Home Blog Page 1272

આજનું રાશિફળ 26 ઓક્ટોબર 2022 :  આજે આ રાશિ જાતકોને લાભ, જાણો કેવો રહેશે દિવસ

Today’s Horoscope 26 October 2022 :

મેષઃ
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. આગત્યના કાર્યો બપોર સુધી પૂરા કરવા. આરોગ્ય સાચવવું

વૃષભઃ
બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતી રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

મિથુનઃ
આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો, અેકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિ વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરત ધરવી.

કર્કઃ
શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

સિંહઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન, મકાનથી લાભ, સ્થાવર જંગમ મિલકતની ખરીદ-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યાઃ
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્સ કન્સલટન્ટ, ઇમ્પોર્ટ-અેક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું.

તુલાઃ
વિનયી વિવેકી માનવતાવાદી વલણને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધે. સાચુ-ખોટું પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક, જાહેરખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ
બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધન
બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.

મકરઃ
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકૂફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભઃ
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્ર‌ગતિ થતી જણાય. આવક જળવાશે છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં. અન્યથા ફસાઇ જવાના યોગ છે.

મીનઃ
બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી-માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આવકમાં પણ વધારો થાય.

આ પણ વાંચો :-

તોફાની તત્વોએ વડોદરાની શાંતિ ડહોળી, દિવાળીની રાતે કોમી હિંસામાં કરાઈ તોડફોડ

Riot elements disturbed the peace of Vadodara

  • વડોદરામાં દિવાળીની રાત્રે પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના… સામાન્ય માથાકૂટમાં પથ્થરમારો થતાં બે જૂથોએ આગચંપી અને તોડફોડ કરી…

વડોદરામાં (Vadodara) દિવાળીની રાત્રે કોમી હિંસા ફાટી નીકળી હતી. શહેરના સંવેદનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો (Throw stones), આગચંપી અને તોડફોડના બનાવ બન્યા હતા. જેને પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. નજીવા વિવાદમાં બે જૂથો સામસામે આવી જતાં સ્થિતિ વણસી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાણીગેટનાં હરણખાના રોડ વિસ્તારમાં દિવાળી રાતે તોફાનો થયા હતા. કેટલાક તોફાની તત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. નજીવા વિવાદમાં બે જૂથો સામસામે આવી ગયા હતા, અને જોતજોતામાં સ્થિતિ વણસી હતી. જેના બાદ બંને જૂથો વચ્ચે ગરમાવો વધતા પથ્થરમારો કરાયો હતો. તેના બાદ મામલો વધુ બિચક્યો હતો.

ટોળાએ ભારે તોડફોડ કરી હતી. એટલુ જ નહિ, વાહનોને આગચંપી કરી ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. આખરે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. તોફાની તત્વોએ પોલીસ પર પણ પેટ્રોલબોમ્બ ઝીંકી એ ઉત્પાત મચાવ્યો હતો. આખરે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પહોંચી પરિસ્થિતિ થાળે પાડ્યો હતો. સમગ્ર વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ સાથે કોમ્બિંગ કરાયુ હતું.

આ પણ વાંચો :-

25 ઓકટોબર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગણેશજીની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

25 October 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
મનોબળમાં વધારો થાય. આવકનું પાસ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળું વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ
અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્ની સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુનઃ
મનનું સિદ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્કઃ
દિવસ દરમિયાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઈસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ
થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાયક સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જાય. આરોગ્ય સાચવવું.

કન્યાઃ
સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલાઃ
ખર્ચનું પ્રમાણ વધતું જણાય છતાં આનંદ ઉત્સાહ જળવાય. હિંમત, વિદ્વતા તથા મનોબળમાં વધારો થાય. અણુઉર્જા, ઈલેક્ટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનંંુ પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્ની સાથે પ્રેમ જળવાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી-ધંધામાં શાંતિ રાખવી.

ધનઃ
જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઈ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઈ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારું રહે. ધંધાકીય ક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકરઃ
નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને. હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઈલ ડીલર તથા ટ્રાવેલિંગના ધંધામાં લાભ.

કુંભઃ
ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નીના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીનઃ
મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઈ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા વાગવાથી સાચવવું. સંતાન સુખ સારું.

