Sunday, Apr 20, 2025

રામના નામે પાણીમાં પત્થર તર્યા, સુરતના ગણેશ પંડાલમાં જોવા મળી અનોખી ટેકનોલોજી

2 Min Read

Stone floated in water in the

  • અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલ બનાવવામાં આવ્યું છે. આ પંડાલમાં પ્રવેશ કરતાંની સાથે રામાયણનો અદભુત નજારો સામે આવી જાય છે.

રામાયણમાં ઉલ્લેખિત પૌરાણિક રામસેતુનો (Ram Setu) ઉલ્લેખ છે. જેની ઝલક હવે સુરતના ગણેશ પડાલમાં જોવા મળી રહી છે. સુરત સિવિલ એન્જિનિયર, ડોક્ટર અને વકીલ મળીને ભવ્ય રામસેતુનો સ્વરૂપ ગણેશ મંડપને આપ્યું છે. રામ સેતુ પાર કરીને ગણેશજીના દર્શન (Darshan of Ganesha) થાય છે એટલું જ નહીં અહીં રામ નામના પથ્થર પણ તરતા જોવા મળે છે. સાથે સાથે ઓર્ગન ડોનેશનને લઈ પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે

અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલ બનાવવામાં આવ્યું છે. આ પંડાલમાં પ્રવેશ કરતાંની સાથે રામાયણનો (Ramayana) અદભુત નજારો સામે આવી જાય છે. પાણી વચ્ચે એક સેતુ બાંધવામાં આવ્યો છે અને આ સેતુને રામસેતુ નામ આપવામાં આવ્યું છે, જેને પાર કરીને ગણેશજીના દર્શન થાય છે.

surat_ganesh_zee.jpg

આ રામસેતુની આજુબાજુ વાનર સેનાના દર્શન પણ થાય છે. જે રામસેતુ બનાવી રહ્યા છે જે પણ કોઈ ભક્તોને ગણેશ બાપ્પાના દર્શન કરવા હોય તો આ રામસેતુને પાર કરીને જ દર્શન થઈ શકે છે. સાથે જ રામસેતુમાં તરતા પત્થરો પણ મૂકાયા છે. પંડાલમાં શ્રીજીના દર્શન સાથે રામસેતુના દર્શન થાય છે. આશરે એક ફૂટ પાણીમાં આ સેતુ બનાવવામાં આવ્યો છે. જેને પાર કરવામાં લોકોને રોચક અનુભૂતિ પણ થાય છે.

પંડાલમાં આ સેતુ બનાનાર સુરતના યુવાઓ છે. જેમાંથી એક સિવિલ એન્જિનિયર વાસુ શાહ, રેડીયોલોજીસ્ટ ધર્મ ડોઢિયા અને વકીલ ક્રિષ્ના જરીવાળા છે. રામસેતુ બનાવવામાં એન્જિનિયરિંગ તકનીકનો લાભ લેવામાં આવ્યો છે. જેથી દસ દિવસ સુધી આ રામસેતુમાં હજારોની સંખ્યામાં રોજે ભક્તો દર્શન કરે અને આ મજબૂતાઈથી અડીખમ રહે.

આ પણ વાંચો :-

Share This Article