Home Blog Page 1374

આજે વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી વન-ડે રમશે ટીમ ઈન્ડિયા, ગબ્બર કરશે કપ્તાની, આ ખેલાડીઓનાં રમવા અંગે સસ્પેન્સ

0

Team India will play the first ODI

  • વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ દિવસની વનડે મેચની શરૂઆત આજે થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન આ વખતે શિખર ધવનના હાથમાં. વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે મેચમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો.

ભારતીય ટીમ (Indian team) વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે ત્રણ દિવસની વનડે મેચની આજે શરૂઆત થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાની કમાન આ વખતે શિખર ધવનના (Shikhar Dhawan) હાથમાં સોંપવામાં આવી છે. સાથે જ વાઇસ કેપ્ટનની જવાબદારી રવીન્દ્ર જાડેજાને (Ravindra Jadeja) સોંપવામાં આવી છે. જો કે ભારતીય ટીમ છેલ્લા 16 વર્ષોમાં એક પણ વન ડે સિરીજ વેસ્ટ ઈન્ડિઝ સામે હારી નથી. આ વખતે પણ શિખર ધવનની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ સિરીજ જીતવા ઇચ્છશે અને કેપ્ટન શિખર ધવન પણ સિરિજને જીતવાની પૂરી કોશિશ કરશે.

આ સાથે જ ટીમ ઈન્ડિયા આ સિરીજમાં ઘણા નવા પ્લેયરને રમવાનો ચાન્સ આપી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે મેચમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. એવામાં કેપ્ટન શિખર ધવન સાથે ઓપનિંગ કરવાનો મોકો ઇશાન કિશનને મળી શકે છે. હાલ ઇશાન ઘણા શાનદાર ફૉર્મમાં ચાલી રહ્યા છે. ત્રીજા નંબર પર વિરાટ કોહલીની જગ્યા એ શ્રેયસ અય્યરને મોકો મળી શકે છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

નંબર ચાર પર સૂર્યકુમારની જગ્યા નક્કી રહેશે એવું લાગી રહ્યું છે. સૂર્યકુમારે ઈંગ્લેન્ડ સામે શાનદાર સતક લગાવીને ટીમ ઇન્ડિયામાં સારી જગ્યા બનવી લીધી હતી. પાંચમા નંબર પર વિકેટકીપરની જવાબદારી નિભાવતાસંજુ સેમસનને જગ્યા મળી શકે છે. છઠ્ઠા નંબર પર દિપક હુડ્ડાને મોકો મળી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી નહીં રમી શકે, એવામાં એમની જગ્યા મોહમ્મદ સિરાજ અને પ્રસિધ્ધ કૃષ્ણાને મોકો મળી શકે છે. સાથે જ શિખર ધવન આઈપીએલના સુપરસ્ટાર અર્શદીપ સિંહનું ડેબ્યૂ કરાવી શકે છે. એ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ભૂમિકા નિભાવતા નજર આવી શકે છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન :

શિખર ધવન (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, દીપક હુડા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, પ્રશાંત કૃષ્ણા, અર્શદીપ સિંહ.

આ પણ વાંચો –

 

ડુંગળી આ વર્ષે નહીં રડાવે, ભાવને અંકુશમાં રાખવા સરકારે બનાવી યોજના

0

Onion will not cry this year

  • આ વર્ષે સરકાર ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે એક ખાસ યોજના બનાવી છે, જેને કારણે ડુંગળીના ભાવ આ વર્ષે ગૃહિણીઓને રડાવશે નહીં.

બેફામ મોંઘવારીના (Rampant inflation) સમયમાં ડુંગળીના (onion) ભાવને અંકુશમાં રાખવા માટે સરકાર સજ્જ છે. રિટેલ બજારમાં (Retail market) ભાવ વધુ ઉંચે જાય નહીં તે માટે સરકારે પોતાની પાસે રહેલા ડુંગળીના બફર સ્ટોકનો જથ્થો ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે બજારમાં ઠાલવશે એવું ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ (Ashwini Kumar Choubey) જણાવ્યું છે.

મંત્રીએ જણાવ્યુ કે, સંસદમાં જણાવ્યુ ક, ડુંગળીના રવી પાકની ખરીદી કરીને વર્ષ 2022-23માં 2.50 લાખ ટનનો બફર સ્ટોક ઉભો કરાયો છે. આ બફર સ્ટોકમાંથી ડુંગળીનો જથ્થો આગામી ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન તબક્કાવાર આવશ્યકતા અનુસાર બજારમાં ઠાલવવામાં આવશે, જેથી ભાવને અંકુશમાં રાખી શકાય.

