Home Blog Page 1380

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદથી મળશે રાહત, આ 5 રાજ્યોમાં આગામી 3 દિવસ સુધી વાદળો વરસશે !

0

Maharashtra and Gujarat

  • ગુજરાત માટે રાહતનાં સમાચાર મળી આવ્યાં છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદમાંથી રાહત મળશે.

મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાતને (Gujarat) વરસાદથી તરબોળ કર્યા બાદ હવે વાદળો ઉત્તર ભારતમાં વરસવા માટે તૈયાર છે. હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે આગામી ત્રણ દિવસમાં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh), ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં વ્યાપક વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ (Rain) પડશે. આ પછી વરસાદ વધુ વધી શકે છે.

IMDએ હિમાચલમાં 16 જુલાઈએ, રાજસ્થાનમાં 17 જુલાઈએ, પંજાબ અને હરિયાણામાં 19 સુધી, ઉત્તરાખંડમાં 16 અને 17 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ 18 જુલાઈએ સારો વરસાદ થવાની સંભાવના છે. વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાં 16, હિમાચલ અને યુપીમાં 19 અને ઉત્તરાખંડમાં 18 અને 19 તારીખે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

જૂઓ સંપુર્ણ વિડીયો…. બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી.. 

મુશળધાર વરસાદ સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છવાયેલા વાદળો હવે વિખેરાઈ જવાની ધારણા છે. IMDનું કહેવું છે કે આગામી 5 દિવસમાં છત્તીસગઢ, વિદર્ભ, મધ્યપ્રદેશ, ઓડિશા, ગોવા, કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તેવી જ રીતે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 16 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને ગુજરાતના આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી સિસ્ટમ યથાવત છે. તેના પ્રભાવ હેઠળ, ગુજરાતના દરિયાકાંઠાના પશ્ચિમ ભાગોમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. આ સિવાય ઉત્તર ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર યથાવત છે, જે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. એજન્સીએ કહ્યું કે ઉત્તર અફઘાનિસ્તાન અને તેની નજીકના ઉત્તર પાકિસ્તાન પર પશ્ચિમી વિક્ષેપ યથાવત છે.

આ પણ વાંચો –

‘તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ,’ નૂપુર શર્માનું સમર્થન કરનાર સુરતના વેપારીને મળી ધમકી

0

Tere khun ke pyase bethe hai

  • સુરતના વેપારીને ધમકી મળી હતી કે, “સુરત મેં રહેના હૈ યા જાના હૈ ? ફિલહાલ ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહા ન આ જાયે.”

સુરતના (Surat) વેપારીએ નૂપુર શર્માનું સમર્થન (Nupur Sharma) કરતી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર અપલોડ કરી હતી. બાદમાં વેપારીને ધમકી મળી હતી કે, ‘તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ.’ ધમકી મળ્યા બાદ વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ભાજપના પ્રવક્તા નૂપુર શર્માએ (BJP spokesperson Nupur Sharma) આપેલા નિવેદન બાદ તેનો દેશભરમાં વિરોધ થયો હતો પરંતુ કેટલાક લોકોએ નૂપુર શર્માનું સમર્થન પણ કર્યું હતું. છેલ્લા થોડા દિવસોમાં નૂપુર શર્માના સમર્થકોને અલગ અલગ પ્રકારે ધમકી આપવામાં આવી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

નૂપુર શર્માને સમર્થન બદલ કેટલાક લોકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. આ બાબતે પોલીસ ખૂબ જ ગંભીરતાથી એક્શન લઈ રહી છે. સુરતમાં વેસુ વિસ્તારમાં રહેતા અને રાહુલ રાજ મોલમાં એક દુકાન ધરાવતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સુરતના વેપારીને ધમકી મળી હતી કે, “સુરત મેં રહેના હૈ યા જાના હૈ? ફિલહાલ ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહા ન આ જાયે.”

વેપારીને મળી ધમકી :

મળતી માહિતી પ્રમાણે વિશાલ પટેલ (Vishal Patel) નામના વેપારીએ સોશિયલ મીડિયા Instagram એકાઉન્ટ પર નૂપુર શર્માને સમર્થન કરતી એક સ્ટોરી અપલોડ કરી હતી. બાદમં વિશાલ પટેલને અલગ અલગ એકાઉન્ટ પરથી ધમકી આપવામાં આવી રહી હતી. વિવાદ વધતા વેપારીએ માફી માંગી હતી અને સ્ટોરી પણ ડિલીટ કરી નાખી હતી.

જૂઓ સંપુર્ણ વિડીયો…. બીલીમોરા નજીક આંતલીયા – ઉંડાચ ને જોડતા નવા પૂલ નો પિલર બેસી જતા માર્ગ બંધ કરાયો હતો. પૂલની સફાઈ દરમિયાન મળી માનવ ખોપરી..