આ પણ વાંચો :-

બે ફેઝમાં થઈ શકે છે ગુજરાતની ચૂંટણી, હિમાચલની સાથે જ રિઝલ્ટ, જાણો મતદાનની સંભાવના ક્યારે : રિપોર્ટ

0

Gujarat election may be held in two phases

  • દિલ્હીથી મીડિયા અહેવાલનો દાવો; ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કો નવેમ્બરના છેલ્લા દિવસો દરમિયાન યોજાશે અને બીજો તબક્કો 4 કે 5 ડિસેમ્બરે યોજવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ઓક્ટોબરના અંત સુધીમાં થઈ શકે છે. દિલ્હીથી મીડિયા અહેવાલે (Media reports from Delhi) દાવો કર્યો છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. પ્રથમ તબક્કો નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાંની આસપાસ યોજાઈ શકે છે તેમજ બીજો તબક્કો 5 ડિસેમ્બરની આસપાસ હોઈ શકે છે.

દિલ્હીથી મીડિયા અહેવાલો દાવો કરી રહ્યા છે કે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ થવાની પૂરેપૂરી શક્યાતાઓ છે. એટલે કે મતગણતરી 8મી ડિસેમ્બરે થઈ શકે છે.

18 ફેબ્રુઆરીએ મુદત સમાપ્ત થશે :

ગુજરાતમાં 14મી વિધાનસભાની મુદત 18 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થવાની છે. જે વર્ષ 2017ના ડિસેમ્બરમાં 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતી સાથે ચૂંટણી જીતીને પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્યમાં સરકાર બનાવવામાં આવી હતી.

ચૂંટણી પંચની તૈયારીઓ :

ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનો પણ દિલ્હીના મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ ગમે ત્યારે તેની જાહેરાત કરી શકે છે. જે બાબતે ઉલ્લેખનીય છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની ટીમોએ ગુજરાતની મુલાકાત લીધી છે.

જેઓએ ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે. ગુજરાતની ચૂંટણી બાબતે અમૂક જાણકારી પણ આપી છે. મહત્વનું છે કે બીજી તરફ ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ જનતાને રીઝવવાનું શરૂ કરી દીધું છે.

2017 ચૂંટણીમાં શુ પરિણામ આવ્યા હતા :

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાંથી 40 બેઠકો અનામત છે. તેમાંથી 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અને 27 બેઠકો અનુસૂચિત જનજાતિના આદિવાસી સમાજ માટે અનામત છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. આ સાથે જ કોંગ્રેસના ખાતામાં 77 સીટો આવી. આ સિવાય ભારતીય ટ્રાઈબલ પાર્ટીને 2 સીટમાં 1 સીટ, એનસીપીને મળી હતી. ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી હતી.

આ પણ વાંચો :-

પાવાગઢ જતા ભક્તો આ દિવસે નહી કરી શકે માતાજીના દર્શન; શું છે કારણ ?

0

Devotees going to Pavagadh cannot

  • પાવાગઢના મંદિરના દર્શન પર જાહેર જનતા માટે એક દિવસ પૂરતી રોક લગાવવામાં આવી છે. આગામી તારીખ 25.10.2022 ના દિવસે સૂર્યગ્રહણના યોગ હોવાથી તારીખ 24.10.2022 ની મધ્યરાત્રિથી લઈને તારીખ 25ના સાંજે 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રહેશે.

રજા પડે એટલે દૂર દૂરથી લોકો જુદા જુદા પ્રકારના હિલ સ્ટેશને (At the hill station) ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતા હોય છે. ત્યારે હિન્દુ ધર્મના (Hinduism) મહાપર્વ દિવાળીનો અને નવા વર્ષનો તહેવાર નિમિત્તે લોકો વિવિધ સ્થળોએ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. તેવામાં દિવાળીના દિવસે મા પાવાવાળીના (Ma Pawawali) દર્શન કરવા લાખો ભક્તો પાવાગઢ જતા હોય છે. પરંતુ આ વર્ષે સૂર્યગ્રહણનો (solar eclipse) સંયોગના કારણે મંદિર 24 તારીખના મઘ્ય રાત્રિથી લઈ 25 તારીખના સાંજના 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રહેશે.

