Home Blog Page 1382

સાચવજો ગુજરાતવાસીઓ : ફરી બીજા રાઉન્ડમાં વરસાદની આગાહી ! જાણો ક્યારે આવશે મેઘો

0

Be careful Gujarati

  • ગુજરાતમાં હવે પછી 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આગાહી મુજબ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાત (Gujarat) માટે આગામી 24 કલાક ભારે છે. હવામાન વિભાગે (Meteorological department) વરસાદ અંગે એક આગાહી કરી છે. જેમાં આવતીકાલથી (રવિવાર) વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. અરબી સમુદ્રમાં (Arabian Sea) લો પ્રેશર સક્રિય થયું છે. હાલ રાજ્ય તરફ 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય હતું જે ડિપ્રેશન બન્યું છે.

ડિપ્રેશનની અસર ગુજરાત પર નહિ થાય ફક્ત સૌરાષ્ટ્રમાં (Saurashtra) વરસાદ પડશે. આજે માત્ર પોરબંદર જૂનાગઢ અને વલસાડ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં હવે પછી 22 જુલાઈથી ફરી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં 22થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ થઇ શકે છે. આગાહી મુજબ 24 જુલાઈથી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 20 જુલાઈ પછી આવનાર વરસાદ કૃષિના પાકો માટે ફાયદા રૂપ સાબિત થશે.

જૂઓ સંપુર્ણ વિડીયો. : બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી.. 

મહત્ત્વની વાત એ છે કે, દરિયામાંથી ગુજરાત તરફ પ્રવેશી રહેલું લો પ્રેશર હવે થોડાકા જ કિલોમીટર દૂર છે. ગુજરાતના દરિયા કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે, દરિયામાં ઉંચા મોજા ઉછળી શકે છે. હવે આકાશી તાંડવ બાદ દરિયો તોફાન મચાવશે. દરિયા પર જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.

નવસારી, પોરબંદર,દીવ તથા ગીર સોમનાથના દરિયો પણ તોફાની બન્યો છે. પ્રવાસીઓને દરિયાકાંઠે સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ છે. એક તરફ વરસાદ યથાવત છે ત્યારે બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં એક બાદ એક જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં હાલ એક સાધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કેમ કે હવે દરિયો ડરાવી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો –

 

ખતરનાક મગરે લીધો માસુમનો જીવ- સાત વર્ષીય બાળક નદીમાં ન્હાવા પડ્યો ને અચાનક…..

0

Dangerous crocodile took Masum

  • શ્યોપુરમાં ચંબલ નદીમાં નહાવા ગયેલા 7 વર્ષના છોકરા પર મગરએ (Crocodile) જાનલેવા હુમલો કર્યો હતો. આ ઘટનાથી જિલ્લામાં શોકનો લાગણી ફેલાઈ ગયો છે.

શ્યોપુરમાં (Sheopur) ચંબલ (Chambal) નદીમાં નહાવા ગયેલા 7 વર્ષના છોકરા પર મગરએ (Crocodile) જાનલેવા હુમલો કર્યો હતો. મગરના હુમલાથી બાળક નદીમાં ક્યાય ઊંડે ખોવાઈ ગયો હતો. કલાકો પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘણા ગામવાસીઓએ આ ઘટના નજરે જોઈ હતી. ગુસ્સે ભરાયેલા ગામલોકોએ મગરને પકડી લીધો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે બાળક મગરના પેટમાં છે અને તેને બહાર કાઢ્યા પછી જ તેંઓ મગરને છોડશે. ચાર કલાક પછી પણ મગર કોઈ હલનચલન ન કરતાં તેને વન વિભાગને (Forest Department) સોંપવામાં આવ્યો હતો.

આ ઘટના જિલ્લાના રઘુનાથપુર વિસ્તારમાં રિઝેતા ઘાટ પર ચંબલ નદીના કિનારાની છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શ્યામવીર સિંહ તોમરએ જણાવ્યું કે લક્ષ્મણ સિંહનો 7 વર્ષનો પુત્ર અતર સિંહ સોમવારએ સવારમાં ચંબલ નદીમાં નહાવા માટે ગયો હતો. આ દરમિયાન મગરએ તેના પર હુમલો કર્યો. હુમલાના કારણે અતર સિંહ ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો.

જૂઓ સંપુર્ણ વિડીયો. : બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી.. 

