Home Blog Page 1356

સરકારે કહ્યું એક એરબેગની કિંમત 800 રૂપિયા, કંપનીઓ શા માટે 15,000 રૂપિયા વસૂલે છે ?

0

The government said that the price

  • મારૂતિના ચેરમેન આર.સી. ભાર્ગવે જૂન મહિનામાં કહ્યું હતું કે, જો 6 એરબેગ્સ લગાવવામાં આવશે તો તેમની સસ્તી ગાડીઓ મોંઘી થઈ જશે.

સરકાર ફોર વ્હીલર્સમાં સેફ્ટી (Safety in Four Wheelers) ફીચર્સ મામલે ખૂબ જ સક્રિય જણાઈ રહી છે. દેશમાં માર્ગ અકસ્માત દરમિયાન થતાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવા માટે સરકાર એક મહત્વનો નિર્ણય લેવાની છે. ટૂંક સમયમાં જ સરકાર દરેક કારમાં 6 એરબેગ (Air Bag) ફરજિયાત કરી દેવાની છે. આગામી મહિનાઓમાં તે અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. ઓટો કંપનીઓ (Auto Company) માટે આ નિયમ ક્યારથી લાગુ થશે તે અંગે સરકારે સંસદમાં જવાબ આપ્યો હતો.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કારમાં 6 એરબેગ ક્યારથી ફરજિયાત કરાશે તેવો સવાલ કર્યો હતો. તેના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સરકાર આ પ્રસ્તાવ અંગે વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેને લાગુ કરવામાં આવશે તેમ કહ્યું હતું.

 એક એરબેગની કિંમત 800 રૂપિયા, કંપનીઓ શા માટે 15,000 રૂપિયા લઈ રહી છે ?

નિતિન ગડકરીએ સદનમાં કારમાં લગાવવામાં આવતી એરબેગની કિંમત પણ જણાવી હતી. તેમણે જણાવ્યું કે, એક એરબેગની કિંમત માત્ર 800 રૂપિયા છે તો કંપનીઓ શા માટે તેના 15,000 રૂપિયા લઈ રહી છે? વધુમાં જણાવ્યું હતું કે, એક એરબેગની કિંમત 800 રૂપિયા છે અને 4 એરબેગનો ખર્ચો 3,200 રૂપિયા થાય છે.

સાબરકાંઠામાં ભારે વરસાદ, હિંમનગર હાઈવે પર ભરાયા પાણી, જોઈ લો વીડિયો ..

તેના સાથે અમુક સેન્સર અને સપોર્ટિંગ એસેસરીઝ ઈન્સ્ટોલ કરવામાં આવે તો એરબેગનો ખર્ચો 500 રૂપિયા જેટલો વધી શકે છે. આ હિસાબથી એક એરબેગ લગાવવાનો ખર્ચો 1,300 રૂપિયા અને 4 એરબેગ લગાવવાનો ખર્ચો 5,200 રૂપિયા થાય. તો કંપનીઓ તેનો ખર્ચો 60,000 રૂપિયા શા માટે ગણાવી રહી છે?

મારૂતિના ચેરમેને ગણાવ્યો 60,000 રૂપિયાનો ખર્ચો :

મારૂતિના ચેરમેન આર.સી. ભાર્ગવે જૂન મહિનામાં કહ્યું હતું કે, જો 6 એરબેગ્સ લગાવવામાં આવશે તો તેમની સસ્તી ગાડીઓ મોંઘી થઈ જશે. જો નાની ગાડીમાં પણ 6 એરબેગ લગાવવામાં આવે તો તેની કિંમત 60,000 રૂપિયા જેટલી વધી જશે તેમ કહ્યું હતું.

ગાડીઓમાં પહેલેથી જ 2 એરબેગ આવે છે. વધારાની 4 એરબેગ લગાવવાનો ખર્ચો 60,000 એટલે પ્રતિ એરબેગ 15,000 રૂપિયાનો ખર્ચો આવે. ઉલ્લેખનીય છે કે, હાલ કારમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે એરબેગ ફરજિયાત છે. હવે સરકાર પાછળની સીટ પર બેસનારા પેસેન્જર્સ માટે પણ એરબેગ ફરજિયાત કરવાની છે.

આ પણ વાંચો :-

 

 

અરે બાપ રે ! આ જીલ્લામાં આવી ચઢેલા મહાકાય રિએક્ટરને પાર કરવા બનાવાયો 4 કરોડનો બ્રિજ, 10 દિવસથી કેનાલનું પાણી બંધ રાખવામાં આવ્યું

0

Oh my God ! 4 crore bridge built

  • પહેલીવાર એવુ જોવા મળ્યુ કે કોઈ મહાકાય મશીનને પાર કરવા માટે 4 કરોડનો બ્રિજ બનાવવો પડ્યો, અને 10 દિવસથી કેનાલનુ પાણી બંધ કરાયું.

ભરૂચના (Bharuch) દહેજથી રાજસ્થાન (Rajasthan) મોકલાઈ રહેલા બે મહાકાય રિએક્ટર (Reactor) બનાસકાંઠા પહોંચ્યા છે. થરાદમાં છેલ્લા 20 દિવસથી મહાકાય રિએક્ટર પડ્યા રહેતા લોકો આખરે નિહાળવા પહોંચ્યા. આ મહાકાય રિએક્ટર 200 કિલોમીટર અંતર કાપી સાત મહિને થરાદ પહોંચ્યા છે. HPCLના મેઘા ટ્રાન્સપોર્ટસ્ટેશનની (Transport Station) ટીમ દ્વારા આ મહાકાય રિએક્ટરને રાજસ્થાનના બાડમેર પહોંચાડવામાં આવશે. આ બંને મહાકાય રિએક્ટરોને થરાદની (Tharad) નર્મદા કેનાલ ઉપરથી પસાર કરવું મુશ્કેલ બન્યું છે.

