Home Blog Page 1326

રાજ્યપાલના વિવાદિત બોલ, ”હિન્દૂ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતા કી જય હો બોલે છે”

0

Governor’s Controversial Speech

  • ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે લોકો મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પુજા કરીશું તો ભગવાન ખુશ થશે.

નર્મદા (Narmada) જીલ્લાના પ્રાકૃતિક સ્થળ પોઈચા (Poecha) ખાતે રાજ્યપાલની (Governor) ઉપસ્થિતિમાં  “પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર (Nilakanthadham-Swaminarayana Temple) પરિસર ખાતે હિન્દુ સમાજ (Hindu society) વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું કે હિંદુ સમાજ ઢોંગી નંબર ૧ છે.

પોઇચા ખાતે યોજાયેલા “ પ્રાકૃતિક કૃષિ…. પ્રકૃતિના શરણે ” પરિસંવાદ કાર્યક્રમમાં આ વિવાદિત નિવેદનને પગલે હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ કાર્યક્રમમાં સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિર પરિસર ખાતે યોજાયેલા કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે લોકો મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને ચર્ચમાં જાય છે, એટલા માટે કે પુજા કરીશું તો ભગવાન ખુશ થશે. પણ જો તમે પ્રાકૃતિક ખેતી કરવાની શરુ કરી દેશો તો ભગવાન આપો આપ પ્રસન્ન થઈ જશે, રસાયણિક ખેતી તો પ્રાણીઓને મારવાનું જ્યારે પ્રાકૃતિક ખેતીથી પ્રાણીઓને જીવનદાન મળે છે.

અમરેલીના ખાંભાના ડેડાણ રોડ પર સિંહની પજવણીના વાયરલ વીડિયો | Gujarat Guardian

મનુષ્ય ગૌ માતાની પૂજા કરે છે, માથે તિલક લગાવે છે પણ જો ગૌ માતા દૂધ આપતી બંધ થઈ જાય તો તેને છોડે મૂકે છે. જે ગૌ માતાનું દૂધ નથી પીતા કે ગૌ માતાને પાળતા પણ નથી એવા લોકો પણ સ્વાર્થ માટે ગૌ માતાની જય બોલાવે છે. એટલે જ કહું છું કે આ દુનિયાના અસંખ્ય પ્રાણીઓમાં મનુષ્ય સૌથી મોટો ઢોંગી, પાખંડી, બનાવટી અને દેખાવો કરનાર પ્રાણી છે, હિન્દુ સમાજ ઢોંગી નંબર ૧ છે. સ્વાર્થ માટે ગાય માતાજી કી જય હો માત્ર બોલે છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે કોરોના કાળને બાદ કરતાં છેલ્લા ત્રણેક વર્ષથી પ્રાકૃતિક ખેતીનું અભિયાન ખુબ જ ગતિથી આગળ વધી રહ્યું છે, નર્મદા જિલ્લાના અંદાજે ૧૧ હજાર જેટલાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન લઇને આશરે ૩૩૭૧ એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ રહી છે.

દેશના ખેડૂતો આર્ત્મનિભર બનશે તો દેશ આર્ત્મનિભર બનશે. ખેડૂતો અને ખેતીને આર્ત્મનિભર બનાવવાનો શ્રેષ્ડ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા જનઅભિયાન ઉપાડ્યું છે, ત્યારે આગામી સમયમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું નેતૃત્વ કરશે.

જંગલમાં વૃક્ષ, વનસ્પતિને કોઇ રાસાયણિક ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી. છતાં તેનો પ્રાકૃતિક રીતે વૃધ્ધિ-વિકાસ થાય છે. આ જ રીતે ખેતરમાં પ્રાકૃતિક રીતે કૃષિ કરવામાં આવે તે જ પ્રાકૃતિક ખેતી છે.

દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલા સુક્ષ્મ જીવાણુ હોય છે. ગાયનું ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ ગૌમૂત્ર, દાળનું બેસણ, ગોળ, પાણી અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત કલ્ચર તરીકે કાર્ય કરે છે.

આ પણ વાંચો :-

08 સપ્ટેમ્બર ગુરુવારના રોજ આ રાશિના જાતકોને આજે કામકાજમાં સફળતા મળશે

On September 08, Thursday Gujarat Guardian

મેષઃ
માનસિક શાંતિ જળવાય. આવકનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા. નવી નોકરી અથવા બઢતી, બદલી શક્ય બને. નવા ધંધાની શરૂઆત કરી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ મળે. માતૃસુખ-પિતૃસુખ જળવાય. માન-સન્માન વધે.