ગામના અન્ય લોકોએ આ આ ઘટના સગી આંખે જોઈ હતી. આ પછી બાળકના પરિવારજનો અને ગ્રામજનો હાથમાં લાકડીઓ અને જાળી લઈને આવ્યા હતા. ગ્રામજનોએ મગરને જાળમાં ફસાવીને બહાર કાઢ્યો અને દોરડા વડે બાંધી દીધો હતો. SDRF ટીમની શોધખોળથી બાળકનો મૃતદેહ સવારે 8 વાગ્યે મળી આવ્યો હતો. મગર બાળકને પકડી શક્યો ન હતો. પરંતુ બાળકના ડૂબી જવાથી તેનું મોત થયું હતું.

ગ્રામજનોએ જણાવ્યું કે, બાળકને મગર ગળી ગયો છે અને તે તેના પેટમાં છે. બાળકને મગરના પેટમાંથી બહાર કાઢ્યા પછી જ તેને છોડશે. ચંબલ નદી પર દિવસભર લોકોની ભીડ જામી હતી. અધિકારીઓ ગ્રામજનોને મગરને છોડાવવા સમજાવતા રહ્યા. લક્ષ્મણને 3 પુત્રો હતા. તેમાં મૃતક બાળક સૌથી મોટો હતો. તેના મૃત્યુના સમાચાર મળતાં જ માતા અને પિતા બેભાન થઈ ગયા હતા. વન વિભાગે પીડિત પરિવારને વળતરની ખાતરી આપી છે.

આ પણ વાંચો –

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા AAPએ ખોલ્યું પોતાનું પતું, જાણો કોને કરશે સમર્થન 

AAP opens its profile

  • AAP એ રાષ્ટ્રપતિની ચૂંટણી 2022માં વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે અમે દ્રૌપદી મુર્મુનું સન્માન કરીએ છીએ. પરંતુ તે યશવંત સિંહાને આપીશું..

રાષ્ટ્રપતિની (President) ચૂંટણી માટે ઉમેદવારોને સમર્થન (Supporting candidates) આપવાની પ્રક્રિયા ચાલુ છે. દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) એ પણ આજે તેના કાર્ડ ખોલ્યા છે. આજે બપોરે 12 વાગ્યે શરૂ થયેલી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિએ એક કલાક ચાલેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, પાર્ટી પાર્ટીએ વિપક્ષ દ્વારા ઉભા કરાયેલા ઉમેદવારોમાં યશવંત સિંહાને (Yashwant Sinha) સમર્થન આપવાનો નિર્ણય કર્યો.

સીએમ કેજરીવાલના નિવાસસ્થાને બેઠક યોજાઈ :

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મળેલી બેઠકમાં પાર્ટી PACના તમામ 11 સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમર્થન આપવા માટે જ રાખવામાં આવી હતી. આ બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, પાર્ટી સાંસદ સંજય સિંહ, મંત્રી ગોપાલ રાય, આતિશી, એનડી ગુપ્તા, રાઘવ ચઢ્ઢા, ઈમરાન હુસૈન અને રાખી બિરલાન, દુર્ગેશ પાઠક, પંકજ ગુપ્તા સહિત તમામ 11 PAC સભ્યો હાજર હતા.

AAPએ યશવંત સિંહાને સમર્થન આપ્યું :

તમને જણાવી દઈએ કે એનડીએએ દ્રૌપદી મુર્મુને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષે યશવંત સિન્હાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18મી જુલાઈએ મતદાન થશે અને 21મી જુલાઈએ દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે 2 રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સત્તા (દિલ્હીમાં 62 ધારાસભ્યો અને પંજાબમાં 92 ધારાસભ્યો), ગોવામાં ધારાસભ્યો અને રાજ્યસભામાં 10 ધારાસભ્યો હોવા છતાં, લોકસભામાં પાર્ટીની સંસદીય સંખ્યા શૂન્ય છે.

જૂઓ સંપુર્ણ વિડીયો.: બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી.. 

