Home Blog Page 1376

ભાજપનો સાથ છોડીને TMCમાં જઈ શકે છે ગાંધી પરિવારના માતા-પુત્ર ! રાજકારણમાં ઉથલ-પાથલના એંધાણ 

0

Mother and son of Gandhi family

  • BJPના સાંસદ વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધી TMCમાં સામેલ થવાની અટકળોએ જોર પકડ્યું છે.

પશ્ચિમ બંગાળની (West Bengal) રાજધાની કોલકાતામાં (Kolkata) તૃણમૂલ કોંગ્રેસની (Trinamool Congress) એક મોટી બેઠક યોજાઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) થોડા સમય પછી તૃણમૂલ કોંગ્રેસની શહીદ સભાને સંબોધવા જઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપના સાંસદ વરુણ ગાંધી (Varun Gandhi) અને તેમના માતા મેનકા ગાંધી (Maneka Gandhi) કોલકાતા પહોંચી ગયા છે.

વરુણ ગાંધી અને મેનકા ગાંધીની કોલકાતામાં પહોંચતા અટકળો શરૂ થઈ :

કોલકાતામાં વરુણ ગાંધી અને મેનકા ગાંધીના આગમન બાદ કોલકાતાના મીડિયામાં અટકળો શરૂ થઈ ગઈ છે, જો કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે મેનકા ગાંધી અને વરુણ ગાંધી TMCમાં જોડાઈ રહ્યા છે પરંતુ રાજકીય વર્તુળોમાં તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મેનકા અને વરુણ ગાંધી TMCમાં સામેલ થવાની અટકળો છે. આ સાથે જ ભાજપના ત્રણ ધારાસભ્યો TMCમાં સામેલ થવાની અટકળો છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

TMCમાં તાજેતરમાં ઘણા નેતાઓ જોડાયા છે :

વરુણ ગાંધી અને મેનકા ગાંધી શા માટે કોલકાતા આવ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. જો તેઓ ધર્મતલામાં મમતા બેનર્જી દ્વારા આયોજિત બેઠકમાં TMCમાં સામેલ થાય છે, તો તે રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસ રાષ્ટ્રીય રાજનીતિમાં વિસ્તરણમાં વ્યસ્ત છે. શત્રુઘ્ન સિન્હાથી લઈને ત્રિપુરાની સુષ્મિતા દેવ, ભૂતપૂર્વ ક્રિકેટર કાર્તિ આઝાદ, ઘણા નેતાઓ તાજેતરના સમયમાં TMCમાં જોડાયા છે.

આ પણ વાંચો –

નૂપુર શર્માની હત્યાનું કાવતરુ ઘડવા પાછળ પાકિસ્તાની સંગઠનનો હાથ હોવાનું સામે આવ્યું 

0

It was revealed that a Pakistani

  • શંકાસ્પદે પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું કે, તેણે પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને નૂપુર શર્માને મારવા માટે સરહદ પાર કરી છે.

રાજસ્થાન (Rajasthan) પોલીસે કહ્યું કે, એક પાકિસ્તાની નાગરિકની (Pakistani citizen) ધરપકડ કરવામાં આવી છે. જે કથિત રીતે ભાજપાની સસ્પેન્ડ પ્રવક્તા નૂપુર શર્માની (Nupur Sharma) હત્યા માટે સરહદ પારથી ભારત આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તે પાકિસ્તાન સ્થિત સંગઠન તહરીક-એ-લબ્બૈક સાથે પ્રભાવિત છે. એસ સેંગથિર, અધિક પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલીજન્સ) રાજસ્થાને જણાવ્યું કે, પાકિસ્તાની સંગઠન તહરીક-એ-લબ્બૈકે નૂપુર શર્માને મારવાની યોજના બનાવી છે. પાકિસ્તાની આતંકવાદી રિઝવાન (Terrorist Rizwan) પણ તહરીક-એ-લબૈકથી પ્રભાવિત છે.