જુઓ સંપુર્ણ વિડિયો :-  સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

ક્રૂડ ઓઇલ, વિવિધ કોમોડિટી અને ખાદ્યચીજોના ભાવ અતિશય ઉંચા રહેવાને કારણે ભારતમાં રિટેલ ફુગાવો સતત સાતમાં મહિને રિઝર્વ બેન્કની ઉપલી મર્યાદા કરતા ઉંચો રહ્યો છે. ભારતમાં ડુંગળી એ રાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ કોડિટી છે અને તેના ભાવ વધતા આર્થિક –રાજકીય ઉંડી અસર થતી હોય છે. ડુંગળી ઉપરાંત સરકાર કઠોળનો પર બફર સ્ટોક ઉભો કરે છે. ભારતમાં સામાન્ય રીતે દર વર્ષે સપ્ટેમ્બરથી ડુંગળીના ભાવ ધીમી ગતિએ વધવાના શરૂ થઇ જાય છે.

સરકાર ખેડૂતો પાસેથી 2.50 લાખ ટન ડુંગળીની ખરીદી કરી બફર સ્ટોક બનાવ્યો છે, જે પાછલા વર્ષ કરતા 50 હજાર ટન વધારે છે. સરકારી આંકડા મુજબ દેશમાં નાણાંકીય વર્ષ 2021-22માં 3.17 કરોડ ટન ડુંગળીનું ઉત્પાદન થયાન અંદાજ છે જ્યારે તેની પૂર્વેના વર્ષે 2.66 કરોડ ટન પાક થયો હતો.

આ પણ વાંચો –

ખાખીનો ડર ગાયબ ? ગુજરાતમાં 7 દિવસમાં પોલીસ પર હુમલાની ત્રણ ઘટનાઓ, આજે ગઢડામાં બુટલેગરે ASI પર હુમલો કર્યો

0

Fear of Khakhi disappeared

  • દારૂની રેડ કરતા મહિલા બુટલેગર શારદા વાઘેલાએ મહિલા ASI પર કર્યો હુમલો, પોલીસે કરી ધરપકડ.

ગુજરાતમાં (Gujarat) બુટલેગરો અને ખનન માફિયા (Bootleggers and the mining mafia) બેફામ થયા છે. છેલ્લા 1 સપ્તાહમાં પોલીસ પર હુમલાની ત્રણ ઘટનાઓ બનતા ખળભળાટ મચ્યો છે. વડોદરા અને બોરસદ બાદ બોટાદના ગઢડામાં (Gadda of Botad) પોલીસની કાર્યવાહીથી ડરી પોલીસ હુમલાની ઘટના ઘટી છે. ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં મહિલા ASI દારૂની રેડ કરવા ગયા હતા જે દરમિયાન મહિલા બુટલેગર શારદા વાઘેલા સાગરીતો સાથે મહિલા ASI પર હલ્લાબૉલ કરી દીધો હતો. જો કે પોલીસે પણ સામે અન્ય ફોર્સ બોલાવી પ્રતિકાર કર્યો હતો. હાલ તો બેફામ દારૂના અડ્ડાઓ (Liquor hangout) ચલાવતી મહિલા બુટલેગર શારદા વાઘેલાની પોલીસે ધરપકડ કરી જરુંરી કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

વડોદરામાં પોલીસવાન પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ :

વડોદરામાં પણ પોલીસ પર હુમલાનો બનાવ પ્રકાસમાં આવ્યો છે. ચોરીનો સામાન ભરેલા ટ્રક અંગે પોલીસને જાણ થતાં પોલીસે ટ્રકને રોકવા પ્રયાસો કર્યા હતા. આથી પરિસ્થતિ પારખી ટ્રકના ચાલકે પોલીસ વાન પર ટ્રક ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પદમલા બ્રિજ નજીકની આ ઘટનાને લઈને ડ્રાઇવરની સમયસૂચકતાથી આરોપીઓનું આ કૃત્ય નિષ્ફળ નિવડ્યું હતું. પોલીસવાનમાં ASI, કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સહિતના કર્મચારીઓ સવાર હતા.નંદેસરી પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલ ટ્રક ચાલક યુનુસ રમજાની અને મોસીન મીઠાની ધરપકડ કરી છે. આ ઘટનામાં ટ્રકમાં સવાર અન્ય 3 આરોપી ફરાર થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બોરસદમાં પોલીસ જવાન પર ટ્રક ચડાવાય હતી :

