Home Blog Page 1328

Vivo Y22 Launched : Vivoએ ગુપ્ત રીતે લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો શાનદાર ફિચર્સ અને કિંમત

Vivo Y22 Launched

  • Vivoએ ગુપ્ત રીતે એક શાનદાર ડિઝાઇન સાથેનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેની કિંમત 13 હજાર રૂપિયાથી ઓછી છે. ફોનમાં પાવરફૂલ 5000mAh બેટરી અને 50MP કેમેરા છે. આવો જાણીએ Vivo Y22ના ફીચર્સ…

Vivoએ Vivo Y22 સ્માર્ટફોન ઈન્ડોનેશિયામાં (Indonesia) રજૂ કર્યો છે. ઉપકરણની આગળની બાજુએ ટિયરડ્રોપ નોચ ડિસ્પ્લે છે. તેમાં એક આકર્ષક પાછળનું શેલ છે. જે વિવો અનુસાર ફિંગરપ્રિન્ટ્સ અને સ્ક્રેચ સામે પ્રતિરોધક છે. Y22 ની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓમાં 90Hz ડિસ્પ્લે, Helio G85 ચિપસેટ અને 50-megapixel ટ્રિપલ રિયર કેમેરાનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ Vivo Y22 ની કિંમત (Vivo Y22 Price in India) અને ફીચર્સ…

Vivo Y22 ની ભારતમાં કિંમત :

Vivo Y22 ના બેઝ મોડલ (4 GB RAM + 64 GB સ્ટોરેજ) ની કિંમત ઇન્ડોનેશિયામાં IDR 2,399,000 (અંદાજે રૂ. 12,800) છે. 6GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત વિશે કોઈ માહિતી નથી, તે ટૂંક સમયમાં જ Starlit Blue, Summer Cyan અને Metaverse Green જેવા કલર વેરિઅન્ટમાં દેશમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે.

Vivo Y22 સ્પેસિફિકેશન અને ફીચર્સ :

Vivo Y22 164.3 x 76.1 x 8.38 mm માપે છે અને તેનું વજન લગભગ 180 ગ્રામ છે. તેમાં 6.55-ઇંચની LCD પેનલ છે જે HD+ રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ જનરેટ કરે છે. તે એન્ડ્રોઇડ 11 સાથે પ્રીલોડેડ આવે છે, જે FunTouchOS 12 UI સાથે ઓવરલેડ છે.

Vivo Y22 કેમેરા :

Vivo Y22માં ફ્રન્ટમાં 8-મેગાપિક્સલનો કેમેરો છે. બેક પેનલમાં 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે, જે 2-મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને LED ફ્લેશ સાથે છે. આ ડિવાઈસ નાઈટ મોડ (ફ્રન્ટ અને બેક), પોટ્રેટ મોડ, 50MP મોડ, બોકેહ, મેક્રો, પેનોરમા, ટાઈમ-લેપ્સ અને આઈ ઓટોફોકસ જેવી ફોટોગ્રાફી સુવિધાઓ પ્રદાન કરે છે.

Vivo Y22 બેટરી :

MediaTek Helio G85 Vivo Y22 ને પાવર આપે છે. ફોનમાં 4/6 GB RAM અને 64 GB/ 128 GB સ્ટોરેજ છે, ઉપકરણ 2 GB સુધી વધારી શકાય તેવી રેમને સપોર્ટ કરે છે. વધુ સ્ટોરેજ માટે, ઉપકરણ સમર્પિત માઇક્રોએસડી કાર્ડ સ્લોટથી સજ્જ છે. Y22 18W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી પેક કરે છે.

અન્ય વિશેષતાઓમાં 4G VoLTE, Wi-Fi 802.11ac, બ્લૂટૂથ 5.0, GPS, એક USB-C પોર્ટ, 3.5mm ઓડિયો જેક, ફેસ અનલોક, સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને IPX4/X5 રેટેડ વોટરપ્રૂફ અને ડસ્ટ રેઝિસ્ટન્ટ ચેસિસનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો :-

અરે ના હોય ! લલિત મોદી અને સુષ્મિતા સેનનું બ્રેકઅપ! બન્નેના સંબંધોના પૂર્ણ વિરામ પર જાણો શા માટે થઈ રહી છે ચર્ચા

0

Oh no! Lalit Modi and Sushmita Sen

  • લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બધુ યોગ્ય ચાલી રહ્યું નથી એવી શક્યતા સેવાઈ રહી છે. આ વાત અમે નહીં, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યાં છે.