અધિકારીએ જણાવ્યું કે, IB, CID, BSF, ભારતીય સેના અને સ્થાનિક પોલીસ સહિત અને એજન્સીઓ હવે રિઝવાનની પૂછપરછ કરી રહી છે. આ એ જ સંગઠન છે જેણે ગયા વર્ષે પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારને ઘેરવાનું કામ કર્યું હતું અને પાકિસ્તાનમાં અનેક લોકોને મારી નાખ્યા હતા.

ભાજપાના સસ્પેન્ડ પ્રવક્તા નૂપુર શર્માના કથિત રીતે હત્યા કરવા માટે આતંરરાષ્ટ્રીય સરહદના માર્ગે આવેલા એક પાકિસ્તાની નાગરિકની રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં ધરપકડ કરવામાં આવી છે. IB અને ગુપ્તચર એજન્સીઓની એક સંયુક્ત ટીમ ધરપકડ કરવામાં આવેલ પાકિસ્તાની નાગરિકની પૂછપરછ કરી રહી છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,  એક શંકાસ્પદની 16 જુલાઈના રોજ રાત્રે લગભગ 11:00 વાગ્યે હિન્દુમલકોટ સરહદ ચોકી પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. પેટ્રોલિંગ ટીમને તે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. તેને તાત્કાલિક કસ્ટડીમાં લઈ તેની તલાશી હાથ ધરવામાં આવી હતી.

અમને તેના કબજાની બેગમાંથી 11 ઈંચ લાંબી છરી, ધાર્મિક પુસ્તકો, કપડાં, ખોરાક અને રેતી મળી છે. તેણે પોતાની ઓળખ પાકિસ્તાનના ઉત્તરી પંજાબના મંડી બહાઉદ્દીન નગરના રહેવાસી રિઝવાન અશરફ તરીકે આપી હતી.

શંકાસ્પદે પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું કે, તેણે પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને નૂપુર શર્માને મારવા માટે સરહદ પાર કરી છે. તેણે પોતાની યોજનાને અંજામ આપવા પહેલા અજમેર દરગાહ જવાની યોજના બનાવી હતી.

આ પણ વાંચો –

રોપવેની ટિકિટના દરમાં થયો ઘટાડો, જાણો હવે કેટલી કિંમત ચૂકવવી પડશે

0

Ropeway ticket rates

  • રોપવેની ટિકિટમાં ઘટાડો થયો છે. હવે ટિકિટ પર 18ને બદલે પાંચ ટકા જીએસટી લાગશે. નવા દરનો અમલ થયા બાદ પહેલા બહાર ગામના પ્રવાસીઓ માટે રોપવેની ટિકિટ 700 રૂપિયા હતી. હવે તેનો ચાર્જ ઘટાડીને 623 કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં ગિરનાર (Girnar) પર્વત પર અંબાજી (Ambaji) સુધી હાલ રોપવે સેવા (Ropeway service) ચાલી રહી છે. તાજેતરમાં જ સરકારે જીએસટીના દરોમાં ફેરફાર (GST rates) કર્યો છે. નવા ફેરફાર 18મી જુલાઈથી અમલમાં આવ્યા છે. પહેલી રોપવેની ટિકિટ (Ropeway ticket) પર 18 ટકા જીએસટી લાગતો હતો, હવે તેના પર પાંચ ટકા જીએસટી લાગશે. એટલે કે લોકોને એક ટિકિટ પર સીધો 12 ટકાનો ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ઇ-લોકાર્પણ બાદ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોપવે મારફતે અંબાજી મંદિર જઈને પૂજા કરી હતી.

હવે કેટલો ચાર્જ લાગશે ?

રોપવેની ટિકિટમાં ઘટાડો થયો છે. હવે ટિકિટ પર 18ને બદલે પાંચ ટકા જીએસટી લાગશે. નવા દરનો અમલ થયા બાદ પહેલા બહાર ગામના પ્રવાસીઓ માટે રોપવેની ટિકિટ 700 રૂપિયા હતી. હવે તેનો ચાર્જ ઘટાડીને 623 કરવામાં આવ્યો છે. જૂનાગઢના સ્થાનિક લોકો માટે રોપવેનો ચાર્જ 590 રૂપિયા હતો. હવે તેનો ચાર્જ ઘટાડીને 523 રૂપિયા થયો છે.