સ્ટોરી ડિલીટ કરવા છતાં મળી રહી હતી ધમકી :

વિશાલ પટેલે સ્ટોરી ડિલીટ કરી દીધી હોવા છતાં તેને અલગ અલગ પ્રકારે ધમકી આપવામાં આવી રહી હતી. આજ કડીમાં Instagram પરથી તેને ધમકી મળી હતી કે, “સુરત મેં રહેના હૈ યા જાના હૈ? ક્લોઝ કર કે નિકલ લે, તેરે ખૂન કે પ્યાસે બેઠે હૈ, કહી વહાં આ જાયે.” આ સમગ્ર મામલે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ કરતા આરોપી મહમદ અયાન આતસબાજીવાલા પરિવારમાંથી આવતા હોવાનું સામે આવ્યું છે.

વિશાલ પટેલને મોહમ્મદ અયાન મોહમ્મદ નઇમ આતસબાજીવાલા, રાસીદ રફીક, ભૂરા આલિયા, મોહમ્મદ અલી ગગન, મુના મલિક, શહેજાદ કટપીસવાલા અને ફૈઝાન નામના આઈડી પરથી ધમકી મળી હતી. પોલીસે જે ત્રણ આરોપીની ધરપકડ કરી છે તેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો –

રાજકોટ : પાટીદાર યુવાને ઉછીના આપેલા રૂ. 4,000 પરત માંગતા મળ્યું મોત, બે યુવાનોએ સરેઆમ રહેંસી નાખ્યો

0

Patidar youth lent Rs. 4,000 found

  • અમીન માર્ગ પર બુધવારના રોજ સાંજના સમયે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાખિયા નામના શખ્સો દ્વારા મૌલિક કાકડીયા (Maulik Kakadiya) નામના યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરમાં (Rajkot city) બે દિવસ પૂર્વે માત્ર ચાર હજાર રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાને સારવાર દરમિયાન દમ તોડતા હવે હત્યાના પ્રયાસની ઘટના હત્યામાં પલટાઈ છે. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસ તરફથી હાર્દિકસિંહ જાડેજા (Hardiksinh Jadeja) તેમજ દીપ લાઠીયા (Deep Lathiya) નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ગુનાના કામે આઇપીસીની કલમ 307ની જગ્યાએ 302ની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે મૃતક મૌલિક કાકડીયાએ હાર્દિકસિંહને 4,000 ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતાં હાર્દિકસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના મિત્ર સાથે મળીને મૃતક પર તૂટી પડ્યો હતો. રાજકોટ શહેરના અમીન માર્ગ પર બુધવારના રોજ સાંજના સમયે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાખિયા નામના શખ્સો દ્વારા મૌલિક કાકડીયા (Maulik Kakadiya) નામના યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ માલવીયાનગર પોલીસને થતા માલવીયા નગર પોલીસનો પીઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે તાત્કાલિક અસરથી આરોપીઓને પોતાના સકંજામાં લીધા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનના પિતાની ફરિયાદના આધારે પોલીસે હાર્દિકસિંહ જાડેજા તેમજ દીપ લાઠીયા વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 326, 323, 324, 504, 188 તેમજ 114 હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવાન મૌલિક ચંદુભાઈ કાકડીયાને સારવાર અર્થે રાજકોટ શહેરની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બે દિવસ ચાલેલી સારવાર બાદ મૌલિક કાકડીયાએ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે પણ ફરિયાદમાં 307ની જગ્યાએ 302ની કલમનો ઉમેરો કર્યો છે.

 પોલીસનું નિવેદન : પોલીસના જણાવ્યા અનુસાર હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અગાઉ રાજકોટ શહેરમાં બે જેટલા ગુનાના કામે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.  તેમજ તેના વિરુદ્ધ જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અગાઉ રાજકોટ શહેરમાં બે જેટલા ગુનાના કામે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.  તેમજ તેના વિરુદ્ધ જૂનાગઢના મેંદરડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક મૌલિક કાકડીયાએ હાર્દિકસિંહને 4,000 ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતાં હાર્દિકસિંહ ઉશ્કેરાઈ ગયો હતો. હાર્દિકે તેના મિત્ર દીપ લાઠીયા સાથે મળી મૌલિક અને તેના મિત્રને ગાળો ભાંડી હતી તેમજ મૌલિકને છરી મારી દીધી હતી.

આ પણ વાંચો –

 

સંસદમાં ‘અસંસદીય શબ્દો’ના વિવાદ વચ્ચે નવું ફરમાન : સંસદમાં હવે પેમ્ફલેટ અને પ્લેકાર્ડ પર પણ પ્રતિબંધ

0

Amid ‘unparliamentary words

  • 18 જૂલાઈથી શરૂ થવા જઈ રહેલા સંસદના સત્રમાં આ વખતે ભારે હોબાળો જોવા મળશે, કારણ કે આ વખતે સત્ર દરમિયાન ઘણા કડક નીતિ નિયમો આવ્યા છે, જેને લઈને વિપક્ષમાં ભારે ગુસ્સો છે.