વૃષભઃ
કોઈ મહત્ત્વપૂર્ણ સમાચાર મળવાની શક્યતા છે. ભાવનાત્મક રૂપથી આપ ખૂબ સશક્ત રહેશો. અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાય. વ્યવસાયિક ગતિવિધઓમાં પ્રગતિ થતી જણાય.

મિથુનઃ
આજે ખાસ આવક આવવાની સંભાવના જણાતી નથી. જીવનસાથી સાથે સારો સમય પસાર થાય. કોઈ કોઈ સમયે શરીરમાં થોડી નબળાઈનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેવા પામે.

કર્કઃ
દિવસભર વ્યસ્તતા બની રહેશે. ઉત્સાહના કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો સાથે ફરવા જવાના યોગ બને. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થતી જણાય. આરોગ્ય જળવાય. મિત્રોની મુલાકાત શક્ય બને.

સિંહઃ
માનસિક તણાવને કારણે આર્થિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસમર્થતા વર્તાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથીને સમય આપી શકાશે નહીં. યશ-પ્રતિષ્‍ઠા વધે. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ રહે.

કન્યાઃ
જીવનસાથી સાથે તણાવભર્યું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો વચ્ચે વાદ-વિવાદ ટાળવો. સંતાનની પ્રગતિથી આનંદ થાય. એમના પ્રશ્નો ઉકેલાતા જણાય. ગરમીને કારણે માથાનો દુઃખાવો સંભવે.

તુલાઃ
ભાવનાત્મક રૂપથી આપ ખુબ જ લાગણીશીલ રહેશો. આપના કાર્યોને પુરા કરવા માટે દીલથી મહેનત કરો, ઈશ્વર તમારો સાથ આપશે. આર્થિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
આજે દિવસ દરમ્યાન ધન, રોકાણ તથા પરિવારના કાર્યોમાં સમય પસાર થાય. વારસાગત સંપત્તિ સંબંધિત મામલા ઉકેલાઈ શકે છે. તમામ ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સ્વભાવમાં અકારણ ઉગ્રતા ટાળવી.

ધનઃ
માન-સન્માનમાં વૃદ્ધિ થતી જણાય. ધર્મ-કર્મ પ્રત્યે વિશેષ આસ્થા અને વિશ્વાસ જાગૃત થાય. આવકનું પ્રમાણ જળવાય. સંતાન સંબંધી સમસ્યાઓ ઉકેલાતી જણાય. જીવનસાથીનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરશે.

મકરઃ
માનસિક સ્થિરતા રહે. દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. સીમેન્ટ, સેનેટરી, ચા, ખેતી તેમજ ઈલેક્ટ્રોનિક્સના ધંધામાં વિશેષ લાભ. જીવનસાથી સાથે વિવાદ ટાળશો તો આનંદ. માથાનાં દુઃખાવાની સમસ્યા રહે.

કુંભઃ
સંબંધમાં તણાઈને ખોટા નિર્ણય લેશો નહીં. ધંધાકીય ક્ષેત્રે જોખમ ટાળવું. અગત્યના આર્થિક ધંધાકીય કાર્યો મુલતવી રાખવા. નાણાં ગુમાવવાના યોગ બને છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાથી સમસ્યા વધતી જણાય.

મીનઃ
પરિવારમાં કોઈપણ મુદ્દાને લઈને તણાવ ટાળવો. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. મિત્રોના સહકારને લઈને કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય. ધંધામાં લાભ. યશ-પ્રતિષ્‍ઠા વધે.

આ પણ વાંચો :-

તમારા બાળકોને લિફ્ટમાં એકલા ન જવા દો, વૃદ્ધે બાળકીને લિફ્ટમાં બાહોમાં ભરી લીધી

Don’t let your children go alone in the elevator

  • અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં બાળકી સાથે છેડતી… 62 વર્ષના વૃદ્ધે લિફ્ટમાં જતા સમયે ધોરણ 7 માં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કર્યા.