કારણ કે નર્મદા કેનાલનો પુલ 400 ટન વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે હવે આ રિએક્ટરને પસાર કરવા મોટી જહેમત દહેજ સ્થિત ઇઝેક હીટાચી જોસેન લિમિટેડ કંપની દ્વારા ઉપાડવામાં આવી છે. આ માટે થરાદમાં નર્મદાની કેનાલ ઉપર હાલ તો કામચલાઉ બ્રિજ બનાવવા 300 ટન વજનની 25 મીટર ઊંચી ક્રેનની મદદ લેવાઈ રહી છે. દહેજથી રાજસ્થાન મોકલાવી રહેલા બે રિએક્ટરોને નુકસાન ન પહોંચે તે રીતે નવો લોખંડનો બ્રિજ નર્મદા કેનાલ ઉપર બનાવી 12 ઓગસ્ટે પસાર કરવામાં આવશે. અંદાજિત 4 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવી આ રિક્ટરને પસાર કરવામાં આવશે. જો કે આ મશીનને દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ખર્ચ 20 કરોડ આવવાનો છે.

થરાદ આવીને અટકી પડ્યુ રિએક્ટર :

દહેજ સ્થિત કંપનીમાં બનાવેલ બે મોટા ભારે ભરખમ રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરની પચપદ્રા રિફાઇનરી કંપનીમાં બાયરોડ લઈ જવામાં આવી રહ્યા છે. જે ભારેખમ રીએક્ટર્સ થરાદ ખાતે પહોંચતા થરાદના નર્મદા કેનાલ પરથી પસાર ન થઈ શકતા ત્યાં જ અટકી પડ્યા છે.

No description available.

થરાદની નર્મદા કેનાલમાં 12 દિવસ પાણી બંધ રખાઈ કેનાલ ઉપર 4 થી સવા ચાર કરોડના ખર્ચે 300 ટનનો લોખંડના સ્ટ્રક્ચરનો ફોલ્ડિંગ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જે બ્રિજ બન્યા બાદ બે રિએક્ટર્સને તેના ઉપરથી પસાર કરીને રાજસ્થાન લઈ જવાશે.

મશીનને રાજસ્થાન પહોંચાડવાનો ખર્ચ 20 કરોડ  :

દહેજ સ્થતિ ઇઝેક હીટાચી જોશેન લિમિટેડ કંપની દ્વારા નિર્માણ પામેલા આ બે મહાકાય રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરમાં આવેલી પચપદ્રાની રિફાઇનરીમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેને લઈને આ બે મહાકાય મશીનરીની ટ્રાન્સપોર્ટેશન જર્ની ખૂબ જ ચેલેન્જ ભરી રહી છે. આ મહાકાય રીએક્ટર્સને અત્યાર સુધી 200 કિમીનું અંતર કાપતા 7 મહિના લાગ્યા છે.

આ રીએક્ટર્સને ડિસેમ્બર 2021માં દહેજ થી શીપ દ્વારા રવાના કરી મુન્દ્રા લાવવામાં આવ્યાં હતાં. જ્યાંથી 7 મહિના પહેલા મુન્દ્રાથી બાય રોડ રવાના કરાયા હતા. જેને મુંદ્રા થી થરાદ આવતા 7 મહિના લાગ્યા છે. જેના માટે અલગથી 28 બાયપાસ રોડ બનાવવામાં આવ્યા હતા. જે રીએક્ટર્સ સાથે 50 માણસોની ટીમ હાજર હોય છે. જેમાં કંપનીના એન્જિનિયરો, મિકેનિકલ, લોજિસ્ટિક તેમજ ક્વોલિટી કંટ્રોલ ટીમના સભ્યો સામેલ છે.

જોકે હવે આ હેવી મશીનરી થરાદ ખાતે પહોંચતા થરાદનો નર્મદા પુલ પસાર કરવા માટે કંપનીના એન્જીનિયરો અને ટેક્નિશનો માટે એક મોટો પડકાર સામે આવીને ઉભો થતાં આ મહાકાય મશીનોને અહીં જ રોકી દેવામાં આવ્યા છે.

હાલ થરાદ સુધી પહોંચેલા બન્ને રીએક્ટર્સને હવે નર્મદા કેનાલ પાર કરાવવાની છે. થરાદના નર્મદા કેનાલ પરના પુલની ક્ષમતા 400 ટન વજન વહન કરવાની છે. જ્યારે આ એક રીએક્ટરનું વજન 760 મેટ્રિક ટન અને બીજાનું 1148 મેટ્રિક ટન વજન છે. જેથી નર્મદાનો પુલ તેનું વજન ન સહન કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા હવે એન્જિનિયરો દ્વારા 4 કરોડના ખર્ચે નર્મદા કેનાલ ઉપર 300 ટન વજનનો લોખંડનો ફોલ્ડિંગ પુલ બનાવવામાં આવી રહ્યો છે. જેને લઈને નર્મદા કેનાલનું પાણી 12 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. લોખંડના બ્રિજનું કામ રાતદિવસ કરાઈ રહ્યું છે. જોકે મશીનનો દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અંદાજે 20 કરોડ આવશે.

12 દિવસથી કેનાલનું પાણી બંધ કરાયું  :

ફોલ્ડિંગ સ્ટ્રક્ચરના મુખ્ય પાંજરા જ 25 ટન વજન ધરાવે છે. નર્મદા કેનાલ ઉપર પુલ બનાવવા માટે 300 ટન અને 50 ટનની ક્ષમતા ધરાવતી બે ક્રેનની મદદથી કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જેનું વજન 350 ટન અને ઊંચાઈ 25 મીટર છે. કેનાલ ઉપર બની રહેલા લોખંડના બ્રિજની બંને સાઈડ પર ડબ્લ્યુ એમ એમ મટીરીયલ નાંખીને રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે.

