Home Blog Page 1358

ભણવાનું જોર આવતું હોવાથી ફિલ્મોમાં આવી, પછી કઈ રીતે બની ગઈ સૌથી હીટ ફિલ્મની હીરોઈન ?

She came to films because

  • કાજોલ બોલીવુડની સૌથી સફળ અભિનેત્રીઓ પૈકીની એક છે. તેણે પોતાના અભિનયથી સિનેજગતમાં એક આગવું સ્થાન હાંસલ કર્યું છે. આજે કાજોલનો જન્મ દિવસ છે. ત્યારે જાણીએ તેના વિશેની કેટલી જાણી-અજાણી વાતો…

બોલિવૂડ અભિનેત્રી (Bollywood actress) કાજોલનો (Kajol) આજે જન્મ દિવસ છે. કરિયરના પીક ઉપર લગ્ન કરનાર કાજોલ માટે ફેન્સના દિલમાં પ્રેમ ઓછો થયો ન હતો. કાજોલની ગણના આજે હિન્દી સિનેમાની (Hindi cinema) દિગ્ગજ અભિનેત્રી તરીકે થાય છે. શાહરુખ ખાન અને કાજોલની જોડી આજે પણ બોલિવુડ પ્રેમીઓની સૌથી પસંદીદા જોડી છે. આ બંનેએ બોલિવૂડમાં સાથે મળીને અનેક શાનદાર ફિલ્મો આપી છે. જન્મદિવસના અવસર ઉપર આજે અમે આપને કાજોલ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો કહીશું.

કાજોલ અને શાહરુખ ખાનની (Shah Rukh Khan) જોડી વાળી ફિલ્મ દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગેં આજે પણ ભારતીય સિનેજગતની સૌથી હીટ ફિલ્મ માનવામાં આવે છે. જેને કારણે કાજોલ રૂપેરી પડદે રીતસર છવાઈ ગઈ. આજે વર્ષો બાદ પણ કરોડો ચાહકો આ આ ફિલ્મ અને આ જોડીને પસંદ કરે છે. શોલે પછી કદાચ આ પહેલી એવી ફિલ્મ હશે જેણે વર્ષો બાદ આજે પણ લોકોને એટલી જ પસંદ છે.

હવે વાત કરીએ કાજોલની અને એના કરિયરની. કાજોલ બાળપણથી જ જિદ્દી સ્વભાવની રહી છે. તે એકવાર નક્કી કરે એને પુરું કરીને જ દમ લે છે. પોતાની વાતોથી મનાવવા માટે પોતાના માતા-પિતાના નાકમાં દમ લાવી દેતી હતી. આ વાતનો ખુલાસો કાજોલે ખુદ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ભણવામાંથી બચવા માટે તે ફિલ્મોમાં આવી ગઈ હતી.

કાજોલે પોતે જણાવ્યું હતું કે મને ભણવામાં ખુબ જોર આવતું હતું, મને ભણવાનું સહેજ પણ પસંદ નહોતું તેથી જ હું ફિલ્મોની દુનિયામાં આવી ગઈ. જોકે, ફિલ્મોમાં આવવું પણ મારી પસંદ નહોંતી. મેં બસ ભણવાથી બચવા માટે જ ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું હતું.

કાજોલ બોલિવૂડના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક શોમૂ મુખર્જી (Shomoo Mukherjee) અને અભિનેત્રી તનુજાની પુત્રી છે. કાજોલની નાની બહેન અભિનેત્રી તનીષા છે. તનીષા પોતાની બહેન અને માતાની તુલનાએ મોટું મુકામ હાંસલ ના કરી શકી. કાજોલે બોલિવૂડમાં પોતાની કરિયરની શરુઆત વર્ષ 1992માં આવેલી ફિલ્મ બેખુદીથી કરી હતી.

આ ત્યારબાદ કાજોલે બોલિવૂડમાં એકપછી એક અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મોટા પરદા ઉપર અમિટ છાપ છોડી હતી. કાજોલે પોતાની ફિલ્મી સફરમાં બાજીગર, કરણ-અર્જુન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ગુપ્ત, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દિલવાલે ઔર તાનાજી સહિત અનેક શાનદાર ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

હિન્દી ફિલ્મો ઉપરાંત કાજોલે તમિલ ફિલ્મ ‘Minsaara Kannavu’માં પ્રભુદેવા અને અરવિંદ સ્વામી સાથે કામ કર્યું હતું. સિનેમામાં પોતાનું યોગદાન આપવા માટે કાજોલને અનેક પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે. વર્ષ 2011માં કાજોલને પદ્મશ્રી પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવી હતી. કાજોલ પોતાની ફિલ્મો ઉપરાંત અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહી છે.