18 જૂલાઈથી શરૂ થઈ રહેલા સંસદના (Parliament) ચોમાસુ સત્રમાં હોબાળા થવાના પુરા એંધાણ મળી રહ્યા છે. પહેલા અસંસદીય શબ્દોની નવી યાદી, બાદમાં સંસદ પરિસરમાં (Parliament premises) ધરણા પ્રદર્શન પર રોક અને હવે લોકસભામાં (Lok Sabha) પોસ્ટર, પ્લેકાર્ડ તથા ચબરખીઓ પર પ્રતિબંધ લગાવાનું ફરમાન જાહેર થયું છે. તેને લઈને વિપક્ષમાં ભયંકર આક્રોશ વ્યાપ્યો છે.

લોકસભા સચિવાલયે શુક્રવારે ચોમાસુ સત્ર દરમિયાન સદનમાં કોઈ પણ પ્રકારના ચબરખીઓ, પોસ્ટરો લાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોક બાદ સદનમાં હોબાળો થવાના અણસાર મળી રહ્યા છે.

શુક્રવારે સંસદ પરિસરમાં ધરણા અને પ્રદર્શન પર પણ રોક લગાવી દીધી છે. જ્યારે સભ્ય બાપૂની પ્રતિમા સમક્ષ મોટા ભાગે જમા થઈને પ્રદર્શન કરતા દેખાતા હોય છે. આ અગાઉ ગુરૂવારે બંને સદનમાં અસંસદીય મનાતા શબ્દોની નવી યાદી જાહેર કરવામાં આવી છે. તેને લઈને વિપક્ષી નેતા પહેલાથી જ ગુસ્સે ભરાયેલા છે. હવે બેનર, પોસ્ટર અને કાપલીઓને લઈને પણ રોક લગાવી દીધી છે. જેનાથી વિપક્ષનો ગુસ્સો સાતમા આસમાને છે.

છેલ્લા અમુક સત્રોની વાત કરીએ તો, ખાસકરીને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓએ ભારે હોબાળો કર્યો હતો. સદનમાં પોસ્ટર અને પેમ્ફલેટ ફાડ્યા હતા. ખુરશીઓ ફેંકવામાં આવી હતી. પોસ્ટર સાથે સાંસદો બહાર નિકળી ગયા છે. આ કારણે સદનના કામકાજમાં ભારે ખલેલ પહોંચી હતી.

શું તમાશો છે- સીતારામ યેચુરી :

માકપા નેતા સીતારામ યેચુરીએ તેના પર તિખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, શું તમાશો છે. ભારતનો આત્મા, તેનું લોકતંત્ર અને તેના અવાજનું ગળુ દબાવાની કોશિશ નિષ્ફળ થઈ જશે. સંસદ પરિસરમાં ધરણા પ્રદર્શન પર રોકની યાદની કાલે સૌથી પહેલા કોંગ્રેસ સાંસજ જયરામ રમેશે આપી હતી. તેમણે તેની ટિકા કરતા કટાક્ષ કર્યો હતો વિશ્વગુરુનું એક વધુ કામ, ધરણા કરવાની મનાઈ છે.

સદનની આવી છે પરંપરા

સંસદની પરંપરા અનુસાર કોઈ પણ પ્રકાશિત સામગ્રી, પ્રશ્નાવલી, પરચા, પોસ્ટર, બેનર વગેરે સ્પિકરની મરજી વગર સદનમાં વિતરણ કરી શકાય નહીં. તે પ્રતિબંધિત છે. તો વળી અસંસદીય શબ્દોની નવી યાદીમાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ, જુમલાજીવી, તાનાશાહ જેવા કેટલાય શબ્દો સામેલ છે.

આ પણ વાંચો –

પાક.માં બાળકોની સામે જ પતિએ પત્નીને કડાઈમાં ઉકાળીને મારી નાખી

In Pakistan

  • સિંધ પ્રાંતની પોલીસે પતિની શોધખોળ શરૂ કરી. પતિ અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધો બાંધવા દબાણ કરતો હતો : વશ ન થયેલી પત્ની સાથે બર્બરતા

પાકિસ્તાનના (Pakistan) સિંઘ પ્રાંતમાં નરાધમ પતિએ (Naradham husband) બર્બરતા આચરીને પત્નીની હત્યા કર્યાનું સામે આવ્યું હતું. પત્નીને ધગધગતા પાણીની કડાઈમાં નાખીને પતિએ તેને જીવતી પાણીમાં ઉકાળી નાખી હતી.

પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં એક ખાનગી શાળામાં ચોકીદારી કરતો આશિક તેની પત્ની નરગીસને અન્ય પુરૃષો સાથે સંબંધો બનાવવા દબાણ કરતો હતો. પત્ની વશ થઈ ન હતી. ઉશ્કેરાયેલા પતિએ પત્નીને નવ મહિનાથી બંધ પડેલી શાળાના રસોડામાં એક વિશાળ કડાઈમાં ધગધગતા પાણીમાં નાખીને હત્યા કરી દીધી હતી. નરાધમ પતિએ તેના છ સંતાનોની સામે જ પત્નીની હત્યા કરી હતી.