જુઓ સંપુર્ણ વિડિયો : – સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

વિવાદ બાદ રોપવેના ચાર્જમાં થયો હતો ઘટાડો :

ઉલ્લેખનીય છે કે રોપવેની શરૂઆત વખતે 25 ઓક્ટોબર, 2020થી 14 નવેમ્બર, 2020 સુધી ડિસ્કાઉન્ટ ભાવે મુસાફરી ઑફર કરવામાં આવી હતી. જે બાદમાં ચાર્જમાં વધારો કરવામાં આવ્યો હતો. જે બાદમાં લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. આ મામલે અનેક રજુઆત બાદ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

પહેલા કેટલા ચાર્જ હતો ?

સામાન્ય ટિકિટ : 700 રૂપિયા+18% GST (126)= 826 રૂપિયા (બંને સાઈડ)

બાળકોની ટિકિટ: 350 રૂપિયા+18% GST (63)= 413 રૂપિયા (બંને સાઈડ)

કન્સેશન ટિકિટ: 400 રૂપિયા+18% GST (72)= 472 રૂપિયા

ઓનલાઇન બુકિંગ :

ગિરનાર પ્રવાસે આવતા પ્રવાસીઓ ઘરે બેઠા રોપ-વેની ટિકિટ બુક કરાવી શકે છે. આ માટે રોપ-વે ચલાવતી કંપની ઉષા બ્રેકોએ ટિકિટનું ઓનલાઈન બુકિંગ શરૂ કર્યું છે. જેથી પ્રવાસી ઘરે બેઠા પોતાના ટાઈમ સ્લોટની પણ પસંદગી કરી શકે છે. કંપની તરફથી જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ ગિરનાર રોપવેની ટિકિટ www.udankhatola.com વેબસાઈટ પરથી બુક કરાવી શકે છે.

આ પણ વાંચો –

કોમનવેલ્થ ગેમ્સ પહેલા જ ભારતને મોટો ઝટકો ! બે મહિલા એથ્લિટ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવતા હડકંપ, પ્રતિબંધિત ડ્રગ્સનાં ઉપયોગની શંકા

0

A big blow to India before

  • કોમનવેલ્થ ગેમ્સ આ મહિને એટલે કે 28 જુલાઇ થી લઈને 8 ઓગસ્ટ સુધી ઈંગ્લેન્ડના બર્મીઘમમાં આયોજિત થવા જઈ રહ્યું છે.

કોમનવેલ્થ ગેમ્સ 2022 ના ઠીક પહેલા ભારતને (India) એક મોટો જટકો લાગ્યો છે. કોમનવેલ્થ વાતએ ક્વોલિફાઈ થઈ ચૂકેલ ટીમમાં સિલેક્ટેડ બે મહિલા એથ્લિટસ (Female athletes) ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે. એમાંથી એક ટોપ રનર એસ ધનલક્ષ્મી (S Dhanalakshmi) અને બીજી ટ્રીપલ જંપર ઐશ્વર્યા બાબુ (Aishwarya Babu) છે.

જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સ આ મહિને એટલે કે 28 જુલાઇ થી લઈને 8 ઓગસ્ટ સુધી ઈંગ્લેન્ડના બર્મીઘમમાં આયોજિત થવા જઈ રહ્યું છે. આ ગેમ્સ માટે 322 ભારતીય લોકોની ઘોષણા કરવામાં આવી હતી જેમાંથી 215 એથ્લિટસ છે અને 107 અધિકારી અને સ્પોર્ટ સ્ટાફ શામેલ છે.

પીટીઆઇના સૂત્રો મુજબ આ બે એથ્લિટસને ડોપ ટેસ્ટમાં ફેલ થવાને કારણે કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. રનર એસ ધનલક્ષ્મી અને ટ્રીપલ જંપર ઐશ્વર્યા બાબુ પ્રતિબંધિત પદાર્થોથી જોડાયેલ એક ટેસ્ટમાં ફેલ પોજીટીવ આવ્યા છે. ડોપ ટેસ્ટમાં શરીરના દરેક હિસ્સાની જાંચ થાય છે અને આ ટેસ્ટ દ્વારા એ જાણવામાં આવે છે કે ગેમ્સમાં સારું પ્રદશન કરવા માટે ખેલાડી ક્યાંક ડ્રગ્સનો ઉપયોગ તો નથી કરી રહ્યો.

