Home Blog Page 1260

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના સંબંધોમાં તિરાડ ! ટેનિસ સ્ટારની પોસ્ટે મચાવ્યો ખળભળાટ

0

Crack in the relationship of Sania Mirza and Shoaib Malik

રિપોર્ટસ અનુસાર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને શોએબ મલિક વચ્ચે થોડું અંતર આવી ગયું છે. બંને લાંબા સમયથી સાથે જોવા મળ્યા નથી. તો બીજી તરફ સાનિયાના સોશિયલ મીડિયા પોસ્ટે આ અફવાને ખૂબ હવા મળી છે.

ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Indian tennis player Sania Mirza) અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Former Pakistani cricketer Shoaib Malik) જાણિતા કપલ્સમાંથી એક છે. સાનિયા અને શોએબની લવ કેમિસ્ટ્રીએ (Love Chemistry) એક સમયે દરેકના દિલ જીતી લીધા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એવા સમાચાર છે કે બંને વચ્ચે બધુ બરોબર ચાલી રહ્યું નથી. સંબંધ તૂટવાના આરે છે. સાનિયા અને શોએબના સંબંધ તૂટવાની ચર્ચાઓ હવે ટેનિસ પ્લેયરના એક સોશિયલ મીડિયા (Social media) પોસ્ટે પણ હવા આપી છે.

સાનિયા મિર્ઝા શોએબ મલિક વચ્ચે આવી તિરાડ !

સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો અને પુત્ર ઇઝહાનનો સુંદર ફોટો શેર કરતાં પોસ્ટ લખી હતી. ટેનિસ પ્લેયરે લખ્યું- તે પળ જે મને સૌથી મુશ્કેલ દિવસોમાં લઇ જાય છે. સાનિયાની આ પોસ્ટને જોઇને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે તેમની પર્સનલ લાઈફમાં સમસ્યા ચાલી રહી છે. સાનિયાની અન્ય કેટલી સોશિયલ મીડિયા પોસ્ટમાં દર્દ છલકાતું દેખાય છે.

સાનિયા મિર્ઝા એક તરફ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તો બીજી તરફ શોએબ મલિકે તાજેતરમાં જ પુત્ર ઈઝહાનના બર્થડે તસવીરો શેર કરી હતી. તે તસવીરોમાં સાનિયા હાજર તો છે કારણોને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ છે કે સાનિયા અને શોએબના સંબંધમાં કંઇ ઠીક ચાલી રહ્યું નથી.

 

આલિયા – રણબીરની દીકરીનું નામ શું હશે ? ડિલવરી પહેલા જ આલિયા ભટ્ટે કરી દીધો હતો ખુલાસો

What will be the name of Alia-Ranbir

  • આલિયા ભટ્ટે જન્મ પહેલાં જ બાળકના નામ વિશે સંકેતો આપી દીધા હતા અને તેને કહ્યું હતું કે તેના બાળકનું નામ એકદમ અનોખું રાખશે.

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) ઘરે 6 નવેમ્બર 2022ના રોજ દીકરીનો જન્મ થયો હતો. નાની ઢીંગલીના જન્મ બાદ ભટ્ટ અને કપૂર બંને પરિવારમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોલીવુડથી (Bollywood) લઈને સામાન્ય લોકો દરેક આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને શુભેચ્છાઓ (Good luck) મોકલી રહ્યા છે.

આ બધા વચ્ચે જ આલિયા ભટ્ટે પણ ડિલિવરી પછી સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ કરી અને ચાહકોને ખુશખબર આપતા આલિયાએ લખ્યું હતું કે તેના ઘરે દીકરીનો જન્મ થયો છે. જણાવી દઈએ કે આ દરમિયાન સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની દીકરીના નામને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

જો કે આલિયા ભટ્ટે જન્મ પહેલાં જ બાળકના નામ વિશે સંકેતો આપી દીધા હતા અને તેને કહ્યું હતું કે તેના બાળકનું નામ એકદમ અનોખું રાખશે અને તેનું નામ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના નામ સાથે જોડાયેલું હશે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટે પોતે પ્રેગ્નન્સી દરમિયાન આ નામ વિશે વાત કરી હતી.

શું હશે આલિયા ભટ્ટની દીકરીનું નામ :

જણાવી દઈએ કે અભિનેત્રી આલિયા ભટ્ટનો એક જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો અને આ વિડીયો ત્યારનો છે જ્યારે આલિયા ભટ્ટ તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું પ્રમોશન કરી રહી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું કે જો તેનું નામ આલિયાને બદલે કંઈક બીજું હોત તો તેનું બીજું નામ શું રાખત?

આ પ્રશ્નના જવાબમાં આલિયા ભટ્ટે પોતાનું મનપસંદ નામ જણાવ્યું હતું અને ત્યારે આલિયા ભટ્ટે કહ્યું હતું કે  આ ખાસ નામ તેને ખૂબ જ પસંદ છે કારણ કે આ નામ આલિયા ભટ્ટના અને રણબીરના નામ સાથે પણ જોડાયેલું છે.

આલિયા-રણબીરના નામના અક્ષરો :

આલિયા ભટ્ટે પોતાનું ફેવરિટ નામ ‘આયરા’ જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે આયરા નામની ખાસિયત એ છે કે આલિયાના નામનો પહેલો અક્ષર તેની શરૂઆતમાં ‘આ’ છે અને રણબીરના નામનો પહેલો અક્ષર અંતમાં ‘રા’ છે. હાલ એ વાતનું અનુમાન લગાવવામાં આવ્યું કે આલિયા તેની પુત્રીનું નામ આયરા રાખી શકે છે.