ગુજરાતમાં (Gujarat) દીકરીઓ સલામતીની વાતોની હવા નીકળી રહી છે. ગુજરાતની બહેન-દીકરીઓ પોતાના જ એપાર્ટમેન્ટની લિફ્ટમાં પણ સલામત નથી. અમદાવાદના (Ahmedabad) પશ્વિમ વિસ્તારમાં આવેલ ફેમસ ગોદરેજ ગાર્ડન સિટીમાં (Godrej Garden City) બાળકી સાથે છેડતીની ઘટના બની છે. આ ઘટના અત્યંત શરમજનક છે. જેમાં એક 62 વર્ષીય વૃદ્ધએ લિફ્ટમાં આવેલી બાળકીને એકલતાનો લાભ લઈને અડપલાં કર્યા હતા.

અમદાવાદના ગોડરેજ ગાર્ડન સિટીમાં બનેલી આ ઘટના છે. જેમાં ધોરણ-7માં અભ્યાસ કરતી એક બાળકી લિફ્ટમાં આવી હતી. તે સમયે લિફ્ટમાં 62 વર્ષના ભાનુપ્રતાપ રાણા નામના એક વૃદ્ધ પણ આવ્યા હતા. બાળકીને લિફ્ટમાં એકલી જોઈને જ વૃદ્ધની દાનત બગડી હતી. તેમણે બાળકીને વાતોમાં ફસાવીને તેને બાહોમાં જકડી લીધી હતી.

વૃદ્ધની હરકતથી બાળકી ડઘાઈ ગઈ હતી. તો બીજી તરફ, વૃદ્ધ પણ ભાન ભૂલ્યા હતા. ગભરાયેલી બાળકી ફ્લોર આવતા જ લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ હતી, તેણે આ વિશે તેના માતાપિતાને જાણ કરી હતી. જેથી માતા પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. ચાંદખેડા પોલીસે ભાનુપ્રતાપ રાણા નામના વૃદ્ધ આરાપીને સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ કિસ્સો દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. બાળકોને ક્યાં એકલા જવા દેવા અને ક્યાં ન જવા દેવા તે સમજવાનો સમય આવી ગયો છે. પોતાના ફ્લેટની લિફ્ટ પણ બાળકો માટે સલામત રહી નથી.

વિકાસની દોડમાં હવે હાઈરાઈઝ ઈમારતો જ લોકોનું રહેઠાણ બની રહ્યું છે. ત્યારે લિફ્ટમાં જવા સિવાય કોઈ ઓપ્શન હોતો નથી. આવી લિફ્ટમાં સુરક્ષાના સવાલો ઉઠી રહ્યાં છે. આ ઘટનાથી દરેક માતાપિતા ચેતી જાય અને બાળકોને એકલા લિફ્ટમા ન મૂકે.

આ પણ વાંચો :-

 

વિધાનસભા ચૂંટણી પૂર્વે વડોદરા કોંગ્રેસમાં કકળાટ, 5 પ્રભારીઓ શહેર છોડી સુરત જવા રવાના, કારણ ચોંકાવનારું

0

Uproar in Vadodara Congress

  • એકતરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે હવે બીજી બાજુ વડોદરા કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે.

શહેર કોંગ્રેસના 5 પ્રભારીઓ વડોદરા (Vadodara) છોડી સુરત જવા રવાના થઇ ગયા છે. શહેરમાં પ્રભારીઓના ઉતારાની વ્યવસ્થા ન થતા તેઓ જતા રહ્યાં હોવાની ચર્ચા ચાલી રહી છે. AICCના સેક્રેટરી બી.એમ.સંદીપને (BM Sandeep) અગાઉ વડોદરા શહેર-જિલ્લાનો ચાર્જ સોંપ્યો હતો. શહેરની 5 વિધાનસભા બેઠક દીઠ 5 પ્રભારી પોતાના મૂક્યા હતા.

બાદમાં કોંગ્રેસે મધ્ય ગુજરાતના કોંગ્રેસ પ્રભારી તરીકે ઉષા નાયડુને મૂક્યા હતા. જ્યારે બી.એમ.સંદીપ પાસેથી મધ્ય ગુજરાતનો ચાર્જ પરત લઇ લેવાયો હતો. આથી, બી.એમ.સંદીપ પોતાની સાથે પાંચેય પ્રભારીઓને સુરત લઈ ગયાની ચર્ચા ચાલી રહી છે. હાલ બી.એમ.સંદીપ પાસે દક્ષિણ ગુજરાત ઈન્ચાર્જની જવાબદારી છે.

