Home Blog Page 1367

અમદાવાદ-મુંબઈ વચ્ચે સફર કરતાં લોકો માટે ખુશ ખબર, પશ્ચિમ રેલવેએ કર્યું મોટું એલાન

0

Good news for people traveling

  • રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આઝાદીના 75માં અમૃત મહોત્સવ હેઠળ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

પશ્ચિમ રેલવે (Western Railway) વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આઝાદીના 75માં અમૃત મહોત્સવ (Amrit Mohotsav) હેઠળ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. વધુમાં રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ (Ahmedabad-Mumbai) વચ્ચે ચાલનારી વંદે ભારત ટ્રેનનું ટાઈમટેબલ તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં જ અમદાવાદ થી મુંબઈ વચ્ચે આ ટ્રેન ચલાવવામાં આવશે.

વંદે ભારત ટ્રેન માત્ર  ભરૂચ અને સુરત સ્ટેશન પર જ રોકાશે . આ સાથે વંદે ભારત અમદાવાદ-મુંબઈ વચ્ચે સપ્તાહામાં 6 વખત ચાલશે. આમ હવે અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ વિશ્વસ્તરીય પ્રવાસ અનુભવની સાથે પ્રવાસીઓ અને તેમા પણ ખાસ કરીને બિઝનેસ ટ્રાવેલરોને આરામદાયી પ્રવાસની સગવડ પૂરી પાડશે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં શું હશે નવી સુવિધાઓ ?

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં  બેઠકો પર પુશબેકની સુવિધા હશે. દરેક કોચની એર કંડીશનિંગ સિસ્ટમને બેક્ટેરિયા મુક્ત બનાવવામાં આવી છે. તેમજ ટ્રેનમાં કલાઇમેટ કંટ્રોલ,વીજળી અને આવશ્યક સિસ્ટમોની દેખરેખ માટે સેન્ટ્રલાઇઝ્ડ કોચ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે ઈમરજન્સીની સ્થિતિમાં, મુસાફરોને સરળતાથી બહાર કાઢવા માટે 4 ઇમરજન્સી બારીઓ છે. પૂરથી બચવા માટે ટ્રેનના નીચેના ભાગને વોટર પ્રૂફ બનાવવામાં આવ્યું છે.

વંદે ભારતના દરેક કોચમાં 4 ડિઝાસ્ટર લાઈટો છે જ્યારે કોચની તમામ લાઇટ ફેલ થશે, ત્યારે આ ઈમરજન્સી લાઇટની જરૂર પડશે. આ સાથે પાવર આઉટેજ થયા બાદ 3 કલાક સુધી વેન્ટિલેશન સિસ્ટમની સુવિધા છે. દરેક કોચમાં હવે 2 ને બદલે 4 ઇમર્જન્સી પુશ બટન છે.

આ પણ વાંચો :-

ઇન્કમ ટેક્સ રિટર્નના નિયમોમાં મોટો ફેરફાર ! જાણો નાણા મંત્રાલયનો આ આદેશ

0

A big change in the rules

  • ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીક નજીક છે. જો તમે પણ ટેક્સ ભરો છો તો આ સમાચાર ખુબ જ જરૂરી છે. નાણા મંત્રાલયે ટેક્સ ભરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જાણી લો નહીં તો થઈ શકે છે મોટું નુકસાન.

જો તમે અત્યાર સુધી ઇન્કમ ટેક્સ (Income tax) રિટર્ન ભર્યું નથી તો તાત્કાલીક ભરી દો. અત્યાર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની લાસ્ટ ડેટ 31 જુલાઈ છે. જોકે, સોશિયલ મીડિયાથી (Social media) લઇને તમામ જગ્યાઓ પર તારીખને આગળ વધારવાની માંગ ઉઠી રહી છે પરંતુ સરકારે તેની છેલ્લી તારીખ આગળ વધારવાનો ઇન્કાર કર્યો છે. એટલે કે હવે તમારે ગમે તેમ કરીને 31 જુલાઈ પહેલા ઇન્કમ ટેક્સ ફાઈલ કરવું પડશે.