મહાકાય રીએક્ટરને કેનાલ પાર કરાવવા 12 દિવસ માટે નર્મદા કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે થરાદ, વાવ અને રાજસ્થાનના છેવાડાના ગામડાઓને પીવાના પાણીની હાલ પૂરતી હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે કેનાલ ઉપર લોખંડનો ફોલ્ડિંગ બ્રિજ બન્યા બાદ બંને રીએક્ટરોને કેનાલ પાર કરાવવામાં આવશે. જોકે રાજસ્થાનના બાડમેરની પચપદ્રા રિફાઇનરી સુધી આ રીએક્ટરો પહોંચાડવા હજુ કેટલો સમય લાગશે તે નક્કી નથી પરંતુ ત્યાં સુધી પહોંચાડવાનો અંદાજીત ખર્ચ 20 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

આ પણ વાંચો :-

અજીબ કિસ્સો : સાપ કરડવાથી મોટા ભાઈનું મોત, અંતિમ સંસ્કાર માટે આવેલા નાના ભાઈને પણ સાપે ડંખ માર્યો થયું મોત

0

Strange case: Elder brother died

  • નાનો ભાઈના મોટા ભાઈના અંતિમ સંસ્કાર કરવા માટે લુધિયાણાથી ગામમાં આવ્યો હતા. અંતિમ સંસ્કાર બાદ તે ગામમાં જ રોકાયો હતો. જ્યા રાત્રે તેને પણ સાપ કરડ્યો હતો.

કહેવાય છે કે ને કે વિધિના વિધાન ઉપરથી લખાઈને આવે છે. ગમે તે ભોગે કાળ તમને તે તરફ નોતરી જ દે છે. મોટા ભાઈની અંતિમ વિધિ માટે દૂરથી આવેલ નાના ભાઈને પણ રાત્રે સૂતી વખતે સાપે જ ડંખ (Snake Bite)માર્યો હતો. તેની તબિયત બગડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું પણ અકાળે મૃત્યુ થયું હતું. 24 કલાકમાં સર્પદંશ એટલે કે સાપના (Snake) ડંખવાથી બે સગા ભાઈઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બલરામપુર (Balrampur) જીલ્લામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. લાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભવનિયાપુર ગામમાં ઝેરી સાપના ડંખથી બે સગા ભાઈઓના મોત થયા હતા. લુધિયાણા (Ludhiana)માં રહેતો એક ભાઈ બીજા ભાઈના અંતિમ સંસ્કાર કરવા ગામમાં આવ્યો હતા. અંતિમ સંસ્કાર બાદ તે ગામમાં જ રોકાયો હતો.

આ ગમખ્વાર ઘટના લાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભવનિયાપુર ગામની છે. ઘટના અંગે પોલીસ સ્ટેશનના સીઓ રાધા રમણ સિંહે જણાવ્યું કે, 2 ઓગસ્ટના રોજ અરવિંદ મિશ્રા (38)ને સાપે ડંખ માર્યો હતો. તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ત્યાંથી તેને બહરાઈચ રીફર કરવામાં આવ્યો. જોકે બહરાઈચમાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું.

જુઓ વિડીયો : ગુજરાતના ખેડૂતો હવે ડ્રોનથી દવાનો કરી શકશે છંટકાવ, સરકાર

આ દરમિયાન અરવિંદ મિશ્રા (Arvind Mishra)ના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા બુધવારે લુધિયાણાથી અહીં પહોંચેલા તેના નાના ભાઈ ગોવિંદ મિશ્રા (32) અને તેમના સંબંધી ચંદ્રશેખર પાંડે અંતિમ સંસ્કાર પછી ગામમાં ઘરે જ રોકાયા હતા.

પોલીસે જણાવ્યું કે, બુધવારે રાત્રે સૂતી વખતે ઝેરી સાપે ગોવિંદ મિશ્રા અને ચંદશેખર પાંડે (Chandrashekhar Pandey)ને પણ ડંખ માર્યો હતો. તેમની પણ તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગોવિંદ મિશ્રાનું મૃત્યુ થયું હતું. ગોવિંદ મિશ્રાના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post Mortem) માટે મોકલવામાં આવ્યો છે જ્યારે ચંદ્રશેખર પાંડેની હાલત હજી નાજુક છે.

ઘટનાની જાણ થતાં ચીફ મેડિકલ ઓફિસર (CMO) અને વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં ધારાસભ્ય કૈલાશ નાથ શુક્લાએ મૃતકના પરિજનોને મળ્યા અને તેમને સાંત્વના આપી અને સરકાર તરફથી આર્થિક મદદ‌ની ખાતરી પણ આપી છે.

આ પણ વાંચો :-

હવે બિહારમાં રાજકીય ઉથલપાથલ, 48 કલાક મહત્વના, તૂટી શકે છે BJP-JDU ગઠબંધન !

0

Now the political upheaval in Bihar

  • રાજ્યના શિક્ષણ મંત્રી અને જેડીયુ નેતા વિજયકુમાર ચૌધરીએ કહ્યું કે અમે નરેન્દ્ર મોદી કેબિનેટમાં સામેલ થશું નહીં. જેડીયુને ભાજપ પાસેથી સન્માનની આશા હતી પરંતુ એવું થયું નહીં. આથી અમે નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય બિહારમાં ભાજપ સાથે ગઠબંધનને પ્રભાવિત કરશે નહીં.

બિહારના (Bihar) રાજકારણ માટે આગામી 48 કલાક મહત્વના છે. મુખ્યમંત્રી નીતિશકુમાર (Chief Minister Nitish Kumar) એકવાર ફરીથી પલટી મારીને મહાગઠબંધનના સાથી બની શકે છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે પ્રદેશમાં ઝડપથી ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. એવી અટકળો છે કે ભાજપ-જેડીયુ (BJP-JDU) ગઠબંધન તૂટી શકે છે. ભાજપને બાદ કરતા તમામ મોટા પક્ષોએ વિધાયક દળની બેઠક બોલાવી છે.