‘આયરા’ નામનો અર્થ શું છે?

આલિયા ભટ્ટનું ફેવરિટ નામ ‘આયરા’નો અર્થ પણ ખૂબ જ સુંદર છે તમને જણાવી દઈએ કે આયરાનો અર્થ એ છે આદરણીય, આ સિવાય આયરા નામ વિદ્યાની દેવી સરસ્વતીનું પણ એક નામ છે.

આ પણ વાંચો :-

રાજકોટમાં જમાઈ બન્યો જમ ! પતિ-પત્નીના ઝઘડામાં દાદાજી સસરાને ઉતાર્યા મોતને ઘાટ

When the son-in-law became in Rajkot

  • Rajkot Crime news : રાજુ મેર ત્યાંથી બજારમાં જતો રહ્યો હતો અને રાત્રે 3:00 વાગ્યા આસપાસ ફરી પોતાના સસરાના ઘરે આવી ખૂની હુમલો કર્યો હતો.

શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જમાઈ (Son-in-law) જમ બન્યા હોવાની ઘટના સામે આવી છે. જમાઈએ પોતાના દાદાજી સસરા પર હુમલો (Attack) કરી તેમની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે.

ત્યારે સામા પક્ષે પ્રતિકાર કરતા જમાઈ ઉપર હુમલો કરતા જમાઈ પણ ઈજાગ્રસ્ત (Injured) થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે સામ સામે પક્ષની ફરિયાદ નોંધાવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ (Rajkot) શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન (Ajidem Police Station) વિસ્તારમાં આવેલા કાળીપાટ ગામે રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. રાજુ મેર અને તેની પત્ની શિલ્પા મેર વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ત્યારબાદ પત્ની શિલ્પા પોતાના પતિનું ઘર છોડીને પોતાના પિતાના ઘરે ચાલી ગઈ હતી.

સમગ્ર મામલાની જાણ પતિ રાજુ મેરને થતા તે પોતાના સસરાના ઘરે પોતાની પત્નીને તેડવા ગયો હતો. રાત થઈ ગઈ હોવાના કારણે સસરા પક્ષ દ્વારા જમાઈને રોકાઈ જવા માટે કહેવામાં આવ્યું હતું ને સવારે બંને સાથે જતા રહેજો તેવું જણાવવામાં આવ્યું હતું.

ત્યારે રાજુ મેર ત્યાંથી બજારમાં જતો રહ્યો હતો અને રાત્રે 3:00 વાગ્યા આસપાસ ફરી પોતાના સસરાના ઘરે આવી ખૂની હુમલો કર્યો હતો. જમાઈ દ્વારા કોની પર હુમલો કરવામાં આવતા સામા પક્ષે રહેલી મહિલાઓ દ્વારા પણ પ્રતિકાર કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનામાં રાજુમેરના દાદાજી સસરા હંસરાજભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કે પોતાની પત્ની સહિત અન્ય ત્રણ મહિલાઓને પણ ઈજા પહોંચાડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. રાજુ મેર અવારનવાર દારૂ પી પોતાની પત્ની ઉપર હુમલો કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે હાલ તો પારિવારિક ઝઘડામાં નિર્દોષ પ્રોઢે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો :-

અડધી રાતે વડોદરામાં મોટી હલચલ ! રૂપાલાએ કરી ગુપ્ત બેઠક, દબંગ નેતાને મીટિંગથી દૂર રખાયા

0

big stir in Vadodara at midnight

  • કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વડોદરામાં ગુપ્ત બેઠક. વાઘોડિયાના ભાજપના કેટલાક ખાસ દાવેદારો અને હોદ્દેદારો રહ્યા હાજર. ધારસભ્ય મધુ શ્રીવાસ્તવને બેઠકમાંથી રખાયા દૂર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે દરેક રાજકીય પક્ષોમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. ત્યારે રવિવારની રાતે વડોદરાના (Vadodara) રાજકીય માહોલમાં અચાનક ગરમાવો આવ્યો હતો. રવિવારે રાત્રે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા (Union Minister Parasottam Rupala) અચાનક આવી ચઢ્યા હતા. જેને પગલે નેતાઓ દોડતા થયા હતા.

કહેવાય છે કે અચાનક આવી ચઢેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાળાએ (Union Minister Purushottam Rupala) વડોદરા ગુપ્ત બેઠક યોજી હતી. તેમણે વાઘોડિયા (Vaghodiya) બેઠકના ભાજપના દાવેદારો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પરસોત્તમ રૂપાલાએ કેટલાક ખાસ લોકો સાથે જ બેઠક કરી હતી.

વડોદરા નજીક પદમલામાં ખાનગી ફાર્મ હાઉસમાં આ ગુપ્ત બેઠક યોજાઈ હતી. જો કે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને (Madhu Srivastava) આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. ગુપ્ત બેઠકથી વાઘોડિયામાં પરસોત્તમ રૂપાલાએ ફરી સેન્સ લીધી હોવાની ચર્ચા છે.

ઉલ્લેખનીય છે કે મધુ શ્રીવાસ્તવ ભાજપના વાઘોડિયા બેઠકથી ધારાસભ્ય છે. તેઓ પોતાની દબંગ ઈમેજને કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે મધુ શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રાખવા પાછળ શુ સંકેત છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાળાની વડોદરાની ટુંકી મુલાકાતે અનેક સવાલો પેદા કર્યા છે.