જો તમે પણ ટેક્સ પેયર છો તો તમારા માટે આ સમાચાર ખુબ જ જરૂરી છે. સરકારે ટેક્સ રિટર્ન ભરવાના નિયમમાં ફરેફરા કર્યો છે. નાણા મંત્રાલયે વધારે લોકોને ટેક્સ બ્રેક્ટમાં લાવવા માટે ઇનકમ ટેક્સ ફાયલિંગનો વ્યાપ વધાર્યો છે.

નાણા મંત્રાલયે જાહેર કર્યા આદેશ :

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા નાણા મંત્રાલયે એક નોટિસ જાહેર કરી જાણકારી આપી હતી. આ નોટિફિકેશન અનુસાર, હવે અલગ અલગ ઇન્કમ ગ્રુપ અને આવકવાળા લોકોને પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. નવા નિયમ હેઠળ હવે વધુમાં વધુ લોકોને ટેક્સના વ્યાપમાં લાવવામાં આવી શકે છે. આ નવા નિયમ 21 એપ્રિલથી લાગુ કરવામાં આવ્યા છે.

જોણો શું કહે છે નવા નિયમ ?

નવા નિયમ અનુસાર, જો કોઈ વેપારમાં વેચાણ, ટર્નઓવર અથવા ઇન્કમ 60 લાખથી વધુ છે તો કારોબારીને રિટર્ન ફાઈલ કરવું પડશે. જો કોઈ નોકરીયાત વ્યક્તિની આવક વર્ષના 10 લાખ રૂપિયાથી વધારે છે તો તેમણે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. TDS અને TCS ની રકમ એક વર્ષમાં જો 25,000 રૂપિયાથી વધારે છે ત્યારે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. તમને જણાવી દઈએ કે, 60 વર્ષથી વધુ ઉંમરના ટેક્સપેયર્સ માટે TDS+TCS ની લિમિટ 50,000 રૂપિયા રાખવામાં આવી છે.

બેંક ડિપોઝિટ પર પણ લાગશે ITR  :

નવા નોટિફિકેશન અનુસાર, બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રકમ 1 વર્ષમાં 50 લાખ અથવા તેનીથી વધારે છે, તો આવા ડિપોઝિટર્સને પણ તેમનું ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડશે. 21 એપ્રિલથી નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે નવા ફેરફારથી ઇન્કમ ટેક્સ ફાયલિંગનો વ્યાપ વશે અને વધુમાં વધુ લોકો ટેક્સ નેટમાં લાવવામાં આવી શકાશે.

આ પણ વાંચો :-

 

૩૦ જુલાઈ 2022, રાશિફળ : દાદા હનુમાનજીની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ

30 July 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ જળવાય. પરિવારના તમામ સભ્યો સાથે પરસ્પર પ્રેમની ભાવના મજબૂત થાય. નવા રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. નવા રોકાણો બપોર પછી કરવા. ભાગ્યનો સાથ મળશે.

વૃષભઃ
પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નવા કાર્યની શરૂઆત સફળતાપૂર્વક કરી શકાય. લોખંડ, એન્જિનિયરિંગના ધંધામાં વિશેષ સફળતા મળતી જણાય. પાચનશક્તિ મંદ પડે. મિત્રો સાથે આનંદ વધે.

મિથુનઃ
ધગશ અને ઉત્સાહમાં વધારો થાય. વ્યવહારિક બુદ્ધિને કારણે યોગ્ય નિર્ણય લઈ શકાય. દરજી, ફોટોગ્રાફી એસ્ટેટ, વીજળીના સામાનને લગતા ધંધામાં વિશેષ લાભ. ખભાના દુઃખાવા તથા તાવથી પરેશાની રહે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. સિદ્ધાંતવાદી વલણને કારણે અપ્રિય થવાય. નાણાકીય આવક જળવાય.  પરિવારમાં શાંતિ રહે. હયાત રોકાણોથી લાભ, નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. ભાગ્ય બળવાન.

સિંહઃ
નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. કપડા, અનાજ, કરિયાણા, દવા તથા ઠંડા પીણાના વેપારમાં વિશેષ લાભ. મિત્રોનો સાથ સહકાર મળે. નવી ઓળખાણથી લાભ સંભવે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળતો જણાય.