હકીકતમાં યુઝર્સે લલિત મોદીના (Lalit Modi) ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં મોટો ફેરફાર જોયો છે, ત્યારબાદ મનાઈ રહ્યું છે કે સુષ્મિતા સેન (Sushmita Sen) સાથે તેનો સંબંધ સમાપ્ત થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે લલીત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બ્રેકઅપ થયાનું કારણ સુષ્મિતાનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ (Rohman Shaul) છે.

જો કે, સુષ્મિતા સેન અને લલીત મોદીએ બ્રેકઅપ થયા અંગે કોઈ પણ વાતચીત હજી સુધી કરી નથી અને બંનેમાંથી કોઈએ આ અંગે પોસ્ટ પણ શેર કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે લલિત મોદીના ઈન્સ્ટાગ્રામ પર અમુક મોટા ફેરફારને જોઈને આ નિષ્કર્ષ નિકાળ્યો છે કે બંને સાથે નથી. લલિતે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી સુષ્મિતાનું નામ તો હટાવી દીધું છે, પરંતુ બંનેનો સાથે ફોટો પણ બદલી નાખ્યો છે.

થોડા સમય પહેલા સુષ્મિતા સેન સાથેની તસ્વીર પ્રોફાઈલ પિક્ચર મુકી હતી :

લલિત મોદીએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર સુષ્મિતા સેન સાથેની તસ્વીર શેર કરી પોતાના સંબંધની જાહેરાત કરી હતી. આ દરમ્યાન લલિતે સુષ્મિતા સાથે ખેંચાવેલી તસ્વીરને પોતાની પ્રોફાઈલ પિક્ચર બનાવી હતી. તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલના બાયોમાં તેમણે સુષ્મિતાને પોતાના જીવનનો પ્રેમ જણાવ્યો હતો. તેમણે લખ્યું હતુ, હું પોતાની પાર્ટનરની સાથે નવા જીવનની શરૂઆત કરી રહ્યો છુ. મારો પ્રેમ સુષ્મિતા સેન.

હવે ઈન્સ્ટાગ્રામ પર લલિત મોદીએ કર્યો આ ફેરફાર :

હવે લલિત મોદીએ પોતાના પ્રોફાઈલ ફોટોને બદલી નાખ્યો છે, આ ઉપરાંત સુષ્મિતાના નામને પણ પોતાના બાયોમાંથી હટાવી દીધુ છે. હવે તેમના બાયોમાં માત્ર આઈપીએલ ફાઉન્ડર અને મૂન લખેલુ છે. જેને જોઈને યુઝર્સ ચોંકી ગયા છે.

આ પણ વાંચો :-

પાળતું શ્વાને લિફ્ટમાં બાળકને બચકું ભરી લીધું છતાં મહિલા બાળકની મદદે ન આવી, Video જોઈ હચમચી જશો

0

The pet dog carried the child in the lift

  • ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી અત્યંત ચોંકાવનારો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને દરેક માતા પિતાના રૂવાડાં ઊભા થઈ જશે. આ વીડિયો નંદગ્રામ પોલીસ સ્ટેશન હદના રાજનગર એક્સટેન્શન ચાર્મ્સ કાઉન્ટી સોસાયટીનો છે. 

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદથી અત્યંત ચોંકાવનારો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને દરેક માતા પિતાના રૂવાડાં ઊભા થઈ જશે. આ વીડિયો નંદગ્રામ પોલીસ સ્ટેશન (Nandgram Police Station) હદના રાજનગર એક્સટેન્શન ચાર્મ્સ કાઉન્ટી સોસાયટીનો છે. જેમાં એક મહિલા તેના પાલતું શ્વાનને (pet dog) લઈને લિફ્ટમાં જઈ રહી હતી.