આ પણ વાંચો :-

BSNLના 2 શાનદાર પ્લાન લોન્ચ ! સિંગલ રિચાર્જમાં આખુ વર્ષ Free અનલિમિટેડ Calling અને Data

0

2 great plans of BSNL launched

  • બીએસએનએલના નવા પ્રી-પેડ પ્લાન દેશભરના તમામ સર્કલમાં રિચાર્જ માટે ઉપલબ્ધ રહેશે. આ સાથે જ બીએસએનએલ તરફથી બે એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે, જેની કિંમત 269 રૂપિયા છે. તેની વેલિડિટી 30 દિવસની છે.

સરકારી ટેલિકોમ (Govt Telecom) કંપની બીએસએનએલ (BSNL) દ્રારા પ્રી-પેડ યૂઝર્સ માટે બે નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. આ રિચાર્જ પ્લાન 1198 રૂપિયા અને 439 રૂપિયામાં આવે છે. બીએસએનએલના (BSNL) 1198 રૂપિયાવાળા પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળે છે. જ્યારે બીએસએનએલના 439 રૂપિયાવાળા પ્લાનમાં ત્રણ મહિનાની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ (Unlimited calling) આપવામાં આવે છે.

બીએસએનએલના નવા પ્રી-પેડ પ્લાન દેશભરના તમામ સર્કલમાં રિચાર્જ માટે ઉપલબ્ધ રહેશે. આ સાથે જ બીએસએનએલ તરફથી બે એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે, જેની કિંમત 269 રૂપિયા છે. તેની વેલિડિટી 30 દિવસની છે. જ્યારે 769 રૂપિયાવાળા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી સાથે આવે છે.

BSNL નો 1198 રૂપિયાવાળો ટેરિફ પ્લાન :

BSNL ના 1198 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં 3GB ડેટા ઓફર કરવામાં આવે છે. સાથે જ 300 મિનિટ કોલિંગ અને 30 SMS ની સુવિધા મળે છે. જે પ્રકારે દરે મહિને રિન્યૂ કરવામાં આવે છે. આ તમામ બેનિફિટ્સ એક મહિનાના અંતે પુરા થઇ જશે અને પછી આગામી મહિને રિન્યૂ થઇ જશે.

BSNL નો 439 રૂપિયાવાળો પ્લાન :

બીએસએનએલનો 439 રૂપિયાવાળો પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે 300 SMS ની સુવિધા મળે છે. પરંતુ આ પ્લાનમાં યૂઝર્સને ડેટા ઓફર કરવામાં આવતો નથી.

BSNL એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર :

બીએસએનએલ તરફથી ફેસ્ટિવલ ધમાકા અંતગર્ત દિવાળી અને એન્ટરટેનમેંટ અને ગેમિંગ વાઉચર લોન્ચ કરવામાં આવ્યા છે. બીએસએનએલના 269 રૂપિયાવાળા રિચાર્જ વાઉચરની વેલિડિટી 30 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 2GB ડેટા ઓફર કરવામાં આવે છે.

આ ઉપરાંત ડેલી 100 SMSની સુવિધા મળે છે. બીએસએનએલ તરફથી arena games રમનારાઓએ 2 લાખ રૂપિયા અને અન્ય એન્ટરટેનમેંટ બેનિફિટ્સ આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :-

કાર વેચતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, નહીં તો થશે મોટું નુકસાન

0

Pay special attention to these things

  • FASTag Tips જો તમે તમારું વાહન વેચ્યું છે અને FASTag ડિએક્ટિવેટ ન કરો તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. તેથી વાહન વેચતા પહેલા FASTag ને નિષ્ક્રિય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો તમે તમારી કાર વેચવાનું (Sell cars) વિચારી રહ્યા છો. તો તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે કાર વેચતા પહેલા કેટલીક બાબતો પર ધ્યાન ન આપો તો તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે ટોલ પ્લાઝા (Toll Plaza) પર ટોલના કારણે લાંબી લાઈનો લાગતી હતી. જોકે તે સમયનો પણ બગાડ હતો. આ સમસ્યાના ઉકેલ માટે ફાસ્ટેગ (Fasteg) શરૂ કરવામાં આવ્યું હતું.

ફાસ્ટેગનો ઉપયોગ કરવાનો યુગ શરૂ થયો. ત્યારબાદ લોકોને ટોલ પર લાંબી લાઈનોમાંથી મુક્તિ મળી અને ટોલ પ્લાઝા પર જામ પણ ઓછો થવા લાગ્યો. લોકોના વાહન પર FASTagનું સ્ટીકર ચોક્કસ જગ્યાએ ચોંટાડવામાં આવે છે. જેનાથી ટોલના પૈસા આપોઆપ કપાઈ જાય છે. આનાથી ઘણો સમય બચવા લાગ્યો છે.

મને જણાવી દઈએ કે FASTag એક ડિજિટલ પેમેન્ટ સુવિધા છે, જેની મદદથી ટોલ પ્લાઝા પર ટોલ પેમેન્ટ કરવામાં આવે છે. જો તમે તમારી કાર વેચી દીધી હોય અને FASTag ને ડિએક્ટીવેટ ન કરો તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. તેથી વાહન વેચતા પહેલા FASTag ને ડિએક્ટિવેટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

FASTag અધિકૃત રજૂકર્તાઓ અથવા સહભાગી બેંકો પાસેથી ખરીદી શકાય છે. આ તમારી બેંકને લિંક કરે છે. હવે જો તમે તમારી કાર વેચો અને FASTag બંધ ન કરો, તો નવા ખરીદનાર તમારા FASTag ના તમામ લાભો લઈ શકશે. આવી સ્થિતિમાં, કાર વેચતા પહેલા FASTag એકાઉન્ટ બંધ કરવું જરૂરી છે.