જુઓ સંપુર્ણ વિડિયો :  સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

જણાવી દઈએ કે 24 વર્ષની ધનલક્ષ્મી કોમનવેલ્થ ગેમ્સમાં 36 સદસ્યો વાળી એથલીટ ટીમનો હિસ્સો હતી. પણ એથ્લિટસ ઇન્ટિગ્રીટી યુનિટ તરફથી વિદેશમાં જે ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો તેમાં પોઝિટિવ આવતા એમને પરત ફરવું પડ્યું હતું.

ટીમના કેટલાક પ્રમુખ નામોમાં ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા, પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, લવલીના બોર્ગોહેન, બજરંગ પુનિયા અને રવિ કુમાર દહિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વર્તમાન કોમનવેલ્થ ચેમ્પિયન મનિકા બત્રા, વિનેશ ફોગાટ તેમજ 2018 એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા તજિન્દરપાલ સિંહ તૂર, હિમા દાસ અને અમિત પંઘાલ પણ ભારત તરફથી ભાગ લેશે.

આ પણ વાંચો –

 

ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેનને તમે નહીં જોયો હોય બોલિંગ કરતા, જુઓ તેનો બોલિંગ કરતો વિડીયો

0

If you haven’t seen this batsman

  • ટીમ ઈન્ડિયાનો એક એવો ખેલાડી કે જેને તમે હંમેશા બેટિંગ કરતા જોયો હશે, પરંતુ તાજેતરમાં તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તે બોલિંગ કરતો પણ જોવા મળી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાનો (Team India) એક એવો ખેલાડી કે જેને તમે હંમેશા બેટિંગ (Batting) કરતા જોયો હશે, પરંતુ તાજેતરમાં તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તે બોલિંગ (Bowling) કરતો પણ જોવા મળી રહ્યો છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ ટેસ્ટ ટીમ ઈન્ડિયાના સૌથી ભરોસેમંદ ગણાતા અને આજની ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની (Indian Test cricket team) દિવાલ કહેવાતા ચેતેશ્વર પુજારાની (Cheteshwar Pujara). જીહા, પુજારા બેટિંગની સાથે બોવિંગ પણ જાણે છે.
હંમેશા શાંત અને પૂરુ ફોકસ પોતાની રમતમાં રાખનારા ચેતેશ્વર પુજારાને તમે કદાચ ક્યારેય બોલિંગ કરતા જોયો નહીં હોય. પરંતુ તે બોલિંગ કરવાનું જાણે છે. ચેતેશ્વર પુજારા એક લેગ સ્પિનર ​​છે અને તે બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે છે. જોકે, તેને બોલિંગ કરવાની વધુ તક નથી મળતી, પરંતુ કેટલાક પ્રસંગોએ તેણે બોલિંગ કરી છે, જોકે તેઓ તેટલા સફળ થયા નથી જેટલા બેટિંગમાં થયા છે. ચેતેશ્વરનો બોલિંગ કરતો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ચેતેશ્વર પુજારા હાલમાં કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યો છે, જ્યાં તે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. જો કે ચેતેશ્વર પુજારાએ એક જ ઓવર કરી હતી, પરંતુ તેની લેગ સ્પિન કળા ઘણા લોકોએ જોઈ. તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ઓવર પણ કરી છે. તે સમયે પણ તેણે માત્ર એક જ મેચમાં માત્ર એક જ ઓવર નાખી હતી. કદાચ એવું બન્યું હશે કે બોલરનો એન્ડ બદલવા માટે તેને બોલિંગ કરાવવામાં આવી હોય.

જુઓ સંપુર્ણ વિડિયો :- મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ 

હાલમાં, કાઉન્ટી ચેમ્પિયનશિપમાં, ચેતેશ્વર પુજારાએ સસેક્સ તરફથી લેસ્ટરશાયર સામે બોલિંગ કરી. ચેતેશ્વર પુજારાએ એક ઓવર કરી, જેમાં કુલ 8 રન ખર્ચાયા અને તેને કોઈ સફળતા મળી ન હતી. તેની બોલિંગમાં બેટ્સમેન બિટ પણ નહોતો થઇ રહ્યો કારણે બોલ વધુ સ્પિન નહોતો થઇ રહ્યો. લાંબા સમય પછી બોલિંગ કરવું એ અઘરું કામ છે અને ટર્ન મેળવવો એ એક મોટું કામ છે.