હત્યા કરીને એ ફરાર થઈ ગયો હતો. સૌથી મોટી ૧૫ વર્ષની દીકરીએ પોલીસને ફરિયાદ કરી હતી. એ પછી પોલીસે ઘટનાસ્થળે આવીને પત્નીના મૃતદેહનો કબજો કર્યો હતો. આ બર્બરતાથી પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે પતિની શોધખોળ શરૃ કરી છે. આ ઘટના અંગે સાંભળીને આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. શાળા નવેક માસથી બંધ છે. એ શાળામાં આશિક ચોકીદારી કરતો હતો. ખાનગી સ્કૂલે શાળાના પટાંગણમાં જ તેને રહેવા માટે એક ઓરડી આપી હતી. આખો પરિવારમાં એમાં રહેતો હતો. આ ઘટનાથી આખા સિંધ પ્રાંતમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો –

ગુજરાતમાં ભારે વરસાદના કારણે VNSGU ની પરીક્ષાઓ મોકૂફ, જાણો હવે આગળ શું ?

0

VNSGU exams postponed

  • ભારે વરસાદને કારણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ કરવામાં આવી, યુનિવર્સિટીની તમામ સંલગ્ન કોલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ.

દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત રાજ્યભરમાં મેઘરાજાએ ઘડબડાટી બોલાવી છે. અને ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી પણ સર્જાઇ છે. જેને લઈ હવે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની (Veer Narmad South Gujarat University) પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે યુનિવર્સિટીની તમામ સંલગ્ન કોલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ તરફ આજે પણ હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.

સુરતમાં વરસાદને લઈ VNSGU દ્વારા કરાઈ પરીક્ષા મોકુફ :

દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને કારણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે યુનિવર્સિટીની તમામ સંલગ્ન કૉલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી દ્વારા BBA સેમ 6, એટીકેટી, એક્સટર્નલ અને પૂરક વિષય માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી આગામી દિવસોમાં યુનિવર્સિટીની વેબસાઈટમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.

હજી પણ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાંચો –

ગોધરાકાંડ બાદ કોના ઈશારે તિસ્તાને લાખો રૂપિયા મળ્યા, SITની એફિડેવિટમાં ખુલાસો, જાણો કોનું નામ સામે આવ્યું છે તે…

0

Teesta received lakhs of rupees

  • તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે.

તિસ્તા સેતલવાડ (Teesta Setalwad) કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે. તમને જણાવી દઈએ કે, સેતલવાડ, નિવૃત્ત ડીજીપી આરબી શ્રીકુમાર (Retired DGP RB Sreekumar) અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ (Former IPS officer Sanjeev Bhatt) પર 2002ના ગુજરાત રમખાણો સાથે જોડાયેલ કેસમાં બનાવટી પુરાવા અને કાવતરું ઘડવાનો આરોપ છે. ગુજરાત પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે, 15 જુલાઈએ તિસ્તા સેતલવાડની જામીન અરજી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી SITની એફિડેવિટમાં એક મોટો ખુલાસો થયો છે.

તિસ્તા સેતલવાડની જામીન અરજીમાં SITની એફિડેવિટમાં મોટો ખુલાસો થયો છે. તિસ્તા સેતલવાડ અને પૂર્વ આઈપીએસ અધિકારી શ્રીકુમારે ખોટા કાગળ બનાવી કાયદા સાથે રમત કરવા બદલ ધરપકડ બાદ તિસ્તા દ્વારા અમદાવાદની સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.

સોગંદનામામાં જણાવાયું છે કે સેતલવાડે કથિત રીતે આ કાવતરાના ભાગરૂપે શરૂઆતથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું. કારણ કે ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ જ તેણે સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે મીટિંગ કરી હતી અને પ્રથમ વખતમાં રૂ.5 લાખ લીધા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવાયું છે કે પટેલ અને સેતલવાડની ફરી મુલાકાત શાહીબાગમાં સરકારી સર્કિટ હાઉસમાં થઈ હતી, જેમાં સાક્ષીએ પટેલની સૂચના પર સેતલવાડને વધુ 25 લાખ રૂપિયા આપ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગમાં આપવામાં આવેલી રોકડ કોઈ રાહત ફંડનો ભાગ નથી.

સોગંદનામામાં દાવો કરવામાં આવ્યો હતો કે સેતલવાડે કથિત રીતે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી સહિત ગુજરાત રાજ્યમાં અનેક અધિકારીઓ અને અન્ય નિર્દોષ વ્યક્તિઓને ફસાવવા અને તેમની સામે કાર્યવાહી કરવા રાજકીય પક્ષ પાસેથી નાણાકીય અને અન્ય વિવિધ લાભો મેળવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ વર્ષે 25 જૂને અમદાવાદમાં નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં સેતલવાડ, શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી ભટ્ટની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આના એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે 2002ના રમખાણો સાથે સંબંધિત કેસમાં તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી અને અન્યને આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી હતી.