આ સિવાય, જો તમે તમારું FASTag બંધ ન કરો. તો તમારી કારના નવા ખરીદનાર સરળતાથી તમારા FASTagનો લાભ લઈ શકે છે. ખરેખર નવા ખરીદનાર તમારા FASTag વડે ચૂકવણી કરી શકે છે, જે તમારા ખાતામાંથી કાપવામાં આવશે. જ્યાં સુધી તમે તમારું FASTag એકાઉન્ટ બંધ ન કરો ત્યાં સુધી તમારી કારનો નવો માલિક નવા FASTag માટે અરજી કરી શકશે નહીં.

FASTag એકાઉન્ટ કેવી રીતે બંધ કરવું :

– તમે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1033 પર ફોન કરીને FASTag સંબંધિત તમામ ફરિયાદોનો ઉકેલ મેળવી શકો છો.

– તમે તમારા સેવા પ્રદાતાના ગ્રાહક સંભાળ નંબર પર કોલ કરીને પણ FASTag બંધ કરાવી શકો છો.

– NHAI (IHMCL) – 1033 પર કોલ કરો. અહીં તમને FASTag બંધ કરવાની પ્રક્રિયા વિશે જણાવવામાં આવશે.

– ICICI Bank – 18002100104 પર કોલ કરો. અહીં તમને FASTag બંધ કરવાની પ્રક્રિયા વિશે જણાવવામાં આવશે.

– PayTm – 18001204210 પર કોલ કરીને તમારું એકાઉન્ટ બંધ કરી શકો છો.

– Axis Bank – 18004198585 પર કોલ કરીને તમારું એકાઉન્ટ બંધ કરાવી શકો છો.

– HDFC Bank – 18001201243 પર કોલ કરો. અહીં તમને FASTag બંધ કરવાની પ્રક્રિયા વિશે જણાવવામાં આવશે.

આ પણ વાંચો :-

ઉત્તર ગુજરાતની આ બેઠક પરથી લોક ગાયક જીગ્નેશ કવિરાજ લડી શકે છે ચૂંટણી, જાણો કયા પક્ષમાંથી

0

Folk singer Jignesh Kaviraj can contest elections

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. એવામાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે લોક ગાયક જીગ્નેશ બારોટ (કવિરાજ) અપક્ષ ચૂંટણી લડી શકે છે.

ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની દસમી યાદી આજે જાહેર કરી દીધી છે તો કોંગ્રેસે પણ 43 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

આ બધાની વચ્ચે સૌ કોઈની નજર ભાજપ પર છે. એવામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લોક ગાયક જીગ્નેશ બારોટ (Jignesh Barot) (જીગ્નેશ કવિરાજ) ચૂંટણી લડી શકે છે.

જીગ્નેશ ખેરાલુથી લડી શકે છે અપક્ષ ચૂંટણી : સૂત્ર 

ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. આ વખતે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

તેઓ ખેરાલુ બેઠક પર અપક્ષ ચૂંટણી લડી શકે છે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે લોક ગાયક જીગ્નેશ કવિરાજનું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. તેઓ ખેરાલુ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી શકે છે.

કોણ છે જીગ્નેશ બારોટ (જીગ્નેશ કવિરાજ) ?

– જીગ્નેશ બારોટનો જન્મ 3 સપ્ટેમ્બર 1988ના રોજ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.
– તેમના દાદા, પિતા, કાકા અને મોટાભાઈ પણ સંગીતક્ષેત્રે જોડાયેલા હતા.
– તેમને પણ નાનપણથી જ સંગીતમાં ખૂબ જ રસ હતો.
– જીગ્નેશ કવિરાજે ધોરણ 8 સુધી જ અભ્યાસ કરેલો છે. તેઓએ પોતાની કળા થકી ખૂબ જ નામ મેળવ્યું છે.
– આજે જીગ્નેશ કવિરાજનું નામ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં છવાયેલું છે.

આ પણ વાંચો :-

ધૂમ સ્ટાઈલમાં વાહન ભગાવવા પડશે ભારે ! અમદાવાદમાં હાઈ સ્પીડમાં જતા વાહનો પર નજર રાખશે ખાસ કેમેરા

0

The vehicle has to be driven in the style of Dhoom

  • અમદાવાદમાં હવે રોડ સાઈડ રોમિયોગીરી અને રોડ પર વાહનોના સ્ટંટ કરનારની હવે ખૈર નથી. આવા તત્વોને ઝડપી પાડવા માટે પણ સરકારી તંત્ર સજાગ બન્યું છે. તેથી મોટાભાગના રોડ પર હાઈસ્પીડ વાહનોની ઓળખ માટે ખાસ પ્રકારના કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

દિન પ્રતિદિન હિટ એન્ડ રનની ઘટનાઓ વધતી જાય છે. તેનું સૌથી મોટું કારણ છે હાઈસ્પીડ વાહનો (High speed vehicles) પરનું બેફામ ડ્રાઈવિંગ. આ બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અમદાવાદમાં મોટાભાગના જાહેર માર્ગો પર ખાસ પ્રકારના કેમેરાનું નેટવર્ક ઉભું કરવામાં આવશે.

