Home Blog Page 1357

2008 પછી પહેલીવાર હીરાના ભાવમાં આટલો મોટો ઘટાડો, ડાયમંડ સિટી સુરતના આ ઉદ્યોગકારોની વધી મુસીબત

This is the first time since 2008

  • સુરતના ડાયમંડ ઉદ્યોગકારોને મોટો ફટકો, રેપાપોર્ટે ફિનિશ્ડ ડાયમંડના ભાવમાં કર્યો ઘટાડો.

શ્રાવણમાસની (Shravanamas) શરૂઆત એટલે તહેવારોની શરૂઆત. ત્યારે તહેવાર ટાણે જ સુરતના હીરા ઉદ્યોગકારોએ (Diamond industrialists) નુકસાનીનો સામને કરવો પડશે. કારણ કે રેપાપોર્ટ દ્વારા તૈયાર હીરાના ભાવમાં ઘટાડો કરાયો છે. જે લોકોએ સ્ટોક કર્યો હશે તેવા ઉદ્યોગકારોને નુકસાનીનો સામનો કરવો પડશે.

રેપાપોર્ટે 3થી7 ટકા સુધીનો તૈયાર હીરાના ભાવમાં ઘટાડો કર્યો છે. વર્ષ 2008 બાદ સૌ પ્રથમ વાર તૈયાર હીરાના ભાવમાં ઘટાડો નોંધાયો. તૈયાર હીરાના ભાવમાં ઘટાડો થતા વેપારીઓએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. હીરાની માંગમાં વધારો થવાને કારણે આંતરાષ્ટ્રીય માર્કેટમાં રફના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો હતો.

જુઓ સંપૂર્ણ વીડિયો. : ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોએ દરિયામાં માછીમારોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને તેમની સાથે ‘આઝાદી કા અમિત મહોત્સવ’ની ઉજવણી કરી .

પ્રોડક્શન ઓછું થતા રોજગારી પર થશે અસર :

સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી દામજી માવાણીએ જણાવ્યું હતું કે  ‘હીરા વેપારીઓની હોલ્ડિંગ કેપેસિટી હોય તે માલનો સ્ટોક કરે. જેમની મજબૂરી હોય તેવા હીરા વેપારીઓ નુકસાન કરીને વેચે. અથવા તો પ્રોડક્શન પર કાપ પણ આવી શકે.’ એટલે કે જેઓએ નફો કરવાના આશયથી હીરાનો સ્ટોક કરી રાખ્યો હતો તેઓએ નુકસાની વેઠવાનો વારો આવશે. જેની અસર રત્નકલાકારો પર પણ જોવા મળશે. કારણ કે વેપારી સ્ટોક પૂરતો હોવાથી નવું પ્રોડક્શન કરશે નહીં અને પ્રોડક્શન બંધ રહેતા રત્નકલાકારોની રોજગારી પર અસર થઇ શકે છે.

હીરા વેપારીઓએ વિરોધ કરવો જોઇએ : દિનેશ નાવડિયા

તો આ તરફ  જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સુરતના હીરા વેપારીઓ મહેનત કરીને હીરાનું મેન્યુફેક્ચરિંગ કરે અને અન્ય કંપની તેના ભાવ નક્કી કરે તે અયોગ્ય બાબત છે. હીરાવેપારીઓએ એક થઈ તેનો વિરોધ કરવો જોઈએ. મહત્વનું છે કે રેપાપોર્ટ પ્રાઇસ લિસ્ટએ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક છે જેનો ઉપયોગ ડીલરો દ્વારા તમામ મુખ્ય બજારોમાં હીરાની કિંમતો સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ઘરમાં ડખા, બહેને કોંગ્રેસમાંથી ટિકિટ માંગી, તો પત્નીનું વલણ ભાજપ તરફી

0

At home of cricketer Ravindra Jadeja

  • ગુજરાતના યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવે છે. પરંતુ જામનગરમાં તેમના પરિવારમાં રાજકીય ધમાલ મચી છે. રવિન્દ્ર જાડેજાનો પરિવાર રાજકીય મામલે સક્રિય થવા માંગે છે, પરંતુ તે પહેલા જ પરિવારમાં ધમાસાણ જોવા મળ્યું છે.