મહત્વનું છે કે, હરિયાણા, ઝારખંડ બાદ 20જુલાઇના રોજ બોરસદમાં પણ પોલીસ પર જીવલેણ હુમલો થયો હતો. એક પોલીસ જવાન ઉપર આણંદ ચોકડી પર ડ્યુટી દરમ્યાન  ભરૂચથી કેમિકલના દાણા ભરી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમ્યાન પોલીસ જવાન ટ્રકચાલકે હુમલો કર્યો હતો. ટ્રક ઊભી ન  રહેતા પોલીસ જવાને પોતાની કારથી ટ્રકનો પીછો કર્યો હતો. દરમ્યાન કારની નીચે ઉતરવા જતા ટ્રક ચાલકે ટ્રક જવાન ઉપર ચડાવી ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.જેમાં પોલીસ જવાનનું મૃત્યુ થયું હતું. જો કે, બાદમાં આરોપી ટ્રક ચાલક ગોપી રામ મિણાને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં અકસ્માત સર્જનાર ટ્રકચાલકે બ્રેક ન લાગી હોવાનો દાવો કર્યો હતો. ટ્રાન્સપોર્ટ માલિકે પણ બ્રેક ન લાગ્યાનું રટણ કર્યું હતું.

આ પણ વાંચો –

નીરજ ચોપરા અને રોહિત યાદવ ફાઇનલમાં પ્રવેશ્યા, જાણો ક્યારે થશે મેડલ માટે સ્પર્ધા

Neeraj Chopra and Rohit Yadav

  • ટોક્યો ઓલિમ્પિકની ફાઇનલમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરાને આજની મેચમાં પણ કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.

નીરજ ચોપરા (Neeraj Chopra) જેણે ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારત માટે ભાલા ફેંક સ્પર્ધામાં (Javelin Throwing Competition) ગોલ્ડ જીત્યો હતો, તેણે તે કર્યું જે તે માટે જાણીતું છે અને તેની અપેક્ષા રાખવામાં આવી હતી. નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપના (World Athletics Championships) ક્વોલિફાઈંગ રાઉન્ડમાં તેના પહેલા જ પ્રયાસમાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. નીરજ ચોપરાને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યો હતો અને તે આ વર્ષની સ્પર્ધામાં ફાઇનલમાં ક્વોલિફાય (Qualify to the finals) થનાર પ્રથમ એથ્લેટ બન્યો છે. નીરજ ચોપરાએ પહેલી જ વારમાં 88.39 મીટરનો થ્રો કર્યો હતો. ફાઇનલમાં પ્રવેશવા માટે ઓછામાં ઓછું 83.50 મીટર ફેંકવું જરૂરી હતું જે તેણે પાર કર્યું. હવે તે ફાઇનલમાં મેડલ માટે અન્ય એથ્લેટ સાથે સ્પર્ધા કરતો જોવા મળશે.

નીરજ ચોપરા ભારતીય સમય અનુસાર સવારે 7.05 વાગ્યે ફાઇનલમાં મેદાનમાં ઉતરશે અને સમગ્ર દેશ તેની પાસેથી ભારત માટે ગોલ્ડ મેડલ લાવશે તેવી અપેક્ષા રાખશે. આ પહેલીવાર છે જ્યારે નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અગાઉ તેઓએ અન્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. પરંતુ પછી તેઓ ફાઇનલમાં જગ્યા બનાવી શક્યા ન હતા. આ પછી,કોણીની ઈજાને કારણે તે છેલ્લી સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હતો.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

પહેલા જ થ્રોમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો :

ટોક્યો ઓલિમ્પિકની ફાઈનલમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરાને આજની મેચમાં પણ કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકની ફાઇનલમાં જવા માટે 86.65 મીટરનો થ્રો કર્યો હતો. શુક્રવારે સવારે તેનો 88-પ્લસ થ્રો તેના 89.94 મીટરના રાષ્ટ્રીય રેકોર્ડથી દોઢ મીટર ઓછો હતો, જેનો અર્થ છે કે તે તેનાથી માત્ર ઓછો પડ્યો હતો. જોકે, એવી અપેક્ષા રાખવી જોઈએ કે જ્યારે તે ફાઇનલમાં મેદાનમાં ઉતરશે ત્યારે તે 90 મીટર ફેંકશે, જે તે અત્યાર સુધી કરી શક્યો નથી.ચેક રિપબ્લિકના જેકોબ વાડલેજચ પ્રથમ રાઉન્ડમાં 85.23 મીટરના થ્રો સાથે ફાઇનલમાં પ્રથમ થ્રોઅર હતા. આ પછી નીરજ ચોપરાનો નંબર આવ્યો.