આ પણ વાંચો –

આ મૃતદેહ કોનો ? પોલીસને માત્ર ધડ જ મળ્યું, મૃતકનું માથુ કે હાથપગ ન મળતા રહસ્ય ઘેરાયું !

Whose body is this

  • પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરાઈ મૃતદેહ નાખી દેવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે ત્યારે સવાલ એ છે કે, આ મૃતદેહ કોનો છે? હત્યા ક્યાં થઈ ? અને હત્યારા કોણ ?

શહેરના વાસણા પોલીસ સ્ટેશનની (Vasana Police Station) નજીક આવેલા સોરાઈ નગરમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહનું (dead body) માત્ર ધડ જ પોલીસને મળી આવ્યુ છે. મૃતકનું માથુ કે હાથપગ ન મળી આવતા પોલીસે મૃતકની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં (Preliminary investigation) યુવકની હત્યા કરાઈ મૃતદેહ નાખી દેવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે ત્યારે સવાલ એ છે કે, આ મૃતદેહ કોનો છે ? હત્યા ક્યાં થઈ ? અને હત્યારા કોણ ?

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમા યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. હત્યા પણ એવી કે મૃતક નુ માત્ર ધડ જ મળી આવ્યુ હતુ. ના તો મૃતકનું માથુ મળ્યુ કે, ના તો તેના હાથ પગ, અને તેથી જ પોલીસે આ અંગે હત્યા ની આશંકા એ તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતકની ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહની તપાસ બાદ પોલીસ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે, યુવકની હત્યા કરી મૃતદેહ નિકાલ કરવા માટે નાખી દેવામા આવ્યો હોઈ શકે છે.

સોરાઈ નગરમાં કચરાની ડમ્પીંગ સાઈડ પાસેથી આ મૃતદેહ મળી આવ્યો છે. જોકે માત્ર મૃતદેહનો ધડ જ મળી આવતા મૃતક યુવક કોણ છે તેની શોધખોળ હાથ ધરી છે. સાથે જ હત્યા 3 દિવસ પહેલા થઈ હોવાનું પોલીસ માની રહી છે. જેથી અઠવાડિયામાં ગુમ થયેલા યુવકો ની માહિતી મેળવી મૃતક કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે. સાથે યુવકની ઓળખ માટે પોલીસ દ્વારા તેના ડીએનએ ની પણ તપાસ કરવામા આવશે.

જુઓ સંપુર્ણ વિડિયો :- મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ 

મૃતદેહની તપાસ કરતા FSLનું કહેવુ છે કે, હત્યા 35 કલાકથી વધુ સમય પહેલા હોવાની સંભાવના છે, અને મૃતદેહ વાસણા ખાતે નાંખી દેવામા આવ્યો છે. ત્યારે હવે વાસણા પોલીસે તપાસમા લાગી છે કે મૃતક કોણ છે? હત્યા ક્યાં થઇ હોઈ શકે અને હત્યારા કોણ. જોકે સ્થાનિક પોલીસ અને ઝોન 7 LCB ટીમ પણ આ તપાસમાં જોતરાઈ મૃતકની ઓળખ કરી રહી છે.

આ પણ વાંચો –

હવે બ્રિટિશ પીએમની રેસમાં માત્ર બે નામ, પાંચમાં રાઉન્ડમાં પણ ટોપ પર રહ્યાં ઋષિ સુનક

Now only two names

  • 137 મતની સાથે પાંચમાં રાઉન્ડમાં પણ ભારતીય મૂળના ઋષિ સુનક ટોપ પર રહ્યાં છે. તેમનો મુકાબલો લિઝ ટ્રસ સાથે થશે.