આ કેમેરા એટલા ખાસ હશે કે હાઈસ્પીડ વાહનોની ગમે તેટલી ઝડપ હોવા છતાં તેમની નંબર પ્લેટ કેચ કરી લેશે. તેના આધારે જેતે વાહનોની ઓળખ કરવી આસાન બનશે. અમદાવાદમાં હવે રોડ સાઈડ રોમિયોગીરી અને રોડ પર વાહનોના સ્ટંટ (Vehicular Stunts) કરનારની હવે ખૈર નથી. આવા તત્વોને ઝડપી પાડવા માટે પણ સરકારી તંત્ર (Government system) સજાગ બન્યું છે.

તેથી મોટાભાગના રોડ પર હાઈસ્પીડ વાહનોની ઓળખ માટે ખાસ પ્રકારના કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વિવિધ સ્થળે 2100 થી વધારે કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા એટલાં ખાસ હશે કે ગમે તેટલી સ્પીડમાં જતા વાહનની પણ ઓળખ થઈ શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. એ અંતર્ગત અમદાવાદ મનપા દ્વારા ઈ-મેમો આપતાં હાઈ રિઝોલ્યુશન કેમેરા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. મ્યુનિ.એ ટ્રાફિક પોલીસની સહાય માટે 2142 સીસીટીવી કેમેરાના મેઈન્ટેનન્સ તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના માટે ટેન્ડર બહાર પાડ્યા છે.

કંપનીને 5 વર્ષ માટે આ પ્રોજેક્ટ હેઠળ કામગીરી સોંપવામાં આવશે. શહેરમાં અત્યારે લગભગ તમામ ચાર રસ્તા પર સીસીટીવી છે. મ્યુનિ.એ ટેન્ડરમાં એ‌વી શરત મૂકી છે કે તેમને 2142 જેટલા એવા સીસીટીવી કેમેરા જોઇએ છે જે હાઈસ્પીડમાં પણ એચએસઆરપી નંબર પ્લેટને કેચ કરી શકે. એટલું જ નહીં અમદાવાદ મનપા દ્વારા મ્યુનિ. વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈટના મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવશે. આ સાથે જ ઈ-ચલણ પણ જનરેટ કરી શકે.

મોનિટરિંગ માટે ખાસ પ્લાન :

રસ્તા પર જતા વાહનોના મોનિટરિંગ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જે અંતર્ગત અમદાવાદના પાલડી અને દાણાપીઠ ખાતેના મોનિટરિંગ સ્ટેશનો પર પણ વિશેષ વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત સ્માર્ટ સિટી હેઠળ શહેરમાં વિવિધ વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઇટનું મેઈન્ટેનન્સ કરવા તેને બંધ-ચાલુ કરવા, સ્વિચને લગતી કામગીરી માટે પણ ટેન્ડર મગાવાયા છે.

આ પણ વાંચો :-

હૈયાની વાત હોઠ પર આવી : AAP કરતા ભાજપને વોટ આપજો.. જાણો એવું કેમ કહ્યું લલિત વસોયાએ

0

Haiya’s words came to the lips

  • ભાજપમાં જોડાવાની વાતો વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય લલીલ વસોયાએ કહ્યું- આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતાં ભાજપને વોટ આપજો… શું હૈયાની વાત હોઠ પર આવી ?

સૌરાષ્ટ્રમાં (Saurashtra) કોંગ્રેસનું મિશન ચૂંટણી સક્રિય થઈ ગયું છે. કોંગ્રેસની પરિવર્તન યાત્રા આખા સૌરાષ્ટ્રમાં ફરી રહી છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા એન ધોરાજીમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી. ધોરાજીમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) ઉપસ્થિતિમાં ધોરાજીના (Dharaji) લેઉવા પટેલ સમાજ ખાતે જાહેર સભા યોજાઈ હતી.

આ સભામાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો (Lalit Vasoya) ભાજપ પ્રેમ ઉમટી આવ્યો હતો. ધારાસભ્ય લલિત વસોયાએ મંચ પરથી ભાજપને મત આપવા માટે હાકલ કરી હતી. આવું કેમ કહ્યું તે જાણીએ.

સતત ભાજપના નેતાઓ સાથે ચર્ચામાં રહેતા લલિત વસોયાએ ફરી એકવાર ભાજપ તરફથી પોતાનો ઝુકાવ બતાવ્યો હતો. જાહેર મંચ પરથી લલિત વસોયાના આ નિવેદનથી કોંગ્રેસમાં કાનાફૂસી શરૂ થી છે. અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મતદાન કરવાને બદલે ભાજપને મતદાન કરવા માટે હાકલ કરી હતી.

લલિત વસોયાએ મંચ પરથી કહ્યુ હતું કે, તમને કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું કહુ છું કે, તમે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપજો. આ આપની વાત કરુ તો રામાયમણમાં એક પ્રસંગ છે. રાવણને સીતા માતાનું અપહરણ કરવુ હતું. લક્ષ્ણજી રેખા ખેંચીને ગયા હતા. રાવણમાં તાકત ન હતી કે તે સીતા માતાનું અપહરણ કરે. તેથી રાવણે બ્રાહ્મણનો વેશ લીધો.

ભાજપ તમને પહોંચે એમ નથી, તેથી આમ આદમી પાર્ટી બ્રાહ્મણના કપડા પહેરી, ગરીબોની વાત કરી, 300 વીજળી મફતની ગેરેન્ટી લઈને આપણી વચ્ચે આવી છે. તેથી કોઈએ ભરમાવાની જરૂર નથી. આ પાર્ટી માત્ર મત તોડવા આવી છે, તો કોંગ્રેસના વોટ તોડવા આવી છે.