અહેમદ પટેલ પાસેથી બે વખત પૈસા લીધાનો આરોપ : 

આજે જામીન માટેની સુનાવણી દરમિયાન આ મામલાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષાના સલાહકાર અહેમદ પટેલ પાસેથી બે વખત પૈસા લેવામાં આવ્યા છે. જેનો ઉલ્લેખ એફિડેવિટમાં કરાયો છે. આ એફિડેવિટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આ પૈસાનો ઉપયોગ તિસ્તા દ્વારા સર્કિટ હાઉસના વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો. જેના પુરાવા અને સાક્ષીનો પણ સોગંદનામામાં ઉલ્લેખ છે.

SITની તપાસ હજુ ચાલુ :

SITએ તિસ્તાને જામીન ન આપવા માટે એફિડેવિટ રજૂ કરી હતી. જ્યારે, SITએ દાવો કર્યો છે કે તિસ્તાના માધ્યમથી ગુજરાત અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીને બદનામ કરીને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તિસ્તા સેતલવાડ સામે SITની તપાસ હજુ ચાલુ છે, જેના કારણે તે સાક્ષીને ધમકી આપી શકે છે. અને પુરાવાને ટેમ્પર કરી શકે છે. જેના કારણે તિસ્તાને જામીન ન આપવા જોઈએ.

તિસ્તા સેતલવાડના નજીકના સાથી રઈસ ખાને તાજેતરમાં દાવો કર્યો હતો કે જ્યારે અમે તેમની સામે ફરિયાદ કરી હતી ત્યારે ધરપકડ અગાઉ થવી જોઈતી હતી. તેમણે કહ્યું હતું કે, તિસ્તા જેવા લોકો જેઓ વિક્ટિમના નામે પૈસા લાવે છે, ખાઈ જાય છે અને પોતાને સામાજિક કાર્યકર્તા કહે છે, વિક્ટિમ સાથે જે વિશ્વાસઘાત થયો છે તેને વિક્ટિમ માફ નહીં કરે. રઈસે વધુમાં જણાવ્યું હતું કે તિસ્તાએ પીડિતા સાથે છેતરપિંડી કરી હતી. આવા લોકોને માફ ન કરવા જોઈએ. તિસ્તાએ દેશ-વિદેશમાંથી ફંડ જમા કર્યું અને તેનો એક ટકા પણ પીડિતને આપ્યો નહીં.

આ પણ વાંચો –

તમે આવા કોલથી રહેજો દૂર, નહીં તો પાટણના ડોક્ટર જેવા થશે હાલ

Stay away from such calls

  • પાટણ શહેરમાં રહેતા ડોક્ટરના મોબાઇલ પર અજાણ્યા ઇસમોએ વીડિયો કોલ કરી વાતોમાં ભોળવી ડોક્ટરનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો. ત્યાર બાદ ડોક્ટરને વોટ્સઅપ ઓડિયો કોલ કરી નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માગણી કરી હતી.

પાટણ શહેરમાં (City of Patan) રહેતા ડોક્ટરના મોબાઈલ વોટ્સએપમાં અજાણ્યા ઈસમોએ વીડિયો કોલ કરી નગ્ન વિડિઓ ઉતારી સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માગણી કરી હતી. આ અંગે ડોક્ટરે પાટણ સાયબરની ટીમને (Cyber team) હકીકત જણાવી પાટણ બી ડિવિઝન પોલીસ મથકે મોબાઈલ નંબર ધારક સામે બળજબરી પૂર્વક પૈસા કઢાવવાનો ગુનો નોંધાવ્યો હતો. જે અંગે તપાસ પાટણ એલસીબી પોલીસને સોંપતા પોલીસે છટકુ ગોઠવી ત્રણ ઈસમોને ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પાટણ શહેરમાં રહેતા ડોક્ટરના મોબાઇલ પર અજાણ્યા ઇસમોએ વીડિયો કોલ કરી વાતોમાં ભોળવી ડોક્ટરનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો. ત્યાર બાદ ડોક્ટરને વોટ્સઅપ ઓડિયો કોલ કરી નગ્ન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 5 લાખની માગણી કરી હતી. આ બાબતની જાણ પોલીસને કરી તો જાનથી મારી નાખવાની ધમકી ઈસમોએ આપી હતી.

ગભરાઈ ગયેલ ડોક્ટરે પાટણ જિલ્લા પોલીસ વિભાગના સાયબર ક્રાઈમ વિભાગનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તેની તપાસ પાટણ એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી. જે બાદ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ દ્વારા તપાસ શરી કરી હતી.