બ્રિટિશ પ્રધાનમંત્રીની (British Prime Minister) રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક (Sage Sunak of Indian origin) પાંચમાં રાઉન્ડમાં ટોપ પર રહ્યાં છે. તેમને 137 મત મળ્યા છે. પાંચમાં રાઉન્ડના વોટિંગની સાથે કારોબાર મંત્રી પેની મોર્ડોટ (Penny Mordot) પીએમની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમને 105 મત મળ્યા છે. હવે સુનકનો મુકાબલો વિદેશ મંત્રી લિઝ ટ્રસ (Foreign Minister Liz Truss) સામે થશે. તેને પાંચમાં રાઉન્ડમાં 113 મત મળ્યા છે.

ઋષિ સુનકને તમામ પાંચ રાઉન્ડમાં સૌથી વધુ મત મળ્યા છે. તેમને ચોથા રાઉન્ડના વોટિંગમાં 118 મત મળ્યા હતા. તો સોમવારે ત્રીજા રાઉન્ડના વોટિંગમાં 115 મત મળ્યા હતા. બીજા રાઉન્ડના વોટિંગમાં 101 અને પ્રથમ રાઉન્ડમાં 88 મત મળ્યા હતા.

તો લિઝ ટ્રસને ચોથા રાઉન્ડમાં 86, ત્રીજામાં 71, બીજામાં 64 અને પ્રથમ રાઉન્ડમાં 50 મત મળ્યા હતા. પેની મોર્ડોટને ચોથા રાઉન્ડમાં 92, ત્રીજામાં 82, બીજામાં 83 અને પ્રથમ રાઉન્ડમાં 67 મત મળ્યા હતા.

સુનક અને ટ્રસ વચ્ચે ડિબેટ :

સુનલ અને ટ્રસ હવે બીબીસી પર સોમવારે થનારી લાઇવ ટીવી ડિબેટમાં પોતાની પ્રથમ આમને-સામનેની ટક્કર માટે તૈયાર છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ 

ત્યારબાદ હવે ધ્યાન ટોરી પાર્ટીના સભ્ય આધારને પક્ષમાં કરવા પર હશે. અનુમાન અનુસાર આ સભ્યોની સંખ્યા લગભગ 160,000 છે, જે આ બે ઉમેદવારોમાંથી કોઈ એકના પક્ષમાં મતદાન કરશે. ઓગસ્ટના અંતમાં તે મતની ગણતરી કરવામાં આવશે અને 5 સપ્ટેમ્બર સુધી વિજેતાની જાહેરાત થશે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સર્વોચ્ચ મંત્રીઓએ પ્રધાનમંત્રી બોરિસ જોનસનથી નારાજગી વ્યક્ત કરતા કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમાં સુનક પણ સામેલ હતા. ત્યારબાદ બોરિસ જોનસને પ્રધાનમંત્રીનું પદ છોડ્વુ પડ્યું હતું.

આ પણ વાંચો –

 

તંત્રએ તો તૈયારી કરી લીધી છે ! હવે તમે કરી લેજો…ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

0

The system has already prepared

  • આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તા. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આપત્તિ વ્યવસ્થાપન મંત્રી (Minister of Disaster Management) રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ SEOC, ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (Bhupendrabhai Patel) સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેક્ટરો અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે.

રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તા. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ઉદભવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

જુઓ સંપુર્ણ વિડિયો :-  મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ

રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ઉકાઈ ડેમની વિગતો આપતા કહ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ કયુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે પરંતુ આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ ૫૬ ટકા જળરાશીનો સંગ્રહ થયો છે જે સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, હાલ કચ્છ, ડાંગ, વલસાડ અને પંચમહાલમાં ૧-૧ નેશનલ હાઈવે પર અગવડના કારણે વાહન વ્યવહારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં કુલ ૧૪,૬૪૧ પૈકી માત્ર ૫૫ નાના રૂટ પર બસ વ્યવહાર બંધ છે.

આ પણ વાંચો –

 

૨૧ જુલાઈ ગુરુવારના રોજ આ રાશિના લોકોને મળશે ખુશીના સમાચાર- જાણો શું કહે છે તમારું રાશિફળ

Thursday, July 21 Gujarat Guardian

મેષઃ
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય. છતાં સ્વભાવમાં થોડી ઉગ્રતા વર્તાય. બહેનોએ પતિના ગુસ્સાનો સામનો કરવો પડે. માતાનું આરોગ્ય સાચવવું. જમીન મિલકતના વ્યવહારોમાં સાવધાની જરૂરી.

વૃષભઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

મિથુનઃ
મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થ્ય સારું રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્કઃ
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજરઅંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેરબજારના રોકાણોમાં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહઃ
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ. મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

જુઓ સંપુર્ણ વિડિયો :- મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ 

કન્યાઃ
કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા-વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધનઃ
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં સારૂ. યશ, પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

મકરઃ
વિચારોમાં સ્થિરતા વધે. માન-સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઈચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ-વાહન સુખમાં વધારો.

મીનઃ
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી, ધંધામાં સામાન્ય.

આ પણ વાંચો –

સ્ટોક્સે 31 વર્ષની ઉંમરે શા માટે ODIમાંથી નિવૃત્તિ લેવી પડી ? આ ચોંકાવનારું કારણ સામે આવ્યું

0

Why Stokes had to retire

  • ઈંગ્લેન્ડના ધમાકેદાર બેટ્સમેન બેન સ્ટોક્સે 31 વર્ષની નાની વયે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેના વિશે હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. બેન સ્ટોક્સે 2011માં આયર્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 105 ODIમાં 38.98ની એવરેજથી 2924 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડના (England) ધમાકેદાર બેટ્સમેન બેન સ્ટોક્સે (Batsman Ben Stokes) 31 વર્ષની નાની વયે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેના વિશે હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈનનું (Former captain Naseer Hussain) માનવું છે કે ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિનું મુખ્ય કારણ શારીરિક થાક છે, કારણ કે ખૂબ જ બધા ફોર્મેટ ક્રિકેટ રમાઈ રહ્યું છે. 31 વર્ષીય સ્ટોક્સે આ સોમવારે જાહેરાત કરી હતી કે તે મંગળવારે ડરહામના ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં તેના હોમ ગ્રાઉન્ડ પર દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની મેચ બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.

સ્ટોક્સે 31 વર્ષની ઉંમરે શા માટે ODIમાંથી નિવૃત્તિ લેવી પડી ?

બેન સ્ટોક્સે 2011માં આયર્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 105 ODIમાં 38.98ની એવરેજથી 2924 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને 21 અડધી સદીનો સમાવેશ થાય છે. 42.39ની એવરેજથી 74 વિકેટ લીધી છે. તેણે ગત ઉનાળામાં પાકિસ્તાન સામે 3-0થી સિરીઝ જીતવા દરમિયાન ટીમનું નેતૃત્વ કર્યું હતું.

આ ચોંકાવનારું કારણ સામે આવ્યું :

ઓલરાઉન્ડર માત્ર પાંચ રન બનાવી શક્યો હતો અને મંગળવારે દક્ષિણ આફ્રિકા સામેની વિદાય વનડેમાં ઈંગ્લેન્ડની 62 રનથી હારમાં એક વિકેટ પણ લઈ શક્યો ન હતો. હુસૈને કહ્યું કે સ્ટોક્સનો 50 ઓવરમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય મુખ્યત્વે શારીરિક થાક છે. વિશ્વભરના ક્રિકેટરો માટે વર્કલોડ મેનેજમેન્ટ એક મુખ્ય મુદ્દો બની ગયો છે અને સ્ટોક્સે ટેસ્ટ ટીમને સતત ચાર જીત અપાવી હોવા છતાં તે પરેશાન દેખાય છે.

હુસૈને જણાવ્યું હતું કે T20 ક્રિકેટના આકર્ષક સ્વભાવ અને ટેસ્ટ ક્રિકેટના આકર્ષણને જોતાં, ખેલાડીઓ માત્ર બે ફોર્મેટમાં રમવા માંગે છે, તેમણે ઉમેર્યું હતું કે સ્ટોક્સનો વનડેને છોડવાનો નિર્ણય ક્રિકેટ પ્રશાસકો માટે સારો હોવો જોઈએ.

આ પણ વાંચો –