અભિનેતા અજય દેવગણ સાથે લાંબી પ્રેમ કહાની બાદ તેણે વર્ષ 1999માં લગ્ન કર્યા હતા. અજય દેવગણ અને કાજોલની જોડી બોલિવૂડની શાનદાર જોડી કહેવાય છે. આ બંને કલાકારોના બાળકોમાં પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે.

આ પણ વાંચો :-

રાહુલ ગાંધી બાદ પ્રિયંકાની પણ અટકાયત કરવામાં આવી, સાંસદો પર હુમલો કરવાનો પણ આરોપ

0

After Rahul Gandhi

  • કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે ​​કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમની પાર્ટી મોંઘવારી અને બેરોજગારી સામે આંદોલન કરી રહી છે.

કોંગ્રેસ સાંસદ (Congress MP) રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શુક્રવારે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સને (Press conference) સંબોધી હતી. આ દરમિયાન તેમણે સત્તાધારી ભાજપ (Ruling BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમની પાર્ટી આજે મોંઘવારી અને બેરોજગારી (Inflation and unemployment) સામે દેશવ્યાપી આંદોલન કરી રહી છે.

આ દરમિયાન રાહુલ-પ્રિયંકા સહિત ઘણા સાંસદો કાળા કપડામાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે ગઈ કાલે કેન્દ્ર સરકાર વિરુદ્ધ વલણ બતાવતા તેમણે કહ્યું હતું કે જેનાથી હું ડરતો નથી તમારે જે કરવું હોય તે કરો.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની અટકાયત પર દિલ્હી પોલીસના ડીસીપી અમૃતા ગુગુલોથે કહ્યું, “અમે તેમને કસ્ટડીમાં લીધા છે કારણ કે અહીં કલમ 144 લાગુ છે અને ધરણાની મંજૂરી નથી. અમે તેમને પણ જાણ કરી હતી પરંતુ તેઓએ સાંભળ્યું ન હતું. તેથી અમે તેમને કસ્ટડીમાં લીધા છે.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

દિલ્હીમાં મોંઘવારી અને બેરોજગારીને લઈને કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસ પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની પોલીસે અટકાયત કરી હતી.

વિરોધ દરમિયાન અટકાયત કરાયેલા કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, અમે મોંઘવારી અને બેરોજગારી પર અમારો અવાજ ઉઠાવવા માંગીએ છીએ. આ સરકાર યુવાનોના ભવિષ્યને બગાડવાનું કામ કરી રહી છે. આજે આપણે દેશમાં મોંઘવારી અને બેરોજગારી અંગે અવાજ ઉઠાવવા માંગીએ છીએ પરંતુ અમને નિશાન બનાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

સોખડા સંપ્રદાયના પ્રેમ સ્વામીને અમેરિકામાં કડવો અનુભવ, હળહળતું અપમાન કરાયું !

Prem Swami of Sokhda sect

  • અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન થતાં તેમણે રસ્તા પરથી જ દંડવત કરી સંત નિર્ધારિત સત્સંગ સમારોહમાં પહોંચ્યા હતા. અગાઉ વડોદરા સોખડા હરિધામ મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા તેનો પડઘો અમેરિકામાં પડ્યો હતો.

સોખડા સંપ્રદાયના (Sokhda Sect) નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામીનું અમેરિકાની ધરતી પર હળહળતું અપમાન થયું હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા છે. અમેરિકાના (America) સોખડા સ્વામિનારાયણ સંચાલિત મંદિરે પ્રેમસ્વરૂપ સ્વામીને દર્શન ન કરવા દેતાં વિવાદ વકર્યો છે. અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામી દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં બાઉન્સરોએ (Bouncers) અટકાવ્યા હતા. અમેરિકામાં પણ સામેના જૂથના સત્સંગી સહિતના બાઉન્સરોએ દર્શન માટે અટકાવતા ફરી મંદિરની જૂથબંધી સામે આવી છે.

અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન થતાં તેમણે રસ્તા પરથી જ દંડવત કરી સંત નિર્ધારિત સત્સંગ સમારોહમાં પહોંચ્યા હતા. અગાઉ વડોદરા સોખડા હરિધામ મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા. તેનો પડઘો અમેરિકામાં પડ્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક અનુગામી અને યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી અમેરિકાની ધર્મ યાત્રાએ આવ્યા છે. આ ધર્મ યાત્રા દરમિયાન પ્રેમસ્વરૂપ સ્વામી ન્યૂ જર્સી સ્થિત આવેલ મંદિરે પધાર્યા હતા.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

પરંતુ પ્રેમસ્વરૂપ સ્વામી અને ભક્તોને દર્શન કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. અમેરિકાના ન્યુ જર્સી મંદિરમાં શિલાન્યાસથી માંડીને નિર્માણના દરેક તબક્કે પ્રેમ સ્વરૂપ સ્વામીનું યોગદાન રહેલું છે. ત્યારે હવે તે જ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ભક્તોને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં સોખડા સંપ્રદાયના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી જાહેર રસ્તા પરથી દંડવત કરી દર્શન કરી રહ્યા છે. જેને કારને અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

 

ભારતીયોમાં ફેમસ થાઇલેન્ડની ક્લબમાં ભીષણ આગ, મોજ કરવા આવેલા 40નાં મોત

Fierce fire in a club in Thailand

  • શુક્રવારે રાત્રે થાઇલેન્ડની એક નાઇટ ક્લબમાં ભીષણ આગ (thailand night club fire) ફાટી નીકળી હતી. આગની ઝપેટમાં આવેલા 40 લોકોના મોત (40 death) થયા છે અને 10 લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

થાઇલેન્ડના (Thailand) ચોનુબરીના સટ્ટાહિપ જિલ્લામાં આવેલી નાઇટ ક્લબમાં (night club) આ દુર્ઘટના બની હતી. જે થાઇલેન્ડની રાજધાની બેંકોકના દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. પોલીસના જણાવ્યા અનુસાર માઉન્ટેન બી નાઇટ ક્લબ (mountain b nightclub)માં રાત્રે એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્ત થાઇલેન્ડના નાગરિકો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહત બચાવ કાર્ય સાથે જોડાયેલા લોકોના હવાલાથી સ્થાનિક અખબારે મૃતકઆંક 40નો બતાવ્યો છે.

આ નાઇટ ક્લબ ખૂબ જ જાણીતી છે અને અહીં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ (indian tourists in thailand) પણ આવતાં હોય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકો આગ લાગ સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે. લોકોની ચીખો સંભળાઇ રહી છે. જોકે હજુ સુધી આગનું કારણ સામે આવ્યું નથી.

 જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

અગાઉના પ્રાથમિક અહેવાલો અનુસાર આ અગ્નિકાંડમાં 13ના મોત થયા હતા જ્યારે 41 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 9 પુરુષો અને 4 મહિલાઓ સામેલ હતી. નોંધનીય છે કે, ઘટનાની જાણ થતાં ફ્લુ તા લુઆંગ પોલીસ સ્ટેશનની પોલીસ કર્મી ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવવા કામગીરી હાથ ધરી હતી. સાથે જ આગના કારણ અંગે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો :-

લઠ્ઠાકાંડ ના થાય તો શું થાય ? ગુજરાતમાં અહીંથી ઝડપાઈ નકલી દારૂ બનાવવાની ફેકટરી

0

What happens if there is no riot

  • મોંઘી દાટ દારૂની બોટલમાં સસ્તો દારૂ ભેળવી લોકોને પધરાવી દેવાતો. PCBએ બાતમીના આધારે આખું કારખાનું પકડ્યું.