પોલીસ તપાસમાં ત્રણ ઈસમો હોવાનું બહાર આવવા પામ્યું હતું અને છટકું ગોઠવી ત્રણે ઈસમોને પાટણ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં ઠાકોર શિવપાલ, ઠાકોર વિશાલ, સાધુ લાભેશ ત્રણે રહે બનાસકાંઠા વાળાને ઝડપી પાડ્યા હતા. જેમાંથી ઠાકોર શિવપાલ બનાસકાંઠામાં લૂંટના ગુનાહમાં પણ અગાઉ ઝડપાયો હતો. ત્યારે હાલ તો પોલીસે ત્રણે ઈસમોની વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો –

‘ગુજરાત ગાર્ડિયન’એ એક દાયકો પુરો કર્યો, નવા સૂર્યોદયની આશા સાથે આજે બીજા દાયકામાં પ્રવેશ કરશે

  •  નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારીના ઘા હજુ રુઝાયા નથી પરંતુ કયાં સુધી રડતા રહીશું?
  • દેશના અન્ય વેપાર અને ઉદ્યોગની સાથે ‘ગુજરાત ગાર્ડિયન’એ પણ આર્થિક મોરચે ઘણાં ઘા સહન કરવા પડ્યા છે પરંતુ એક દિવસ ચોક્કસ સમય કરવટ બદલશે
‘ગુજરાત ગાર્ડિયન’ અખબારનો એક દાયકો પસાર થઈ ગયો. કમનસીબે આ દાયકામાં જ ઐતિહાસિક આફતો આવી હતી અને હજુ પણ આફતનો દોર ચાલું જ છે. પરંતુ આપણે બીજાની મુશ્કેલી તરફ નજર દોડાવીએ અથવા તો બીજાની મુશ્કેલીઓ સમજવાની થોડી કોશિષ કરીએ ત્યારે ચોક્કસ એવું લાગી આવે છે કે બીજા કરતા આપણી મુશ્કેલીઓ ઘણી ઓછી છે અને રડતા જ રહેવાથી મુશ્કેલીઓનો પાર નહીં આવે. ઘણી વખત શરીરમાં એવા રોગ કાયમ માટે પડાવ નાંખે છે ત્યારે એક વાત સમજી લેવી પડે છે કે હવે બીમારી સાથે જ જીવવાનું છે. મતલબ કે હવે ગરીબ, મધ્યમ, શ્રમજીવી વર્ગે એક વાત સમજી લેવી પડશે કે પડી ભાંગેલી દેશની અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં સુધરવાની શક્યતા નથી.
નોટબંધી અને જીએસટી લાગુ પાડવામાં આવ્યા ત્યારે એમ લાગતું હતું કે ભારતમાં આર્થિક કટોકટી લાંબો સમય નહીં ચાલે ખરેખર તો નોટબંધી અને જીએસટી પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવી ઘટના હતી પરંતુ ઇતિહાસમાં નામ કરવા માટે સરકારને કોઇક બહાદુરી કરવાનું સૂઝયું અને બહાદુરી કરી પણ બતાવી અને સરકારે અર્થવ્યવસ્થા સાથે કરેલી છેડછાડ દેશના નાગરિકોને કેટલી મોંઘી પડી એ કદાચ શાસકોને નહીં સમજાય.
વળી વિરોધ કરવાનો પણ કોઇ મતલબ નહોતો કારણ કે સરકારે આંખ અને કાન બંધ કરી લીધા હતા. આ તરફ લાચાર પ્રજાએ સરકારના નિર્ણયને મનથી કે કમનથી માથે ચઢાવ્યા વગર છુટકો નહોતો. લોકોના મનમાં એવી ભ્રમણા હતી કે આવતીકાલે સારા દિવસો આવશે અને આવી આશામાં દિવસો કાપી રહ્યા હતા. કહેવાની જરૂર નથી કે નોટબંધી અને જીએસટીના દુષ્પરિણામ રૂપે કેટલાય લોકો કંગાળ થઈ ગયા અને અનેક લોકોએ આપઘાત કરી લીધા. આમ છતાં સરકાર હંમેશા એવું ઠરાવી રહી છે કે તેમના નિર્ણયો જ યથાયોગ્ય હતા, વળી સામે હરીફ પક્ષે કોંગ્રેસ સહિતના વિપક્ષો પણ સાવ ‘નમાલા’ પુરવાર થયા હતા. પ્રજાની વેદના સરકારને સાંભળવાની ફરજ થઈ પડે એવું કંઇપણ કરી શકયા નહોતા અને આખો દેશ ભાંગી પડેલા અર્થતંત્રની ખાઇમાંથી બચવા તરફડીયા મારી રહ્યો હતો.