ગુજરાતના યુવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Young cricketer Ravindra Jadeja) ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવે છે. પરંતુ જામનગરમાં તેમના પરિવારમાં રાજકીય ધમાલ મચી છે. રવિન્દ્ર જાડેજાનો (Ravindra Jadeja) પરિવાર રાજકીય મામલે સક્રિય થવા માંગે છે, પરંતુ તે પહેલા જ પરિવારમાં ધમાસાણ જોવા મળ્યું છે. પરિવારના બે સદસ્ય રાજકીય મામલે આમને સામને જોવા મળ્યાં છે. રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ (Nainaba) જામનગર બેઠક પર કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ, તેમના પત્ની રીવાબા જાડેજા (Rivaba Jadeja) ભાજપ પડખે છે.

બહેન નયનાબાએ વિધાનસભાની ચૂંટણી માટે જામનગરની બેઠક માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેઓ નયનાબા જામનગર મહિલા કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમરને રાજીનામું આપી દીધું છે. હાલ સંકેત એવા છે કે તેઓ જામનગરની બેઠક પરથી ચૂંટણી લડશે. આ માટે તેમણે દાવેદારી પણ નોંધાવી છે. વિધાનસભાની તૈયારીઓ માટે તેમણે રાજીનામું આપ્યુ હોવાનું તેઓ જણાવે છે.

તેમનું કહેવુ છે કે, વિધાનસભા ચૂંટણી લડવી હોય તો બધી જવાબદારીઓમાં પહોંચી વળવું શક્ય નથી, તેથી મેં રાજીનામુ આપ્યુ છે. મેં પત્રમાં પણ આ જ કારણ લખ્યું છે. તો બીજી તરફ રીવાબાનું કહેવું છે કે,  ભાજપ ચૂંટણી વખતે મારી પર ભરોસો કરશે તો હું તૈયાર છું.

જુઓ સંપૂર્ણ વીડિયો. : ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોએ દરિયામાં માછીમારોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને તેમની સાથે ‘આઝાદી કા અમિત મહોત્સવ’ની ઉજવણી કરી .

ત્યારે પત્ની અને બહેન, રવિન્દ્ર જાડેજા માટે આ યક્ષ પ્રશ્ન બની રહેશે. ચૂંટણીમાં કોના પડખે રહેવું અને કોના માટે પ્રચાર કરવો તે તો સમય આવતા જ બતાવશે. પણ હાલ રવિન્દ્ર જાડેજાના પારિવારિક મુદ્દાને કારણે જામનગરનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો :-

સોખડા ધામ ફરી એકવાર વિવાદમાં ! મંદિરના શાંત વાતાવરણમાં કાંકરીચાળો થતાં પોલીસને વચ્ચે પડવું પડ્યું , જાણો શું હતો સમગ્ર મામલો 

0

Sokhda Dham once again in controversy

  • પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થક હરિ ભક્તો શ્રાવણ માસને લઈને કાર્યક્રમના આયોજનનાં પોસ્ટરો લગાવવા આત્મીય વિદ્યાધામ જતા તેઓને પ્રબોધ સ્વામી જૂથના હરિ ભક્તો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જેથી મામલો તંગ બન્યો

સોખડા સ્વામીનારાયણ મંદિરનો (Sokhda Swaminarayan Temple) વિવાદ હવે આણંદના બાકરોલ ખાતેના આત્મીય વિદ્યાધામ (Atmiya Vidyadham) ખાતે પહોંચ્યો છે. પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામી જૂથના (Prabodha Swami group) હરિ ભક્તો ફરી એક વાર આમને- સામે આવી જતાં બાકરોલ આત્મીય વિદ્યાધામ પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદીને લઈને પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી જૂથ વચ્ચે વિવાદ સર્જાયા બાદ હાઇકોર્ટના આદેશ અનુસાર પ્રબોધ સ્વામી તેમના જૂથના સંતો અને હરિ ભક્તો સાથે આણંદના બાકરોલ આત્મીય વિદ્યાધામ ખાતે રહેવા આવ્યા હતા. ગત 21 એપ્રિલથી પ્રબોધ સ્વામી અને તેમના જૂથના 64 સંતો અને હરિ ભક્તો આત્મીય વિદ્યાધામ ખાતે નિવાસ કરી રહ્યા છે.