AAP વિપક્ષી દળોની બેઠકમાં હાજર રહી ન હતી :

વાસ્તવમાં, આ પહેલા પણ વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવાર ઉભા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાંથી આમ આદમી પાર્ટી દૂર રહી હતી. એટલું જ નહીં, યશવંત સિંહાના નામાંકન સમયે પણ આમ આદમી પાર્ટી ગેરહાજર હતી. સ્વાભાવિક છે કે, આમ આદમી પાર્ટી દેશના અન્ય રાજ્યોમાં પોતાનો દબદબો બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે. આવી સ્થિતિમાં, એવી સંભાવના હતી કે આમ આદમી પાર્ટી દ્રૌપદી મુર્મુને સમર્થન આપી શકે છે, જેથી પાર્ટી આદિવાસી વિસ્તારોમાં તેની સ્થિતિ મજબૂત કરી શકે. પરંતુ પાર્ટી પીએસીની બેઠક બાદ યશવંત સિંહાની તરફેણમાં સમર્થન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –

 

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદથી મળશે રાહત, આ 5 રાજ્યોમાં આગામી 3 દિવસ સુધી વાદળો વરસશે !

0

Maharashtra and Gujarat

  • ગુજરાત માટે રાહતનાં સમાચાર મળી આવ્યાં છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદમાંથી રાહત મળશે.

મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાતને (Gujarat) વરસાદથી તરબોળ કર્યા બાદ હવે વાદળો ઉત્તર ભારતમાં વરસવા માટે તૈયાર છે. હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે આગામી ત્રણ દિવસમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh), ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં વ્યાપક વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ (Rain) પડશે. આ પછી વરસાદ વધુ વધી શકે છે.

IMDએ હિમાચલમાં 16 જુલાઈએ, રાજસ્થાનમાં 17 જુલાઈએ, પંજાબ અને હરિયાણામાં 19 સુધી, ઉત્તરાખંડમાં 16 અને 17 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ 18 જુલાઈએ સારો વરસાદ થવાની સંભાવના છે. વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાં 16, હિમાચલ અને યુપીમાં 19 અને ઉત્તરાખંડમાં 18 અને 19 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

જૂઓ સંપુર્ણ વિડીયો…. બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી.. 

મુશળધાર વરસાદ સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છવાયેલા વાદળો હવે વિખેરાઈ જવાની ધારણા છે. IMDનું કહેવું છે કે આગામી 5 દિવસમાં છત્તીસગઢ, વિદર્ભ, મધ્યપ્રદેશ, ઓડિશા, ગોવા, કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તેવી જ રીતે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 16 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી સિસ્ટમ યથાવત છે. તેના પ્રભાવ હેઠળ, ગુજરાતના દરિયાકાંઠાના પશ્ચિમ ભાગોમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. આ સિવાય ઉત્તર ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર યથાવત છે, જે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. એજન્સીએ કહ્યું કે ઉત્તર અફઘાનિસ્તાન અને તેની નજીકના ઉત્તર પાકિસ્તાન પર પશ્ચિમી વિક્ષેપ યથાવત છે.

આ પણ વાંચો –

‘તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ,’ નૂપુર શર્માનું સમર્થન કરનાર સુરતના વેપારીને મળી ધમકી

0

Tere khun ke pyase bethe hai

  • સુરતના વેપારીને ધમકી મળી હતી કે, “સુરત મેં રહેના હૈ યા જાના હૈ ? ફિલહાલ ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહા ન આ જાયે.”

સુરતના (Surat) વેપારીએ નૂપુર શર્માનું સમર્થન (Nupur Sharma) કરતી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર અપલોડ કરી હતી. બાદમાં વેપારીને ધમકી મળી હતી કે, ‘તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ.’ ધમકી મળ્યા બાદ વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ભાજપના પ્રવક્તા નૂપુર શર્માએ (BJP spokesperson Nupur Sharma) આપેલા નિવેદન બાદ તેનો દેશભરમાં વિરોધ થયો હતો પરંતુ કેટલાક લોકોએ નૂપુર શર્માનું સમર્થન પણ કર્યું હતું. છેલ્લા થોડા દિવસોમાં નૂપુર શર્માના સમર્થકોને અલગ અલગ પ્રકારે ધમકી આપવામાં આવી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

નૂપુર શર્માને સમર્થન બદલ કેટલાક લોકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. આ બાબતે પોલીસ ખૂબ જ ગંભીરતાથી એક્શન લઈ રહી છે. સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા અને રાહુલ રાજ મોલમાં એક દુકાન ધરાવતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સુરતના વેપારીને ધમકી મળી હતી કે, “સુરત મેં રહેના હૈ યા જાના હૈ? ફિલહાલ ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહા ન આ જાયે.”