રોહિત યાદવે પણ ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું :

નીરજ ચોપરા બાદ ભારતના રોહિત યાદવે પણ ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લીધું છે. જો કે રોહિત યાદવ માત્ર 77.32 મીટર જ થ્રો કરી શક્યો હતો. પરંતુ બાકીના એથ્લેટે તેનાથી પણ ઓછો થ્રો કર્યો હતો, તેથી તે ટોપ 12માં પ્રવેશી ગયો હતો. રોહિત યાદવનો 11મો નંબર આવી ગયો છે. જ્યારે નીરજ ચોપરાને ગ્રુપ Aમાં અને રોહિત યાદવને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યો હતો. હવે રવિવારે ભારતના માત્ર બે ખેલાડીઓ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો –

‘મનીષ સિસોદિયાની ધરપકડ થવાની છે’, CM અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર લગાવ્યો આરોપ , જાણો શું છે સમગ્ર મામલો 

0

Manish Sisodia to be arrested

  • દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ગંભીર આરોપ લગાવ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે.

દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ગંભીર આરોપ લગાવ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની (Deputy CM Manish Sisodia) ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે. તેની સામે ષડયંત્ર રચાયું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મનીષ સિસોદિયાને (Manish Sisodia) બળજબરીથી ફસાવવાનું ષડયંત્ર છે. થોડા દિવસોમાં સીબીઆઈ મનીષ સિસોદિયાની ધરપકડ કરવા જઈ રહી છે. મેં આ વિશે 3-4 મહિના પહેલા કહ્યું હતું.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મેં પહેલા જ કહ્યું હતું કે આ લોકો મનીષની ધરપકડ કરવા જઈ રહ્યા છે. હવે આપણા દેશની અંદર એક નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. પહેલા નક્કી કરવામાં આવે છે કે કયા વ્યક્તિને જેલમાં મોકલવો. ત્યારપછી તેની સામે બનાવટી ખોટો કેસ કરવામાં આવે છે અને તેને બળજબરીથી જેલમાં મોકલી દેવામાં આવે છે. મેં તપાસ કરી આખો કેસ સાવ ખોટો છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

સીએમ કેજરીવાલે કહ્યું કે હું મનીષ સિસોદિયાને 22 વર્ષ પહેલા વર્ષ 2000માં પહેલીવાર મળ્યો હતો, ત્યારથી હું તેમને ઓળખું છું. મનીષ એક કટ્ટર ઈમાનદાર માણસ છે. તે એક કટ્ટર દેશભક્ત માણસ છે. છેલ્લા 75 વર્ષથી તમામ સરકારોએ સરકારી શાળાઓની હાલત ખરાબ હતી. સરકારી શાળાઓમાં ભણતા કરોડો બાળકોનું ભવિષ્ય અંધકારમય હતું. દિલ્હીમાં જ્યારે પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બની અને મનીષ સિસોદિયા શિક્ષણ મંત્રી બન્યા ત્યારે તેમણે સરકારી શાળાઓને તેજસ્વી બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી હતી.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તમારે જેલથી ડરવું જ જોઈએ. તમે સાવરકરના સંતાનો છો, જેમણે અંગ્રેજોની માફી માંગી હતી. અમે જેલથી ડરતા નથી. અમે ભગતસિંહને અમારો આદર્શ માનીએ છીએ જેમણે અંગ્રેજો સામે ઝૂકવાની ના પાડી અને પોતાને ફાંસી આપી.

આ પણ વાંચો –

ભારતમાં નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ જ કેમ લે છે પદના શપથ ? ખાસ જાણો કારણ

0

Why does the new President

  • દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી. દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ભારતમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે કે નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લે છે. આ પરંપરા વિશે ખાસ જાણવા જેવું છે.

દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ (Draupadi Murmu) આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત (A historic win) મેળવી. દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ભારતમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે કે નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લે છે. આ પરંપરા વિશે ખાસ જાણવા જેવું છે.