કન્યાઃ
માતૃસુખમાં વધારો થાય. માતાનું આરોગ્ય જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. એકાઉન્ટ્સ, વકીલ, હોટલના ધંધામાં વિશેષ પ્રગતિ થતી જણાય. આંખની તથા માથાના દુઃખાવોથી સાવચેતી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. હાથમાં આવેલી તક સરી જતી જણાય. ખોટું લાગે એવા પ્રસંગોનું નિર્માણ થાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય.

વૃશ્ચિકઃ
નાના ભાઈ  બહેનોના પ્રશ્નો ઉકેલાતા જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવા. ભાગ્યનો સાથ મળતો નથી. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. પ્રેમીપાત્રનું મિલન-મુલાકાત શક્ય બને. આરોગ્ય જળવાય.

ધનઃ
બપોર બાદ માનસિક ચિંતા હળવી થાય. આવકનું પ્રમાણ વધે. પરિવારમાં શાંતિનું પ્રમાણ જળવાય. સ્થાવર જંગમ મિલકતોથી લાભ મળતો જણાય. વડીલો સાથે મતભેદ ટાળવા, શરદી-ખાંસી, કફથી સાવચેતી જરૂરી.

મકરઃ
માનસિક પરેશાની વધે. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત સાચવવી. આંખની કાળજી જરૂરી. આવક જળવાય. પરંતુ બપોર બાદ આવકનું પ્રમાણ ઘટતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ જળવાય.

કુંભઃ
સંતાન સુખમાં વધારો થાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીવર્ગને માટે શુભ દિવસ. સ્થાવર જંગમ મિલકતમાંથી આવકનું પ્રમાણ જળવાય. નવું વાહન મિલકતની ખરીદી શક્ય બને.

મીનઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. પોતે જ સાચા એવી ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. પડવા-વાગવાથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

આ પણ વાંચો –

વિવાદિત ધારાસભ્યની ચીમકી, ‘ચૌદમું રતન ન બતાડું તો મારૂં નામ મધુ શ્રીવાસ્તવ નહીં’

0

Controversial MLA’s quip

  • ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરીથી બેફામ નિવેદનબાજી કરી છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ફરી ચૌદમું રતન બતાવવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે MGVCLના ભ્રષ્ટ અધિકારીઓને નહીં છોડુ. પશુપાલકોને ન્યાય ના મળે તો બરોડા ડેરીમાં હલ્લાબોલ કરીશું.

ફરી એકવાર વડોદરાના (Vadodara) ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) વિવાદિત નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરીથી બેફામ નિવેદનબાજી (An outrageous statement) કરી છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ફરી ચૌદમું રતન બતાવવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે MGVCLના ભ્રષ્ટ અધિકારીઓને નહીં છોડુ. પશુપાલકોને (Cattle breeders) ન્યાય ના મળે તો બરોડા ડેરીમાં હલ્લાબોલ કરીશું. તમને જણાવી દઈએ કે મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના વિવાદ મામલે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પશુપાલકોને ન્યાય નહીં મળે તો ડેરીમાં જઈને હલ્લાબોલ કરીશ. ફેટના ભાવમાં વધારો નહીં થાય તો મધુ શ્રીવાસ્તવે આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. MGVCL દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું હતું. તેમણે આ મુદ્દે અધિકારીઓને 14મું રતન બતાવવાની ફરી એકવાર ચીમકી આપી હતી. ટકાવારી લેતા અધિકારીઓને મધુ શ્રીવાસ્તવએ ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પાદરા ખાતે આયોજિત અન્નોત્સવ દિવસના કાર્યક્રમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. અહીં સંબોધન દરમિયાન મધુ શ્રીવાસ્તવની જીભ લપસી ગઈ હતી. મધુ શ્રીવાસ્તવે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા માટે જણાવ્યું હતું, એટલું જ નહી તેઓએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે, જો અધિકારીઓ કામ ના કરે તો કહેજો, તેમને ચૌદમું રતન ના બતાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં. અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ આ પ્રકારનું નિવેદન કરી ચૂક્યા છે.

