આ મસાલાને સ્વાદ માટે નહીં પણ ઔષધિ તરીકે કરો ઉપયોગ, આવી સાત પરેશાનીથી મળશે તુરંત છુટકારો

Share this story

Use this spice not for taste but as a medicin

  • મસાલાને આયુર્વેદનો ખજાનો પણ કહેવામાં આવે છે. આજે અમે તમને એવાં જ મસાલા અને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભારત મસાલાનો દેશ (The land of spices) કહેવાય છે કારણકે ભારતમાં બનતી દરેક વાનગીઓમાં મસાલાનો ભરપૂર ઉપયોગ થાય છે. મસાલા ખાવામાં સ્વાદને ઘણું વધારી દે છે. સાથે જ મસાલાને આયુર્વેદનો ખજાનો (A treasure of Ayurveda) પણ કહેવામાં આવે છે. આજે અમે તમને એવાં જ મસાલા અને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જાણીને તમે તમારા દરરોજના જીવનમાં એ મસાલાનો ઉપયોગ જરૂરથી કરવા લાગશો.

1. માથાના દુખાવા માટે આદું :

ઘણી વખત કામ અને જવાબદારીઓને કારણે માથાનો દુખાવો થાય છે એવામાં તમે આદું વાળી ચા પી લેશો તો તમારા માથાનો દુખાવો દૂર થઈ જશે. ફક્ત માથાનો દુખાવો જ નહીં પણ જો તમને ગભરામણ થાય છે એ સમયે પણ આદુની ચા પીવી લેવી જોઈએ.

2. દાઝવા અને ઘા લાગવા પર હળદર :

દાઝી જવા પર કે કોઈ ઘા લાગવા પર જો હળદરને પીસીને તેની પેસ્ટ તૈયાર કરીને ઇન્ફેકટેડ એરિયામાં તેને લગાવી દેવામાં આવે તો જલ્દી જ રૂઝ આવી જાય છે.

3. નીંદર ન આવવા પર જાયફળ :

જે લોકોને નિંદર ન આવવાની પરેશાની હોય છે એમની માટે જાયફળ કોઈ ઔષધિથી ઓછી નથી. જાયફળને પીસીને પાઉડર બનાવી અને પાણી સાથે તેનું સેવન કરવાથી સારી નિંદર આવે છે.

4. મોઢાની દુર્ગંધ માટે દાલચીની  :

મોઢામાંથી દુર્ગંધ દૂર કરવા માટે દાલચીની ચાવી લેવી જોઈએ.

5. વજન ઓછું કરવા માટે જીરું  :

આજકાલ વધતાં વજનને કારણે લોકો ઘણા પરેશાન રહે છે તેને ઓછું કરવા માટે જીરાને આખી રાત પાણીમાં પલાળીને સવારે એ પાણીને પી જાઓ.

આ પણ વાંચો :-