બોટાદ કેમિકલકાંડ (Botad Chemical Scandal) હજી થમ્યો નથી પણ રાજયભરમાં બાદ દેશી દારૂનું (Desi liquor) વેચાણ કરતા લોકો પર પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. ત્યારે તાજેતરમાં જ આણંદમા નકલી દારૂ ફેકટરી બાદ અમદાવાદમાં પણ ગેરકાયદે ઈંગ્લીશ દારૂ (Illegal English liquor) બનાવતી ફેકટરી પકડાઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમા આવેલ ભંગારના ગોડાઉનમાં બનતો ભેળસેળ દારૂ PCB ટીમે પકડી પાડ્યો છે. આ ગોડાઉનમા શકર મારવાડી નામના વ્યક્તિ અને મોહમ્મદ છીપા નામના બને આરોપી એસેન્સ (કલર) આલ્કોહોલ અને પાણી મિક્ષ કરીને દરરોજ અલગ અલગ મોંઘી કિંમતનો ઈંગ્લીશ દારૂ બનાવીને બોટલોમાં સિલ કરીને વેચાણ કરતા હતા.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

પ્રાથમિક વિગતો અનુસાર શંકર મારવાડી નામના આરોપીએ આ જગ્યા 10 હજાર રૂપિયાના માસિક કિંમતે ભાડે રાખી હતી અને છેલ્લા 6 મહિનાથી શંકર અને મોહમ્મદ છીપા નામના આરોપી દારૂની ખાલી બોટલો લાવીને નકલી ઈંગ્લીશ દારૂ બનાવતા હતા. PCBની ટીમે ચોક્કસ હકીકત આધારે રેડ કરતા સામે આવ્યું કે અહીંયા તો આખું ગોડાઉન જ કાચની બોટલોથી ભરેલું હતું. નામ માત્ર ભંગારનું ગોડાઉનનું હતું પણ દરરોજ અહીંયાંથી 1 લાખથી વધારે કિંમતનો દારૂ વેચાતો હોવાની તેવી પ્રાથમિક માહિતી મળી છે.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર 

મહત્વનું છે કે પોલીસથી બચવા અને આ ગોડાઉનમાં અજાણ્યો વ્યક્તિ અંદર પ્રવેશી ના શકે તે માટે 3 કુતરાઓ રાખ્યા હતા. જેથી કોઈ બહારની વ્યક્તિ આવે તો ડાયરેકટ અટેક કરે. હાલ PCBએ બાતમીના આધારે રેડ કરીને મોહમ્મદ છીપા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે શકર મારવાડી નામના ફરાર આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

 

શિક્ષકની કાળી કરતૂત ! ખાનગી ક્લાસિસના શિક્ષકે વિદ્યાર્થિનીને પીવડાવ્યો દારૂ, અર્ધ બેભાન હાલતમાં દીકરી ઘરે પહોંચી તો…..

Teacher’s black dress

  • વડોદરાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાંથી દરેક વાલીઓએ શીખ લેવાની જરૂર છે.

વડોદરાના (Vadodara) નિઝામપુરા વિસ્તારમાં (Nizampura area) આવેલા એક ખાનગી ટ્યુશન ક્લાસના શિક્ષકે બદઇરાદાથી ક્લાસમાં આવતી ધો. 10ની વિદ્યાર્થિનીને દારૂ પીવડાવતા તેની તબિયત લથડી (Ill health) ગઇ હતી. આથી વિદ્યાર્થિનીની તબિયત બગડ્યા બાદ ગભરાઇ ગયેલ શિક્ષક અર્ધ બેભાન હાલતમાં વિદ્યાર્થિનીને તેના ઘરે મૂકી આવ્યો હતો.

લથડીયા ખાતી ઘરે આવેલી દીકરીની હાલત જોઇ માતા ચોંકી ઉઠી :

જો કે અર્ધબેભાન અવસ્થામાં લથડીયા ખાતી ઘરે આવેલી દીકરીની હાલત જોઇને તેની માતા પણ ચોંકી ઉઠી હતી. આથી, દીકરીની હાલત માટે શિક્ષક જવાબદાર હોવાનો આરોપ મુકતી ફરિયાદ પણ પોલીસ મથકમાં કરવામાં આવી. જેથી ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે શિક્ષક પ્રશાંત ખોસલાની અટકાયત કરી હતી.