વેપારીને મળી ધમકી :

મળતી માહિતી પ્રમાણે વિશાલ પટેલ (Vishal Patel) નામના વેપારીએ સોશિયલ મીડિયા Instagram એકાઉન્ટ પર નૂપુર શર્માને સમર્થન કરતી એક સ્ટોરી અપલોડ કરી હતી. બાદમં વિશાલ પટેલને અલગ અલગ એકાઉન્ટ પરથી ધમકી આપવામાં આવી રહી હતી. વિવાદ વધતા વેપારીએ માફી માંગી હતી અને સ્ટોરી પણ ડિલીટ કરી નાખી હતી.

જૂઓ સંપુર્ણ વિડીયો…. બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી..

સ્ટોરી ડિલીટ કરવા છતાં મળી રહી હતી ધમકી :

વિશાલ પટેલે સ્ટોરી ડિલીટ કરી દીધી હોવા છતાં તેને અલગ અલગ પ્રકારે ધમકી આપવામાં આવી રહી હતી. આજ કડીમાં Instagram પરથી તેને ધમકી મળી હતી કે, “સુરત મેં રહેના હૈ યા જાના હૈ? ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહાં આ જાયે.” આ સમગ્ર મામલે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ કરતા આરોપી મહમદ અયાન આતસબાજીવાલા પરિવારમાંથી આવતા હોવાનું સામે આવ્યું છે.

વિશાલ પટેલને મોહમ્મદ અયાન મોહમ્મદ નઇમ આતસબાજીવાલા, રાસીદ રફીક, ભૂરા આલિયા, મોહમ્મદ અલી ગગન, મુના મલિક, શહેજાદ કટપીસવાલા અને ફૈઝાન નામના આઈડી પરથી ધમકી મળી હતી. પોલીસે જે ત્રણ આરોપીની ધરપકડ કરી છે તેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો –

રાજકોટ : પાટીદાર યુવાને ઉછીના આપેલા રૂ. 4,000 પરત માંગતા મળ્યું મોત, બે યુવાનોએ સરેઆમ રહેંસી નાખ્યો

0

Patidar youth lent Rs. 4,000 found

  • અમીન માર્ગ પર બુધવારના રોજ સાંજના સમયે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાખિયા નામના શખ્સો દ્વારા મૌલિક કાકડીયા (Maulik Kakadiya) નામના યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં (Rajkot city) બે દિવસ પૂર્વે માત્ર ચાર હજાર રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાને સારવાર દરમિયાન દમ તોડતા હવે હત્યાના પ્રયાસની ઘટના હત્યામાં પલટાઈ છે. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ તરફથી હાર્દિકસિંહ જાડેજા (Hardiksinh Jadeja) તેમજ દીપ લાઠીયા (Deep Lathiya) નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ગુનાના કામે આઇપીસીની કલમ 307ની જગ્યાએ 302ની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે મૃતક મૌલિક કાકડીયાએ હાર્દિકસિંહને 4,000 ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતાં હાર્દિકસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના મિત્ર સાથે મળીને મૃતક પર તૂટી પડ્યો હતો. રાજકોટ શહેરના અમીન માર્ગ પર બુધવારના રોજ સાંજના સમયે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાખિયા નામના શખ્સો દ્વારા મૌલિક કાકડીયા (Maulik Kakadiya) નામના યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ માલવીયાનગર પોલીસને થતા માલવીયા નગર પોલીસનો પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે તાત્કાલિક અસરથી આરોપીઓને પોતાના સકંજામાં લીધા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનના પિતાની ફરિયાદના આધારે પોલીસે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાઠીયા વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 326, 323, 324, 504, 188 તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાન મૌલિક ચંદુભાઈ કાકડીયાને સારવાર અર્થે રાજકોટ શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બે દિવસ ચાલેલી સારવાર બાદ મૌલિક કાકડીયાએ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે પણ ફરિયાદમાં 307ની જગ્યાએ 302ની કલમનો ઉમેરો કર્યો છે.

 પોલીસનું નિવેદન : પોલીસના જણાવ્યા અનુસાર હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અગાઉ રાજકોટ શહેરમાં બે જેટલા ગુનાના કામે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.  તેમજ તેના વિરુદ્ધ જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અગાઉ રાજકોટ શહેરમાં બે જેટલા ગુનાના કામે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.  તેમજ તેના વિરુદ્ધ જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક મૌલિક કાકડીયાએ હાર્દિકસિંહને 4,000 ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતાં હાર્દિકસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. હાર્દિકે તેના મિત્ર દીપ લાઠીયા સાથે મળી મૌલિક અને તેના મિત્રને ગાળો ભાંડી હતી તેમજ મૌલિકને છરી મારી દીધી હતી.