યોગ્ય વ્યવસ્થા નહીં કરાતા તેઓ વડોદરા છોડીને સુરત ચાલ્યા ગયાની ચર્ચા :

મહત્વનું છે કે, તમામ રાજકીય પક્ષોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસ પાર્ટી તરફથી 182 બેઠક પર પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતાં. જેમાં વડોદરામાં પાંચ બેઠકો પર પાંચ પ્રભારીની નિમણૂંક થઈ છે પરંતુ વડોદરા કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે તેઓની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવતા તેઓ વડોદરા છોડીને સુરત ચાલ્યા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરા કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વચ્ચે સંકલનનો અભાવ !

વડોદરાની પાંચ વિધાનસભાની બેઠકના પાંચ પ્રભારીની નિમણૂંક કર્યા બાદ તેઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે વડોદરામાં ઉતારાની વ્યવસ્થા કરવામાં ન આવતા તેઓ વડોદરા છોડીને ચાલ્યા સુરત ચાલ્યા ગયા હોવાથી એકવખત ફરી કોંગ્રેસના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વચ્ચેના સંકલનના અભાવ અંગે પક્ષમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

એ જ પ્રમાણે વડોદરા સયાજીગંજ વિધાનસભાની બેઠકની ચર્ચા માટે કાર્યકરોની મળેલી બેઠકમાં જાતિના સમીકરણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી. ત્યારે પ્રદેશના અગ્રણીની ઉપસ્થિતિમાં સયાજીગંજની બેઠક અંગે પાંચ ટકા પછાત વર્ગના મત હોવા છતાં અગાઉ પૂર્વ પ્રમુખને ટિકિટ આપી હતી.

જે અંગે સામસામે આક્ષેપબાજી થતા પૂર્વ પ્રમુખ બેઠક છોડીને ચાલ્યા ગયા હોવાની વિગતો સામે આવતા કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી જાહેરમાં બહાર આવી હતી.

આ પણ વાંચો :-

Instagram પર લગાવાયો રૂ.3200 કરોડનો દંડ, ગંભીર આરોપ જાણીને ચોંકી જશો

Rs.3200 crore fine imposed on Instagram

  • આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમિશને સોમવારે એક ઈમેલમાં જણાવ્યું હતું કે એમને ગયા અઠવાડિયે જ Instagram ને 402 મિલિયન ડોલરનો દંડ કરવાનો છેલ્લો નિર્ણય લઈ લીધો છે.

Instagram ને બાળકોના ડેટાનાથી જોડાયેલ યુરોપીય યુનિયન ડેટા પોલિસી (European Union Data Policy)ના નિયમ ઉલ્લંઘન માટે દોષી માનવામાં આવ્યું છે, જે પછી Instagram પર ઘણી મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આયર્લેન્ડના (Ireland) ડેટા ગોપનીયતા નિયમનકારે સોશિયલ નેટવર્કિંગ (Social networking) પ્લેટફોર્મ Instagramને 32.7 બિલિયન રૂપિયા નો દંડ ફટકાર્યો છે.

આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમિશને સોમવારે એક ઈમેલમાં જણાવ્યું હતું કે એમને ગયા અઠવાડિયે જ કંપનીને 402 મિલિયન ડોલરનો દંડ કરવાનો છેલ્લો નિર્ણય લઈ લીધો છે.

દંડ લાદવામાં આવ્યા પછી ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ કહ્યું છે કે એમને આ કિસ્સાની જાંચમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. સાથે જ મેટાએ કહ્યું છે કે તે આટલા મોટા દંડને સ્વીકારતી નથી છે અને તેની સામે અપીલ કરશે.

અમરેલીના ખાંભાના ડેડાણ રોડ પર સિંહની પજવણીના વાયરલ વીડિયો | Gujarat Guardian

આયરિશ વોચડોગ તપાસમાં જાણવા મળ્યું હતું કે Instagram એ 13 થી 17 વર્ષના બાળકોનો પર્સનલ ડેટા પબ્લિકલી લીક કર્યો છે, જેમાં તેમના ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસનો પણ સમાવેશ થાય છે.

એક મેટા અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે “આ પૂછપરછ જૂના સેટિંગ્સ પર કેન્દ્રિત છે જે અમે એક વર્ષ પહેલા અપડેટ કરી હતી અને ત્યારથી અમે ટીનએજર્સની માહિતીને સુરક્ષિત અને ખાનગી રાખવા માટે ઘણા નવા ફીચર્સ બહાર પાડયા છે.