તેમણે જે કોઈ પણ અધિકારીઓ હોય અને કામ ના કરતા હોય તો ચૌદમું રતન દેખાડવાની અને જો ના દેખાડું તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં એવી ધમકી આપી હતી. તેઓએ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ પણ ઉમેદવાર હોય તેને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આવો એક વીડિયો મધુ શ્રીવાસ્તવનો પાદરામાં વાયરલ થયો હતો.

નોંધનીય છે કે, મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન જનસભાને સંબોધવા દરમિયાન મધુ શ્રીવાસ્તવે એવો બફાટ કર્યો હતો કે, પોલીસ અને કલેક્ટરને તો હું મારા ખિસ્સામાં રાખુ છું. તેમના આ નિવેદન પર અનેક રાજકીય પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો :-

 

બોરવેલમાં ખાબકેલી બાળકીને હેમખેમ બહાર કાઢી, આર્મીના જવાનો પાર પાડ્યું મિશન

0

Hemkhem pulled out

  • પ્રાપ્ત માહિતી અનુસાર મનિષા નામની 12 વર્ષીય બાળકી મામની વાડીમાં 40 ફૂટ ઉડે ખાબકી ગઇ હતી. તેને હાલમાં બાળકી બહાર કાઢી લેવામાં આવી છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મિશન પુરૂ પાડ્યું હતું.

ધાંગધ્રા તાલુકાના (Dhangdhra Taluka) ગાજરણાવાવ ગામ ખાતે બોરમાં બાળકી ખાબકેલી (Baby girl in a bore) બાળકીને જીવતી બહાર કાઢવામાં આવી છે. આ બાળકી વોરવેલમાં 40 ફૂટ ઉંડે ફસાઇ હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક રહીશો તેમજ 108 ટીમ દોડી આવી હતી. હાલમાં મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

જોકે ફસાયેલી હોવાથી તંત્ર દ્વારા આર્મીની ટુકડીઓને (Army squad) પણ બોલાવવાની હતી. ધ્રાંગધ્રા આર્મીના જવાનોએ બાળકીને બચાવીએ બચાવી લીધી છે. બાળકી ખેતરે આવી હતી તે સમયે ટ્યૂબવેલ બોરમાં ખાબકતા પરિવાર જનોએ તંત્રની ટીમનો સંપર્ક સાધ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મનિષા નામની 12 વર્ષીય બાળકી મામની વાડીમાં 40 ફૂટ ઉડે ખાબકી ગઇ હતી. તેને હાલમાં બાળકી બહાર કાઢી લેવામાં આવી છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મિશન પુરૂ પાડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સુરેન્દ્રનગરના દુદાપુર ગામની સીમમમાં એક એક બાળક 500 ફૂટ ઉંડા બોરમાં પડી ગયો હોવાની ઘટના સર્જાઇ હતી. 40 મિનિટના રેસ્ક્યૂ બાદ આ બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

લમ્પી વાયરસમાં મોટા કૌભાંડનો કોંગ્રેસે કર્યો ઘટસ્ફોટ, ‘ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાય છે’

0

Big scam in lumpy virus exposed

  • લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના આ ગંભીર આક્ષેપ બાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

ગુજરાતમાં હાલ પશુઓમાં લમ્પી વાયરસ (Lumpy virus) જોવા મળ્યો છે. અત્યાર સુધી 15 જિલ્લામાં લમ્પી વાઈરસે પગ પેસરો કરી દીધો છે. લમ્પીના ખતરાને લઈને સરકાર દ્વારા રાજ્યના અમરેલી, બનાસકાંઠા (Banaskantha), ભાવનગર સહિત રાજ્યના 15 જિલ્લાઓને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરાયા છે. મૂંગા પશુઓને આ રોગમાથી ઉગારી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને રાજ્યના જિલ્લાઓને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ (Congress alleged) લગાવીને ખળભળાટ મચાવી દીધો છે.