MP: ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

તે લિફ્ટમાં એક નાનકડું બાળક પણ હતું. આ પાળતું કૂતરાએ લિફ્ટમાં જ બાળકને બચકું ભરી લીધુ. પરંતુ આમ છતાં તે કૂતરાની માલિકણે બાળક પર ધ્યાન ન આપ્યું અને ઉલ્ટું લુચ્ચું હાસ્ય રેલાવતી રહી. વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલે પોલીસે કેસ દાખલ કરી લીધો છે.

વીડિયો 5 સપ્ટેમ્બરનો સાંજનો 6 વાગ્યાનો છે. વીડિયોમાં લિફ્ટમાં મહિલા સાથે જઈ રહેલા પાળતું શ્વાને બાળકને કરડી લીધું. ચોંકાવનારી વાત એ જોવા મળી કે આમ છતાં મહિલાએ બાળક પ્રત્યે કોઈ દયા દેખાડી નહીં અને હસતી રહી.

બાળક દર્દથી પરેશાન થતું રહ્યું અને મહિલાએ એક નજર પણ બાળક પર ફેરવી નહીં. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો મહિલા પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

વાયરલ વીડિયોના આધારે પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે તથા તપાસ પણ શરૂ કરી દીધી છે. એવું કહેવાય છે કે આ કૂતરાથી સોસાયટીના લોકો ખુબ પરેશાન છે. લોકોએ અનેકવાર કૂતરાની ફરિયાદ મહિલાને કરી હતી. પરંતુ મહિલાએ ધ્યાન ન આપ્યું કે કોઈ પગલું પણ ન ભર્યું. હવે લિફ્ટમાં બાળકને કરડવાનો મામલો ચર્ચામાં છે.

આ પણ વાંચો :-

દેવાધિદેવ મહાદેવ પર વિવાદિત ટિપ્પણી કરનાર સ્વામીનારાયણ સંતે માંગી માફી

0

Swaminarayan Sant

  • ભગવાન મહાદેવ પર વિવાદીત ટિપ્પણી કરનારા આનંદસાગર સ્વામી આખરે માગી માફી… આનંદસાગર સ્વામીએ ભગવાન મહાદેવ અંગે વાણી વિલાસ કરતા પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા આદેશ કર્યો…

આનંદસાગર સ્વામીનો (Anandasagar Swami) ભગવાન શિવ પર વિવાદીત ટિપ્પણીનો (Controversial comment) મામલો હવે ટોકિંગ પોઈન્ટ બન્યો છે. ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કર્યા બાદ આનંદસાગર સ્વામીને પોતાની ભૂલનું  ભાન થયું હતું અને તેમણે પોતાની ભુલનો સ્વીકાર કર્યો છે. એટલુ જ નહિ, પ્રબોધ સ્વામીએ (Prophet Swami) સજા સ્વરૂપે મૌન પાળવા અને સાત દિવસ ઉપવાસના આદેશ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, આનંદસાગર સ્વામીએ હરિધામ સોખડાના પ્રબોધ સ્વામી ગ્રૂપના સ્વામી છે. તેમણે અમેરિકામાં આ પ્રકારનું પ્રવચન આપ્યું હતું જેનો વિવાદ થતા વીડિયો વાયરલ થયો હતો. તેમણે પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા સ્વામી ગણાવ્યા હતા. આવી વાત જાહેર કરતા ભક્તોની લાગણી દુભાઈ હતી. આનંદસાગર સ્વામીએ નવો વીડિયો જાહેર કરીને માફી માંગી છે.

શિવ ભક્તોએ વિરોધ દર્શાવ્યો :

ગઈકાલે રાજકોટમાં આનંદસાગર સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આનંદસાગર સ્વામીનો આ વીડિયો વાયરલ થતા બ્રહ્મસમાજ દ્વારા આ નિવેદન પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાં આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ચીમકી ઉચ્ચારી હતી.

MP: ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

સનાતન ધર્મને બદનામ કરવાની અને શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તે પ્રકારની વાત હોવાનું બ્રહ્મસમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે ભગવાન મહાદેવ પર વાણીવિલાફ કરનાર આનંદસાગર સ્વામીએ પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા આદેશ કર્યો છે.

પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી :

પોતાની ભૂલ સ્વીકરતા આનંદસાગર સ્વામીએ કહ્યું કે, આ અવસર થયો, ત્યારે પ્રબોધ સ્વામીએ કડક શબ્દોમાં સૂચન કર્યું અને શિબિર દરમિયાન મૌન આપ્યું છે. ત્યાર પછી મને સજારૂપે સાત દિવસના ઉપવાસ પણ આપ્યા છે. મારી વાણીથી ભક્તોની લાગણી દુભાઈ છે. તેથી હું સનાતત ધર્મના સમર્થકો, શિવભક્તોની અંતકરણથી હૃદયના સાચા ભાવથી માફી માંગુ છું.

આનંદસાગર સ્વામીએ ભગવાન શિવ વિશે શું કહ્યું હતું…

વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ… એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય.

ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આણને સૌને થઈ છે.

આ પણ વાંચો :-

CBI બાદ હવે EDનો સપાટો : દિલ્હીમાં દારૂ કૌભાંડ મામલે 30થી વધુ જગ્યા પર રેડ, વેપારીઓના છૂટ્યા પરસેવા

0

After CBI, now ED’s face

  • મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા 

દિલ્હીના (Delhi) આજે દારૂ કૌભાંડમાં (Liquor scandal) દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે એટલે કે મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે, હવે EDના દરોડામાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું (Manish Sisodia) ઘર સામેલ નથી.

MP: ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

EDએ આજે મંગળવારે સવારે મેસર્સ ઈન્ડો સ્પિરિટ્સના એમડી સમીર મહેન્દ્રુના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા છે. સમીર મહેન્દ્રુ દિલ્હીના જોરબાગ વિસ્તારમાં રહે છે. જોકે તેમના પર મેસર્સ રાધા ઇન્ડસ્ટ્રીઝના રાજેન્દ્ર પ્લેસ ખાતે યુકો બેંકના ખાતામાં રૂ. 1 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

આ પણ વાંચો :-

મંગળવારે અમંગળ : લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3 લોકોને કાળ ભરખી ગયો

0

Amangal on Tuesday : 3 people died

  • લીંબડી અમદાવાદ હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. પેસેન્જર વાહન ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ખાતા બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

લીંબડી અમદાવાદ હાઈવે (Limbdi Ahmedabad Highway) મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. પેસેન્જર વાહન ડમ્પર (Vehicle dumper) પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. તો બીજી તરફ, આણંદના ધર્મજ તારાપુર હાઇવે (Tarapur Highway) પર લકઝરી બસ પલટી ખાતા બસમાં સવાર 25 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

અકસ્માત-1 :

લીંબડી અમદાવાદ હાઈવે મંગળવારે રક્તરંજિત થયો છે. કાનપરા પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો 1 વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

MP : ઈન્દોરમાં યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો પરેશાન, અનેક ક્વિન્ટલ લસણ નાળામાં ફેંકી દીધાં | Gujarat Guardian

અકસ્માત-2 :

તો અન્ય અકસ્માતના અપડેટ અનુસાર, આણંદના ધર્મજ તારાપુર હાઇવે પર લકઝરી બસ પલટી ગઈ હતી. હાઇવે પર સાઈન બોર્ડ સાથે લક્ઝરી બસ પલટી ખાઈને અથડાઈ હતી. આ સમયે લક્ઝરી બસમાં સવાર 25 થી વધુ મુસાફરો સવાર હતા, જેઓ ઘાયલ થયા છે. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ મુસાફરોની સ્થિતિ ગંભીર છે.

anand_bus_accident_zee.jpg

પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ઝરી બસ સુરત કતારગામથી જેસર પાલિતાણા તરફ  જઈ રહી હતી. બસમાં કતારગામ અને તેની આસપાસના વિસ્તારના રહેવાસીઓ સવાર હતા. અકસ્માત બાદ ઘાયલ મુસાફરો માટે 108 એમ્બ્યુલન્સ દોડતી થઈ ગઈ હતી. કુલ આઠ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને તારાપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતને પગલે પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો :-

06 સપ્ટેમ્બર મંગળવારના રોજ આ રાશિના જાતકોને આજે કામકાજમાં સફળતા મળશે

On September 06, Tuesday, the native

મેષઃ
આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતે કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આદ્યાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.