આ અગાઉ હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, તેમના પહેલાના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટિલે પણ 25 જુલાઈના રોજ શપથ લીધા હતા. આ બધા અગાઉ પણ જે રાષ્ટ્રપતિ (President) બન્યા તેમણે 25 જુલાઈના રોજ શપથ લીધી હતી. અત્યાર સુધીમાં દેશના કુલ 9 રાષ્ટ્રપતિઓએ 25 જુલાઈએ શપથ લીધી છે.

અત્રે જણાવવાનું કે ભારતમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને દર પાંચ વર્ષમાં એકવાર લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો મળીને રાષ્ટ્રપતિને ચૂંટી કાઢે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક ખાસ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરાય છે તે આપણે જાણ્યું.

રાષ્ટ્રપતિ પદના શપથ કેમ 25 જુલાઈએ લે છે :

સીધા શબ્દોમાં કહીએ તો તેની પાછળ કોઈ કારણ નથી. છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી અને ત્યારબાદ અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિઓએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. અગાઉ જાણ્યું તેમ રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. નીલમ સંજીવ રેડ્ડી, અને ત્યારબાદ અત્યાર સુધીના 7 રાષ્ટ્રપતિઓ એમ કુલ 8 રાષ્ટ્રપતિએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. આથી દર વખતે તેમનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થવાની સાથે જ 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લે છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પણ 24 જુલાઈએ પૂરો થવા જઈ રહ્યો છે. આથી આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ 25 જુલાઈએ શપથ લેશે.

કયા રાષ્ટ્રપતિએ પહેલીવાર 25 જુલાઈએ લીધા શપથ :

દેશન છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે 25 જુલાઈએ શપથ લીધા. દેશમાં ઈમરજન્સી બાદ જ્યારે પહેલીવાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ ત્યારે પૂર્વમાં જનતા પાર્ટીના નેતા રહી ચૂકેલા નીલમ સંજીવ રેડ્ડી દેશના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા. તેમણે 25 જુલાઈ 1977ના રોજ દેશના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા.

કેટલા રાષ્ટ્રપતિઓએ 25 જુલાઈએ નથી લીધા શપથ :

અત્યાર સુધીમાં 5 રાષ્ટ્રપતિ એવા રહ્યા કે જેમણે 25 જુલાઈએ શપથ લીધા નથી. તેમાં સૌથી પહેલું નામ પહેલા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનું આવે છે. તેમણે 26 જાન્યુઆરી 1950ના રોજ પદના શપથ લીધા હતા અને અત્યાર સુધીમાં તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જેઓ એક કરતા વધુ કાર્યકાળ માટે ચૂંટાયા. દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને 13 મે 1962ના રોજ શપથ લીધા હતા. જ્યારે ઝાકિર હુસૈને 13 મે 1967ના રોજ ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ઝાકિર હુસૈનનું તેમના કાર્યકાળ દરમિયાન નિધન થયું હતું.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

ત્યારબાદ ચોથા રાષ્ટ્રપતિ વીવી ગિરીએ 24 ઓગસ્ટ 1969ના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. જ્યારે પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે 24 ઓગસ્ટ 1974ના રોજ શપથ લીધા. પાંચમા રાષ્ટ્રપતિનું પણ તેમના કાર્યકાળ દરમિયાન જ નિધન થયું હતું.

આ દરમિયાન ત્રણવાર એવું પણ બન્યું કે જ્યારે દેશમાં કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા. પહેલીવાર ત્યારે જ્યારે ઝાકિર હુસૈનનું નિધન થયું તો તે સમયે વીવી ગિરી 3 મે 1969ના રોજ 78 દિવસ સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ રહ્યા. ત્યારબાદ 20 જુલાઈ 1969થી આગામી 35 દિવસ સુધી મોહમ્મદ હયાતુલ્લા કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા. પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના નિધન બાદ બીડી જત્તી પણ 11 ફેબ્રુઆરી 1977થી આગામી 164 દિવસ સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ રહ્યા.