તેમણે કહ્યુ હતું કે, 2017 માં ચૂંટણીમાં ધોરાજીમાં ઈતિહાસ સર્જાયો હતો અને ઔતિહાસિક લીડથી જીત્યા હતા. ચૂંટણીમાં તાકાત લગાવીને અમે લડાઈ કરી હતી. અમે ચૂંટણી વખતે વચનો આપ્યા તે પૂરા કર્યાં. ભાજપની તાકાત નથી કે ધોરાજીમાં કોંગ્રેસને હરાવી શકે. તેથી ભાજપ તેની બી ટીમને લઈને ચૂંટણી લડવા આવ્યું છે. કોંગ્રેસ 2017 માં જે તાકાત અને મુદ્દાઓથી લડયા હતા. તેનાથી વધુ તાકાતથી આ વખતે લડીશું.

આ પણ વાંચો :-

 

આ વખતે આદિવાસીઓ ભાજપની અપેક્ષિત જીત માટે નિર્ણાયક પુરવાર થશે

This time the tribals will be the decisive

  • વડાપ્રધાન મોદીએ ગુજરાતનાં છેવાડાના અને આદિવાસીઓની મોટી વસ્તી ધરાવતા નાનાપોંઢા ખાતેથી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશની સુચક શરૂઆત કરી; ૨૬ બેઠકો કબજે કરવાનું આસાન બની રહેશે.
  • ભાજપનાં આંતરકલહ નુકસાન પહોંચાડી શકે, પાટીદારોને પણ પૂર્ણ સંતોષ નથી તો સામે પક્ષે કોંગ્રેસમાં બખેડાનો પાર નથી, નેતૃત્ત્વનાં કોઈ ઠેકાણા નથી, કોંગ્રેસની હાલત ધણી વગરનાં… જેવી છે; હજુ ઘણાં લોકો તબેલામાંથી ભાગી જશે.
  • અમદાવાદ પછીનું સૌથી મોટું મહાનગર ગણાતા સુરતમાં કોંગ્રેસનું પોતાનું કાર્યાલય પણ નથી, ગણ્યા ગાંઠ્યા નેતાઓ કફનીમાં હાથ નાંખીને ફરે છે, કદીર પીરઝાદા જેવા આધ્યાત્મિક ગાદીપતિ હોવા છતાં હજુ નેતાગીરી કરવાનો મોહ છૂટતો નથી.
  • કોંગ્રેસ ભલે વેરવિખેર છે, પરંતુ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રવેશ ભાજપ માટે સૌથી વધુ ચિંતાજનક; ‘આપ’ની સરકાર બનવાની નથી, પરંતુ એકાદ, બે બેઠકો લઈ જશે તો પણ ભાજપ માટે પડકારરૂપ બની રહેશે.
  • પાછલી ત્રણ ચૂંટણીઓમાં ભાજપે સતત બેઠકો ઓછી કરી છે, છેલ્લી ચૂંટણીમાં શંકરસિંહ આડા ફાટ્યા ન હોત તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની હોત, ત્યાર પછી ભાજપે કોંગ્રેસનાં ધારાસભ્યો તોડી લાવવાનું શરૂ કર્યું હતું પરંતુ ખરીદ-વેચાણથી ક્યાં સુધી સરકાર ટકાવી શકાય.

આ વખતે ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીઓ કશ્મકશભરી બની રહેશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ (BJP-Congress) વચ્ચે લડાતી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું (Aam Aadmi Party) પરિબળ ઉમેરાવા ઉપરાંત ભાજપનો આંતરિક અસંતોષ પણ ચરમસીમાએ છે. બહારથી બધુ સમુસુથરુ દેખાય છે, પરંતુ ભાજપનાં આગલી હરોળનાં નેતાઓમાં અસંતોષનો લાવા ખદબદી રહ્યો છે. કોઈ ભાજપ છોડવા માંગતુ નથી, પરંતુ પોતાના કરતાં આગળ નીકળી ગયેલા લોકોને પછાડવાની જબરજસ્ત ટાંટીયા ખેંચની બિમારી ભાજપને ભરડો લઈ રહી છે. આ સ્થિતિ સમગ્ર ગુજરાત ભાજપનાં એકમમાં હોવાથી ઉમેદવારો ફાઈનલ (Candidates Final) થયા પછી સ્થિતિ વધુ વકરવાનો ભય દેખાઈ રહ્યો છે. જેના કારણે ટોચની નેતાગીરી વધુ ચિંતામાં છે.

આગામી ૨૦૨૪નાં વર્ષમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. આવા સંજોગોમાં ભાજપને ગુજરાતની ચૂંટણીનું પરિણામ નબળુ આવે એ હવે પરવડે તેમ નથી. ગત ચૂંટણીઓમાં પણ માંડમાંડ સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યાં બાદ કોંગ્રેસમાં તોડફોડ કરીને કેટલાંક ધારાસભ્યો ભાજપમાં લઈ આવ્યા હતા, પરંતુ માણસો ખરીદવાનું ક્યાં સુધી પરવડી શકે? વળી માણસો ખરીદવાની પ્રવૃત્તિ પણ આખરે તો નૈતિક મૂલ્યોનું ધોવાણ કહી શકાય. પરંતુ ભાજપનાં નેતૃત્ત્વ માટે સત્તા ટકાવી રાખવા માટે જે કંઈ પણ કરવું પડે તે યથાયોગ્ય છે.