એમેઝોન પર પણ મોટો દંડ લગાવવામાં આવ્યો હતો :

તમને જણાવી દઈએ કે આ પહેલા ગયા વર્ષે જ એમેઝોન પર મોટો દંડ લગાવવામાં આવ્યો હતો. આવા જ એક કેસમાં લક્ઝમબર્ગના રેગ્યુલેટરે એમેઝોનને 746 મિલિયન યુરોનો દંડ ફટકાર્યો હતો.

આ પણ વાંચો :-

જ્યારે રાહુલ ગાંધી માટે તલપાપડ હતી કરીના કપૂર, ડેટિંગ માટે કહી હતી આ વાત

When Kareena Kapoor was desperate

  • કરીના કપૂરે એક શોમાં કહ્યું હતું કે તેની અને રાહુલ ગાંધીની વાતો ખૂબ જ દિલચસ્પ હશે. જાણો વિગતવાર

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાની લવ લાઈફને લઈને ઘણી ચર્ચાઓમાં રહે છે. એક્ત્રેસનું નામ એકથી વધીને એક હેન્ડસમ હંક (A handsome hunk) સાથે જોડવામાં આવ્યું છે પણ કરીના કપૂર ખાને શાહિદ કપૂર (Shahid Kapoor) અને પછી સૈફ અલી ખાન (Saif Ali Khan) સાથે પોતાના સંબંધોને જગજાહેર કર્યા હતા.

જોકે સૈફ અલી ખાન અને શાહિદ ઉપરાંત પણ કોઈ છે જેને કરીના પસંદ કરતી હતી અને ડેટ કરવા માંગતી હતી. આ કોઈ બીજું નહીં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છે.

રાહુલ ગાંધીને ડેટ કરવા માંગતી હતી કરીના  :

સાંભળવામાં નવી લાગશે પણ કરીના કપૂર ખાને એક ટોક શોમાં ખુદ આ વાત ને સ્વીકારી છે કે રાહુલ ગાંધીને ડેટ કરવા માંગતી હતી. આ પાછળ કરીના કપૂર ખાને સ્માર્ટ કારણ પણ જણાવ્યું હતું.

અમરેલીના ખાંભાના ડેડાણ રોડ પર સિંહની પજવણીના વાયરલ વીડિયો | Gujarat Guardian

સિમી ગ્રેવાલનાં  શોમાં કર્યો ખુલાસો  :

કરીના કપૂર ખાને Rendezvous With Simi Garewalનાં એક એપિસોડમાં રાહુલ ગાંધી પર ક્રશ હોવાની વાત સ્વીકારી ચુકી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા શોના એક વિડીયોમાં સિમી ગ્રેવાલ, કરીના કપૂરને પૂછે છે કે તે કોને ડેટ કરવા માંગે છે, તો આના જવાબમાં કરીના કહે છે કે મને નથી ખબર કે આ કહેવું જોઈએ કે નહીં, મને આ વાતથી ફરક નથી પડતો કે વિવાદિત થઇ જાય…હું રાહુલ ગાંધીને જાણવા માંગુ છું.

આપ્યું હતું આ કારણ  :

કરીના આગળ કહે છે કે મેં તેમની તસવીરો મેગેઝીનમાં જોઈ અને વિચાર્યું કે તેમની સાથે વાત કરવી કેવી લાગશે. હું એક ફિલ્મી ઘરથી આવું છું અને તેઓ એક મોટા રાજનીતિક પરિવારથી. એટલા માટે મને લાગે છે કે અમારા વચ્ચે વાતો દિલચસ્પ થશે. હવે કરીના કપૂર તો લગ્ન કરીને 2 બાળકોની માં પણ બની ચુકી છે, જ્યારે રાહુલ ગાંધી હાલમાં રાજનીતિ પર ફોકસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતના દીકરાએ કર્યું મોટું કામ, વ્હાઇટ હાઉસના અધિકારીઓ ઓવારી ગયા 

For the first time in the history of

  • અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ પ્રવક્તા વેદાંત પટેલે સ્ટેટ ડિપાર્ટમેન્ટની ડેઈલી બ્રીફિંગ કરીને ઈતિહાસ રચ્યો

અમેરિકી સરકારમાં (US Govt) કામ કરતા વધુ એક ભારતીયે ગૌરવ વધાર્યું છે. વાત જાણે એમ છે કે, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ પ્રવક્તા વેદાંત પટેલે (Vedant Patel) સ્ટેટ ડિપાર્ટમેન્ટની ડેઈલી બ્રીફિંગ કરીને ઈતિહાસ રચ્યો છે.