આ પણ વાંચો –

નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થાય એ ગૌરવની ઘટના, આપણાં સિંહને લોગોમાં મળ્યું સ્થાન: CM પટેલ

National Games hosted in Gujarat

  • ગુજરાતના આંગણે પ્રથમવાર નેશનલ ગેમ્સ સ્પર્ધાનું આયોજન, 36મી નેશનલ ગેમ્સના લોગોનું ગાંધીનગરમાં કરાયુ અનાવરણ

ગુજરાત (Gujarat) પહેલીવાર નેશનસ ગેમ્સનું (Nations Games) આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના 5 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ 2022 ની ઈવેન્ટ ખાસ બની રહેશે. ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) હસ્તે ગાંધીનગર ખાતે 36મી નેશનલ ગેમ્સના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત માટે ગૌરવની ઘટના- સીએમ ભૂપેન્દ્ર પટેલ :

આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે  આ ગુજરાત માટે ગૌરવની ઘટના છે. ભારતની સૌથી મોટી નેશનલ ગેમનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાતના સિંહોને નેશનલ ગેમના લોગોમાં સ્થાન મળ્યું છે. ઇન્ડિયન ઓલમ્પિક એસો.,ગુજરાત ઓલમ્પિક એસો અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. 36 મી નેશનલ ગેમનું યજમાન ગુજરાત બન્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમનો પ્રારંભ થવાનો છે. છેલ્લી નેશનલ ગેમ કેરળમાં યોજાઇ હતી.

જુઓ સંપુર્ણ વિડિયો :-  સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

જુડેગા ઇન્ડિયા અને જીતેગા ઇન્ડિયા- હર્ષ સંઘવી :

તો આ અંગે કાર્યક્રમમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે જુડેગા ઇન્ડિયા અને જીતેગા ઇન્ડિયાના નારા સાથે દેશભરના અલગ અલગ રાજ્યના ખેલાડીઓ ગુજરાતમાં આવશે.  36મી નેશનલ ગેમ્સ અલગ જ નેશનલ ગેમ્સ સાબિત થશે. ઐતિહાસિક MOU અને લોગો લોન્ચિંગના આપડે સાક્ષી થયા છીએ. ગુજરાતના લોકોને ફાફડા-જલેબી અને ખમણ ઢોકળા કહીને બોલાવતા હતા પરંતુ હવે ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ટર ડેવલપ થયુ છે. 2002માં સ્પોર્ટ્સમાં અઢી કરોડનું બજેટ હતું અને આજે 2022માં અઢીસો કરોડનું બજેટ છે. સ્પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ગુજરાતમાં ડેવલોપિંગ થયું છે. અમદાવાદ,રાજકોટ જેવા શહેરોમાં સ્પોર્ટના વિકાસથી આયોજન શક્ય બન્યું છે.

27 સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સનું આયોજન :

મહત્વું છે કે ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ખુદ સીએમ દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી. આગામી  27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થશે. ઇન્ડિયન ઓલમ્પિક એસો.,ગુજરાત ઓલમ્પિક એસો અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે. આ આયોજનને લઇને જ્યના લોકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતની નેશનલ ગેમ્સને અત્યાર સુધીની શ્રેષ્ઠ બનાવવામાં ગુજરાત કોઈ કસર છોડશે નહીં તેમ સીએમ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો –

 

 

ગુજરાતનાં રાજકારણમાં નવાજૂની થવાનાં એંધાણ : રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા પર એક્શન લેશે કોંગ્રેસ

0

Alleged newness in Gujarat politics

  • ગુજરાતમાંથી દ્રૌપદી મુર્મૂને 10 મત વધુ મળ્યા છે. ત્યારે ક્રોસવોટિંગને લઇને કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળી રહ્યું છે.

ભારતમા 15મા રાષ્ટ્રપતિ (President) તરીકે એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની (Draupadi Murmu) જીત થઇ છે.દેશભરમાં ભાજપ અને NDAના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ (Cross voting) થયું હોવાનુ સામે આવ્યુ હતુ. ગુજરાત વિપક્ષના 10 ધારાસભ્યોએ દ્રોપદી મુર્મૂના સમર્થનમાં વોટ કર્યા છે જેને લઇને ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) આક્રમક મોડમાં આવી ગયું છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

ગદ્દારી કરનારની કોંગ્રેસ ઓળખ કરાશે :

ગુજરાત કોંગ્રેસ દ્વારા પક્ષ સાથે ગદ્દારી કરનારા ધારાસભ્યોની ઓળખ કરવામાં આવશે. કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યુ છે. જેની કોંગ્રેસ દ્વારા ઓળખ કરાશે. આવા ધારાસભ્યોની ઓળખ કરવા માટે કમિટીની રચના કરાશે અને તેનો રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વને સોંપવામાં આવશે. મહત્વનું છે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના દાવા મુજબ દ્રોપદી મુર્મૂને 64 ટકા મત મળ્યા જ્યારે વિપક્ષ ઉમેદવાર યશવંત સિન્હાને 36 ટકા મત મળ્યા.