આ મામલે ફતેગંજ પોલીસ મથકના પી.આઇએ જણાવ્યું કે, શહેરના નિઝામપુરાના અર્પણ કોમ્પ્લેક્સમાં એક ખાનગી ટ્યુશન ક્લાસ આવેલ છે. જેમાં પ્રશાંત નામના શિક્ષકે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતી ધો. 10ની વિદ્યાર્થિનીને ટ્યુશન ક્લાસ પૂર્ણ થયા બાદ બેસાડી રાખી હતી. જ્યારે ટ્યુશનનો સમયગાળો પૂર્ણ થતા અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યાં હતા.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

બાદમાં બપોરના 3:30થી રાત્રિના 8:30 દરમિયાન વિદ્યાર્થિનીને કેફી પીણું પીવડાવ્યું હતું. જો કે, શિક્ષકે કયા કારણોસર વિદ્યાર્થીનીને કેફી પીણું પીવડાવ્યું હતું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પરંતુ માતાની ફરિયાદના આધારે હાલમાં પોલીસે શિક્ષકની અટકાયત કરી કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે વિદ્યાર્થિની પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય તેની પણ વધુ તપાસ ચાલી રહી છે.

ફરિયાદના આધારે પોલીસે શિક્ષકની અટકાયત કરી :

આથી આ કિસ્સા પરથી વાલીઓએ પણ ચેતવા જેવું છે. વાલીઓએ પણ પોતાના દીકરા-દીકરીઓના અભ્યાસ અને તેની લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપવું જોઇએ. જેથી તેની સાથે કોઇ અજુગતી ઘટના ન ઘટે.

આ પણ વાંચો :-

અંતિમ તારીખ સુધીમાં આવકવેરા રિટર્ન ફાઇલ નથી કર્યું તો હવે શું થશે ? અહીં જાણો

0

What will happen if income tax

  • આવકવેરા રિટર્ન કે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 હતી. જો તમે આ છેલ્લી તારીખ સુધીમાં ITR નથી ભર્યું તો તમારે ઈન્કમ ટેક્સ વિભાગની તપાસ સહિતના અનેક નુકસાનમાંથી પસાર થવું પડી શકે છે.

નાણાકીય વર્ષ ITR 2021-22 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાનો છેલ્લો દિવસ 31 જુલાઈ, 2022 હતો. જો તમારી આવક રૂ. 2.5 લાખથી વધુ હોય તો તમારે ITR ફાઇલ કરવું આવશ્યક છે. નક્કી કરેલ સમયમર્યાદા (ITR deadline) સુધીમાં તમારું આવકવેરા રિટર્ન ફાઇલ (File Income Tax Return) ન કરવાથી તમે ટેક્સ વિભાગ (Tax Department)ની તપાસ પ્રક્રિયાને આમંત્રણ આપી રહ્યા છો.

કેટલીકવાર ITR ભરવાની સમયમર્યાદા લંબાવવામાં આવે છે. મહામારીને કારણે નાણાકીય પડકારોનો સામનો કરી રહેલા કરદાતાઓને રાહત આપવા માટે સરકારે છેલ્લા બે નાણાકીય વર્ષમાં સમયમર્યાદા લંબાવી હતી. પરંતુ, આ પ્રકારના એક્સ્ટેંશન પર આધાર રાખશો નહીં. નિયત તારીખ પહેલાં તમારા ITR ફાઇલ કરીને દંડ, નહિ ચૂકવેલા કર પરનું વ્યાજ તેમજ કાનૂની સ્ક્રૂટીનીથી બચી શકો છો.

તમારું ITR એ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેમાં તમારી આવક અને નાણાકીય વર્ષમાં ચૂકવવામાં આવેલા કર વિશેની માહિતી હોય છે. નિયત તારીખ પછી ફાઇલ કરવામાં આવેલ ITRને વિલંબિત રિટર્ન (belated returns) ગણવામાં આવે છે. જો તમે નિયત તારીખ સુધીમાં તમારું રિટર્ન ફાઇલ નહીં કરો તો તેના શું પરિણામ આવી શકે તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.