કોંગ્રેસના બિહાર પ્રભારી પટણા રવાના થઈ ચૂક્યા છે. જેડીયુએ પોતાના તમામ સાંસદોને સોમવારે સાંજ સુધીમાં પટણા આવી જવા કહ્યું છે. જ્યારે કોંગ્રેસે મંગળવારે વિધાયક દળની બેઠક બોલાવી છે. બીજી બાજુ આરજેડીએ પોતાના તમામ વિધાયકોને આગામી 3-4 દિવસ સુધી પટણામાં રહેવાનો આદેશ આપ્યો છે.

2017માં મહાગઠબંધનથી અલગ થયું હતું જેડીયુ :

મંગળવારે સાંજે 6 વાગે આરજેડીએ 10 સર્ક્યુલર રોડ એટલે કે રાબડીદેવીના ઘરે વિધાયક દળની બેઠક બોલાવી છે. એવું કહેવાય છે કે આ બેઠકમાં બિહારના બદલાતા રાજકીય હાલાત પર ચર્ચા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2017માં મહાગઠબંધનથી અલગ થઈને જેડીયુ એનડીએમાં જોડાયું હતું. વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મહાગઠબંધન બન્યું હતું. ત્યારે જેડીયુએ તેમની સાથે સરકાર બનાવી હતી.

આ અગાઉ રવિવારે જેડીયુએ કહ્યું હતું કે તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે જેડીયુએ બે મંત્રીપદના માગણી કરી હતી જેને ભાજપે ફગાવી દીધી. જો કે તેમણે એ પણ કહ્યું હતું કે આ નિર્ણય બિહારમાં ભાજપ સાથેના ગઠબંધનને પ્રભાવિત નહીં કરે.

ભાજપ-જેડીયુમાં ખટાશ :

રાજ્યના શિક્ષણ મંત્રી અને જેડીયુ નેતા વિજયકુમાર ચૌધરીએ કહ્યું કે અમે નરેન્દ્ર મોદી કેબિનેટમાં સામેલ થશું નહીં. જેડીયુને  ભાજપ પાસેથી સન્માનની આશા હતી પરંતુ એવું થયું નહીં. આથી અમે નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય બિહારમાં ભાજપ સાથે ગઠબંધનને પ્રભાવિત કરશે નહીં.

ચૌધરીનું આ નિવેદન બિહારમાં જેડીયુ અને ભાજપ વચ્ચે ખટાશના સંકેત છે અને આ જ કારણ બની શકે છે કે મુખ્યમંત્રી નીતિશકુાર ભાજપ સાથે અંતર જાળવી રહ્યા છે. તેમણે દિલ્હીમાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠકમાં પણ ભાગ લીધો નહતો.

આ પણ વાંચો :-

તસ્કરોની પોલીસને ચેલેન્જ , કોર્પોરેટરના દીકરાનો ફોન અને પોલીસકર્મીનું વાહન ચોરી

Traffickers challenge

  • શહેરમાં અમરાઈવાડી વિસ્તારમાં કોર્પોરેટરના પુત્રનો ફોન ચોરી થતા પોલીસે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ એચ ડિવિઝન એસીપી ઓફિસની બાજુમાંથી જ લૂંટારુઓ મોબાઈલ ફોન લૂંટીને ફરાર થતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે.

અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police)ની દશા બેઠી હોય તેવો ઘાટ ઘડાયો છે અને તસ્કરો તથા લૂંટારુઓ (Robber) જાણે કે પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે. શહેરમાં એક સાથે મોબાઈલ ચોરી (mobile theft) અને વાહન ચોરી (vehicle theft)ની અનેક ફરિયાદો દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરમાં અમરાઈવાડી વિસ્તારમાં કોર્પોરેટરના પુત્રનો ફોન ચોરી થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ એચ ડિવિઝન એસીપી ઓફિસની બાજુમાંથી જ લૂંટારુઓ મોબાઈલ ફોન લૂંટીને ફરાર થતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ દાણીલીમડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનું વાહન ચોરી થતા તસ્કરોએ કોર્પોરેટર અને પોલીસ કર્મચારીઓને પણ બાકાત ન રાખ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. સમગ્ર બાબતે લઈને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના સરદાર નગર પોલીસ સ્ટેશનની સામેથી જ એક મહિલાના 34,000 ના દાગીના અને ફોન ચોરી કરી બે શખ્સો ફરાર થઈ જતા એરપોર્ટ પોલીસે ગુનો નોધિ તપાસ શરૂ કરી છે તો બીજી તરફ અમરાઈવાડી વિસ્તારમાં મહિલા કોર્પોરેટરના પુત્રએ મોબાઇલ ફોનની ચોરી અંગે ફરિયાદ દાખલ કરાવી છે. કોર્પોરેટર જશીબહેનનો પુત્ર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બે શખ્સોએ તેનો ફોન નજર ચૂકવી ચોરી કર્યો હતો.

જેના કારણે જશીબેનના પુત્ર એ આ અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ એસીપી ઓફિસની બાજુમાંથી જ મોબાઈલ ફોનની લૂંટ થઈ હોય તેવી ઘટના સામે આવી છે. એચ ડિવિઝન એસીપી ઓફિસની બાજુમાંથી એક યુવક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઇક પર આવેલા શખ્સો મોબાઈલ લુંટી ફરાર થઈ જતા બાપુનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

તો બીજી તરફ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સૂખાભાઈ સુસરા પોલીસ લાઈનમાં રહે છે અને તેઓ તેમનું વાહન પોલીસ લાઈનની બહાર મૂકી ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમનું વાહન ચોરી ફરાર થઈ ગયા હતા. જે મામલે હેડ કોન્સ્ટેબલએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ કારંજમાં એક હોટલની બહાર બેસીને ચા પીતા પરિવારજનોના ત્રણ ફોન નજર ચૂકવી તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ ઘટનાઓ સિવાય શહેરના વધુ અનેક પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરી અને વાહન ચોરીની ફરિયાદ નોંધાઇ છે. ત્યારે શહેર પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. એક તરફ ઇન્ચાર્જ પોલીસ કમિશનરથી શહેર પોલીસ કામગીરી કરી રહી છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી અવનવા ફતવા માટે મિટિંગ પર મિટિંગ કરી રહ્યા છે ત્યારે પોલીસ વ્યસ્ત બનતા તસ્કરો તેનો ફાયદો ઉઠાવી ગુનાનો અંજામ આપી રહ્યા છે.  ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતા શહેર પોલીસની કામગીરી ઉપર સવાલ તો થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

 

વ્યાજખોરોની ચુંગાલમા અનેક લોકોએ આપઘાત કરી લીધા હશે, પરંતુ તંત્રનો પનો કેમ ટુંકો પડે છે ?