લમ્પી વાયરસમાં પણ મોટા કૌભાંડનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, ગાયોને આપવામાં આવતી રસીમાં પાણી ભરીને અપાઈ રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના આ ગંભીર આક્ષેપ બાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. વિક્રમ માડમે વધુમાં જણાવ્યું હતું કે, લમ્પી વાયરસ મામલે તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે.

લમ્પી વાઈરસનો સામનો કરવા માટે વેક્સિનનો જથ્થો ન હોવાથી વેક્સિનમાં પાણી નંખાય છે. એટલું જ નહીં, બેદરકારી મામલે તબીબોની ઓડિયો ક્લીપ પણ બહાર આવી છે. તબીબો વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ હાલ જાહેર કરવામાં આવી છે. પરંતુ કથિત ઓડિયો ક્લીપની Gujarat Guardian પુષ્ટી કરતું નથી.

આજે લમ્પી વાઈરસમાં મોટા કૌભાંડનો કોંગ્રેસ દ્વારા ઘસ્ફોટ કરાયા છે. લમ્પી વાયરસમાં ગાયોને અપાતી વેક્સિનમાં વેક્સિનની જગ્યાએ પાણી ભરી પશુ વિભાગ દ્વારા વેક્સિન આપવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે. સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને મનપાના પૂર્વ વિરોધ પક્ષ નેતા અલ્તાફ ખફી દ્વારા આ મામલે મોટા ઘસ્ફોટ કર્યો છે. જેમાં લમ્પી વાઇરસ મામલે તંત્રની ગંભીર બેદરકારીના આક્ષેપ કરાયા છે.

વેક્સિનમાં બેદરકારી મામલે તબીબોની ઓડિયો ક્લિપ પણ જાહેર કરાઈ છે. જેમાં મનપાના ડો.ગોધાણી સાથે વેકસીનમાં ચાલતા કૌભાંડ મામલે બહારથી લમ્પી મામલે આવેલા તબીબો સાથે વાતચીતની ઓડિયો કલીપ જાહેર કરી છે.

ઓડિયો ક્લિપમાં વેકસીન જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વેકસીન બોટલમાં પાણી નાખવાનો આક્ષેપ થયો છે. વિક્રમ માડમે મીડિયાને ઓડિયો કલીપ આપી છે. મનપાના ડો.ગોધાણી સાથે વેકસીનમાં ચાલતા કૌભાંડ મામલે બહારથી લમ્પી મામલે આવેલા તબીબ ડો.એચ.એમ.સોલંકી સાથે વાતચીતની ઓડિયો કલીપ જાહેર કરાઇ છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતને હચમચાવનાર કેમિકલ કાંડમાં મોત સામે 15 દર્દીઓ જંગ જીત્યા, હસતા મોઢે બહાર નીકળ્યા !

0

In the chemical scandal that rocked Gujarat

  • સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ચકચાર મચાવનાર બોટાદ કેમિકલ કાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં બોટાદના અનેક ગામો માં લોકોને ઝેરી કેમિકલની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બોટાદ અને ધંધુકા (Botad and Dhandhuka) પંથકમાં સર્જાયેલા ઝેરી કેમિકલ કાંડની (Toxic chemical spills) ઘટનામાં અસરગ્રસ્ત એવા 100 થી વધુ લોકોને ભાવનગર સર.ટી. હોસ્પિટલ (Bhavnagar Sir.T. Hospital) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 19 લોકોના સારવાર દરમ્યાન મોત નિપજી ચુક્યા છે. જ્યારે સારવાર દરમ્યાન સ્વસ્થ બનેલા 15 દર્દીઓ ને આજે હોસ્પિટલ માથી રજા આપવામાં આવી હતી.

સમગ્ર ગુજરાત માં ખૂબ જ ચકચાર મચાવનાર બોટાદ કેમિકલ કાંડમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં બોટાદ ના અનેક ગામો માં લોકોને ઝેરી કેમિકલની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં ભાવનગર ની સિવિલ હોસ્પિટલ ખાતે પણ 100થી વધુ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે તમામ અસરગ્રસ્ત લોકોને ડોકટરોની ટીમ દ્વારા જરૂરિયાતના તમામ સાધનો મંગાવી ખુબ સારી કહી શકાય એવી સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં કુલ 19 લોકોના સારવાર દરમ્યાન મોત નીપજ્યા હતા.