આ તરફ ગુજરાત કોંગ્રેસનું માળખુ વેરવિખેર હાલતમાં છે. ખરેખર તો લોકોમાં કોંગ્રેસ જીવે છે. મતલબ હજુ પણ કોંગ્રેસની વિચારધારામાં માનનારા લોકો છે. પરંતુ કોંગ્રેસનું નેતૃત્ત્વ સાવ તળિયે જઈને બેઠું છે. ગુજરાતનાં મુખ્ય મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર શહેરમાં કોંગ્રેસની હાલત અત્યંત દયાજનક છે. કોંગ્રેસ કાર્યાલયોમાં કોઈ નવિનતા જોવા મળતી નથી. થોડા લોકોના નવરા ટોળા બેઠા હોય છે. પરંતુ નવો વિચાર કે કોંગ્રેસને બેઠી કરવાના કોઈ જ પ્રયાસો જોવા મળતા નથી. ગુજરાતમાં અમદાવાદ પછી બીજા ક્રમનું મહાનગર ગણાતા અને લગભગ ૭૦ લાખની વસ્તી ધરાવતા સુરત મહાનગરમાં કોંગ્રેસ પાસે પોતાનુ કહી શકાય એવું કાર્યાલય પણ નથી. છાશવારે એક માત્ર નૈષધ દેસાઈનાં નિવાસ સ્થાને બેઠકો કરવામાં આવે છે. ઘણાં લોકોને તો એ પણ ખબર નહીં હોય કે સુરત શહેર કોંગ્રેસનાં પ્રમુખ કોણ છે?

આવી દયનીય હાલતમાં પણ કોંગ્રેસીઓ ટિકિટ મેળવવા માટે બખાડા કરતાં જોવા મળે છે. અલબત્ત ટિકિટ મેળવવા પાછળનું ગણિત સામાન્ય નાગરિકને નહીં સમજાય પણ રાજકારણને નજીકથી ઓળખતા લોકો ચોક્કસ કોંગ્રેસીઓની ટિકિટ મેળવવા પાછળની મુરાદને સમજી જતાં હશે. ખરેખર જોવા જઈએ તો સુરત કોંગ્રેસમાં ‘હું તું અને મગનિયો’ જેવી હાલત છે. કોઈ નવા ચહેરા નથી. કોઈ નવો વિચાર નથી અને જે કોઈ ચહેરા અથડાયા કરે છે એ ચહેરાથી લોકો અને કાર્યકરો પણ થાકી ગયા હશે.

એક સજ્જન વ્યક્તિ તરીકે કદીર પીરઝાદાને અલગ તારવી શકાય. કદીર પીરઝાદા એક ધાર્મિક સ્થળનાં ગાદીપતિ હોવા છતાં તેમનો રાજકારણનો મોહ હજુ છુટતો નથી અને છાશવારે નેતાઓને મળવા દોડી આવે છે. તેઓ હજુ પણ એવા વહેમમાં છે કે, તેઓ જ કોંગ્રેસનાં સુકાની છે. ખરેખર તો કોંગ્રેસનાં બદલાયેલા ‘કુળ’ને જોતા કદીર પીરઝાદાએ રાજકારણને તિલાંજલિ આપીને પીરાણાની ગાદી સંભાળી લઈને તેમના અનુયાયીઓને કલ્યાણનો માર્ગ બતાવવો જોઈએ. પણ એક ધાર્મિક સંસ્થાનાં ગાદીપતિ કદીર પિરઝાદાને આ વાત કોણ સમજાવે?

ખેર, પાછલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જોવામાં આવે તો છેલ્લી ચાર ચૂંટણીઓમાં ભાજપે બેઠકોનું સતત નુકસાન કર્યું છે. નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૨નાં વર્ષમાં ભાજપને ૧૨૭ અને કોંગ્રેસને ૫૧ બેઠકો મળી હતી. ત્યાર બાદ ૨૦૦૭માં ભાજપની બેઠકો ઘટીને ૧૧૭ થઈ ગઈ હતી અને કોંગ્રેસને ૫૯ બેઠકો મળી હતી. અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર પહેલાં ૨૦૧૨માં પણ ભાજપે સતત નુકસાન કર્યું હતું અને બે બેઠકોનાં નુકસાન સાથે ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૧ બેઠકો મળી હતી.

જ્યારે ૨૦૧૭ની છેલ્લી ચૂંટણીમાં ભાજપની સ્થિતિ અત્યંત બદ્દતર હતી. શંકરસિંહ બાપુએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો ન હોત તો કદાચ આજે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોત અને ભાજપ વિપક્ષની પાટલી ઉપર બેઠો હોત.

મત ગણતરીનાં દિવસે ભાજપ નેતાગીરીનાં શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને ભાજપની બેઠકોનો આંકડો ૧૦૦ અંકને પાર કરી શક્યો નહોત અને ૯૯ બેઠકો ઉપર આવીને અટકી ગયો હોત. જ્યારે કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. મતલબ ખુબ જ પાતળી સરસાઈથી ભાજપ સરકાર બની હતી. ૨૦૧૭માં એક ફાયદો હતો કે, એક તરફ પાટીદાર આંદોલનકારીઓ હતા અને બીજી તરફ કોંગ્રેસ હતી.