આવું કરનાર તે પ્રથમ ભારતીય-અમેરિકન (Indian-American) છે. મહત્વનું છે કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસ (Spokesman Ned Price) આ દિવસોમાં રજા પર છે. આવી સ્થિતિમાં વેદાંત પટેલને તેમની ગેરહાજરીમાં આ તક મળી.

અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ પ્રવક્તા વેદાંત પટેલે તેમની બ્રીફિંગ દરમ્યાન યુક્રેન પર રશિયાના આક્રમણ, JCPOA અને લિઝ ટ્રસ યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બનવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમની આગામી અંગત બ્રીફિંગ બુધવારે એટલે કે આજે નિર્ધારિત છે. તેમની પ્રથમ બ્રીફિંગ ઉત્તમ હતી.

આ અંગે વ્હાઇટ હાઉસના સિનિયર એસોસિયેટ કોમ્યુનિકેશન ડાયરેક્ટર મેટ હિલે પણ ટ્વિટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. હિલે પટેલની પ્રશંસા કરતા લખ્યું, “વિશ્વ મંચ પર યુએસનું પ્રતિનિધિત્વ કરવું એ એક મોટી જવાબદારી છે અને વેદાંતે તેને અત્યંત સ્પષ્ટતા સાથે નિભાવ્યું છે.”

દરમિયાન, વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ડેપ્યુટી કોમ્યુનિકેશન ડાયરેક્ટર પિલી તોબરે કહ્યું: “વેદાંત પટેલને સ્ટેજ પર જોવું ખૂબ જ સારું લાગ્યું. મારા મિત્રને એક શાનદાર શરૂઆત માટે અભિનંદન.”

ગુજરાતમાં જન્મેલા વેદાંત પટેલ કોણ છે ? 

વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો હતો. તે કેલિફોર્નિયા યુનિવર્સિટી, રિવરસાઇડના સ્નાતક છે. તેઓ અગાઉ રાષ્ટ્રપતિ બિડેનના સહાયક પ્રેસ સેક્રેટરી અને વ્હાઇટ હાઉસમાં પ્રવક્તા તરીકે સેવા આપી ચૂક્યા છે.

આ ઉપરાંત તેમણે પ્રેસિડેન્શિયલ ઉદ્ઘાટન સમિતિ અને બિડેન-હેરિસ ટ્રાન્ઝિશનના પ્રવક્તા તરીકે પણ સેવા આપી છે. તેમણે બીજી ઘણી મહત્વની જવાબદારીઓ નિભાવી છે. આ વર્ષની શરૂઆતમાં વ્હાઇટ હાઉસના તત્કાલીન પ્રેસ સેક્રેટરી જેન સાકીએ તેમને સુપર ટેલેન્ટેડ ગણાવ્યા હતા.

આ પણ વાંચો :-

રામના નામે પાણીમાં પત્થર તર્યા, સુરતના ગણેશ પંડાલમાં જોવા મળી અનોખી ટેકનોલોજી

0

Stone floated in water in the

  • અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલ બનાવવામાં આવ્યું છે. આ પંડાલમાં પ્રવેશ કરતાંની સાથે રામાયણનો અદભુત નજારો સામે આવી જાય છે.

રામાયણમાં ઉલ્લેખિત પૌરાણિક રામસેતુનો (Ram Setu) ઉલ્લેખ છે. જેની ઝલક હવે સુરતના ગણેશ પડાલમાં જોવા મળી રહી છે. સુરત સિવિલ એન્જિનિયર, ડોક્ટર અને વકીલ મળીને ભવ્ય રામસેતુનો સ્વરૂપ ગણેશ મંડપને આપ્યું છે. રામ સેતુ પાર કરીને ગણેશજીના દર્શન (Darshan of Ganesha) થાય છે એટલું જ નહીં અહીં રામ નામના પથ્થર પણ તરતા જોવા મળે છે. સાથે સાથે ઓર્ગન ડોનેશનને લઈ પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે

અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલ બનાવવામાં આવ્યું છે. આ પંડાલમાં પ્રવેશ કરતાંની સાથે રામાયણનો (Ramayana) અદભુત નજારો સામે આવી જાય છે. પાણી વચ્ચે એક સેતુ બાંધવામાં આવ્યો છે અને આ સેતુને રામસેતુ નામ આપવામાં આવ્યું છે, જેને પાર કરીને ગણેશજીના દર્શન થાય છે.