આ પણ વાંચો –

 

સંસદમાં ‘અસંસદીય શબ્દો’ના વિવાદ વચ્ચે નવું ફરમાન : સંસદમાં હવે પેમ્ફલેટ અને પ્લેકાર્ડ પર પણ પ્રતિબંધ

0

Amid ‘unparliamentary words

  • 18 જૂલાઈથી શરૂ થવા જઈ રહેલા સંસદના સત્રમાં આ વખતે ભારે હોબાળો જોવા મળશે, કારણ કે આ વખતે સત્ર દરમિયાન ઘણા કડક નીતિ નિયમો આવ્યા છે, જેને લઈને વિપક્ષમાં ભારે ગુસ્સો છે.

18 જૂલાઈથી શરૂ થઈ રહેલા સંસદના (Parliament) ચોમાસુ સત્રમાં હોબાળા થવાના પુરા એંધાણ મળી રહ્યા છે. પહેલા અસંસદીય શબ્દોની નવી યાદી, બાદમાં સંસદ પરિસરમાં (Parliament premises) ધરણા પ્રદર્શન પર રોક અને હવે લોકસભામાં (Lok Sabha) પોસ્ટર, પ્લેકાર્ડ તથા ચબરખીઓ પર પ્રતિબંધ લગાવાનું ફરમાન જાહેર થયું છે. તેને લઈને વિપક્ષમાં ભયંકર આક્રોશ વ્યાપ્યો છે.

લોકસભા સચિવાલયે શુક્રવારે ચોમાસુ સત્ર દરમિયાન સદનમાં કોઈ પણ પ્રકારના ચબરખીઓ, પોસ્ટરો લાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક બાદ સદનમાં હોબાળો થવાના અણસાર મળી રહ્યા છે.

શુક્રવારે સંસદ પરિસરમાં ધરણા અને પ્રદર્શન પર પણ રોક લગાવી દીધી છે. જ્યારે સભ્ય બાપૂની પ્રતિમા સમક્ષ મોટા ભાગે જમા થઈને પ્રદર્શન કરતા દેખાતા હોય છે. આ અગાઉ ગુરૂવારે બંને સદનમાં અસંસદીય મનાતા શબ્દોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. તેને લઈને વિપક્ષી નેતા પહેલાથી જ ગુસ્સે ભરાયેલા છે. હવે બેનર, પોસ્ટર અને કાપલીઓને લઈને પણ રોક લગાવી દીધી છે. જેનાથી વિપક્ષનો ગુસ્સો સાતમા આસમાને છે.

છેલ્લા અમુક સત્રોની વાત કરીએ તો, ખાસકરીને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓએ ભારે હોબાળો કર્યો હતો. સદનમાં પોસ્ટર અને પેમ્ફલેટ ફાડ્યા હતા. ખુરશીઓ ફેંકવામાં આવી હતી. પોસ્ટર સાથે સાંસદો બહાર નિકળી ગયા છે. આ કારણે સદનના કામકાજમાં ભારે ખલેલ પહોંચી હતી.

શું તમાશો છે- સીતારામ યેચુરી :

માકપા નેતા સીતારામ યેચુરીએ તેના પર તિખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, શું તમાશો છે. ભારતનો આત્મા, તેનું લોકતંત્ર અને તેના અવાજનું ગળુ દબાવાની કોશિશ નિષ્ફળ થઈ જશે. સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોકની યાદની કાલે સૌથી પહેલા કોંગ્રેસ સાંસજ જયરામ રમેશે આપી હતી. તેમણે તેની ટિકા કરતા કટાક્ષ કર્યો હતો વિશ્વગુરુનું એક વધુ કામ, ધરણા કરવાની મનાઈ છે.

સદનની આવી છે પરંપરા

સંસદની પરંપરા અનુસાર કોઈ પણ પ્રકાશિત સામગ્રી, પ્રશ્નાવલી, પરચા, પોસ્ટર, બેનર વગેરે સ્પિકરની મરજી વગર સદનમાં વિતરણ કરી શકાય નહીં. તે પ્રતિબંધિત છે. તો વળી અસંસદીય શબ્દોની નવી યાદીમાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ, જુમલાજીવી, તાનાશાહ જેવા કેટલાય શબ્દો સામેલ છે.