 દેશમાં 17 સાંસદો, 104 ધારાસભ્યોએ કહ્યું ક્રોસ વોટિંગ :

બીજેપીએ દાવો હતો કે આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઓછામાં ઓછા 17 સાંસદોએ ક્રોસ વોટિંગ દ્વારા દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે ભાજપને મુર્મુના સમર્થનમાં 523 મતોની અપેક્ષા હતી, પરંતુ મતોની ગણતરી દર્શાવે છે કે મુર્મુને 540 સાંસદોના મત મળ્યા છે. આ કેસમાં ઓછામાં ઓછા 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું છે. એ જ રીતે 104 ધારાસભ્યોએ પણ યશવંત સિન્હાને બદલે દ્રૌપદી મુર્મુને પોતાની પહેલી પસંદ માની છે. હવે દ્રોપદી મુર્મૂ આગામી 25 જુલાઇના રોજ રાષ્ટ્રપતિના પદના શપથ લેશે.

આ પણ વાંચો –

ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલ હડતાળ પર, સારવાર માટે જવાના હોય તો ખાસ જાણી લો આ સમાચાર

0

All private hospitals in Gujarat

  • આજે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલની હડતાળ. અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી સહિત તમામ મેડિકલ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો.

આજે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો (Private hospitals) હડતાળ પર ઉતરી છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરની ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી સહિત તમામ મેડિકલ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (Indian Medical Association) દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. જેને આહના દ્વારા ટેકો જાહેર કરાયો છે. ખાનગી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવા તેમજ ગ્લાસ ફસાડ દૂર કરવા માટે ફાયર વિભાગે હોસ્પિટલોને નોટિસ આપતા ડોક્ટરોમાં નારાજગી વ્યાપી છે. જેને પગલે તેઓ હડતાળ પર ઉતર્યા છે. તેથી હવે આજના દિવસે ઈમરજન્સી સારવાર (Emergency treatment) લેવા આવનાર દર્દીઓએ સરકારી અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે જવાનું.

હડતાળનું કારણ :

અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી સહિત તમામ મેડિકલ સેવાઓ બંધ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન દ્વારા પણ હડતાળને ટેકો જાહેર કરાયો છે. ખાનગી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવા તેમજ ગ્લાસ ફસાડ દૂર કરવા માટે AMC નાં ફાયર વિભાગે હોસ્પિટલોને નોટિસ આપતા ડોક્ટરોમાં નારાજગી વ્યાપી છે. જેથી તેઓ હડતાળ પર ઉતર્યાં છે.

તબીબોનું શું કહેવુ છે :

ખાનગી ડોક્ટરો દ્વારા સતત કહેવામાં એવી રહ્યું છે કે, વિશ્વના એકપણ દેશમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ હોવું જોઈએ એવો નિયમ નથી, એ શક્ય પણ નથી. ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવાથી સમસ્યાઓ વધશે, સાથે જ રાજ્યમાં લગભગ તમામ હોસ્પિટલના ICU બીજા, ત્રીજા અથવા ચોથા માળે જ હોય છે તેવી રજૂઆત તેઓએ કરી છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

ખાનગી હોસ્પિટલની હડતાળ મામલે AMC નાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યુ કે, હાઇકોર્ટ દ્વારા જે કહેવામાં આવ્યું એ મુજબ અમે હોસ્પિટલને નિર્દેશ કર્યો છે. આજે ખાનગી હોસ્પિટલ દ્વારા હડતાળ કરાઈ છે ત્યારે કોઈપણ દર્દીને સમસ્યા નાં થાય એવો અમારો પ્રયાસ રહેશે. અમદાવાદની વી.એસ., SVP, શારદાબેન, એલજી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ દર્દીઓને પૂરી પાડવામાં આવશે. બધા ડોકટરો સ્ટેન્ડ બાય રહેશે, કોઈને સમસ્યા નહીં થાય એ અમારી જવાબદારી છે, અમે નિભાવીશું. હાઇકોર્ટ દ્વારા જે પ્રકારે અમને નિર્દેશ કરાયો છે, એ મુજબ અમે કાર્યવાહી કરીને આગળ વધી રહ્યા છે.