Many people may have committed suicide

  • સરકાર ભલે ગમે તેટલી જાહેરાતો કરે પરંતુ ગરીબ, મધ્યમવર્ગી શ્રમજીવીઓને બેંકો લોન આપતી નથી અને એટલે જ વ્યાજખોરોની દુકાનો બંધ થતી નથી
  • ડ્રગ્સ અને દારૂ કરતાં વ્યાજખોરીનું દૂષણ વધુ ભયાનક છે, પરંતુ કાયદો મજબૂર લોકોને કેમ રક્ષણ આપી શકતો નથી
  • શાકભાજીનો ફેરિયો કે કટલરીનો સામાન વેચતો લારીવાળો કે ઘરમાં વેપાર કરતાં શ્રમજીવીઓના જીવનમાં ડોકિયું કરવામાં આવે તો એકપણ વ્યાજખોરોની ચુંગાલની બહાર જોવા નહીં મળે
  • શેર દલાલ પ્રવીણ કુંભાણી ગૃહમંત્રી હર્ષ સંઘવી, કોર્પોરેટર દક્ષેશ માવાણી સહિતની વગ ધરાવતો હતો છતાં આપઘાત કરવો પડ્યો! આ ઘટના જ વ્યાજખોરીનો જીવંત પુરાવો માની શકાય.

પોલીસ કમિ. અજયકુમાર તોમરના (Police Comm. Ajay Kumar Tomar) લાખ પ્રયત્નો છતાં સુરતમાં ખાનગી વ્યાજખોરીનો (Private usury) ધંધો હજુ પણ ધમધમી રહ્યો છે. જે લોકોને બેંક કે નાણાંકીય સંસ્થાઓમાંથી ધિરાણ મળવાનુ શક્ય નથી આવા સેંકડો મધ્યમવર્ગનાં લોકો માથા ફરેલા વ્યાજખોરોની (Usury) ચુંગાલમાં ફસાઈને સબડી રહ્યાં છે. વ્યાજે આપેલી રકમ ખૂબ જ નાની હોય છે, પરંતુ વ્યાજનો દર ચામડી ઉતરડી નાંખે તેવો હોય છે. વળી આ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ (Police complaint) કરવાની ભાગ્યે જ કોઈ હિંમત કરે છે. કારણ કે, પોલીસ પાસે ન્યાય મળવાની અપેક્ષા કરતાં વ્યાજખોરોનો ભય વધારે હોય છે.

આ વ્યાજખોરો એટલી હદે પહોંચેલા હોય છે કે, ઘણી વખત પોલીસ અને પોલીટિ‌િશયન પણ ખિસ્સામાં હોવાનો દાવો કરતા હોય છે. વળી બારીકાઈથી જોવામાં આવે તો પોલીસ પણ આવી ઘટનાઓમાં ગુના દાખલ કરવાનુ ટાળતી હોય છે. પરિણામે શોષણખોરો સામે ફરિયાદ કરવાની હિંમત કરનાર પણ મનવાળીને વ્યાજખોરોની શરણાગતિ સ્વીકારે છે.

નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારી બાદ કથળેલી આર્થિક વ્યવસ્થાએ મધ્યમવર્ગના અનેક લોકોને પાયમાલ કરી નાંખ્યા છે. આવકના નામે શૂન્ય અને ઘર ચલાવવા માટે નાણાંની જરૂરિયાત હોવાથી ચામડી ઉતરડી નાંખતા વ્યાજખોરોના શરણે ગયા વગર છુટકો નથી. બેંકમાંથી લાખો, કરોડોનું ધિરાણ મેળવનાર ‘નાદારી’ નોંધાવી શકે, પરંતુ ખાનગી વ્યાજખોરો સામે ‘નાદારી’ નોંધાવવી એટલે મોત કરતા પણ બદ્‍તર હાલત થાય છે અને આખરે વ્યાજખોરોની ચુંગાલમાંથી છુટકારો મેળવવા માટે મજબૂર વ્યક્તિ પાસે ‘આપઘાત’ સિવાય કોઈ જ માર્ગ રહેતો નથી. વળી, વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરનારા પૈકી મોટાભાગની ઘટનાની નોંધ સુદ્ધા લેવામાં આવતી નથી. કારણ ગરીબ, મધ્યમવર્ગના મજબૂર માણસના આપઘાતનું કારણ જાણવાની કોને પડી હોય?

પરંતુ આપઘાત કરનાર વ્યક્તિના પરિવારમાં ડોકિયું કરવામાં આવે તો જ આપઘાત પાછળનું દર્દ સમજી શકાય.
સુરતના યુવા ધારાસભ્ય અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અત્યંત સંવેદનશીલ વ્યક્તિ છે. કોઈની બહેન-દિકરીનું અપહરણ કે કોઈ ગરીબ વ્યક્તિના આપઘાતની ઘટનાને લઈને તેમનો આત્મા દ્રવી ઊઠે છે. પરંતુ રાજસત્તાની ગલીયારીમાં તેમની માનસિક સ્થિતિ બદલાઈ હશે અથવા તો રાજ્યમાં બનતી મજબૂર લોકોના આપઘાતની ઘટનાઓ તેમના સુધી પહોંચતી પણ નહીં હોય, પરંતુ પ્રત્યેક આપઘાત પાછળના દર્દનું ‘પોસ્ટમોર્ટમ’ કરવામાં આવે તો ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગી પરિવારોમાં ખદબદતી શોષણની અનેક ઘટનાઓ બહાર આવશે.
સાથે મજબૂર લોકોનું આર્થિક સહિત શારીરિક શોષણ થઈ રહ્યું હોવાના બિહામણા દૃશ્યો સામે આવશે. આવા પૃથ્થકરણમાંથી સરકારની ખરેખર નિયત હશે તો ગુજરાતના સામાન્ય જનજીવનની ભીતરમાં ખદબદતા શોષણના દાવાનળનો કોઈ કાયદાકીય ઉપાય શોધવાનો રસ્તો મળી જશે. અન્યથા આપઘાતની અનેક ઘટનાઓ પોલીસના દફતરે નોંધાઈને ભૂતકાળમાં ભંડારાઈ જશે.