વૃષભ :
ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતા જણાય.

મિથુન :
ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવા નાણાંકીય રોકાણોનું આયોજન ફાયદા કારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્ક :
આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્ર વર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસીથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહ :
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરીયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારૂં રહેશે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો જરૂરી.

કન્યા :
ગઇકાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલા :
આવકનું પ્રમામ જળવાતા, માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન શકય બને.

વૃશ્ચિક :
ગઇકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારૂં રહે.

ધન :
આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડીયો, ટી.વી. જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકર :
આવશ્યક કાર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે. પણ વખતસર નાણાંની સગવડ થઈ જશે. દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.

કુંભ :
શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલિંગજેવા ક્ષેત્રમાં લાભ, આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જુના મિત્રોને મળવાનું શક્ય બને. તેમનો સાથ સહકાર મળતો જણાય.

મીન :
આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.

આ પણ વાંચો :-

દારૂ નીતિમાં ખેલ કરીને કેવી રીતે કરી તગડી કમાણી ? BJP એ કર્યું સ્ટિંગ ઓપરેશન

How to make a lot of money by

  • દિલ્હીની નવી આબકારી નીતિ દ્વારા આમ આદમી પાર્ટી અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે કુલવિંદર મારવાહના સ્ટિંગ ઓપરેશનનો એક વીડિયો બહાર પાડ્યો છે. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ, સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડમાં આરોપી નંબર 13 છે.

દિલ્હીની (Delhi) નવી આબકારી નીતિ (New Excise Policy) દ્વારા આમ આદમી પાર્ટી અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પર કૌભાંડનો આરોપ લગાવતા ભાજપે કુલવિંદર મારવાહના (Kulwinder Marwah) સ્ટિંગ ઓપરેશનનો એક વીડિયો બહાર પાડ્યો છે. ભાજપના દાવા મુજબ કુલવિંદર મારવાહ, સની મારવાહના પિતા છે. સની મારવાહ દારૂ કૌભાંડમાં (Liquor scandal) આરોપી નંબર 13 છે. ભાજપનો આરોપ છે કે કુલવિંદર મારવાહ એ વ્યક્તિ છે જે મનિષ સિસોદિયાના (Manish Sisodia) હાથમાં પોતે પૈસા પકડાવે છે.

કુલવિંદર મારવાહનું સ્ટિંગ ઓપરેશન :

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે જે દેખાડવાના છીએ તેમાં સ્ટિંગ માસ્ટરનું સ્ટિંગ થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જો કોઈ ભ્રષ્ટાચાર કરે તો તમે તેનું સ્ટિંગ કરજો, તેનું રેકોર્ડિંગ કરી લેજો અને અમને મોકલી દેજો.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

અમે સત્ય દેખાડી દઈશું. ભાજપે કુલવિંદર મારવાહના સ્ટિંગ ઓપરેશનનો વીડિયો બહાર પાડ્યો છે. ઝી મીડિયા સ્ટિંગ ઓપરેશનના આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. તે ભાજપ તરફથી બહાર પાડવામાં આવ્યું છે.

ભાજપના ગંભીર આરોપ :

દારૂ કૌભાંડ મામલે ભાજપે આરોપ લગાવ્યો કે આપ સરકારે નવી આબકારી નીતિમાં કમિશન વધાર્યું. બધુ કમિશન દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા પાસે ગયું. આમ આદમી પાર્ટી કટ્ટર ભ્રષ્ટાચારી પાર્ટી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીની જનતાને દગો કર્યો છે. AAP એ દારૂ માફિયાઓના 144 કરોડ રૂપિયા માફ કર્યા.