પેનલ્ટીનો ભોગ બનવું પડે :

આવકવેરા રિટર્ન સમયસર ભરવાથી તમે જવાબદાર કરદાતા બનો છો. પણ જો તમે સમયમર્યાદા ચૂકી ગયા હોવ તો ચિંતા કરશો નહીં; તમે હજુ પણ 31 ડિસેમ્બર, 2022 સુધીમાં તમારું રિટર્ન ફાઇલ કરી શકો છો. જો કે આ માટે કરપાત્ર આવક રૂ. 5 લાખ કરતાં વધુ હોય તો રૂ.5000 નો દંડ ચૂકવવો પડશે અને જો તમારી કરપાત્ર આવક રૂ. 5 લાખ કરતાં ઓછી હોય તો રૂ.1000 દંડ ભરવો પડશે.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

તેમજ કલમ 234F મુજબ વર્ષ 2021-22 માટે કોઈપણ નહિ ચૂકવેલા કર પરનું વ્યાજ પણ ભરવું પડશે. જો તમારી આવક રૂ. 2.5 લાખથી ઓછી છે અને તમે ડોક્યુમેન્ટેશન માટે તમારું રિટર્ન ફાઇલ કરી રહ્યાં હોવ તો કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.

વ્યાજની ચુકવણી : 

તમારે ધ્યાનમાં રાખવાનો બીજો મહત્વનો મુદ્દો એ છે કે, છેલ્લી તારીખ પછી તમારું રિટર્ન ભરવાથી બાકી રકમ પર 1% વ્યાજ લાગશે. બાકી રકમ 31 જુલાઈથી લાગેલ વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. વ્યાજની ગણતરી સમયમર્યાદા પૂરી થાય તે દિવસથી શરૂ થશે. તેથી તમે તમારા રિટર્ન ભરવામાં જેટલું વિલંબ કરશો, તેટલી વધુ રકમ તમારે વ્યાજની ચુકવણી તરીકે ચૂકવવી પડશે. તેથી તમારે સમયસર રિટર્ન ફાઇલ કરવું જોઈએ.

કાનૂની કાર્યવાહી થઈ શકે :

જો તમે તમારા આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ કરો અથવા ના ભરો, તો આવકવેરા વિભાગ તમારા કારણોને સમજવા માટે કાનૂની નોટિસ મોકલી શકે છે. જો ટેક્સ વિભાગ તમારા ખુલાસાથી સંતુષ્ટ ન થાય, તો તે તેની કાનૂની સત્તા મુજબ વાત આગળ વધારી શકે છે.

આ પણ વાંચો :-

ઓનલાઇન જુગારમાં બરબાદ થયો ડોક્ટર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

Doctor ruined in online gambling

  • તરકટ રચનારા ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાઉથ બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.

પોકર ગેમમાં રૂપિયા હારી જવાથી પોતાનું અપહરણ (kidnapping) થયું હોવાનું તરકટ રચનારા ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (ahmedabad crime branch) સાઉથ બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમ (police control room)ને એક કોલ મળ્યો હતો જેમાં એક ડોક્ટરનું અપહરણ થયાનો મેસેજ સમગ્ર શહેર પોલીસને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. ખોખરા વિસ્તારમાં રહેતા અને આંખના હોસ્પિટલ ચલાવતા ડોક્ટરનું અપહરણ થયું છે અને અપહરણકર્તાઓએ રૂપિયા ૧૫ લાખની ખંડણી માંગી છે સમગ્ર બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પણ સમગ્ર કેસમાં તપાસમાં જોતરાઇ ગઇ હતી.

જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરના લોકેશન ટ્રેસ કરવાની કામગીરી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી હતી જેમાં ડોક્ટર સંકેત શાહ તેમનું અપહરણ થયું છે તેમના જ મોબાઈલ નંબર પરથી તેમના પિતાના મોબાઈલ નંબર ઉપર એક ફોન આવ્યો હતો અને બાદમાં અલગ-અલગ મેસેજ પણ આવ્યા હતા જેમાં તમારા દીકરાનું અપહરણ થયું છે અને રૂપિયા ૧૫ લાખ તૈયાર રાખજો તેવી ગર્ભિત ચીમકી ભર્યા મેસેજ પણ કરવામાં આવ્યા હતા આ તમામ બાબતોનો ટેકનીકલ એનાલિસિસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શરૂ કરી દીધુ હતું.

ડોક્ટર સંકેત શાહ આજે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયા છે. કારણ માત્ર એક જ છે કે તેમણે પોતાનું અપહરણ થયા હોવાનું મેસેજ તેમના પિતાને કર્યો હતો અને ખંડણીના ભાગ સ્વરૂપે રૂપિયા ૧૫ લાખની માંગણી કરી હતી આ તમામ તરકટ રચવા પાછળનો મુખ્ય કારણ એ હતું કે ડોક્ટર સંકેત શાહ ઓનલાઇન પર ગેમમાં જુગાર રમતો હતો અને હારી જતાં તેણે પોતાના જ પિતા પાસેથી પૈસા મેળવવા માટે આ પ્રકારનો ગુનો આચર્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ ખુદ પોતે ડોક્ટરે જ કબૂલી છે.

ઉપરાંત ડોક્ટર સંકેત શાહે અગાઉ પણ પોતાનો અકસ્માત થયો છે અને રૂપિયા ૧૨ લાખ સામેવાળા માંગે છે તેમ કહીને પોતાના પિતા પાસેથી આ રૂપિયા માંગ્યા હતા. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી એવા ડોક્ટરની કડકાઈપૂર્વક પૂછપરછ કરી.

ત્યારે એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી હતી કે વર્ષ 2015થી 2019 દરમિયાન બેંગ્લોરમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા તે સમયે પણ પોકર ગેમમાં રૂપિયા હારી જતા પોતાના જ ડોક્ટર મિત્રો પાસેથી 26 લાખ 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.

ડોક્ટરનો વ્યવસાય આપણા સમાજમાં ઉચ્ચ દરજ્જાનો વ્યવસાય માનવામાં આવે છે અને આવા જ પ્રકારના લોકો જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે સમાજમાં એક ખોટું મેસેજ પણ પહોંચે છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને સ્થાનિક ખોખરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

‘સેટિંગ થઈ ગયું છે’ મેસેજ આપવા માટે PM મોદીને મળે છે મમતા, ઘોષના નિવેદનથી બબાલ, જાણો શું છે સમગ્ર મામલો

0

PM Modi meets Mamata to give message

  • એક તરફ જ્યાં ટીએમસી સાંસદ વર્તમાન સત્રમાં મોંઘવારી સહિત વિવિધ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર અને તેની નીતિઓનો વિરોધ કરી રહ્યાં છે. તો મમતા સરકારમાં મંત્રી રહેલા પાર્થ ચેટર્જી ઈડીની કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે. તેવામાં પીએમ મોદી સાથે થનારી મમતા બેનર્જીની મુલાકાતને લઈને તમામ પ્રકારના નિવેદન સામે આવી રહ્યાં છે.

પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરશે. તો ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે (Dilip Ghosh) મમતા બેનર્જી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી પ્રધાનમંત્રી મોદીની સાથે પોતાની બેઠકોનો ઉપયોગ તે સંદેશ આપવા માટે કરે છે કે સેટિંગ થઈ ગયું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ વાત પર ધ્યાન આપવું જોઈએ. તેમણે મમતાની ઝાળમાં ન આવવું જોઈએ.

તો તૃણમૂલ કોંગ્રેસે ભાજપના આ આરોપોને નકાર્યા છે. ટીએમસી નેતા સુખેંદુ શેખર રોયે કહ્યુ, ‘અમારા વિરોધી પાયાવગરના આરોપ લગાવે છે.’ સૂત્રોએ જણાવ્યું કે ટીએમસી પ્રમુખ દિલ્હીમાં સાંજે રાજ્યસભા સાંસદ સુખેંદુ શેખર રોયના આવાસ પર પાર્ટી સાંસદો સાથે મુલાકાત કરશે. બેનર્જી સાંસદો સાથે વર્તમાન ચોમાસુ સત્ર અને 2024 લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરી શકે છે. આ સિવાય તે હાલમાં પશ્ચિમ બંગાળમાં જાહેર થયેલા નવા સાત જિલ્લાના નામોને લઈને સૂચન પણ માંગશે.

મમતા બેનર્જી ગુરૂવારે સાંજે ચાર દિવસીય પ્રવાસે દિલ્હી પહોંચી ગયા છે. મમતા બેનર્જી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. તો તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની પણ શુભેચ્છા મુલાકાત લઈ શકે છે.

પીટીઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યું કે મમતા બેનર્જી પીએમ મોદી સાથે પશ્ચિમ બંગાળ માટે જીએસટીની બાકી રકમ સહિત ઘણા મુદ્દા પર ચર્ચા કરી શકે છે. સૂત્રો પ્રમાણે બેનર્જી સંસદના કેન્દ્રીય કક્ષમાં જવા અને વિપક્ષના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરવાનો કાર્યક્રમ છે. આ સિવાય તે વિપક્ષી નેતાઓ સાથે બેઠકમાં પણ જોવા મળી શકે છે.

નીતિ આયોગની બેઠકમાં થશે સામેલ :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત ઓગસ્ટે નીતિ આયોગની સર્વોચ્ચ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. તેમાં કૃષિ, અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દાની ચર્ચા કરવામાં આવશે. પરિષદની આ બેઠક નિયમિત રીતે યોજાઈ છે. તેની પ્રથમ બેઠક આઠ ફેબ્રુઆરી 2015ના યોજાઈ હતી. પાછલા વર્ષે આ બેઠકમાં મમતા બેનર્જી સામેલ થયા નહોતા.

આ પણ વાંચો :-

સરકારની મોટી ‘ભેટ’! આ લોકોના વીજળી બિલ માફ કર્યા; રીકનેક્શનનો ખર્ચ પણ આપશે 

0

The government’s big ‘gift’

  • સરકારે 31 ડિસેમ્બર, 2021 સુધીના બાકી વીજ બિલો માફ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ભગવંત માન સરકારનું આ પગલું આમ આદમી પાર્ટીના ચૂંટણી વચનોનો એક ભાગ છે.

પંજાબ સરકારે (Punjab Govt) ઘરેલું કેટેગરીના તમામ ગ્રાહકોના વીજ બિલ માફ (Electricity bill waived) કરવાની જાહેરાત કરી છે. આનાથી પંજાબના લાખો લોકોને મોટી રાહત મળી છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, સરકારે 31 ડિસેમ્બર, 2021 સુધીના બાકી વીજળી બિલને માફ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે ભગવંત માન (Bhagwant Hon) સરકારનું આ પગલું આમ આદમી પાર્ટીના ચૂંટણી વચનોનો એક ભાગ છે.

પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL) દ્વારા પણ આ સંદર્ભમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પંજાબના પાવર મિનિસ્ટરે સરકારના આ નિર્ણયને ડિફોલ્ટર ઘરેલું વીજળી ગ્રાહકો માટે રાહતનું પગલું ગણાવ્યું છે.

ચૂંટણીમાં વચન આપ્યું હતું :

નોંધનીય છે કે પંજાબ સરકારે ચૂંટણી પહેલા વીજળી બિલ માફ કરવાનું વચન આપ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માનની સરકારે 31 ડિસેમ્બર, 2021 સુધીના તમામ ઘરેલું કેટેગરીના ગ્રાહકોના બાકી વીજ બિલો માફ કરી દીધા છે. પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ (PSPCL) એ આ સંદર્ભમાં એક સૂચના બહાર પાડી છે.

ઉર્જા મંત્રી હરભજન સિંહે માહિતી આપી છે કે જેમણે 30 જૂન, 2022 સુધી તેમના બાકી લેણાં ચૂકવ્યા નથી, તેમના 31 ડિસેમ્બર, 2021 સુધીના બાકી વીજળી બિલ માફ કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી લોકોને મોટી રાહત મળી છે.

પુનઃ જોડાણ માટેનો ખર્ચ મળશે:

એટલું જ નહીં, સરકારે કહ્યું છે કે ફરીથી કનેક્શન લેવાનો ખર્ચ પણ આપવામાં આવશે. ઉર્જા મંત્રી હરભજન સિંહે કહ્યું કે જે વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. જે પુનઃસ્થાપિત કરવા શક્ય નથી તે અરજદારની વિનંતી પર PSPCL દ્વારા ફરીથી જારી કરવામાં આવશે.

સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ, પૂજા સ્થાનો, સરકારી રમતગમત સંસ્થાઓ, લશ્કરી આરામ ગૃહો, સરકારી સહાયિત શૈક્ષણિક સંસ્થાઓ અને છાત્રાલયો વગેરે જેવા અન્ય તમામ ગ્રાહકોને આ માફી યોજના હેઠળ આવરી લેવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે સરકાર રાજ્યના તમામ પાત્ર રહેવાસીઓને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપી રહી છે.

આ પણ વાંચો :-