surat_ganesh_zee.jpg

આ રામસેતુની આજુબાજુ વાનર સેનાના દર્શન પણ થાય છે. જે રામસેતુ બનાવી રહ્યા છે જે પણ કોઈ ભક્તોને ગણેશ બાપ્પાના દર્શન કરવા હોય તો આ રામસેતુને પાર કરીને જ દર્શન થઈ શકે છે. સાથે જ રામસેતુમાં તરતા પત્થરો પણ મૂકાયા છે. પંડાલમાં શ્રીજીના દર્શન સાથે રામસેતુના દર્શન થાય છે. આશરે એક ફૂટ પાણીમાં આ સેતુ બનાવવામાં આવ્યો છે. જેને પાર કરવામાં લોકોને રોચક અનુભૂતિ પણ થાય છે.

પંડાલમાં આ સેતુ બનાનાર સુરતના યુવાઓ છે. જેમાંથી એક સિવિલ એન્જિનિયર વાસુ શાહ, રેડીયોલોજીસ્ટ ધર્મ ડોઢિયા અને વકીલ ક્રિષ્ના જરીવાળા છે. રામસેતુ બનાવવામાં એન્જિનિયરિંગ તકનીકનો લાભ લેવામાં આવ્યો છે. જેથી દસ દિવસ સુધી આ રામસેતુમાં હજારોની સંખ્યામાં રોજે ભક્તો દર્શન કરે અને આ મજબૂતાઈથી અડીખમ રહે.

આ પણ વાંચો :-

સરકારે લીધો મહત્વનો નિર્ણય ! કારમાં પાછળની સીટ પર બેઠેલા લોકો માટે પણ સીટબેલ્ટ ફરજીયાત

0

The government took an important decision

  • નીતિન ગડકરીએ વાહનમાં પાછળ બેઠેલા બધા લોકો માટે સીટબેલ્ટ ફરજીયાત કરી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે જાણીતા ઉદ્યોગપતિ સાઇરસ મિસ્ત્રીના નિધન બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે. 

રવિવારે થયેલા માર્ગ અકસ્માતમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) નિધન થઈ ગયું હતું. આ વિશે કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી (Union Minister for Road Transport & Highways) નીતિન ગડકરીએ દુખ વ્યક્ત કર્યું છે. તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હવે પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિઓએ પણ સીટ બેલ્ટ પહેરવો પડશે.

દંડની યોજના તૈયાર :

ગડકરીએ કહ્યુ કે તેમનું મંત્રાલય તેવા લોકો પર દંડ ફટકારવાની યોજના બનાવી રહ્યું છે, જે લોકો કારમાં સીટ બેલ્ટ વગર સફર કરે છે, ભલે તે આગળ કે પાછળ ગમે તે સીટ પર બેઠા હોય. હવે તેના પર જલદી દંડ ફટકારવામાં આવશે. નવી દિલ્હીમાં આયોજીત IAA ગ્લોબલ સમિટમાં પહોંચેલા ગડકરીએ સાઇરસ મિસ્ત્રી વિશે મીડિયાના સવાલોનો જવાબ આપ્યો હતો.

જલદી લાગુ થશે નવો નિયમ :

મંત્રી ગડકરીએ તે સ્વીકાર કરતા કહ્યું કે ભારતમાં રોડ અકસ્માત વધુ થાય છે. છતાં તેમણે પ્રસ્તાવિત નવા સીટ બેલ્ટ નિયમના ઉલ્લંઘન પર ફટકારવામાં આવતા દંડની રકમનો ઉલ્લેખ કરવાનો ઇનકાર કરી દીદો છે. પરંતુ તેમણે કહ્યું કે કાર બનાવતા સમયે એરબેજને ફરજીયાત બનાવવાની જોગવાઈની સાથે નવા નિયમની કારોને તૈયાર કરવામાં આવશે.

રેકોર્ડ તોડ કેસ :

તેમણે કહ્યું કે દેશમાં 1 વર્ષની અંદર 500,000 દુર્ઘટનાઓનો રેકોર્ડ જોઈને દંગ રહી ગયો છું. ગડકરીએ ઉલ્લેખ કર્યો કે રોડ દુર્ઘટનામાં 60 ટકા 18-34 ઉંમર વર્ષના લોકો સામેલ છે. મંત્રીએ ગ્રામીણ વસ્તીના શહેરી ક્ષેત્રમાં ભારે પ્રવાસ પર અફસોસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આજે ગામો અને વન ક્ષેત્રોમાં 65 ટકા લોકો જીડીપીના 12 ટકાથી વધુનું યોગદાન કરતા નથી.