આ પણ વાંચો –

પાક.માં બાળકોની સામે જ પતિએ પત્નીને કડાઈમાં ઉકાળીને મારી નાખી

In Pakistan

  • સિંધ પ્રાંતની પોલીસે પતિની શોધખોળ શરૂ કરી. પતિ અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધો બાંધવા દબાણ કરતો હતો : વશ ન થયેલી પત્ની સાથે બર્બરતા

પાકિસ્તાનના (Pakistan) સિંઘ પ્રાંતમાં નરાધમ પતિએ (Naradham husband) બર્બરતા આચરીને પત્નીની હત્યા કર્યાનું સામે આવ્યું હતું. પત્નીને ધગધગતા પાણીની કડાઈમાં નાખીને પતિએ તેને જીવતી પાણીમાં ઉકાળી નાખી હતી.

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં એક ખાનગી શાળામાં ચોકીદારી કરતો આશિક તેની પત્ની નરગીસને અન્ય પુરૃષો સાથે સંબંધો બનાવવા દબાણ કરતો હતો. પત્ની વશ થઈ ન હતી. ઉશ્કેરાયેલા પતિએ પત્નીને નવ મહિનાથી બંધ પડેલી શાળાના રસોડામાં એક વિશાળ કડાઈમાં ધગધગતા પાણીમાં નાખીને હત્યા કરી દીધી હતી. નરાધમ પતિએ તેના છ સંતાનોની સામે જ પત્નીની હત્યા કરી હતી.

હત્યા કરીને એ ફરાર થઈ ગયો હતો. સૌથી મોટી ૧૫ વર્ષની દીકરીએ પોલીસને ફરિયાદ કરી હતી. એ પછી પોલીસે ઘટનાસ્થળે આવીને પત્નીના મૃતદેહનો કબજો કર્યો હતો. આ બર્બરતાથી પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે પતિની શોધખોળ શરૃ કરી છે. આ ઘટના અંગે સાંભળીને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. શાળા નવેક માસથી બંધ છે. એ શાળામાં આશિક ચોકીદારી કરતો હતો. ખાનગી સ્કૂલે શાળાના પટાંગણમાં જ તેને રહેવા માટે એક ઓરડી આપી હતી. આખો પરિવારમાં એમાં રહેતો હતો. આ ઘટનાથી આખા સિંધ પ્રાંતમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો –

ગુજરાતમાં ભારે વરસાદના કારણે VNSGU ની પરીક્ષાઓ મોકૂફ, જાણો હવે આગળ શું ?

0

VNSGU exams postponed

  • ભારે વરસાદને કારણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ કરવામાં આવી, યુનિવર્સિટીની તમામ સંલગ્ન કોલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ.

દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત રાજ્યભરમાં મેઘરાજાએ ઘડબડાટી બોલાવી છે. અને ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી પણ સર્જાઇ છે. જેને લઈ હવે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની (Veer Narmad South Gujarat University) પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે યુનિવર્સિટીની તમામ સંલગ્ન કોલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ તરફ આજે પણ હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.

સુરતમાં વરસાદને લઈ VNSGU દ્વારા કરાઈ પરીક્ષા મોકુફ :

દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને કારણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે યુનિવર્સિટીની તમામ સંલગ્ન કૉલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી દ્વારા BBA સેમ 6, એટીકેટી, એક્સટર્નલ અને પૂરક વિષય માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી આગામી દિવસોમાં યુનિવર્સિટીની વેબસાઈટમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.

હજી પણ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો –

ગોધરાકાંડ બાદ કોના ઈશારે તિસ્તાને લાખો રૂપિયા મળ્યા, SITની એફિડેવિટમાં ખુલાસો, જાણો કોનું નામ સામે આવ્યું છે તે…

0

Teesta received lakhs of rupees

  • તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે.

તિસ્તા સેતલવાડ (Teesta Setalwad) કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે. તમને જણાવી દઈએ કે, સેતલવાડ, નિવૃત્ત ડીજીપી આરબી શ્રીકુમાર (Retired DGP RB Sreekumar) અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ (Former IPS officer Sanjeev Bhatt) પર 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલ કેસમાં બનાવટી પુરાવા અને કાવતરું ઘડવાનો આરોપ છે. ગુજરાત પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે, 15 જુલાઈએ તિસ્તા સેતલવાડની જામીન અરજી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી SITની એફિડેવિટમાં એક મોટો ખુલાસો થયો છે.