દિવાળીના તહેવાર દરમિયાન લગભગ લાખોની સંખ્યામાં લોકો પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન અર્થે આવતા હોય છે.પરંતું સૂર્યગ્રહણના કારણે પાવાગઢના મંદિરના દર્શન પર જાહેર જનતા માટે એક દિવસ પૂરતી રોક લગાવવામાં આવી છે. આગામી તારીખ 25.10.2022 ના દિવસે સૂર્યગ્રહણના યોગ હોવાથી તારીખ 24.10.2022 ની મધ્યરાત્રિથી લઈને તારીખ 25ના સાંજે 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રહેશે.

તારીખ 25ની સાંજે 6:45 મિનિટ બાદ 7:00 વાગ્યે માતાજીની નિત્ય આરતી કરવામાં આવશે. આરતી કર્યા પછી મહાકાળી માતાના મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે અને રાત્રીના 9 વાગ્યા સુધી દર્શન કરી શકાશે .તેમજ તારીખ 26 10 2022 થી નિયમિત પણે મંદિરના નીતિ નિયમો અનુસાર મહાકાળી માતાના દર્શન રોજિંદા મુજબ શરૂ રહેશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દીવાળી તહેવાર નિમિત્તે દર્શનાર્થે આવવા માંગતા લોકોએ પોતાના પ્લાન માં ચેન્જીસ કરવા પડશે. કારણ કે દિવાળી ના દિવસની મધ્ય રાત્રી થી નવા વર્ષની સાંજ સુધી યાત્રાધામ પાવાગઢનો મુખ્ય નીજ દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેવાનો છે .

જો પાવાગઢ આવવાનો પ્રોગ્રામ બનાવી જ દીધો હોય તો આ જગ્યાઓ ની મુલાકાત લઈ શકો છો :

પાવાગઢ ની આજુબાજુ આવેલ ચાંપાનેર હેરિટેજ સીટી ની મુલાકાત લઈ શકો છો. જેમાં આવેલ જામા મસ્જિદ અને કેવડિયા મસ્જિદ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત પાવાગઢ થી થોડાક જ કિલોમીટરના અંતરે વડા તળાવ આવેલું છે. જેનું પ્રાકૃતિક દ્રશ્ય નયનરમ્ય હોય છે.

હજારોની સંખ્યામાં લોકો સુંદર મજાનું પ્રાકૃતિક દ્રશ્ય નિહાળવા માટે વડા તળાવની મુલાકાત લેતા હોય છે. તેમજ પ્રી વેડિંગ શુટીંગ અને ફોટોગ્રાફી માટે આ સ્થળ એકદમ બેસ્ટ છે. આ ઉપરાંત તેની નજીકમાં જ વિરાસત વન આવેલું છે જેમાં બાળકોને ખૂબ જ મજા પડશે.

આ પણ વાંચો :-

 

ગમે ત્યારે જશે શિંદેની ખુરશી, ‘મોટો ખેલ’ કરવાની તૈયારીમાં ફડણવીસ : ઠાકરે જૂથના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ

0

Shinde’s chair will go anytime, Fadnavis

  • શિવસેનાના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેનાએ દાવો કર્યો છે કે શિંદે જૂથના ઓછામાં ઓછા 22 ધારાસભ્યો નારાજ છે. આમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે.

ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) આગેવાની હેઠળની શિવસેનાએ (Shiv Sena) તેના મુખપત્ર સામનામાં દાવો કર્યો છે કે શિવસેનાના 40 બળવાખોર ધારાસભ્યોમાંથી 22 ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. પોતાના સાપ્તાહિક કોલમમાં શિવસેનાએ વરસાદ અને દુષ્કાળ દરમિયાન નિષ્ક્રિય રહેવા બદલ મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) પર તંજ કસ્યો હતો. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ દાવો કર્યો છે કે એકનાથ શિંદેને (Eknath Shinde) મુખ્યમંત્રી બનાવવા એ ભાજપની એક અસ્થાયી વ્યવસ્થા છે.

મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે : શિવસેના

સમાનામાં રોકઠોક કોલમમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘હવે બધા સમજી ગયા છે કે તેમની (શિંદેની) મુખ્યમંત્રીની વર્દી ગમે ત્યારે ઉતારી દેવામાં આવશે.’ શિવસેનાએ સામનામાં કહ્યું છે કે, “મહારાષ્ટ્રની ગ્રામ પંચાયત અને સરપંચ ચૂંટણીમાં સફળતાનો શિંદે જૂથનો દાવો ખોટો છે. શિંદે જૂથના ઓછામાં ઓછા 22 ધારાસભ્યો નારાજ છે.