મોટા ભાગના લોકોને ડાયાલિસિસ પર લઈ સારવાર શરૂ કરવામાં આવી હતી, ભાવનગર સર.ટી. હોસ્પિટલના આરોગ્ય વિભાગે આ ઘટનામાં અતિ પ્રસંશનીય કામગીરી કરતા ડાયાલિસિસ સહિતની જરૂરી સારવાર ઝડપી હાથ ધરી શક્ય હોય તેમ મૃત્યુઆંક ઘટે તે દિશામાં કરેલી કામગીરીને પગલે દર્દીઓ સ્વસ્થ બની જતા 15 દર્દીઓ ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

સારવાર લઈને બહાર આવી રહેલા દર્દીઓના મુખ પર એક પ્રકારે નવજીવનની ખુશી જોવા મળી હતી. તેમજ હવે ક્યારેય દારૂ ને હાથ નહિ લગાડે એવું દર્દીઓ ના મુખે સાંભળવા મળ્યું હતું. સાથે બગોદરા ના સામાજિક આગેવાન કાળુભાઇ ડાબી એ સરકાર અને હોસ્પિટલ તેમજ પોલીસ તંત્રની કામગીરી ને બિરદાવતા વ્યસન ના આવા દૂષણ થી લોકો દૂર રહે એ માટે અપીલ કરી હતી.

નોંધનીય છે કે, કેમિકલ કાંડ મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી 6 દર્દીઓને આજે ડીસ્ચાર્જ કરાયા છે. સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થતા 6 દર્દીઓને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે. હવે કુલ 43 દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એટલું જ નહીં, આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ 8 દર્દીઓ દાખલ કરાયા છે. સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 49 થઈ છે. જ્યારે દાખલ દર્દીઓમાં 4 દર્દીઓની હાલત નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો –

બેંકે ભૂલથી કરોડો રૂપિયા ટ્રાંસફર કર્યા, અમદાવાદના વેપારીએ તે પૈસાથી 5 લાખની કમાણી કરી લીધી.

0

The bank mistakenly transferred

  • અચાનક તેઓના એકાઉન્ટના ઓપ્શનમાં ગણી ન શકાય તેવી કરોડો રૂપિયાનું બેલેન્સ જમા થયું. જેથી તેઓએ અંદાજે 2 કરોડ રૂપિયા જેટલું ટ્રેડિંગ કર્યું હશે ત્યાં જ એપ્લિકેશનમાં ટેક્નિકલ એરરના કારણે રકમ જમા થયાનો મેસેજ આવ્યો.

જો તમને કોઈ બેંકની ટેક્નિકલ ભૂલ (Bank technical error)ના કારણે લાખો રૂપિયાનો ફાયદો થઈ જાય તો…? તો એ કદાચ તમને સપના જેવું લાગશે. પણ અમદાવાદ (Ahmedabad)ના એક વેપારી માટે આ સપનું નહિ પણ હકીકત સાબિત થઈ છે. બાપુનગર (Bapunagar)માં એમ્બ્રોઇડરીનો વેપાર કરતા વેપારીને માત્ર અડધો કલાકમાં જ 5 લાખ 43 હજારનો ફાયદો થઈ ગયો. વેપારી ખુદ પોતાને લોટરી લાગી હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એમ્બ્રોઇડરીનો બિઝનેસ કરતા અને શેર બજારમાં ટ્રેડિંગ કરતા વેપારી રમેશભાઈ સગરને બગાસું ખાતા જાણે પતાસું મળી ગયું બોય તેવી ઘટના તેમની સાથે બની છે. ખાનગી બેંકની શેર ટ્રેડિંગ એપમાં ટેક્નિકલ એરર એ આ વેપારીને માત્ર અડધો કલાકમાં 5 લાખ કમાઈ આપ્યા હતા.