ગુજરાતમાં ડ્રગ્સ અને શરાબને નિયંત્રણમાં લાવવા પગલાં ભરી શકાતા હોય તો ડ્રગ્સ અને શરાબ કરતા પણ ભયાનક ‘વ્યાજખોરી’ના દુષણને કેમ નાબૂદ કરી શકાય નહીં. દારૂ અને ડ્રગ્સની માફક વ્યાજખોરીનો ધંધો પણ ખાનગી નથી. જાહેરમાર્ગો ઉપર ઊભા રહીને શાકભાજી વેચતા લારીવાળા કે શહેરમાં ફરીને કટલરીનો સામાન વેચતા ફેરિયાઓ કે ઘરમાં પરચુરણ વેપાર કરતી ગૃહિણીઓના જીવનમાં ડોકિયું કરવામાં આવશે તો વ્યાજખોરોનો બિહામણો ચહેરો નજર સામે તરી આવશે. શાકભાજીવાળાને સવારે ૯૦ રૂપિયા આપીને સાંજના ૧૦૦ રૂપિયા વસૂલી લેતા વ્યાજખોરો હવે ખાનગી રહ્યાં છે. કારણ કે, રોજનું કમાઈને રોજ ખાનારાઓને બેંક ધિરાણ આપવાની નથી. સરકાર ભલે મોટી મોટી જાહેરાતો કરતી હોય પરંતુ બેંકમાં લોન લેવા જાવ ત્યારે ખબર પડે કે લોન લેવાનું કામ આસાન નથી. અને એટલે જ હાથવગુ સાધન વ્યાજખોરો જ હોય છે. બલ્કે, ગરીબો, મધ્યમવર્ગીઓ માટે આ અનિવાર્ય ન્યુસન્સ છે.

ખેર, આજે કતારગામ વિસ્તારમાં રહેતાં શેરદલાલે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આ પ્રવીણ કુંભાણી નામનો શેર દલાલ ભાજપના કોર્પોરેટર દક્ષેશ માવાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચવાની વગ ધરાવતો હતો અને છતાં આપઘાત કરવો પડ્યો. આનાથી કઈ મોટી વિટંબણા હોઈ શકે? પ્રવીણ કુંભાણીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી એટલે વ્યાજખોરીની ઘટના સામે આવી અન્યથા આવા ઘણાં લોકો મજબૂરીવશ આપઘાત કરી લેતા હશે. જેની પોલીસ સહિત કોઈ નોંધ સુદ્ધા પણ લેતુ નહીં હોય.

પોલીસ કેટલી હદે ફરિયાદ લેવાનુ ટાળે છે તેનું થોડા દિવસ પહેલાનુ જ એક જીવંત ઉદાહરણ છે. મોટાવરાછા વિસ્તારમાં એક બિલ્ડરે ફેબ્રિકેશન કામની મજુરી પેટે એક ફે‌બ્રિકેટર્સને ફ્લેટ જમામાં આપ્યો અને ફેબ્રિકેટર્સ આ ફ્લેટ અન્ય પાર્ટીને બિલ્ડરની સંમતિ સાથે વેચીને પોતાની મજુરી પેટેના નાણાં વસુલી લીધાં.

પરંતુ માની શકાય નહીં તેમ છતાં આ બિલ્ડરે ફ્લેટ ખરીદનારની જાણ બહાર બીજી વ્યક્તિને ફ્લેટનો દસ્તાવેજ કરી આપ્યો અને ફ્લેટ ખરીદનારે ફ્લેટ ગીરવે મુકીને બેંકમાંથી લોન પણ લઈ લીધી! પરંતુ હપ્‍તા નહીં ભરતા બેંકવાળા ઘરને સીલ મારવા અને લોનના હપ્‍તાની ઉઘરાણી કરવા ગયા ત્યારે અગાઉ ફ્લેટ ખરીદનારને ખબર પડી કે તે જે ફ્લેટમાં રહે છે અને પોતાની માલિકીનો માને છે એ ફ્લેટ બિલ્ડરે બીજાને વેચી દીધો છે અને ફ્લેટ ઉપર લોન પણ લઈ લીધી છે!

દેખિતી આંખમાં ધૂળ નાંખીને છેતરપિંડી કરવામાં આવી હોવા છતાં પોલીસ આ ઘટનાને ગંભીર ગણતી નથી. બલ્કે એવું પણ બને કે પોલીસનો સહયોગ લઈને બેંક ફ્લેટ ખાલી કરાવીને પેલા પરિવારને રોડ ઉપર રઝળતુ કરી દેશે તો પણ નવાઈ નહીં હોય.

ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પો.કમિ. અજયકુમાર તોમર પોલીસમાં શિસ્ત અને સંવેદનશીલ બનાવવા ભલે લાખ પ્રયાસો કરતાં હોય, પરંતુ સમાજમાં ‘ખાદી’ અને ‘ખાખી’ સાથે ઘરેબો ધરાવતા દલાલો અને ‘ભ્રષ્ટાચાર’ના દૈત્યને દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી મજબૂર લોકોના આપઘાતનો સીલસીલો ચાલુ જ રહેશે. અલબત સરકાર અને અધિકારીઓ ઈચ્છે તો સામાજિક દુષણનો ચોક્કસ અંત લાવી શકાય.