આમાંથી મોટાભાગના ધારાસભ્યો ભાજપમાં ભળી જશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.” સંપાદકીયમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, શિંદેના કાર્યોથી મહારાષ્ટ્રને ઘણું નુકસાન થયું છે અને રાજ્ય તેમને માફ નહીં કરે. શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટી  પોતાના ફાયદા માટે શિંદેનો ઉપયોગ કરતી રહેશે.

દરેક જગ્યાએ ફડણવીસ જોવા મળે છે : શિવસેના

કોલમમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “શિંદેનું મહારાષ્ટ્રના સીએમ તરીકે વિકાસમાં યોગદાન દેખાઈ રહ્યું નથી. દેવેન્દ્ર ફડણવીસ દરેક જગ્યાએ જોવા મળે છે. દિલ્હીમાં શિંદેનો કોઈ પ્રભાવ નથી. ફડણવીસ મંગળવારે દિલ્હી ગયા હતા. મુંબઈને સ્લમમાંથી બહાર કાઢવાની મહત્ત્વાકાંક્ષી રણનીતિ તરીકે ધારાવી પુનર્વિકાસ પરિયોજના માટે મહારાષ્ટ્ર સરકાર રેલવે પાસેથી જમીન માટે રેલવે મંત્રાલય પાસેથી મંજૂરી લઈ આવી છે.”

આ પણ વાંચો :-

 

 

રખડતા ઢોરના આતંકનો વધુ એક વીડિયો, રસ્તે જતા માતા-પુત્ર પર હુમલો કરી ગાયે ખૂંદી નાખ્યા

0

Another video of the terror of stray cattle

  • રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધુ વકરતી જાય છે. છાસવારે રખડતા ઢોરના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે જ ભાવનગરમાં એક બાઈક સવારનું ઢોરનું અડફેટે મોત થયું હતું.

મોરબીમાં (Morbi) માતા-પુત્ર પર ગાયે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગાયના હુમલાની (Cow Attack) આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મોરબીમાં ગાયનો માતા-પુત્ર પર હુમલો :

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલની બાજુમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં માતા-પુત્ર ચાલતા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક સામે ઊભેલી ગાય તેમના તરફ દોડતી આવે છે અને બાળક પર હુમલો કરે છે. બાળકને બચાવવા માટે સામે આવતા ગાય તેમને પણ અડફેટે લે છે અને નીચે પાડી દે છે.

સ્થાનિક લોકોએ માંડ માંડ બચાવ્યા :

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. જેમાં જોઈ શકાય છે કેવી રીતે ગાય માતા-પુત્ર પર હુમલો કરે છે. જોકે એટલામાં જ આસપાસના લોકો દોડીને બંનેને બચાવવા ત્યાં પહોંચી જાય છે. તેમ છતાં ગાય તેમને નીચે પાડીને પગથી ખૂંદી નાખે છે.

જો કે માંડ માંડ કરીને લોકો ગાયને ત્યાંથી ભગાડવામાં સફળ થાય છે અને મા-દીકરાને છોડાવે છે. ઘટના શુક્રવારે સવારના સમયે બની હતી. જેનો વીડિયો હવે સામે આવ્યો છે. જો લોકો ત્યાં બચાવવા સમય પર ન આવ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

ગઈકાલે ભાવનગરમાં ઢોરની અડફેટે યુવકનું મોત થયું :

નોંધનીય છે કે દિવાળીની પૂર્વ સંધ્યાએ ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો. ઘરેથી બાઈક પર દુકાને જવા નીકળેલા યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું. તંત્રની બેદરકારીના કારણે દિવાળી ટાંણે જ યુવકના મોતથી પરિવારમાં હવે માતમ છવાયો હતો.

