કોઈ સગાંને હાર્ટ અટેક આવે ત્યારે શું કરશો ? આટલી તો ખબર હોવી જ જોઈએ, કોઈનો જીવ બચી જશે

Share this story

What to do when a relative

  • ભારતમાં હાર્ટની બિમારીથી પીડિત દર્દીઓની સંખ્યા વધારે છે, તેથી તમને આ વાતની જાણકારી આવશ્ય હોવી જોઈએ કે જો તમારા નજીકના સંબંધીને હાર્ટ એટેક આવી જાય તો તેનુ જીવન બચાવવા માટે તમે શું કરશો.

આજકાલ માણસને અલગ-અલગ પ્રકારની બિમારીઓએ ઘેરી રાખ્યો છે. પરંતુ ઘણા બધા મૃત્યુ હાર્ટ એટેક (Heart attack) અને હાર્ટ ફેલ એટલેકે હૃદય કામ કરતા અટકી જાય તેનાથી થાય છે. અમુક રિપોર્ટસ મુજબ દર વર્ષે 2 કરોડ લોકોના મોત હાર્ટની સમસ્યાને કારણે થાય છે. તો એવામાં જાણવુ જરૂરી છે કે હાર્ટ એટેકની સ્થિતિમાં તમારે શું કરવુ જોઈએ અને કઈ સાવધાની રાખવી જોઈએ જેનાથી દર્દીનો જીવ બચી જાય.

હાર્ટ એટેક શું છે ?

હાર્ટની ધમની એટલેકે કોરોનરી આર્ટરીમાં પ્લાક જેવુ તત્વ જમા થાય છે, જેનાથી રક્ત પ્રવાહમાં અવરોધ આવે છે. એવામાં હાર્ટ સુધી લોહી પહોંચતુ નથી અને હાર્ટ એટેક આવે છે.

હાર્ટ એટેક આવવાની સ્થિતિમાં શું કરવુ જોઈએ ?

હોસ્પિટલ લઇ જવામાં સમય થઇ શકે છે, એવામાં પહેલા પોતાના લેવલ પર પ્રારંભિક સારવાર આપવાનુ શરૂ કરી દો. પીડિતની છાતીની બિલ્કુલ વચ્ચે વજન આપીને ધક્કો મારો. સેન્ટર પોઈન્ટને પ્રેસ કરવાથી શ્વાસ અટકી જાય છે. દર્દીને ભાનમાં લાવવા માટે 1 મિનિટમાં 100-120 વખત ધક્કો આપતા રહો.

પરંતુ ધ્યાન રાખો કે દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાના પ્રયાસ કરો. આ પ્રોસેસને સીપીઆર કહેવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયાને સમય પહેલા અપનાવવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે.

હાર્ટના દર્દીએ કઈ-કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ ?

હાર્ટની સમસ્યાનુ સૌથી મોટુ કારણ ખરાબ ભોજન અને બેકાર જીવનશૈલી છે. હાર્ટ એટેકના દર્દીનુ ખાન-પાન આરોગ્યપ્રદ રહેવુ જરૂરી છે. કોઈ પણ એવુ ફૂડ જેનાથી કોલેસ્ટ્રોલ વધવાનુ જોખમ છે, તેને બિલ્કુલ નજરઅંદાજ કરવુ જોઈએ. જેમ કે તળેલુ ભોજન, મસાલાવાળુ ભોજન, ફાસ્ટ ફૂડ, ફેટી ભોજન, દારૂ અને ધુમ્રપાન આ ઉપરાંત લાલ માંસ અને પ્રોસેસ્ડ ફૂડનું પણ સેવન ના કરવુ જોઈએ.

આ પણ વાંચો :-