તિસ્તા સેતલવાડની જામીન અરજીમાં SITની એફિડેવિટમાં મોટો ખુલાસો થયો છે. તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઈપીએસ અધિકારી શ્રીકુમારે ખોટા કાગળ બનાવી કાયદા સાથે રમત કરવા બદલ ધરપકડ બાદ તિસ્તા દ્વારા અમદાવાદની સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.

સોગંદનામામાં જણાવાયું છે કે સેતલવાડે કથિત રીતે આ કાવતરાના ભાગરૂપે શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ જ તેણે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે મીટિંગ કરી હતી અને પ્રથમ વખતમાં રૂ.5 લાખ લીધા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવાયું છે કે પટેલ અને સેતલવાડની ફરી મુલાકાત શાહીબાગમાં સરકારી સર્કિટ હાઉસમાં થઈ હતી, જેમાં સાક્ષીએ પટેલની સૂચના પર સેતલવાડને વધુ 25 લાખ રૂપિયા આપ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગમાં આપવામાં આવેલી રોકડ કોઈ રાહત ફંડનો ભાગ નથી.

સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે સેતલવાડે કથિત રીતે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી સહિત ગુજરાત રાજ્યમાં અનેક અધિકારીઓ અને અન્ય નિર્દોષ વ્યક્તિઓને ફસાવવા અને તેમની સામે કાર્યવાહી કરવા રાજકીય પક્ષ પાસેથી નાણાકીય અને અન્ય વિવિધ લાભો મેળવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ વર્ષે 25 જૂને અમદાવાદમાં નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં સેતલવાડ, શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી ભટ્ટની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આના એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે 2002ના રમખાણો સાથે સંબંધિત કેસમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી અને અન્યને આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી.

અહેમદ પટેલ પાસેથી બે વખત પૈસા લીધાનો આરોપ : 

આજે જામીન માટેની સુનાવણી દરમિયાન આ મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષાના સલાહકાર અહેમદ પટેલ પાસેથી બે વખત પૈસા લેવામાં આવ્યા છે. જેનો ઉલ્લેખ એફિડેવિટમાં કરાયો છે. આ એફિડેવિટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ પૈસાનો ઉપયોગ તિસ્તા દ્વારા સર્કિટ હાઉસના વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો. જેના પુરાવા અને સાક્ષીનો પણ સોગંદનામામાં ઉલ્લેખ છે.

SITની તપાસ હજુ ચાલુ :

SITએ તિસ્તાને જામીન ન આપવા માટે એફિડેવિટ રજૂ કરી હતી. જ્યારે, SITએ દાવો કર્યો છે કે તિસ્તાના માધ્યમથી ગુજરાત અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને બદનામ કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તિસ્તા સેતલવાડ સામે SITની તપાસ હજુ ચાલુ છે, જેના કારણે તે સાક્ષીને ધમકી આપી શકે છે. અને પુરાવાને ટેમ્પર કરી શકે છે. જેના કારણે તિસ્તાને જામીન ન આપવા જોઈએ.

તિસ્તા સેતલવાડના નજીકના સાથી રઈસ ખાને તાજેતરમાં દાવો કર્યો હતો કે જ્યારે અમે તેમની સામે ફરિયાદ કરી હતી ત્યારે ધરપકડ અગાઉ થવી જોઈતી હતી. તેમણે કહ્યું હતું કે, તિસ્તા જેવા લોકો જેઓ વિક્ટિમના નામે પૈસા લાવે છે, ખાઈ જાય છે અને પોતાને સામાજિક કાર્યકર્તા કહે છે, વિક્ટિમ સાથે જે વિશ્વાસઘાત થયો છે તેને વિક્ટિમ માફ નહીં કરે. રઈસે વધુમાં જણાવ્યું હતું કે તિસ્તાએ પીડિતા સાથે છેતરપિંડી કરી હતી. આવા લોકોને માફ ન કરવા જોઈએ. તિસ્તાએ દેશ-વિદેશમાંથી ફંડ જમા કર્યું અને તેનો એક ટકા પણ પીડિતને આપ્યો નહીં.

આ પણ વાંચો –