આ પણ વાંચો :-

Diwali 2022 : 2000 વર્ષમાં પહેલીવાર દિવાળી પર દુર્લભ સંયોગ, સુખ-સંપત્તિ વધારનાર 5 રાજયોગ

Diwali 2022 : Rare coincidence on Diwali

  • 23 ઓક્ટોબરના રોજ શનિ મકર રાશિમાં માર્ગી થઇ ચૂક્યો છે. એવામાં શનિની દ્રષ્ટિ ગુરૂ પર રહેશે. એટલા માટે દિવાળીથી લગભગ ત્રણ મહિના બાદ ચાંદીના ભાવમાં ઉછાળો આવશે. બાકી ધાતુઓના ભાવમાં ઉતાર-ચઢાવ રહેશે.

પંચાંગ (Almanac) અનુસાર દિવાળી (Diwali) દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની અમાવસ તિથિના (Amavas Tithi) રોજ ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ બે દિવસ એટલે કે 24 ઓક્ટોબરથી શરૂ થઇને 25 ઓક્ટોબરના રોજ સમાપ્ત થાય છે.

પરંતુ માતા લક્ષ્મી (Mother Lakshmi) પૂજન માટે શુભ મુહૂર્ત 24 ઓક્ટોબરના રોજ પ્રાપ્ત થઇ રહ્યા છે અને 25 ઓક્ટોબરના રોજ સૂર્ય ગ્રહણ પણ લાગી રહ્યું છે. એવામાં દિવાળીનો ઉત્સવ અને માતા લક્ષ્મી પૂજા 24 ઓક્ટોબર 2022 ના રોજ ઉજવવામાં આવશે.

જ્યોતિષ ગણતરી અનુસાર દીવાળી 24 ઓક્ટોબર 2022 ને સોમવારે ઉજવવામાં આવશે. આ દિવસે કારતક અમાવસ સાંજે 5.30 વાગ્યાથી શરૂ થશે. દિવાળીના દિવસે સાંજે લક્ષ્મી પૂજાનો સમયે ચિત્રા નક્ષત્ર રહેશે અને પાંચ રાજયોગ બનશે.

આ સાથે જ ત્યારે બુધ, ગુરૂ, શુક્ર અને શનિનો એક દુર્લભ સંયોગ બનશે જોકે 2000 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બનવા જઇ રહ્યો છે. તેનાથી આ લક્ષ્મી પર્વ અનેકગણું પુણ્ય ફળદાયી રહેશે તથા આ સુખ-સમૃદ્ધિ આપનાર રહેશે.

ચાર ગ્રહોનો યોગ દેશ માટે પણ શુભ :

જ્યોતિષ અનુસાર બુધથી આગળવાળી રાશિમાં સૂર્ય-શુક્ર હોવાથી આર્થિક વિકાસનો યોગ બને છે. તો બીજી તરફ આ દરમિયાન શુક્ર અને બુધ લોકોના વેપારમાં બરકત કરશે. તો બીજી તરફ આર્થિક મજબૂતી પણ લાવશે. ગુરૂ અને બુધ પોતાની રાશીઓમાં થઇને આમને-સામને રહેશે. આ વિશેષ ધન યોગના પ્રભાવથી ભારતની વ્યવસાયિક સ્થિતિ મજબૂત થશે.

23 ઓક્ટોબરના રોજ શનિ મકર રાશિમાં માર્ગી થઇ ચૂક્યો છે. એવામાં શનિની દ્રષ્ટિ ગુરૂ પર રહેશે. એટલા માટે દિવાળીથી લગભગ ત્રણ મહિના બાદ ચાંદીના ભાવમાં ઉછાળો આવશે. બાકી ધાતુઓના ભાવમાં ઉતાર-ચઢાવ રહેશે.

જ્યોતિષાચાર્યોના અનુસાર આ દિવાળી પર માલવ્ય, શશ, ગજકેસરી, હર્ષ અને વિમલ નામના 5 રાજયોગ પણ બની રહ્યા છે. આ પાંચ શુભ યોગમાં પૂજાની સાથે ખરીદી, લેણદેણ, રોકાણ અને નવા કામોની શરૂઆત એકદમ શુભકારી અને શુભ ફળદાયી રહેશે. આ 5 રાજયોગોનું શુભ ફળ આખુ વર્ષ જોવા મળશે.