બેંકની ટેક્નિકલ એરરના કારણે  શેર બજારમાં ટ્રેડિંગ કરતા આ વેપારીના ખાતામાં કરોડો રૂપિયા જમા થઈ ગયા હતા. જમા થયેલ ફંડના આ વેપારીએ આ રૂપિયાનું શેર ખરીદી ટ્રેડિંગ કરી નાખ્યું. અને જ્યારે બેંકની ટેકનિકલ એરર સોલ્વ થઈ અને એ વેપારીના ખાતામાંથી એ રકમ પરત થતા વેપારીએ પોતે કરેલા ટ્રેડિંગના શેર વેચી બેંકને રકમ પરત કરી હતી. જેમાં 5 લાખ 43 હજાર વધારે હતા. જેથી બેંકમાં મૂડી પરત જતા શેર ટ્રેડિંગનો 5 લાખ 43 હજાર નફાનો ફાયદો થઈ ગયો.

વેપારી રમેશભાઈ જણાવે છે કે તેઓ શેર બજારમાં 25 હજાર જેટલું જ ટ્રેડિગ કરે છે. તેઓ શેર ટ્રેડિગ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેઓના એકાઉન્ટના ઓપ્શનમાં ગણી ન શકાય તેવી કરોડો રૂપિયાનું બેલેન્સ જમા થયું. જેથી તેઓએ અંદાજે 2 કરોડ રૂપિયા જેટલું ટ્રેડિંગ કર્યું હશે ત્યાં જ એપ્લિકેશનમાં ટેક્નિકલ એરરના કારણે રકમ જમા થયાનો મેસેજ આવ્યો. અને મેસેજ જોઈ જે ટ્રેડિંગ કર્યું હતું તે શેર સેલ કરી દીધા. પરંતુ તે અડધો કલાકની શેર લે વેચમાં તેઓને 5 લાખ 43 હજાર જેટલો નફો થઈ ગયો.

ટેક્નિકલ એરર સોલ્વ થતા એ રકમ પરત કપાઈ ગઈ પણ જે ટ્રેડિંગના કારણે નફો થયો હતો તે 5 લાખ 43 હજાર હજુએ બેલેન્સમાં જમા છે. મહત્વનુ છે કે ભાગ્યે જ બનતી ઘટના વેપારી સાથે બની છે. જેના પગલે વેપારી હાલ પોતાને ભાગ્યશાળી માની રહ્યા છે.

આ પણ વાંચો :-

અમદાવાદનો શર્મશાર કિસ્સો : બાપ સમાન આધેડે પુત્રવધુ પર નજર બગાડી આચર્યું દુષ્કર્મ 

Shameful case of Ahmedabad

  • અમદાવાદમાં સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા સસરા સામે ચોતરફથી ફિટકાર વર્ષી રહ્યો છે.

અમદાવાદમાં (Ahmedabad) સબંધને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરાએ હેવાનિયતની (Hevaniyat) હદ વટાવી પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું (Misdemeanor committed) હોવાનું સામે આવતા સનસનાટી મચી ગઈ છે. સમગ્ર મામલે ભોગ બનેલ પરિણીતાએ નારણપુરા પોલીસમાં (Naranpura Police) ફરિયાદ નોંધાવી છે જેંને લઈને પોલીસે આરોપી સસરા સુધી પહોંચવા તપાસ હાથ  ધરી છે.

પીડિતાએ સમગ્ર મામલે નારણપુરા પોલીસમાં કરી ફરિયાદ :

અમદાવાદ ચકચાર જગાવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખુદ બાપ સમાન આધેડે પોતાની જ પુત્રવધુ પર નજર બગાડી અને દુષ્કર્મ ગુજર્યુ હતું. પરિણીતા ઘરે એકલી હતી. આ દરમીયાન એકલતાનો લાભ લઈ સસરાએ પરિણીતાને હવસનો શિકાર બનાવી હતી. ત્યારબાદ આરોપી સસરાએ પરિણીતાને ધમકી આપી હતી. આથી પરિણીતાએ પોતાની આપવીતી તેના પતિ અને સાસુને કરી હતી.