આ પણ વાંચો :-

કોંગ્રેસમાં ‘ઓટ’, ભાજપમાં ‘ભરતી’ : રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ટાણે જ ઝટકો, યુથ કોંગ્રેસના પ્રમુખ બાદ હવે મહામંત્રીનું રાજીનામું

0

‘Oat’ in Congress, ‘Bharti’ in BJP:

  • વિશ્વનાથ વાઘેલા બાદ હવે આજે યુથ કોંગ્રેસના મહામંત્રીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ ટાણે જ રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં હડકંપ.

ગુજરાતમાં (Gujarat) રાહુલ ગાંધીના (Rahul Gandhi) ગુજરાત પ્રવાસ વખતે જ રાજીનામાનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. ત્યારે ગઇ કાલે વિશ્વનાથ વાઘેલાએ (Vishwanath Vaghela) ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે યુથ કોંગ્રેસના મહામંત્રી વિનયસિંહ તોમરે (Vinaysingh Tomere) રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.

આવતીકાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ ભાજપમાં જોડાશે :

અત્રે નોંધનીય છે કે, ગઇકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાં તો આજે વધુ એક દિગ્ગજે રાજીનામું ધરી દેતા કોંગ્રેસને ફરી મોટો ઝટકો લાગ્યો છે. એ સિવાય આવતીકાલે યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ પણ હવે ભાજપમાં જોડાશે.

આવતી કાલે CR પાટીલની હાજરીમાં કેસરિયા કરશે  :

વિધાનસભા ચૂંટણી પહેલા અને રાહુલ ગાંધીના અમદાવાદ આગમન સમયે જ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ હવે ભાજપમાં જોડાશે. યુથ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી જીગર માળી ભાજપમાં જોડાશે. તો NSUI પ્રદેશ ઉપ પ્રમુખ પાર્થ દેસાઈ ભાજપમાં જોડાશે.

એ સિવાય વિશાલ ઠાકોર અને માલારામ ભાવરી પણ ભાજપમાં જોડાશે. એટલે કે આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આ તમામ ભાજપમાં જોડાશે. આવતી કાલે CR પાટીલની હાજરીમાં યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ કેસરિયા કરશે.

ગઇકાલે જ ભરૂચ કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું :

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગઇકાલે ભરૂચ કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું હતું. શહેર કોંગ્રેસના પ્રમુખ વિકી શોખી સહિત 400 જેટલા આગેવાન વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ નેતાથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપ્યા હતા.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

ભરૂચ ડિસ્ટ્રીકટ સહકારી બેંક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 400 જેટલા હોદેદારો અને કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના 2 હોદેદારોને ભાજપમાં આવકાર આપી કેસરિયો ખેસ પહેરાવાયો હતો.

આ પણ વાંચો :-

કરોડપતિ સ્વીપરનું ટીબીથી મોત : ન લગ્ન કર્યા, ન કોઈ શોખ રાખ્યો, ખાતામાં રહી ગયા 70 લાખ રૂપિયા

0

Millionaire sweeper dies of TB

  • ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. આ કહાની એક એવા વ્યક્તિની છે જેણે ક્યારેય પોતાના ખાતામાંથી પૈસા પણ ઉપાડ્યા નહીં. પિતા બાદ હવે તેનું પણ મોત થઈ ગયું છે.

ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) પ્રયાગરાજથી (Prayagraj) એક એવો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે પણ વિચારતા થઈ જશો. આ કહાની એવા વ્યક્તિની છે જેણે ક્યારેય ખાતામાંથી પગારના પૈસા ઉપાડ્યા (Money withdrawn) નથી. પિતાના પગલા પર પુત્ર પણ ચાલતો રહ્યો. નોકરી હોવા છતાં લોકો પાસે પૈસા માંગી ઘર ચલાવતો હતો.

તેને ગંભીર બીમારીએ ઝકડી લીધો હતો. આ બીમારી હતી ટીબીની. બેન્ક એકાઉન્ટમાં 70 લાખ રૂપિયા હતા પરંતુ તે સારવાર કરાવી શક્યો નહીં. શનિવારે મોડી રાત્રે ટીબીને કારણે તેનું નિધન થઈ ગયું. ઘરમાં હવે તેના 80 વર્ષના માતા છે.