આ પણ વાંચો :-

 

મહેસાણા : ખેરાલુના ડભોડા ગામે તળાવમાં વીડિયો બનાવતા સમયે બે યુવકોના ડૂબી જતા મોત

0

Mehsana: Two youths drowned while

  • મહેસાણાના ખેરાલુ તાલુકામાં તહેવારના દિવસોમાં દુર્ઘટના સર્જાય છે. અહીં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે.

મહેસાણા (Mehsana) જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા (Dabhoda) ગામે એક દુર્ઘટના ઘટી છે. અહીં તળાવમાં નાહવા સમયે વીડિય બનાવી રહ્યાં હતા. વીડિયો બનાવતા સમયે બંને યુવકો અચાનક પાણીમાં ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી જતાં બંને યુવકોના મોત થયા છે. હાલ બંનેનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે.

તરવૈયાઓએ એક કલાકની મહેનત બાદ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. તહેવાર સમયે આ ઘટના બનતા ડભોડા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :-

Ola S1 Air : ₹999 માં બુક થશે આ Electric સ્કૂટર, 15 મિનિટ ચાર્જિંગમાં 50KM દોડશે

0

Ola S1 Air: This electric scooter will be

  • Affrodable electric Scooter : નવું ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીના Ola S1 નું જ વ્યાજબી વર્જન છે. તેમાં તમને 100KM થી વધુની રેંજ મળશે અને બુકિંગ અમાઉન્ટ ફક્ત 999 રૂપિયા રાખવામાં આવી છે.

ઓલા ઇલેક્ટ્રિક (Ola Electric) ને દિવાળીના અવસર પર ભારતીય બજારમાં (Indian market) પોતાના સૌથી સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કરી દીધું છે. તેને ઓલા એસ 1 એર (Ola S1 Air) નામ આપવામાં આવ્યું છે. તેની કિંમત 80 હજર રૂપિયાથી ઓછી છે.

નવું ઇલેક્ટ્રિક સ્કૂટર કંપનીના Ola S1 નું વ્યાજબી વર્જન છે. તેમાં તમને 100KM થી વધુની રેંજ મળશે અને બુકિંગ કરાવતાં 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. અહીં અમે સ્કૂટરની કિંમતથી માંડીને રેંજ, અને ફીચર્સ સુધીની 5 તસવીરો બતાવી રહ્યા છીએ.

Ola S1 એરની કિંમત 79,999 રૂપિયા (એક્સ-શોરૂમ) રૂપિયા રાખવામાં આવી છે. જોકે આ કિંમત 24 ઓક્ટર સુધી વેલિટ છે. ત્યારબાદ પ્રાઇસ વધીને 84,999 રૂપિયા કરી દેવામાં આવશે. આ Ola S1 કરતાં 20,000 રૂપિયા અને S1 Pro કરતાં 50,000 રૂપિયા સસ્તું છે. સ્કૂટરની ડિલીવરી આગામી વર્ષે એપ્રિલ સુધી શરૂ થશે.

Ola S1 Air ને ડુઅલ ટોન કલર આપવામાં આવ્યો છે. તેના નીચલા ભાગમાં બ્લેક-આઉટ પેનલ મળે છે. આ ઉપરાંત સીટને બદલી દેવામાં આવી છે અને તેમાં પારંપારિક દેખાનાર ટ્યૂબલર ગ્રેબ રેલ છે. Ola S1 Air માં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર નવા ફ્લેટ ફ્લોરબોર્ડ છે. સ્કૂટરમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે છે અને તેનું વજન ફલ્ત 99 કિલો છે.

 

Ola S1 Air માં 85 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ અને એકવાર ચાર્જ કરતાં ઇકો મોડમાં 100 કિમીની રેંજ મળે છે. આ 4.3 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી લેશે. તેની બેટરીની ક્ષમતા 2.5 kWh છે, જ્યારે મોટરનો આઉટપુટ 4.5 kWh છે.

ઉપરાંત મૂવ OS3 માં વેકેશન મોડ, પાર્ટી મોડ, મલ્ટીપલ સ્ક્રીન ઇન્ટરફેસ, પ્રોક્સિમિટી અનલોક, ફોન કોલ એલર્ટ, હિલ-હોલ્ડ આસિસ્ટ આપવામાં આવ્યા છે. વેકેશન મોડ સ્કૂટરને 15 મિનિટ ચાર્જિંગમાં 50KM ચાલવાની ક્ષમતા આપે છે.

આ પણ વાંચો :-