પરંતુ નસીબ લઇને જન્મેલી સરકાર માટે કોરોનાની મહામારીએ ભાંગી પડેલા અર્થતંત્રની બધી જ વાતો ભુલાવી દીધી હતી. કોરોનાની મહામારી દેશ અને દુનિયા માટે કેટલી વિનાશક પુરવાર થઈ હતી એના માટે દાખલા આપવાની જરૂર નથી. કોરોનામાં અનેક લોકો બરબાદ થઈ ગયા. ઘણા પરિવારોએ સામૂહિક આપઘાત પણ કરી લીધા. અનેક કારખાના માલિકો શેઠ બનીને નોકર બની ગયા પરંતુ આ બધા માટે સરકારને દોષ આપી શકાય તેમ નથી કારણ આખું વિશ્વ આ કોરોના નામના દૈત્યનું ભોગ બન્યું હતું.
ખેર, હજુ પણ કોરોના સાવ સમાપ્ત થયો નથી. ભારત સરકારે કરોડો લોકોને વેક્સિન આપીને કોરોના સામે રક્ષણ આપવાનું સરાહનીય કામ કર્યું છે. ત્રણ ત્રણ વર્ષથી ૮૦ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકારના આ માનવીય અભિગમની અવગણના કરી શકાય તેમ નથી. પરંતુ વેપાર ઉદ્યોગને બેઠા કરવા અને કરોડો લોકોને રોજગારી આપવા આર્થિક ઉદારીકરણની નીતિથી સરકાર પીછેહઠ કરી રહી છે બલ્કે મોંઘવારીમાં સબડતા લોકો ઉપર ટેક્ષનું ભારણ વધારી રહી છે કોઇ એક ક્ષેત્ર એવું બચ્યું નથી કે જ્યા ટેક્ષ વસુલવામાં આવતો નહીં હોય. વેપાર, ધંધા કરતા લોકોને ઘણી વખત એવું લાગતું હશે કે તેઓ ટેક્ષના નાણા ભરવા માટે જ વેપાર ધંધા કરી રહ્યા છે. એ વળી ટેક્ષ ભરવામાં થોડો વિલંબ થાય તો સરકારી તંત્રોની ‘પઠાણી ઉઘરાણી’ શરૂ થઈ જાય છે. અને વિરોધ કરવામાં આવે તો સરકારી તપાસ એજન્સીઓ ઘરના દરવાજે જ ઉભી હોય છે.
આવી સ્થિતિ વચ્ચે દેશ આખો જીવી રહ્યો છે. વેપાર, ઉદ્યોગને આઝાદી મળવાની આશા સાવ ધૂંધળી બનતી જાય છે, જાણે ‘ગુલામ’ હોય એ રીતે લોકો ભાર વેંઢારી રહ્યા છે.
‘ગુજરાત ગાર્ડિયન’ પણ આવા અનેક વિકટ સંજોગોમાંથી પસાર થયું અને હજુ કેટલા વિકટ સંજોગો પાર કરવાના હશે તેનો દાવો કરી શકાય તેમ નથી.
પરંતુ એક વાતનો ચોક્કસ સંતોષ લઇ શકાય કે ‘ગુજરાત ગાર્ડિયન’ સાથે દિલથી નાતો ધરાવતા લોકો ખરેખર ‘ગાર્ડિયન’ બનીને ઉભા રહેતા આવ્યા છે અને આવા ‘ગાર્ડિયન’ના સહારે જ ‘ગુજરાત ગાર્ડિયન’ જીવી ગયું છે અને જીવતું રહ્યું છે. અનેક સંકટો આવ્યા અને પાર કરી ગયા.
દેશની કથળેલી આર્થિક અર્થવ્યવસ્થાની દરેક ક્ષેત્રોની માફક ‘ગુજરાત ગાર્ડિયન’ને પણ અસરો પહોંચી છે પરંતુ જ્યાં કુવામાં જ પાણી ન હોય તો અવેડામાં કેવી રીતે આવવાનું? સમગ્ર ઉદ્યોગ જગત આર્થિક સમસ્યા ભોગવી રહ્યું હોય ત્યારે ‘ગુજરાત ગાર્ડિયન’ જેવી સંસ્થાઓને પણ અસરો થવાની જ પરંતુ પરિસ્થિતિ સામે ઝૂકી જવા કરતા લડતા રહીશું તો એક દિવસની સવારે કરવટ બદલતો સૂર્યોદય ચોક્કસ થશે.
સદનસીબે ‘ગુજરાત ગાર્ડિયન’ને વફાદાર અને પ્રમાણિક ટીમ મળી હોવાથી સંકટના દિવસો પણ ઝડપથી પસાર થઈ રહ્યા છે. વફાદાર કર્મચારીઓ અને પ્રમાણિક મિત્ર વર્તુળોએ જ ‘ગુજરાત ગાર્ડિયન’ને ધબકતું રાખ્યું છે. અને આવનારા વર્ષોમાં પણ ધબકતું રાખશે એવો ચોક્કસ વિશ્વાસ છે.
વળી ‘ગુજરાત ગાર્ડિયન’ની પહેલી ઇંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુકી હતી અને આ વાતનું પણ ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારને ગૌરવ છે.
આ પણ વાંચો –