શું છે નિયમ :

કેન્દ્રીય મોટર વાહન નિયમ (1989) ની કલમ 138 (3) અનુસાર તમે જે કારમાં નિયમ 125 કે નિયમ 125ના ઉપ-નિયમ (1) કે ઉપ-નિયમ (1-એ) હેઠળ સીટબેલ્ટ પ્રદાન કરે છે. તે કારમાં ચાલક અને આગળની સીટ પર બેઠેલા વ્યક્તિએ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે.

સાથે 5 સીટર કારોમાં પાછળ બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે. તો 7 સીટર કારમાં પાછળ બેઠેલા યાત્રીકોનો ફેસ સામેની તરફ છે, તેમાં ચાલતા સમયે સીટ બેલ્ટ લગાવવો જરૂરી છે.

સીટ બેલ્ટ લગાવવો કાયદા દ્વારા ફરજીયાત છે અને તેમાં દંડ પણ સામેલ છે. પરંતુ લોકો તેનું પાલન કરતા નથી. 2019માં ભારતમાં મોટર વાહન સંશોધન અધિનિયમ 2019માં સીટબેલ્ટ ન પહેરવા પર દંડ 100 રૂપિયાથી વધારી 1 હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

કીર્તિદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન, કાર્યક્રમમાં CM અને કોંગી MLA અમરીશ ડેર એકસાથે દેખાતા અનેક તર્કવિતર્ક

0

Keertidan Gadhvi honored with

  • ભાવનગરમાં કીર્તિદાન ગઢવીના સન્માન સમારોહના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના MLA અમરીશ ડેરની એકસાથે ઉપસ્થિતિને લઇ અનેક તર્કવિતર્કો સર્જાયા છે.

કલાનગરી એવાં ભાવનગરને (Bhavnagar) આંગણે ગઇકાલે ગુજરાત ગૌરવ એવોર્ડ (Gujarat Pride Award) સન્માન- અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અભિવાદનની સાથે-સાથે ભાતીગળ લોક ડાયરો પણ યોજાયો હતો. એ દરમ્યાન કીર્તિદાન ગઢવીનું (Kirtidan Gadhavi) ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન કરાયું. દરમ્યાન આ સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના MLA અમરીશ ડેર (Amrish Dar) પણ હાજર રહ્યાં હતા. આથી ગુજરાતના રાજકારણમાં (Politics) ગરમાવો આવ્યો છે.

કીર્તિદાન ગઢવીનું ‘ગુજરાત ગૌરવ એવોર્ડ‘થી સન્માન :

તમને જણાવી દઇએ કે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમ ‘ધન્ય છે કિર્તીદાનને’ નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં કીર્તિદાન ગઢવીનું ‘ગુજરાત ગૌરવ એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં મંત્રી જીતુ વાઘાણી, જીગ્નેશ કવિરાજ, માયાભાઇ આહીર, સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલ સહિત અનેક કલાકારોએ હાજરી આપી હતી.

કાર્યક્રમમાં કોંગ્રેસના MLA અમરીશ ડેર પણ હાજર રહેતા અનેક તર્કવિતર્ક :

એ દરમ્યાન કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર પણ કાર્યક્રમમાં હાજર રહેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. એટલે કે આગામી સમયમાં અમરીશ ડેર પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઇ છે.

કોંગ્રેસમાં એક બાદ એક રાજીનામાનો દોર શરૂ :

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી રહ્યાં છે. એ પહેલાં કોંગ્રેસમાંથી અનેક વિકેટો પડી રહી છે. એકબાદ એક દિગ્ગજોના રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. કારણ કે તાજેતરમાં જ યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી વિશ્વનાથ વાઘેલા, યુથ કોંગ્રેસના મહામંત્રી સહિત યુથ કોંગ્રેસ અને NSUIના કેટલાક નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો હાથ પકડી લીધો છે.

જેના લીધે ભાવનગરમાં ગઇકાલે યોજાયેલા આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના MLA અમરીશ ડેર પણ હાજર રહ્યાં હતા. જેના લીધે એકવાર ફરી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અનેક તર્કવિતર્ક પણ થવા લાગ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ખરેખર આગામી સમયમાં અમરીશ ડેર કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો હાથ થામશે કે કેમ.

આ પણ વાંચો :-