આ પણ વાંચો :-

આ મસાલાને સ્વાદ માટે નહીં પણ ઔષધિ તરીકે કરો ઉપયોગ, આવી સાત પરેશાનીથી મળશે તુરંત છુટકારો

Use this spice not for taste but as a medicin

  • મસાલાને આયુર્વેદનો ખજાનો પણ કહેવામાં આવે છે. આજે અમે તમને એવાં જ મસાલા અને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભારત મસાલાનો દેશ (The land of spices) કહેવાય છે કારણકે ભારતમાં બનતી દરેક વાનગીઓમાં મસાલાનો ભરપૂર ઉપયોગ થાય છે. મસાલા ખાવામાં સ્વાદને ઘણું વધારી દે છે. સાથે જ મસાલાને આયુર્વેદનો ખજાનો (A treasure of Ayurveda) પણ કહેવામાં આવે છે. આજે અમે તમને એવાં જ મસાલા અને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જાણીને તમે તમારા દરરોજના જીવનમાં એ મસાલાનો ઉપયોગ જરૂરથી કરવા લાગશો.

1. માથાના દુખાવા માટે આદું :

ઘણી વખત કામ અને જવાબદારીઓને કારણે માથાનો દુખાવો થાય છે એવામાં તમે આદું વાળી ચા પી લેશો તો તમારા માથાનો દુખાવો દૂર થઈ જશે. ફક્ત માથાનો દુખાવો જ નહીં પણ જો તમને ગભરામણ થાય છે એ સમયે પણ આદુની ચા પીવી લેવી જોઈએ.

2. દાઝવા અને ઘા લાગવા પર હળદર :

દાઝી જવા પર કે કોઈ ઘા લાગવા પર જો હળદરને પીસીને તેની પેસ્ટ તૈયાર કરીને ઇન્ફેકટેડ એરિયામાં તેને લગાવી દેવામાં આવે તો જલ્દી જ રૂઝ આવી જાય છે.

3. નીંદર ન આવવા પર જાયફળ :

જે લોકોને નિંદર ન આવવાની પરેશાની હોય છે એમની માટે જાયફળ કોઈ ઔષધિથી ઓછી નથી. જાયફળને પીસીને પાઉડર બનાવી અને પાણી સાથે તેનું સેવન કરવાથી સારી નિંદર આવે છે.

4. મોઢાની દુર્ગંધ માટે દાલચીની  :

મોઢામાંથી દુર્ગંધ દૂર કરવા માટે દાલચીની ચાવી લેવી જોઈએ.

5. વજન ઓછું કરવા માટે જીરું  :

આજકાલ વધતાં વજનને કારણે લોકો ઘણા પરેશાન રહે છે તેને ઓછું કરવા માટે જીરાને આખી રાત પાણીમાં પલાળીને સવારે એ પાણીને પી જાઓ.

આ પણ વાંચો :-

ગુજરાતના લોકોને શું વીજ પુરવઠો પણ નહીં મળે તેવા સંજોગો સર્જાશે ? જાણો ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન

0

Will there be a situation where

  • રાજ્યની જનતાને મોટી ગેરંટીઓ પણ આપવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામના એક જાહેર કાર્યક્રમમાં મફત વીજળીની લહાણીની યોજનાઓ મામલે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ એ મહત્વનું નિવેદન કર્યું છે.

ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) રાજ્યમાં સક્રિય અભિયાન શરૂ કરી દીધું છે. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) ગુજરાતમાં બેરોજગારથી લઈને મફત વીજળીના વાયદાઓ લોકોને કર્યા છે. એટલું જ નહીં, રાજ્યની જનતાને મોટી ગેરંટીઓ પણ આપવામાં આવી રહી છે. ત્યારે વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામના એક જાહેર કાર્યક્રમમાં મફત વીજળીની લહાણીની યોજનાઓ મામલે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ (Energy Minister Kanubhai Desai) એ મહત્વનું નિવેદન કર્યું છે.

તેમણે જણાવ્યું છે કે, તેઓએ મફત વીજળીની લ્હાણી એ સરકારને પૈસા નહીં ચૂકવી અને મફત વીજળી આપવાની વાત કરી છે. આવી મફતની લહણીને કારણે આગામી સમયમાં આવી વીજ કંપનીઓ ફડચામાં જશે અને લોકોને વીજ પુરવઠો પણ નહીં મળે તેવા સંજોગો સર્જાશે. કેન્દ્ર સરકારના વીજ મંત્રાલય દ્વારા દેશની વીજ કંપનીઓના વાર્ષિક ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં ગુજરાતની ત્રણ વીજ કંપનીઓએ બાજી મારી છે. અને દેશની પ્રથમ ચાર વીજ કંપનીઓમાં ગુજરાતની ત્રણ કંપનીઓને સ્થાન મળ્યું છે.

રાજ્યના વીજ વિભાગની આ ઐતિહાસિક સિદ્ધિઓને રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એ આજે વલસાડના સરીગામ અને ઉમરગામના જાહેર કાર્યક્રમોમાં પોતાના વિભાગની સિધ્ધિઓથી લોકોને માહિતગાર કર્યા હતા. રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે વલસાડ જિલ્લાના સરીગામ જીઆઇડીસી વિસ્તાર અને ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હાઈટેન્શન વીજ લાઈન અને અન્ય વીજ લાઈનોના અંડર ગ્રાઉન્ડ કેબલિંગના કામનો ખાતમૂર્હત કર્યું હતું.

જિલ્લાના શહેરી વિસ્તાર અને જીઆઇડીસી વિસ્તારમાં હાઈટેન્શન વીજ લાઈન અને અન્ય વીજ લાઈનોના વીજ થાંભલાઓ અને વીજ તારના સામ્રાજ્યના કારણે અનેક વખત અકસ્માતો બને છે.