આ ગુજરાતીનું લોહી સોના જેવુ ચમકતું નીકળ્યું, બન્યા દુનિયાના સૌથી દુર્લભ લોહી ધરાવતા શખ્સ

0

The blood of this Gujarati

  • ગુજરાતના શખ્સમાં જે EMM Negative મળ્યુ છે, તે દુનિયાનું 42 મું બ્લડ ગ્રૂપ માનવામાં આવે છે. દુર્લભ બ્લડ ગ્રૂપનો ભારતનો આ પહેલો કિસ્સો છે, જ્યારે સમગ્ર દુનિયામાં રક્તવાળા 10 લોકો જ છે.

અત્યાર સુધી આપણે A,B,O અને AB ચાર પ્રકારના બ્લડ ગ્રૂપ (Blood group) વિશે સાંભળ્યુ હશે, પરંતુ દેશમાં એક એવા બ્લડ ગ્રૂપની ઓળખ થઈ છે તે અત્યંત દુર્લભ છે. આ બ્લડ ગ્રૂપનું નામ છે ઈએમએમ નેગેટિવ (EMM Negative) ગ્રૂપ. ચોંકાવનારી હકીકત તો એ છે કે આ શખ્સ ગુજરાતના છે. 65 વર્ષીય ગુજરાતી શખ્સમાં આ બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે.

દુર્લભ બ્લડ ગ્રૂપનો ભારતનો આ પહેલો કિસ્સો છે, જ્યારે સમગ્ર દુનિયામાં રક્તવાળા 10 લોકો જ છે. વ્યક્તિના શરીરમાં કુલ 42 પ્રકાનરા અલગ અલગ બ્લડ સિસ્ટમ હાજર રહોય છે. જેમ કે, એ, બી, ઓ, આરએચ અને ડફી. પરંતુ સામાન્ય રીતે ચાર બ્લડ ગ્રૂપ જ ગણવામાં આવે છે. ગુજરાતના શખ્સમાં જે EMM Negative મળ્યુ છે, તે દુનિયાનું 42 મું બ્લડ ગ્રૂપ માનવામાં આવે છે.

એક્સપર્ટસની માનીએ તો, આ બ્લડ ગ્રૂપ એ લોકોમાં જોવા મળે છે, જેમાં ઈએમએમ હાઈ ફ્રિકવન્સી એન્ટીજનની અછત મળી આવે છે. EMM  બ્લડ ગ્રૂપવાળા શખાસ ન તો કોઈને રક્ત દાન કરી શકે છે, ન તો કોઈનુ રક્ત લઈ શકે છે.

જે વ્યક્તિમાં આ બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે તે રાજકોટની છે. જેમની આ બ્લડ ગ્રૂપની ઓળખ સુરતમાં થઈ. સુરતના સમર્પણ બ્લડ ડોનેશન સેન્ટરના ફિઝિશિયન ડોક્ટર સન્મુખ જોશનીએ કહ્યુ કે, 65 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના લોહીની તપાસ કરતા આ રેર બ્લડ ગ્રૂપ મળી આવ્યુ છે. અમે તપાસ કરી તો જાણવા મળ્યુ કે તેઓ દેશના પ્રથમ એવા શખ્સ છે જેઓ EMM Negative બ્લડ ગ્રૂપ ધરાવે છે. હાલ તેમને લોહીની જરૂર છે, જેથી તેમની હાર્ટ સર્જરી કરાવી શકાય. પરંતુ સર્જરી કરવા માટે નવુ EMM Negative લોહી અમારી પાસે નથી.

કેમ ગોલ્ડન કલરનું હોય છે આ લોહી :

આ રક્ત દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ ટાઈપ ગોલ્ડન બ્લડ છે. ગોલ્ડન બ્લડ દુનિયામાં માત્ર 43 લોકોમાં મળી આવ્યુ છે. આ પ્રકારના લોકોને જો ક્યારેય રક્તની જરૂર પડે તો તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝને આ બ્લડ ગ્રૂપને ઈએમએમ નેગેટિવ એટલા માટે ગણાવ્યુ છે કે, તે રક્તમાં EMM એટલે કે લાલ રક્ત કોશિકાઓમાં એન્ટીજન મળી આવતુ નથી. આ રક્તને ગોલ્ડન બ્લડ પણ કહેવાય છે. આ રક્ત એ લોકોના શરીરમાં મળી આવે છે જેમનું Rh ફેક્ટર null હોય છે.

પહેલીવાર ક્યારે મળ્યું :

ગોલ્ડન બ્લડ પહેલીવાર 1961 માં તપાસમાં સામે આવ્યુ હતું. એક ઓસ્ટ્રેલિયન મહિલાના ગર્ભવતી દરમિયાન તેના ગોલ્ડન કલરના રક્ત વિશે જાણવા મળ્યુ હતું. ડોક્ટરને લાગ્યુ હતું કે, Rh-null ને કારણે તેનુ બાળક પેટમાં જ મરી જશે.

સૌથી પહેલી તપાસ :

સૌથી પહેલા 1901 માં ઓસ્ટ્રેલિયન ફિઝીશિયન કોર્લ લૈન્ડસ્ટીનરે રક્તના પ્રકાર વિશે રિસર્ચ શરૂ કર્યુ હતું. 1909 માં તેમણે બ્લડના 4 ભાગોમાં ડિવાઈડ કર્યા હતા. જેને આપણે સામાન્ય રીતે A,B,AB અને O નામથી ઓળખીએ છીએ. તેની તપાસ માટે 1930 માં તેમને નોબલ પુરસ્કાર મળ્યુ હતું.

આ પણ વાંચો –