જેમાં પણ પરિણીતાને  ધમકી આપી હતી. સાસુ અને પતિએ એક સંપ થઇને પરિણીતાને ઢોર માર માર્યો હતો અને આ વાતની કોઈને પણ જાણ ન કરવા જણાવ્યું હતું.આથી ભોગ બનેલી પીડિતાએ સમગ્ર મામલે નારણપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પરિણીતાની ફરિયાદને લઈને પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો –

આજથી 100 વર્ષ પહેલાં ગુજરાતમાં અહીં ફેલાઈ હતી કોલેરા મહામારી, ઢીંગલો બનાવીને નાખી હતી

0

cholera epidemic spread

  • નવસારી શહેરમાં 100 વર્ષ પૂર્વે કોલેરાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કોલેરાને કારણે એક મોત બાદ બીજુ મોત થયું હતું. જેથી નવસારીવાસીઓ ચિંતામાં મુકાયા હતા. ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર કર્યો હતો.

નવસારીમાં (Navsari) 100 વર્ષ પૂર્વે આવેલી કોલેરાની મહામારીને (Epidemic of cholera) નાથવા ઢીંગલો બનાવી એની શોભાયાત્રા કાઢી પૂર્ણાં નદીમાં (Purna river) વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેરાના કેસ અટક્યા હતા. જે પરંપરાને આજે પણ નવસારીના આદિવાસી પરિવારે જાળવી રાખી છે.

નવસારી શહેરમાં 100 વર્ષ પૂર્વે કોલેરાની મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કોલેરાને કારણે એક મોત બાદ બીજુ મોત થતુ હતું. જેથી નવસારી વાસીઓ ચિંતામાં મુકાયા હતા. ત્યારે નવસારીના એક પારસી ગૃહસ્થે આદિવાસી પરિવારોને બોલાવી વિચાર મુક્યો કે એક માણસના કદનો ઢીંગલો બનાવી એની પૂજા અર્ચના કર્યા બાદ એને નજીકની પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે. જેને આદિવાસીઓએ માન્યુ અને રતિલાલ રાઠોડના પૂર્વજોએ ઘાસ અને કપડાથી ઢીંગલો બનાવ્યો હતો.

જેમાં માટીમાંથી બનાવેલ મોઢું લગાવી માથે સાફો પહેરાવી સિગારેટ પણ પીવડાવવામાં આવી હતી. સાથે જ કોલેરા ભાગે એવી માનતા પણ લીધી હતી. ત્યારબાદ દિવાસાને દિવસે દાંડીવાડના લોકોએ વાજતે ગાજતે ઢીંગલાની શોભાયાત્રા કાઢી પૂર્ણા નદીમાં વિસર્જિત કર્યો હતો. જે બાદ નવસારીમાંથી કોલેરાના કેસ ઘટયા હતા. ત્યારથી દરવર્ષે પરંપરા જાળવી ઢીંગલો બનાવવામાં આવે છે.

એકમાત્ર નવસારીમાં જ માનવ કદનો ઢીંગલો બનાવી દિવાસાને દિવસે તેની શોભાયાત્રા કાઢી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. શ્રદ્ધાનું પ્રતિક બનેલા ઢીંગલા બાપાની લોકો માનતા રાખી દર્શને આવે છે અને ઉત્સાહ સાથે શોભાયાત્રામાં પણ જોડાય છે. લોક માન્યતા પ્રમાણે લગ્ન ન થવા, બાળકો ન થવા, ભણતર સહિત જીવનની અનેક સમસ્યાનું નિરાકરણ ઢીંગલા બાપા કરે છે, એવી લોકોને શ્રદ્ધા છે. જેથી દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો આવે છે અને તેમની માનતા પુરી થતા ઢીંગલી, રમતું નારિયેળ, સિગરેટ, નોટ, પેન્સિલ-રબર જેવી વસ્તુ ચઢાવે છે.

ઉલ્લેખનિય છે કે, ઢીંગલાને સિગારેટ પ્રિય હોવાની માન્યતા હોવાથી અહીં દર્શને આવતા લોકો સિગરેટ ખાસ લાવે છે અને પોતે સિગરેટ પીધા બાદ ઢીંગલાને સિગરેટ પીવડાવવામાં આવે છે.

આ પણ વાંચો :-