જે સમસ્યાઓ છે, એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. કોર્ટના નિર્ણયથી ઉપર જઈને અમે કોઈ નિર્ણય નાં કરી શકીએ. કોઈ સમસ્યા હશે તો એનો ઉકેલ હાઇકોર્ટ અને સરકાર મળીને લાવશે, અમે કોઈ દર્દીને સમસ્યા નાં થાય એ પ્રકારે સેવાઓ ઉપલબ્ધ કરાવીશું.

ત્યારે આજે ખાનગી હોસ્પિટલની હડતાળને કારણે ઈમરજન્સી સારવાર લેવા દર્દીઓએ સરકારી, કોર્પોરેશન અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનો સહારો લેવાનો રહેશે.

આ પણ વાંચો –

જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગદળનો ઉગ્ર વિરોધ, ફોટા પર કાળી શાહી લગાવી સૂત્રોચ્ચાર કર્યા

0

Bajrang Dal protests against

  • જગદીશ ઠાકોરે લઘુમતિ અંગે આપેલા નિવેદન સામે બજરંગદળનો વિરોધ, કોંગ્રેસના નેતાઓના પોસ્ટર ઉપર કાળી શાહી લગાવી.

કોંગ્રેસ માઈનોરિટી સેલના (Congress Minority Cell) કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakore) આપેલા નિવેદનના કારણે રાજકારણ ગરમાયું છે. જગદીશ ઠાકોરે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના (Manmohan Singh) નિવેદનને ટાંકીને કહ્યું હતું કે દેશના સંસાધનો પર સૌથી પહેલો હક લઘુમતી વર્ગનો છે. આ નિવેદન મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં (Assembly elections) અત્યારથી જ હાર દેખાઈ રહી છે તે જાતિવાદની રાજનીતિ કરી રહી છે. જ્યારે, પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા જગદીશ ઠાકોરે કર્યું કે નબળા વર્ગોના વિકાસ પર ધ્યાન અપાય તે બંધારણીય ફરજ છે.

કોંગ્રેસ કાર્યાલયનું નામ બદલી હજ હાઉસ કરી નાખો : બજરંગ દળ

તો બીજી તરફ આ નિવેદનને લઈ બજરંગ દળ કોંગ્રેસ સામે મેદાને પડ્યું છે. અમદાવાદ GPCC( ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી)ખાતે બજરંગ દળે વિરોધ કર્યો હતો. બજરંગ દળે પોસ્ટરો-દિવાલો પર હજહાઉસ લખ્યુ હતું તેમજ કોંગ્રેસના નેતાઓના પોસ્ટરો પર કાળી સહી લગાવી સૂત્રોચ્ચાર કર્યો હતો. જગદીશ ઠાકોરના નિવેદન બાદ બજરંગ દળના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે જ કોંગ્રેસ કાર્યાલયનું નામ બદલી હજ હાઉસ કરવાની કરી માગ કરી હતી.

જુઓ સંપુર્ણ વિડિયો :- સુરતનાં સરથાણા વિસ્તારમાં BRTS બસમાં લાગી આગ. ફાયરનાં જવાનો દ્વારા આગ પર મેળવ્યો કાબૂ.. 

બજરંગ દળના ઉત્તર ગુજરાતના અધ્યક્ષ જ્વલિત મહેતાનું નિવેદન :

  • જગદીશ ઠાકોરના આ નિવેદનથી હિંદુઓમાં રોષ
  • માફી નહિ માંગે તો હજુ ઉગ્ર વિરોધ પ્રદર્શન થશે

દેશની સંપત્તિ પર તમામ લોકોનો અધિકાર-સુખરામ રાઠવા :

વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પોતાની પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે લૂલો બચાવ કર્યો હતો. અને કહ્યું હતું કે દેશની સંપત્તિ પર તમામ કોમનો અધિકાર છે અને દેશના કરદાતાઓનો પહેલો અધિકાર છે તેવું જણાવ્યું હતું અને જો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આવું નિવેદન આપ્યું હોય તો હવે તેઓએ કયા આધારે આ નિવેદન આપ્યું છે? તે જગદીશ ઠાકોરને જ પૂછવું જોઈએ આવું જણાવી અને વિવાદથી પીછો છોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા.

આ પણ વાંચો –