No description available.

ત્યારે આજે પ્રેમસ્વરૂપ સ્વામીના સમર્થક હરિ ભક્તો શ્રાવણ માસને લઈને કાર્યક્રમના આયોજનનાં પોસ્ટરો લગાવવા આત્મીય વિદ્યાધામ જતા તેઓને પ્રબોધ સ્વામી જૂથના હરિ ભક્તો દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જેથી મામલો તંગ બન્યો છે. આ મામલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલો થાળે પાડી પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.

આ દરમિયાન મોડી સાંજે યોગી ડિવાઇન સમિતિના સેક્રેટરી ડૉ. આશવ પટેલ સહિત 100 થી વધુ હરિ ભક્તો આત્મીય વિદ્યાધામ ખાતે પહોંચતા આત્મીય વિદ્યાધામનાં મુખ્ય પ્રવેશ દ્વારને તાળા મારી બંધ કરી દેવાયો હતો. પોલીસે હરિ ભક્તોને અટકાવતા પ્રેમ સ્વરૂપ જૂથના હરિ ભક્તોએ કહ્યું હતું કે, અમે ફક્ત દર્શન કરવા જવા માંગીએ છીએ, પોલીસ અમને રોકી શકે નહીં.

ભગવાનનાં દર્શન કરતા રોકી શકાય નહીં. જેથી પોલીસે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે આત્મીય વિદ્યા ધામ ખાતે પ્રવેશ આપી શકાય નહીં. આ મામલે પોલીસ અને હરિભક્તો વચ્ચે મામલો ઉગ્ર બનતા ડીવાયએસપી ભરતસિંહ જાડેજા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

પ્રબોધ સ્વામીના સમર્થક હરિ ભક્તો આત્મીય વિદ્યાધામની અંદર તરફ અને પ્રેમસ્વરૂપ સ્વામીના ટેકેદારો બહારની તરફ મોટી સંખ્યામાં એકત્ર થતા ઘર્ષણ થાય તેવો માહોલ સર્જાયો હતો. પરંતુ પોલીસે મામલો થાળે પાડી પ્રેમ સ્વરૂપ સ્વામીના સમર્થક હરિ ભક્તોને દર્શન કર્યા સિવાય પરત મોકલ્યા હતા. જો કે હવે આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

ડોક્ટરે દર્દીના પેટમાંથી કાઢ્યો સ્ટીલનો ગ્લાસ, આટલી મોટી વસ્તુ શરીરમાં કેવી રીતે ગઈ ?

0

The doctor removed the steel

  • 50 વર્ષીય યુવાન પેટમાં દુખાવાની ફરિયાદ સાથે સમરનાથ હોસ્પિટલના ડૉક્ટર પાસે પહોંચ્યા હતા. જ્યારે તેનો એક્સ-રે કરવામાં આવ્યો ત્યારે તેના પેટમાં સ્ટીલનો ગ્લાસ હોવાનું જાણીને ડોક્ટર્સ પણ ચોંકી ગયા હતા.

જો કે તમે પેટમાંથી ટુવાલ, રૂમાલ, કાતર અને મોજા બહાર નીકળતા સાંભળ્યા અને જોયા હશે, પરંતુ પેટમાંથી સ્ટીલના ગ્લાસ નીકળતા એક ચોંકાવનારી ઘટના છે. આ ઘટના ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) (યુપી)ના જૌનપુરના ભટૌલી (Bhatauli) ગામમાં રહેતા 50 વર્ષીય સમરનાથ સાથે બની હતી. ડોક્ટરે તેના પેટનું ઓપરેશન (Abdominal operation) કરીને સ્ટીલનો ગ્લાસ કાઢી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે સમરનાથના પેટમાં ત્રણ-ચાર દિવસથી ખૂબ જ દુખાવો થતો હતો.

તે ઘણી હોસ્પિટલોમાં ગયો પરંતુ કોઈ રાહત ન મળી. આ પછી કેટલાક સંબંધીઓ પાસેથી ખબર પડતાં તેઓ વાજિદપુરની સિદ્ધાર્થ હોસ્પિટલમાં આવ્યા અને ડૉ.લાલ બહાદુર સિદ્ધાર્થને મળ્યા અને પોતાની સમસ્યા વિશે જણાવ્યું. ત્યારબાદ એક્સ-રે કર્યા બાદ ડોક્ટરે ઓપરેશન કરીને તેના પેટમાંથી સ્ટીલનો ગ્લાસ કાઢી નાખ્યો. તો જ દર્દીનો જીવ બચાવી શકાયો.

ઓપરેશનમાં પેટમાંથી સ્ટીલનો ગ્લાસ કાઢવામાં આવ્યો :

આ મામલાની માહિતી આપતાં ડોક્ટર લાલ બહાદુર સિદ્ધાર્થે જણાવ્યું કે, એક દર્દી અમારી પાસે હર્નિયાના ઓપરેશન માટે આવ્યો હતો અને તેણે કહ્યું કે મારા પેટમાં દુખાવો છે. મારું ઓપરેશન કરો મેં પહેલા એક્સ-રે કરાવ્યો અને જોયું કે પેટમાં સ્ટીલનો એક ફુલ સાઈઝનો ગ્લાસ છે.

જુઓ સંપૂર્ણ વીડિયો. : ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજોએ દરિયામાં માછીમારોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને તેમની સાથે ‘આઝાદી કા અમિત મહોત્સવ’ની ઉજવણી કરી .

મેં દર્દીને પૂછ્યું કે ગ્લાસ પેટમાં કેવી રીતે ગયો, તેથી દર્દી કંઈ કહી શક્યો નહીં. તેણે કહ્યું કે તેના પેટમાં ઘણા દિવસોથી દુ:ખાવો થઈ રહ્યો છે. ત્યારબાદ ડોક્ટરોની આખી ટીમે કલાકોની મહેનત બાદ ઓપરેશનમાંથી કાચ બહાર કાઢ્યો હતો.

ફુલ સાઈઝનો ગ્લાસ પેટની અંદર કેવી રીતે ગયો? 

ઉલ્લેખનીય છે કે સ્ટીલના ગ્લાસ બહાર આવ્યા બાદ આ સમાચાર લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા કે સ્ટીલનો ફુલ સાઈઝનો ગ્લાસ પેટની અંદર કેવી રીતે ગયો ? ડોક્ટરે જણાવ્યું કે દારૂ પીવાના કારણે દર્દીની કોઈ સાથે ઝઘડો થયો હતો. તેઓએ કથિત રીતે ગ્લાસને તેના પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો હતો. તેમ છતાં આ મામલો લોકોના ગળે ઉતરતો નથી.

દર્દીએ આ દાવો કર્યો :

દર્દી સમરનાથને જણાવ્યું કે ગામમાં જ કેટલાક લોકો સાથે મારો વિવાદ થયો હતો. દારૂ પીધા પછી લોકો મારા પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસ નાખ્યો હતો. જ્યારે હું ભાનમાં આવ્યો, ત્યારે દુખાવો શરૂ થયો. 5 દિવસથી પેટમાં થોડો દુખાવો હતો અને ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું હતું. જે બાદ ડોક્ટર પાસે ગયા.

ત્યાં એક્સ-રે કરવામાં આવ્યો તો ખબર પડી કે પેટમાં સ્ટીલનો ફુલ સાઈઝનો ગ્લાસ છે. હાલમાં ઓપરેશન બાદ દર્દીને રાહત મળી હશે, પરંતુ લોકો માની શકતા નથી કે ગ્લાસ તેના પ્રાઈવેટ પાર્ટ દ્વારા દર્દીના પેટ સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો :-

સુરતમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર મહિલાઓ ઘાતક હથિયારો લઈ તૂટી પડી

0

In Surat, the women attacked

  • ધારદાર હથિયાર અને લાકડીના ફટકા વડે હુમલો કરતા મનપાના  SRP  સિક્યુરિટી જવાનને ઈજા થઇ હતી. હુમલો કર્યા બાદ ઢોર માલિકો પોતાના ઢોર છોડાવી નાસી છૂટયા હતા. મનપાના કર્મચારીઓએ ગોડાદરા પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોધાવી.

સુરત (Surat)ના ગોડાદરા વિસ્તાર (Godadara Area)માં સુરત મનપા (SMC)ની દબાણખાતાની ટીમ પર ઢોર માલિકો અને મહિલાઓએ મળીને હિંસક હુમલો કર્યો હતો. મનપાની ટીમ જ્યારે ઢોર પકડવા ગઈ હતી તે દરમિયાન મનપાના કર્મચારીઓ પર હથિયારો વડે હુમલો (Assault with weapons) કરતા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. આ હુમલામાં મહિલાઓ પણ હાથમાં હથિયારો લઇને મનપાની ટીમના કર્મચારીઓ પર તુટી પડી હતી.

સુરત મહાનગર પાલિકાની ઢોર પકડવા જતી ટીમ પર અવારનવાર હુમલાની ઘટનાઓ સુરતમાં સામે આવતી રહે છે તેવામાં સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા સંતનું ચાર રસ્તા પર મનપાની ટીમ પર હુમલો થયો હોવાની ઘટના બની હતી. સુરત મહાનગર પાલિકાની દબાણખાતાની રસ્તે રખડતા ઢોર પકડતી ટીમ રોડ પર રખડતા ઢોરને પકડવા માટે ગઈ હતી. મનપાની ટીમે સંતનું ચાર રાસ્ત પર ઢોર પકડીને મનપાના વાહનમાં ચડાવી રહ્યા હતા તે દરમ્યાન ઢોરના માલિકો એ ત્યાં પહોંચી બબાલ કરી હતી.

જોતજોતામાં મહિલાઓ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ઢોરના માલિકોએ મહિલાઓને આગળ કરી પોતાના ઢોર છોડાવતા હતા તે દરમ્યાન SRP સિક્યોરિટી જવાન તેમને રોકવા જતા તેમના પર હુમલો કરાયો હતો. ત્યાર બાદ મનપાના કર્મચારીઓ વચ્ચે પડતા તેમના પર પણ હુમલો કરાયો હતો. એટલું જ નહીં આ દરમિયાન મહિલાઓના હાથમાં લાકડીઓની સાથે દારદાર હથિયારો પણ હતા. સાથે જ મહિલાઓએ આ ધારદાર હથિયાર અને લાકડીના ફટકા વડે હુમલો કરી મનપાના SRP સિક્યુરિટી જવાનને ઇજા પણ પહોંચાડી હતી.

હુમલો કર્યા બાદ ઢોર માલિકો પોતાના ઢોર છોડાવી નાસી છૂટયા હતા. મનપાના કર્મચારીઓએ ગોડાદરા પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ કરી હતી. હાલ ગોડાદરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. જોકે આ પ્રકારની ઘટના પહેલી વખત સામે નથી આવી.

ભૂતકાળમાં ઢોર પકડવા ગયેલી મહાનગરપાલિકાની ટીમો પર હુમલા થઈ ચૂક્યા છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ્યા છતાં પણ આ પ્રકારના હુમલા કાયમી થાય છે. જોકે હવે પશુપાલકો મહિલાઓને આગળ ધરીને પોતાના ઢોર છોડાવતા હોય છે.

આ પણ વાંચો :-

8 વેરિએન્ટ્સમાં લોન્ચ થશે અલ્ટો K10, આટલું પાવરફૂલ હશે એન્જીન, જાણો ખૂબીઓ

0

Alto K10 will be launched

  • મારૂતિ અલ્ટો K10 સ્ટાડર્ડ, સ્ટાડર્ડ (O), LXI, LXI (O), VXI, VXI(O), VXI+ અને VXI+ (O) વેરિએન્ટમાં લોન્ચ થશે. નવી અલ્ટો ફક્ત વેરિએન્ટમાં અલગ નહી પરંતુ સાઇઝ અને ડાઇમેંશનના મામલે પણ અલગ હશે.

મારૂતિ સુઝુકી (Maruti Suzuki) પોતાની નવી જનરેશન અલ્ટો કાર આ મહિને લોન્ચ કરવાની છે. કંપની આ એન્ટ્રી લેવલ હેચબેક કાર બે અલગ એન્જીન ઓપ્શનમાં લોન્ચ કરશે. K10 માં 1.0 લીટર મોટર પાવરવાળું એન્જીન લાગેલું છે. આ તમામ જાણકારીઓ ઉપરાંત વધુ એક વાત આ નવી જનરેશન મારૂતિ અલ્ટોને લઇને સામે આવી છે. એપ્રૂવલ સર્ટિફિકેટના અનુસાર હવે નવી અલ્ટો 8 વેરિએન્ટમાં લોન્ચ થશે.

ઓટો વેબસાઇટ રશ લેનના અનુસાર મારૂતિ અલ્ટો K10 સ્ટાડર્ડ, સ્ટાડર્ડ (O), LXI, LXI (O), VXI, VXI(O), VXI+ અને VXI+ (O) વેરિએન્ટમાં લોન્ચ થશે. નવી અલ્ટો ફક્ત વેરિએન્ટમાં અલગ નહી પરંતુ સાઇઝ અને ડાઇમેંશનના મામલે પણ અલગ હશે.

શું થશે કારના નવા ડાઇમેંશન :

એપ્રૂવલ સર્ટિફિકેટ દ્રારા સ્પષ્ટ થઇ રહ્યું છે કે નવી અલ્ટોની સાઇઝ જોનીની તુલનામાં અલગ હશે. કારની લંબાઇ 3530mm, પહોળાઇ 1490mm અને ઉંચાઇમાં 1520mm હશે. આ ઉપરાંત વ્હીલબેસની વાત કરીએ તો 2380mm હશે. અલ્ટો કારનું કુલ વજન 1150 કિલોગ્રામ છે. અલ્ટો K10 માં 998CC નું એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 5 હજાર RPM પર 66 BHP ની તાકાત જનરેટ કરશે. આ એન્જીન મેન્યુઅલ અને ઓટોમેટિક બંને વર્જનમાં મળશે. બંને જ 5 સ્પીડ ફેરની સાથે હશે.

ક્યારે ઉઠશે પડદો ?

અત્યાર સુધીની જાણકારી અનુસાર મારૂતિ સુઝુકી નેકસ્ટ જનરેશન અલ્ટોને 18 ઓગસ્ટના રોજ દેશ સ્મક્ષ રજૂ કરવામાં આવશે. કંપની 18 ઓગસ્ટના રોજ આ કારની વધુ જાણકારીઓ રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

 તંત્રની ઘોર બેદરકારીને લીધે બાળકી ખાબકી ભૂગર્ભ ગટરમાં અને લેવાયો માસુમનો જીવ

0

Due to the gross negligence

  • દુર્ભાગ્યવશ કલાકોની જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઈ નથી. પાલિકાની ઘોર બેદરકારીએ એક સાત વર્ષની બાળકીનો જીવ લીધો હતો.

રાજ્યમાં બાળકો ખુલ્લા બોર કે ગટરોમાં ગરકાવ (Clogging in drains) થવાના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે વિસનગરના (Visanagar) શુકન હોટલ આગળ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં 7 વર્ષની બાળકી ખાબકી હતી. રાજ્યના આરોગ્ય મંત્રીના નિવાસસ્થાન નજીક આ ઘટના બની હતી. બાળકીને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન (Rescue operation) હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ કલાકોની જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઈ નથી. પાલિકાની ઘોર બેદરકારીએ એક સાત વર્ષની બાળકીનો જીવ લીધો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આરોગ્યમંત્રીના નિવાસ સ્થાનેથી થોડે દૂર શુકન હોટલ આગળ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં 7 વર્ષની બાળકી ગટરની લાઈનમાં ફસાઈ હતી. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યૂ કામગીરી હાથ ઘરવામાં આવી હતી. જો કે બે કલાકની ભારે જહેમત બાદ બાળકીને બચાવી શકાઈ નથી.

ભૂગર્ભ ગટરમાં બાળકીની હાલત ગંભીર થતી જઈ રહી હતી. અંતે પાલિકાના પાપે માસૂમે પોતાનો જીવ ખોયો હતો. આ ઘટનામાં બાળકીને બહાર કાઢીને તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ઘટનાને પગલે લોકોના ટોળે ટોળાં વળ્યાં હતા અને બાળકીને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. બાળકી વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બાળકીને શોધવા પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામો લાગી હતી. એટલું જ નહીં જેસીબી ઉપરાંત એક ક્રેઈન, 108 અને ફાયર વિભાગે પણ ભારે જહેમત ઉઠાવી હતી.

ફાયરની ટીમે બાળકીને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. વરસાદ ચાલુ હોવાથી ગટર લાઈનમાં ફૂલ પાણી ચાલુ હતું તેમ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. છેલ્લા બે કલાકથી બાળકી ફસાઈ હતી, જે અંતે મળી આવી હતી. ઘટનાને પગલે રોડ તોડવાની પણ કામગીરી કરવામાં આવી હતી. જો કે સમગ્ર ઘટનાને પગલે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી.

આ પણ વાંચો :-

06 ઓગસ્ટ 2022, બજરંગબલીની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય હીરાની જેમ ચમકી ઉઠશે

06 August 2022 Gujarat Guardian

મેષ :
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભ :
આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુન :
વાહનસુખ મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂ રહે.

કર્ક :
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય.  પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત સત્રુઓથી સાવધ રહેવું.

સિંહ :
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાય.

કન્યા :
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેન થી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલા :
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપશ્ન તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિક :
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધન :
નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર :
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃ‌િધ્ધ‌ થાય.

કુંભ :
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય.અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીન :
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપાર વાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે.

આ પણ વાંચો :

રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારોમાં વરસશે સાંબેલાધાર

0

Heavy to very heavy rain forecast

  •  પાંચમી તારીખે એટલે આજે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છ, જામનદર, અરરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, ખેડા, દાહોદ અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં (Gujarat weather) ફરીથી 48 કલાક ભારેથી અતિભારે (Heavy to very heavy) વરસાદની આગાહી (weather forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીએ (Manorama Mohanty) રાજ્યના હવામાન (Weather forecast) અંગે આગાહી કરી છે. તેમણે જ્ણાવ્યું છે કે રાજ્યમાં 48 કલાકમાં કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં આવતા 24 કલાકમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

પાંચમી તારીખે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છ. જામનદર, અરવલ્લી, ગીર, સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, ખેડા, દાહોદ અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છઠ્ઠી તારીખે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહીની શક્યતા નથી. પરંતુ કચ્છ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમી તારીખે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

આઠમી તારીખે જુનાગઢ, ગીર સોમનાથ નવસારી વલસાડ ડાંગમાં અતિભારેથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી છે.

નવમી તારીખે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, મહિસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

માતા માટે બે પુત્રો એવા બાખડ્યા કે, કોર્ટે 86 વર્ષની માતાને હાજર રહેવા કર્યો આદેશ

0

The court ordered the 86-year

  • મોટા ભાઈએ આ વાતનો વિરોધ કર્યો હતો અને તેણે તેના નાના ભાઈ સામે FIR કરી હતી. નાના પુત્રએ આરોપ મૂક્યો છે કે, મોટા ભાઈએ સંપત્તિના વિવાદના કારણે તેનો વિરોધ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) મંગળવારે એક વ્યક્તિને પોતાની 86 વર્ષીય માતાને બુધવારે કોર્ટમાં લાવવાનો આદેશ આપ્યો છે. નાના ભાઈએ ફરિયાદ કરી હતી કે, મોટા ભાઈએ ગેરકાયદાકીય (Illegal) રીતે માતા પિતાને પોતાની પાસે રાખ્યા છે. મોટા ભાઈ અન્ય ભાઈ બહેનોને તેના માતા પિતાને મળવા દેતો નથી અને હાલમાં તે વાડજમાં (Wadge) રહે છે.

મંગળવારે મોટા પુત્રને તેની માતાને કોર્ટમાં લાવવાનો આદેશ આપ્યો છે. મોટા પુત્રએ કોર્ટમાં અનેક પ્રકારના બહાનાઓ બતાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેની માતાની તબિયત સારી નથી અને તે કોર્ટમાં આવી નહીં શકે. કોર્ટે આદેશ આપ્યો છે કે, માતાને કોઈપણ કિંમતે કોર્ટમાં રજૂ કરવામાં આવે. જો જરૂર પડે તો તેમને ડોકટર સાથે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવે.

જજે જણાવ્યું હતું કે, જો વૃદ્ધ મહિલાને નેબ્યુલાઈઝર સાથે લાવવામાં આવે છે, તો કોર્ટ મહિલા સાથે થોડો સમય વાત કરવા ઈચ્છે છે. કોર્ટ તે મહિલાની ઈચ્છા જાણવા માંગે છે કે શું તે મોટા પુત્ર સાથે રહેવાની ઈચ્છા ધરાવે છે.

કોર્ટે પિતાને કોર્ટમાં રજૂ કરવા અંગે વધુ ભાર આપ્યો નથી. અરજીકર્તાના પિતા કેન્સરથી પીડિત છે અને તેમને લકવો છે. ઉપરાંત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. જજે અરજીકર્તા નાના પુત્રએ કરેલ દાવાને વેરિફાઈ કરવા માટે માતાને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. નાના ભાઈએ મોટા ભાઈ પર આરોપ મુક્યો છે કે તે તેના માતા પિતાને મળવા દેતો નથી અને તેમને ફોન પર સ્વતંત્ર રીતે વાત કરવાની મંજૂરી પણ આપી નથી.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

વર્ષ 2019માં માતા પિતા મોટા પુત્ર સાથે જૂનાગઢમાં રહેવા માટે જતા રહ્યા હતા. માતા પિતાને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવતા તેમને પરત લાવવામાં આવ્યા હતા. મોટા ભાઈએ આ વાતનો વિરોધ કર્યો હતો અને તેણે તેના નાના ભાઈ સામે FIR કરી હતી. નાના પુત્રએ આરોપ મૂક્યો છે કે, મોટા ભાઈએ સંપત્તિના વિવાદના કારણે તેનો વિરોધ કર્યો હતો.

જાન્યુઆરીમાં માતા-પિતા ફરી પોતાના મોટા પુત્ર પાસે રહેવા માટે જતા રહ્યા, ત્યાં સુધીમાં તેમનો મોટો પુત્ર અમદાવાદ શિફ્ટ થઈ ગયો હતો. નાના પુત્રએ દાવો કર્યો છે કે, તેણે અનેક વાર માતા-પિતા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ માતા પિતાને વાત કરવા માટે મંજૂરી આપવામાં ન આવી. તે એકવાર અભયમ્ હેલ્પલાઈનની મદદથી તેમના માતા-પિતાને મળ્યા હતા.

નાના ભાઈએ મોટા ભાઈ પાસેથી તેના માતા-પિતાને છોડાવવા માટે પોલીસ સહિત અનેક અધિકારીઓને અરજી કરી હતી. નાના ભાઈએ વડોદરામાં પણ મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવાનો પ્રયત્ન કર્યો પરંતુ સર્ચ વોરંટ મળ્યું ન હતું.

આ પણ વાંચો :-