પ્રયાગરાજનો કરોડપતિ સ્વીપર કહેવાતો ધીરજ જિલ્લા રક્તપિત્ત વિભાગમાં સ્વીપરની નોકરી કરતો હતો. તે કરોડપતિ છે. આ વાતનો ખુલાસો મે મહિનામાં ત્યારે થયો જ્યારે બેન્કવાળા ધીરજને શોધતા રક્તપિત્ત વિભાગમાં પહોંચ્યા હતા.

ત્યારબાદ ધીરજને લોકો કરોડપતિ સ્વીપર કહીને બોલાવવા લાગ્યા હતા. ધીરજના પિતા સુરેશ ચંદ્ર જિલ્લા રક્તપિત્ત રોગ વિભાગમાં સ્વીપરના પદ પર કાર્યરત હતા. નોકરીમાં રહેતા તેમનું નિધન થયું હતું. ત્યારબાદ ડિસેમ્બર 2012માં તેમના પિતાની નોકરી ધીરજને મળી ગઈ હતી.

ભાજપને ઝટકો, અમરેલીના સાંસદે કોંગ્રેસ ધારાસભ્યના ભરપેટ કર્યા વખાણ | Gujarat Guardian

ધીરજના પિતાએ ક્યારેય ખાતામાંથી પૈસા ઉપાડ્યા નહીં :

ધીરજ પોતાના પિતાના પગલે ચાલતો હતો. નોકરીમાં રહેતા ધીરજના પિતાએ ક્યારેય બેન્ક એકાઉન્ટમાંથી પોતાના પગારના પૈસા ઉપાડ્યા નહીં. આ સ્થિતિ ધીરજની હતી. પિતાની જગ્યાએ નોકરીમાં લાગેલા પુત્રએ ક્યારેય ખાતામાંથી પૈસા કાઢ્યા નહીં.

ઘરનો ખર્ચ ચલાવવા માટે ધીરજ પિતાની જેમ રસ્તે ચાલતા લોકો અને સાથે કામ કરતા લોકો પાસેથી પૈસા માંગતો હતો. ધીરજના માતાને પેન્શન મળે છે, તેનાથી ધીરજનું ઘર ચાલતું હતું પરંતુ તે ક્યારે પૈસા ઉપાડવા ગયો નહીં. પરંતુ ધીરજ દર વર્ષે સરકારને ઇનકમ ટેક્સ આપતો હતો.

ન લગ્ન કર્યા, ન કોઈ શોખ :

ધીરજ હોસ્પિટલ કેમ્પસમાં પોતાના માતા અને બહેન સાથે રહેતો હતો. લગ્નની વાત કરતા પર તે ભાગી જતો હતો. તેને ડર હતો કે તેના પૈસા કોઈ ઉપાડી ન લે. રક્તપિત વિભાગના એક કર્મચારીએ જણાવ્યું કે ધીરજ મગજથી નબળો હતો, પરંતુ ડ્યૂટી દરમિયાન તે મહેનત કરતો હતો. ખાસ વાત છે કે તેણે ક્યારેય રજા પણ લીધી નથી.

લોકો પાસે પૈસા માંગતો હતો :

ધીરજની સાથે કામ કરનારા એક વ્યક્તિએ કહ્યું, તે સમય પર ડ્યૂટી આવતો અને જતો હતો. તે કામ ઈમાનદારીથી કરતો હતો. રસ્તામાં જ્યારે અમને લોકોને મળતો હતો તો કહેતો હતો ભાઈ પૈસા આપો. તેણે ક્યારેય બેન્કમાંથી પૈસા ઉપાડ્યા નહીં. થોડા સમય પહેલા બેન્કના અધિકારી આવ્યા હતા.

અધિકારીઓએ પૂછ્યું કે ધીરજ પૈસા કેમ ઉપાડતો નથી, તારો ખર્ચો કેમ ચાલે છે. તે સમયે લોકોએ કહ્યું કે ધીરજ અમારી જેવા લોકો પાસેથી પૈસા લઈને ઘર ચલાવે છે.

આ પણ વાંચો :-