કનુભાઇ દેસાઇ વધુમાં જણાવ્યું હતું કે વીજ પ્રવાહમાં પણ વિક્ષેપ પડે છે. આથી અનેક વખત લાંબા સમય સુધી વીજ પ્રવાહ ખોરવાય છે. જેની ઉદ્યોગોને મોટી અસર થાય છે. સાથે જ લોકોને પણ મુશ્કેલી અનુભવવી પડે છે. ત્યારે હવે વલસાડ જિલ્લાના શહેરી અને જીઆઇડીસી વિસ્તારોમાં એક પછી એક વિસ્તારોમાં રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ઓવરહેડ વીજ લાઈનોના અંડર ગ્રાઉન્ડ વીજ લાઈનોમાં પરિવર્તન કરવાના કામો થઈ રહ્યા છે.

આજે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ  દેસાઈએ વલસાડના સરીગામ અને ઉમરગામ જીઆઇડીસી અને શહેરી વિસ્તારોમાં વીજ લાઈનના અંડર ગ્રાઉન્ડ કામના ખાતમુર્હત કર્યું હતું. આ પ્રસંગે વિસ્તારના ઉદ્યોગપતિઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે રાજકીય અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા રાજ્યના ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના વીજ મંત્રાલય દ્વારા દર વર્ષે દેશની વીજ કંપનીઓની કાર્યક્ષમતા અને તેની ગુણવત્તાના અપાતા રેટિંગમાં આ વખતે વાર્ષિક ઇન્ટીગ્રેટેડ રેન્કિંગમાં ગુજરાતની ત્રણેય વીજ કંપનીઓએ મેદાન માર્યું છે. જેમાં ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને ugvcl નો સમાવેશ થાય છે.

સમગ્ર દેશની વીજ કંપનીઓમાં ગુજરાતની વીજ કંપનીઓ અવ્વલ નંબરે છે. તેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે. આમ સમગ્ર દેશમાં ગુજરાતનો વીજ વિભાગ હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. સમગ્ર દેશમાં ગુજરાતના  વીજ નેટવર્કની ગુણવત્તા અને કાર્યક્ષમતા દેશના અન્ય રાજ્યોની વીજ કંપનીઓની સરખામણીમાં પહેલા નંબરે હોવાનું રાજયના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગર્વ અનુભવ્યો હતો. લોકોને પણ આ અંગે માહિતગાર કર્યા હતા.

આ પણ વાંચો :-

 

8 ઓગસ્ટ 2022 રાશિફળ : આ 5 રાશિના જાતકોને મહાદેવની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

August 8, 2022 Horoscope : Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમિયાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદવિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની તબિયતની ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરિયાત વર્ગને આનંદ. ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય, સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારું રહે.

કન્યાઃ
પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ
દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ
દિવસ દરમિયાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનંુ ટાળવું.

મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવક પણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરિયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમિયાન આનંદ વધે. નાના ભાઈ-બહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :

અમદાવાદમાં ચાર યુવકોએ પાર્ટી કરવા લૂંટના ઇરાદે એક વ્યક્તિની હત્યા કરી નાંખી

In Ahmedabad, four youths

  • મૃતક રામકુમાર ભૂમિયારને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

શહેર (Ahmedabad)ના કુબેરનગર વિસ્તાર (Kubernagar Area)માં મોજ શોખ અને પાર્ટી કરવા માટે લૂંટ (Loot)ના ઇરાદે એક વ્યક્તિને માર મારીને મોત (Murder)ને ઘાટ ઉતારી દેતાં પોલીસે ચાર આરોપીઓ વિરૂદ્ધ હત્યા (Murder)નો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

ત્રીજી ઓગસ્ટના દિવસે રામકુમાર નામનો વ્યક્તિ છારાનગર તરફથી ચાલતા ચાલતા તીર્થરાજ સોસાયટી નજીક પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આરોપીઓ મયુર, સુનિલ ઉર્ફે છોટુ યાદવ, જતીન જાગલાની તથા સાહિલ હરિયાળી પાન પાર્લર ત્રણ રસ્તા પર બેઠા હતા અને તમામ લોકોએ પાર્ટી કરવાનું વિચારેલ પરંતુ તેઓની પાસે મોજશોખ તથા પાર્ટી કરવાના પૂરતા પૈસા ન હોવાથી લૂંટના ઇરાદે મૃતક રામકુમારને પકડી લઈ મયુર સિંધીએ તેના ખિસ્સામાં મુકેલ પાકીટ લઈ લીધેલ. જોકે મૃતકે પ્રતિકાર કરતા આરોપીઓએ મૃતક રામકુમારને ગાળો બોલી ગર્દા પાટુનો માર મારવા લાગેલ.

જુઓ વીડિયો : ભારે વરસાદ બાદ અંડરપાસમાં એક સિટી બસ ડૂબી લોકોએ 20 થી વધુ મુસાફરોને ભારે જહેમત બાદ બચાવ્યા 

આ દરમિયાન સુનિલ ઉર્ફે છોટુ નામના આરોપીએ મૃતકનો મોબાઈલ ફોન પણ ઝુંટવી લીધો હતો. જ્યારે જતીન અને શાહિલ બંને એ હાથ પકડી રાખી મયુર અને સુનિલે તેની પાસે બીજી કોઈ કિંમતી ચીજ વસ્તુ છે કે કેમ તે જોવા લાગ્યા હતા. અને મૃતકે ગળામાં સોનાનું પેન્ડલ પહેર્યું હોવાથી તે લૂંટવા જતા મૃતક આરોપીઓને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તમામ આરોપીઓએ મરણ જનારને પકડી લઈ તેની સાથે જપાઝપી કરવા લાગ્યા હતા.

આ દરમિયાન જોરથી જમીન પર પાડી દેતા મૃતકને કપાળના ભાગે અને હોઠના ભાગે ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ આરોપીઓએ મૃતકની સાથે ગાળા ગાળી કરી લાતોનો માર મારી તેની પાસે રહેલ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 900 લૂંટી લીધા હતા.

જોકે મૃતક રામકુમાર ભૂમિયારને હેમરેજ જેવી ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :-