકાલથી સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવની (School Entrance Ceremony) ઉજવણી શરૂ થશે તો એવામાં બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બનતું જાય છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં (Saurashtra) ફરીવાર કોરોનાના કેસો વધી રહ્યાં છે. 7 વર્ષના બાળક સહિત 16 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. રાજકોટમાં (Rajkot) અમેરિકાથી (America) પરત આવેલા 3 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બીજી બાજુ જામનગરમાં (Jamnagar) ખંઢેરી સ્ટેડિયમમાં મેચ જોઈને આવેલા તબીબને પણ કોરોના થયો છે.

ઉલ્લેખનીય છે કે,  એક તરફ જ્યાં તાજેતરમાં જ ઉનાળુ વેકેશન પૂર્ણ થતા રાજ્યમાં સ્કૂલો ફરીથી ધમધમવા લાગી છે. એવામાં રાજકોટમાં ફરીવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. સ્કૂલોમાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) બી.એસ. કૈલા દ્વારા તાજેતરમાં જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ સરકારી અને ખાનગી શાળાઓને કડક આદેશ આપવામાં આવ્યો છે. જેમાં શાળામાં આવતા દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. જો સ્કૂલ દ્વારા આ બાબતે ઢીલાશ દાખવવામાં આવશે તો કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ અપાયો છે.

શાળામાં સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો : DEO

આ અંગે બી.એસ. કૈલાએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે શાળાઓમાં કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે અને બાળકોની સલામતિને ધ્યાનમાં લઇને જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને આવવું તેવી સૂચના અપાઇ છે. જિલ્લાની તમામ શાળાઓના સંચાલકોએ પણ શાળામાં SOPનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

સુરતમાં ઘરકામ કરતી મહિલાને રૂ.4 કરોડની કસ્ટમ વિભાગની નોટિસ, કૌભાંડીનો ખેલ જાણીને ચોંકી જશો

0

Customs notice

  • સુરતમાં ઘરકામ કરતી મહિલાને મુંબઇ કસ્ટમ વિભાગે ફટકારી 4 કરોડની નોટિસ, મહિલાના સંબંધીએ કૌભાંડીને ડોક્યુમેન્ટ આપ્યા હોવાની ચર્ચા

સુરતમાં એક ગૃહિણીને કસ્ટમ વિભાગે (Custom department) 4 કરોડની નોટિસ ફટકારતા ચકચાર મચી. નાનપુરામાં રહેતી ગૃહિણીએ મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા  4 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં એક નોટિસમાં સાડા 3 કરોડ જ્યારે બીજી નોટિસમાં એક કરોડ રૂપિયા ડ્યુટી ડ્રો બેકની (Duty draw back) રકમ ભરપાઇ કરવા માટે જણાવ્યું છે.

તો સમગ્ર મામલે એવું સામે આવ્યું છે કે મહિલાને તો એ પણ ખબર નથી કે જીએસટી ઓફિસ ક્યાં આવી. તે કૌભાંડ શું છે, ધંધાકીય પરિસ્થિતિ અજાણ છે. પરંતુ મહિલાના સંબંધીએ કૌભાંડીને આપેલા ડોક્યુમેન્ટના આધારે ખેલ પડાયો હોવાનું સામે આવ્યું છે. કારણ કે મહિલાના સંબંધીની જીએસટીના કૌભાંડી સાથે ઓળખાણ થઇ હતી. તેણે આપેલા ડોક્યુમેન્ટના આધારે ખેલ પડાયો હોવાની આશંકા સેવવામાં આવી છે. હાલ તો મુંબઇ કસ્ટમના રિકવરી સેલે 15 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

ડ્યુટી ડ્રો બેક યોજનાનો ઉઠાવ્યો ગેરલાભ :

આ મામલે હજી તપાસ ચાલી રહી છે પરંતુ મળતી માહિતી મુજબ એવું પણ જાણવા મળ્યુ છે કે સરકારની ડયૂટી ડ્રો બેક યોજોનાનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો હતો. વર્ષ 2014-2018 દરમિયાન નાવાસોવા પોર્ટ, અને મુંબઇથી આ ખેલ પાડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ સ્કીમ હેઠળ અમુક ટાર્ગેટેડ નિકાસ થયા બાદ સરકાર ડયૂટી ડ્રો બેકનો લાભ આપતી હોય છે. જો કે આ મામલે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ થઇ શકે છે.

વધુ સુંદર દેખાવવા સર્જરી કરાવવી એક્ટ્રેસને મોંઘી પડી ગઈ, એવા હાલ થઇ ગયા કે કોઈને મોઢું બતાવવાને લાયક ન રહી

undergo surgery

ગ્લેમર વર્લ્ડ (Glamor World)માં સેલેબ્સ (Celebs) માટે તેમનો ચહેરો ઘણું મહત્ત્વ ધરાવતો હોય છે. સ્ટાર્સ પ્લાસ્ટિક સર્જરી (Stick surgery) કરાવીને ચહેરાને સુંદર કરાવતા હોય છે. જોકે ઘણીવાર સર્જરી નિષ્ફળ જતી હોય છે. તેમની એક ભૂલનું નુકસાન ઉઠાવવું પડે છે. ત્યારે હાલમાં જ કન્નડ અભિનેત્રી (Kannada actress) સ્વાતિ સતીશ (Swati Satish) સાથે જે કંઈ થયું તે ભયાનક છે. રૂટ કેનાલ સર્જરી (Root canal surgery) બાદ જે રીતે તેના ચહેરા પર સોજો આવી ગયો છે, અભિનેત્રીની તસવીરો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. સ્વાતિના ચહેરાની બગડતી હાલત જોઈને ચાહકો પરેશાન છે.

4 18 - Trishul News Gujarati Celebs, Glamor World, Kannada actress, Root canal surgery, Stick surgery, Swati Satish, સર્જરી

સ્વાતિએ તેની આપવીતી સંભળાવી :

સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતા સ્વાતિએ કહ્યું- 28 મેના રોજ હું રૂટ કેનાલ ટ્રીટમેન્ટ માટે ગઈ હતી. મારી રૂટ કેનાલ સંપૂર્ણ રીતે થઈ ન હતી. મારા ચહેરા પરના સોજાને કારણે તે અધૂરું રહી ગયું છે. આ પછી જ્યારે મેં બીજા અભિપ્રાય માટે તેમની સલાહ લીધી ત્યારે અન્ય દંત ચિકિત્સકે મને શું કહ્યું તે હું ચોક્કસપણે કહી શકું છું. પહેલા ડોક્ટરે મને સોડિયમ હાઈપોક્લોરાઈટનું ઈન્જેક્શન આપ્યું. જ્યારે મને આ ઈન્જેક્શન મળ્યું ત્યારે હું ખરેખર રડી રહી હતી. મેં મોટેથી બૂમ પાડી. આ પછી એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું.

સારવારમાં ક્યાં ભૂલ હતી ?

પરંતુ બીજા ડોક્ટરના કહેવા મુજબ પહેલા એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપવું જોઈતું હતું, પછી સોડિયમ હાઈપોક્લોરાઈટ. હા, ડૉક્ટરે ભૂલ કરી છે. આ માટે એક બચાવ પણ હતો, જ્યારે હું રડી ત્યારે ડૉક્ટરે સલાઈનનું ઈન્જેક્શન આપ્યું હોત તો આટલો સોજો ન આવ્યો હોત. પણ તેણે એવું કર્યું નહિ. હું ઘરે જઈને સૂઈ ગઈ. સવારે હું જાગી ત્યારે મારો ચહેરો સાવ બદલાઈ ગયો હતો.

2 40 - Trishul News Gujarati Celebs, Glamor World, Kannada actress, Root canal surgery, Stick surgery, Swati Satish, સર્જરી

શું સ્વાતિ કાનૂની કાર્યવાહી કરશે ?

સર્જરી પછીની સમસ્યાઓનું વર્ણન કરતાં સ્વાતિએ કહ્યું- હવે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ રહી છું પરંતુ મારા હોઠ યોગ્ય આકારમાં નથી આવી રહ્યા. હું સારી રીતે હસી શકતી નથી. 23 દિવસ થઈ ગયા પણ હજુ મારા હોઠનો અણસાર નથી. ડોક્ટરના મતે તેને સાજા થવામાં 2 અઠવાડિયા કે 1 મહિનાનો સમય લાગી શકે છે. શું સ્વાતિ હોસ્પિટલ પ્રશાસન અને ડૉક્ટર સામે કેસ કરશે ? જવાબમાં અભિનેત્રીએ કહ્યું- હું આ સમગ્ર મામલે મારા પરિવાર સાથે ચર્ચા કરીશ, કારણ કે જો હું કોર્ટમાં જઈશ તો આ કેસ 2 વર્ષ સુધી ચાલશે. હું તેને કાનૂની નોટિસ મોકલવાની યોજના બનાવી રહી છું.

3 33 - Trishul News Gujarati Celebs, Glamor World, Kannada actress, Root canal surgery, Stick surgery, Swati Satish, સર્જરી

સ્વાતિની કારકિર્દી પર અસર :

સ્વાતિએ કહ્યું કે, ખરાબ ચહેરાના કારણે તેણે નોકરી ગુમાવી દીધી. ઘણા ઓર્ડર, મોડેલિંગ અસાઇનમેન્ટ, સિરિયલો અને ફિલ્મો ગુમાવી છે. પોતાની સાથે થયેલા આ અકસ્માતમાંથી લોકોને બોધપાઠ આપતા સ્વાતિએ કહ્યું કે હંમેશા નિષ્ણાત પાસે જાવ અને ક્લિનિકની મુલાકાત ન લો.

 

રાષ્ટ્રપતિની ચૂંટણી : યશવંત સિન્હા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર હોઇ શકે, એક સંકેતથી રાજકીય હલચલ તેજ

0

Presidential election

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન (Former Union Minister) યશવંત સિન્હાએ (Yashwant Sinha) મંગળવારે સવારે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટથી એવી અટકળોને વેગ મળ્યો છે કે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential election) માટે વિપક્ષના ઉમેદવાર તરીકે હોઇ શકે. વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે.

મંગળવારે સવારે તેમની એક ટ્વિટથી આ અટકળોને વધુ વેગ મળ્યો છે. ટીએમસીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે ટ્વિટ કર્યું, “મમતાજીએ મને ટીએમસીમાં જે સન્માન અને પ્રતિષ્ઠા આપી છે તેના માટે હું તેમનો આભારી છું. હવે એવો સમય આવી ગયો છે કે જ્યારે મારે મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે પક્ષની બહાર મોટી વિપક્ષી એકતા માટે કામ કરવું પડશે. મને ખાતરી છે કે તેઓ આ પગલું સ્વીકારશે.” જ્યારે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ તેમના ટ્વીટ મામલે વધુ બોલી શકશે નહીં.
યશવંત સિન્હાએ ભારતના નાણા અને વિદેશ મંત્રી તરીકે સેવા આપી છે. હાલમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે. તેમણે 2018માં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો.તમને જણાવી દઈએ કે હાલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરી રહ્યાં છે.
શરદ પવાર બેઠકની અધ્યક્ષતા કરશે :
ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ ગઠબંધનને વધુ મજબૂત કરવાની આશાઓ વચ્ચે, પવાર મંગળવારે 17 વિપક્ષી પક્ષોના નેતાઓ સાથે યોજાનારી બેઠકની અધ્યક્ષતા કરશે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કોલકાતામાં જણાવ્યું હતું કે કેટલાક વિરોધ પક્ષોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ યશવંત સિંહાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બનાવવાનું સૂચન કર્યું છે. જો કે આ પહેલાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ પદ માટે નામાંકન કરવાનો ઇનકાર કર્યાના એક દિવસ બાદ, રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે વિપક્ષના નેતાઓ મંગળવારે શરદ પવારના નિવાસસ્થાને બેઠક કરી રહ્યાં છે. અગાઉ પવાર અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ દરખાસ્તોને ફગાવી દીધી હતી.
ત્રણ સંભવિત વિપક્ષી ઉમેદવારોએ નામંજૂર કર્યું :
ત્રણ સંભવિત પ્રમુખપદના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાથી, વિરોધ પક્ષોના નેતાઓ 18 જુલાઈની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવારના નામને અંતિમ રૂપ આપવા માટે મંગળવારે બપોરે ફરીથી દિલ્હીમાં મળશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાના ઇનકાર પછી, સોમવારે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની વિપક્ષી પાર્ટીઓના નેતાઓની વિનંતીને નકારી કાઢી હતી.

જામનગર : યુવતીએ નશામાં ધૂત થઈને ગાળોની બોલાવી રમઝટ, પોલીસ આવે તે પહેલાં ફરાર

Jamnagar

  • વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અને લોકોના કહેવા પ્રમાણે મંગળવારે સાંજે યુવતી દારૂના નશામાં ધૂત થઈ ગઈ હતી.

ગુજરાતમાં આમ તો દારૂબંધી (Gujarat dry state) છે. પરંતુ અહીં દારૂનો જથ્થો ઝડપાવાના અને નશાખોરોની ધરપકડના બનાવો લગભગ દરરોજ બને છે. મોટા શહેરોમાં હવે યુવતીઓ પણ નશાના રવાડે ચઢી ગઈ છે. આ અંગેના કિસ્સા સમયાંતરે સામે આવતા રહે છે. જોકે, પોલીસ (Police) મહિલાઓની ગરીમા જાળવીને તેમની ધરપકડ ન કરવાને બદલે ચેતવણી આપીને છોડી દે છે. જામનગર (Jamnagar) શહેરમાં યુવતીએ દારૂ પીને જાહેરમાં ધમાલ (Jamnagar drunken girl viral video) કરી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં યુવતી જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે તેને સાંભળીને માથું શરમથી ઝૂકી જાય. આ વાયરલ વીડિયો હાલ આખા જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

યુવતીને દારૂના નશામાં ગાળો બોલતી જોઈને લોકો સ્તબ્ધ :

મળતી માહિતી પ્રમાણે જામનગર શહેરના રામેશ્વરનગર (Rameshwar Nagar) વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અને લોકોના કહેવા પ્રમાણે મંગળવારે સાંજે યુવતી દારૂના નશામાં ધૂત થઈ ગઈ હતી. જે બાદમાં યુવતીએ જાહેરમાં જ ગાળોની રમઝટ બોલાવી દીધી હતી. આ દરમિયાન અહીંથી પસાર થતા લોકો બે ઘડી માટે સ્તબ્ધ થઈ ગયા હતા. દ્રશ્ય એવું હતું કે લોકોને પણ સમજાતું ન હતું કે શું કરવું ?

યુવતીને સમજાવવા કોઈ આગળ ન આવ્યું !

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી મણ-મણની ગાળો બોલી રહી હતી. આ કારણે અહીંથી પસાર થતા લોકોએ શરમાવવું પડ્યું હતું. લોકોને માલુમ પડી ગયું હતું કે યુવતી દારૂની નશામાં છે. આ જ કારણે તેણીને સમજાવવા માટે પણ કોઈ આગળ આવ્યું ન હતું. લોકોને ડર હતો કે સમજાવવાનો પ્રયાસ કરવા જતાં ક્યાંક તેમને ગાળો ન પડે !

પોલીસ આવે તે પહેલા યુવતીએ ચાલતી પકડી :

આ દ્રશ્ય જોઈને લોકોએ પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, પોલીસ આવે ત્યાં સુધીમાં યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી. આ દરમિયાન અમુક લોકોએ આ દ્રશ્યનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. દારૂ પીને જાહેરમાં ગાળો બોલવાનો આ વીડિયો હાલ આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

રાષ્ટ્રપતિ માટે પોતાનું નામ આવતા વિશ્વાસ ન કરી શક્યા દ્રૌપદી મુર્મૂ, કહ્યું TV જોઈને ખબર પડી 

0

Confidence coming to his name for the President

  • રાષ્ટ્રપતિ પદ માટે BJPએ દ્રૌપદી મુર્મૂને ચૂંટ્યા છે આશ્ચર્યની વાત એ છે કે દ્રૌપદી મુર્મૂને આ વાતની ખબર TVના માધ્યમથી ખબર પડી

ભાજપે રાષ્ટ્રપતિ (President) પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ માટે ભાજપે દ્રૌપદી મુર્મૂને ચૂંટ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે દ્રૌપદી મુર્મૂને (Draupadi Murmu) આટલા મોટા પદ માટે પસંદ થયા પહેલા આ વાતની જાણ નહોતી. મંગળવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda) રાજધાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને આ અંગે માહિતી આપી હતી. માહિતી આપતા તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુને NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ટીવી પરથી મને મળી જાણકારી :

આદિવાસી નેતાથી રાજ્યપાલ સુધીની સફર કરનાર મુર્મૂએ કહ્યું કે તેમને ટીવી દ્વારા માહિતી મળી કે એનડીએ દ્વારા તેમને દેશના સર્વોચ્ચ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મુર્મૂએ રાયરંગપુર સ્થિત તેમના નિવાસસ્થાને પત્રકારોને જણાવ્યું હતું કે, હું આશ્ચર્યચકિત અને ખુશ છું. મયુરભંજ જિલ્લાની એક આદિવાસી મહિલા તરીકે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે એનડીએ સરકારે આદિવાસી મહિલાઓને ચૂંટીને ભાજપના ‘સબકા સાથ સબકા વિશ્વાસ’ના સૂત્રને સાબિત કરી દીધું છે.

મુર્મૂએ કહ્યું, ‘મને આશા છે કે મને ઓડિશાના તમામ ધારાસભ્યો અને સાંસદોનું સમર્થન મળશે.’ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઈલેક્ટોરલ કોલેજમાં બીજેડી પાસે 2.8 ટકાથી વધુ વોટ છે. તેણે કહ્યું, ‘હું આ રાજ્યની દીકરી છું. એક ઓડિયા હોવાને કારણે, મને દરેકને મને ટેકો આપવા વિનંતી કરવાનો અધિકાર છે.

મુર્મૂ ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે :

મુર્મૂ ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે. રાજ્યો અને કેન્દ્રમાં જે પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે તે જોતાં NDAના ઉમેદવારનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત છે. મંગળવારે જ દેશના સૌથી મોટા પદ માટે વિપક્ષ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જો મુર્મૂ હરીફાઈમાં સફળ થાય છે, તો તે દેશની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે.

મને આ તકની અપેક્ષા નહોતી : દ્રૌપદીમુર્મૂ

મુર્મૂએ કહ્યું, ‘મને આ તકની અપેક્ષા નહોતી. હું પડોશી રાજ્ય ઝારખંડનો રાજ્યપાલ બન્યા પછી છ વર્ષથી વધુ સમય સુધી રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેતો નહોતો. મને આશા છે કે દરેક મને સાથ આપશે.દ્રૌપદીની ઉમેદવારીની જાહેરાત બાદ તેના વતન મયુરભંજ જિલ્લામાં ખુશીનો માહોલ છે. મોટી સંખ્યામાં લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.

કોણ છે દ્રૌપદી મુર્મૂ :

ઝારખંડના રાજ્યપાલ રહી ચુક્યા છે દ્રૌપદી મુર્મૂ
વર્ષ 2015થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યા
ઓડિસાની સાંતલ આદિવાસી કોમ્યુનિટીમાંથી આવે છે મુર્મૂ
ભારતીય જનતા પાર્ટીમાં સિનિયર નેતાઓમાં સ્થાન પામે છે
વર્ષ 2000થી 2002 સુધી ઓડિસા સરકારમાં ટ્રાન્સપોર્ટ અને કોમર્સ મંત્રી રહ્યા
ઓડિસાની રાયરંગપુર વિધાનસભાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે મુર્મૂ

સુપરહિટ છે આ Plan! 3300GB ડેટા અને આટલું બધુ મળશે ફક્ત 99 રૂપિયામાં !

This plan

  • આજના સમયમાં ઇન્ટરનેટ વિના એકપણ દિવસ પસાર કરવો મુશ્કેલ લાગે છે. એવામાં ફોનમાં મોબાઇલ ડેટા સાથે મોટાભાગના લોકોના ઘરમાં વાઇફાઇ પણ લાગેલું હોય છે. જો તમે તમારા ઘરમાં વાઇફાઇ લગાવવા માંગો છો અને સસ્તા અને વ્યાજબી પ્લાન્સની શોધમાં છે તો અમારી પાસે તમારા માટે એકદમ શાનદાર ઓપ્શન છે.

આજના સમયમાં ઇન્ટરનેટ (Internet) વિના એકપણ દિવસ પસાર કરવો મુશ્કેલ લાગે છે. એવામાં ફોનમાં મોબાઇલ ડેટા સાથે મોટાભાગના લોકોના ઘરમાં વાઇફાઇ (Wifi) પણ લાગેલું હોય છે. જો તમે તમારા ઘરમાં વાઇફાઇ લગાવવા માંગો છો અને સસ્તા અને વ્યાજબી પ્લાન્સની શોધમાં છે તો અમારી પાસે તમારા માટે એકદમ શાનદાર ઓપ્શન છે. આજે અમે તમને એક એવા બ્રોડબેન્ડ પ્લાન વિશે જણાવીશું જેમાં તમે 99 રૂપિયામાં 3000GB થી વધુ ડેટા અને ઘણા આકર્ષક બેનિફિટ્સનો ફાયદો ઉઠાવી શકો છો.

આ કંપનીનો બ્રોડબેન્ડ પ્લાન છે સુપરહિટ !

અમે અહીં સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલના એક પ્રીપેડ પ્લાનની વાત કરી રહ્યા છીએ જેની સાચી કિંમત 599 રૂપિયા છે. આ પ્લાન 3000GB થી વધુ ઇન્ટરનેટ સાથે સાથે બીજા ઘણા આકર્ષક બેનિફિટ્સ સાથે આવે છે. આ પ્લાનમાં બીએસએનએલની બ્રોડબેંડ સર્વિસ, ભારત ફાઇબર હેઠળ લેવામાં આવી શકે છે.

આ પ્લાનના શાનદાર બેનિફિટ્સ :

આ પ્લાનમાં તમને 3.3TB એટલે કે 3000GB ઇન્ટરનેટ આપવામાં આવી રહી છે જેની સ્પીડ 60Mbps છે. આ ડેટા પુરો થઇ ગયા બાદ સ્પીડને ઓછી કરીને 2Mbps કરી દેવામાં આવશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને એક ફિકસ્ડ લાઇન કનેક્શન પણ આપવામાં આવી રહ્યા છે. તેમાં કોઇ ઓટીટી બેનિફિટ્સ તો સામેલ નથી પરંતુ તેની કિંમતમાં 18 ટકા જીએસટી જોડાયેલો છે.

99 રૂપિયા મેળવો 3300GB ડેટા અને આ બેનિફિટ્સ !

તમને જણાવી દઇએ કે અહીં પણ અમે બીએસએનએલના 599 રૂપિયાવાળા બ્રોડબેંડ પ્લાનની જ વાત કરી રહ્યા છીએ. જોકે બીએસએનએલ તે યૂઝર્સને 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે જે તેને પહેલીવાર ઉપયોગ કરે છે. એટલે કે આ પ્લાનને યૂઝ કરતાં પહેલાં મહિનામાં યૂઝર્સને આ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેની મેક્સિમમ વેલ્યૂ 500 રૂપિયા છે. જો તમને આ પુરેપુરૂ ડિસ્કાઉન્ટ મળી જાય તો તમારા માટે આ પ્લાનને કિંમત 599 રૂપિયાથી ઘટીને 99 રૂપિયા થઇ જાય છે. આ પ્રકારે તમામ ફાયદા તમને 99 રૂપિયામાં મળી શકે છે.