પરંતુ આ વખતે ચિત્ર જુદુ જ છે. કોંગ્રેસ પાસે સબળ નેતૃત્ત્વ નથી અને આર્થિક સ્થિતિ પણ સારી હોય એવું લાગતુ નથી. વળી દેશનાં ઉદ્યોગગૃહો પણ ભાજપનાં ડરથી કોંગ્રેસને આર્થિક મદદ કરવાની હિંમત કરે એવું પણ લાગતુ નથી. એટલે કે, ભાજપ માટે કોંગ્રેસ મોટો ચિંતાનો વિષય નથી, પરંતુ પંજાબમાં સરકાર બનાવવામાં અપેક્ષા બહાર સફળતા મળતા ‘આમ આદમી પાર્ટી’નાં સંયોજક અને દિલ્હીનાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં પગદંડો જમાવવા માંગે છે. અલબત્ત અરવિંદ કેજરીવાલને પણ ચોક્કસ ખ્યાલ હશે જ કે, ગુજરાતમાં ‘આપ’ની સરકાર બનવાની નથી. પરંતુ ગણતરીની બેઠકો સાથે ગુજરાત વિધાનસભામાં ‘આપ’ના ધારાસભ્યોની હાજરી ખુબ જ મહત્ત્વની બની રહેશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં ગૃહરાજ્યમાં આમ આદમીનો પ્રવેશ દેશભરનાં રાજકીયક્ષેત્રે મહત્ત્વનો બની રહેશે. ભાજપનાં સદ્નસીબે આપ અને કોંગ્રેસ વચ્ચે મનમેળ નથી. બંને હાથ મીલાવે એ શક્યતા દૂરદૂર સુધી પણ દેખાતી નથી. અન્યથા ભાજપ માટે ગુજરાતમાં ઘરઆંગણે મુશ્કેલીનો પહાડ ઊભો થઈ શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં બદલાયેલા રાજકીય સમીકરણોને બરાબર ઓળખી ગયા છે અને એટલે ગુજરાતની ચૂંટણીની બાગડોર બંનેએ હાથમાં લીધી છે. અમિત શાહનો સતત ગુજરાતમાં પડાવ અને વડાપ્રધાન મોદીની રાજ્યભરનાં ખૂંણે ખૂંણે ઉપરાછાપરી જાહેરસભાઓનો દોર જોતા ગુજરાત આખુ ધમરોળી નાંખ્યુ છે અને ચૂંટણી જંગ જીતવા જે કંઈ કરવું પડે તે કરવાની તૈયારીઓ કરી લીધી છે. શામ, દામ, દંડ, ભેદની નીતિ અનુસાર કોંગ્રેસી નેતાઓને ભાજપમાં આવકારવા દરવાજા મોકળા મુકવામાં આવ્યાં છે. તો સામાજિક પ્રભુત્ત્વ ધરાવતા આગેવાનોને અડધી રાતે મળવા વડાપ્રધાન મોદી અને અમિત શાહ આતુરતા બતાવી રહ્યાં છે. આ ઘટનાઓનો દોર જોતાં મતદાનનો દિવસ આવતા સુધીમાં લગભગ બધુ થાળે પાડી દેવાયું હશે.

આ ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે, ગુજરાતમાં લગભગ ૨૭ વર્ષથી ભાજપનું શાસન છે. પરંતુ રાજ્યનાં આદિવાસી વિસ્તારોને ભાજપે મતો માટે લક્ષ્યાંક બનાવ્યા નથી અને પરિણામે આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની વિચારધારા આજે પણ પ્રભાવિત છે. ગુજરાતનાં માઉન્ટ આબુ એટલે કે, અંબાજી યાત્રા ધામથી શરૂ કરીને દ‌િક્ષણ ગુજરાતનાં વલસાડ અને ધરમપુરનાં મહારાષ્ટ્રને જોડતા આદિવાસી પટ્ટામાં વિધાનસભાની કુલ ૨૬ બેઠકો છે. આ બેઠકો જ આ વખતે ભાજપ માટે તારણહાર પુરવાર થશે. ૨૬ બેઠકો પૈકી ૧૪ બેઠકો કોંગ્રેસ પાસે અને ૦૯ બેઠકો ભાજપ પાસે છે અને બે બેઠકો ભરૂચ જિલ્લાનાં છોટુ વસાવાની પાર્ટી ‘બીટીપી’ પાસે છે અને મોરવાહડફની એક બેઠક ખાલી પડી છે.

ગુજરાત વિધાનસભાના ૨૦૨૨ના કટોકટીભર્યા જંગમાં સૌરાષ્ટ્ર પંથકમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જુથનો અસંતોષ અને ભાજપ અધ્યક્ષ સામેની નારાજગી ચૂંટણીનાં મતદાન ઉપર ચોક્કસ પ્રભાવ પાડશે. કોઈ ઝંડો લઈને વિરોધ કરવા નહીં નીકળે, પરંતુ ભૂર્ગભમાં નિષ્ક્રિયતા દાખવશે તો પણ ભાજપને નુકસાન થઈ શકે. મોટુ નહીં પરંતુ એકાદ બે બેઠકનું નુકસાન પણ આ વખતે ભાજપને પાલવે તેમ નથી. વળી પાટીદારોની ભૂર્ગભ નારાજગી પણ એક પરિબળ ગણી શકાય. ખોડલધામનાં નરેશ પટેલ સહિત આગેવાનો વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા પરંતુ ‘અહંમ્’ સંતોષાયો હોય એવું લગાતુ નથી. ભાજપ સત્તામાં છે એટલે સીધા ‘શિંગડા’ નહીં ભરવે. પરંતુ ભાજપને નુકસાન થાય એવી ભાવના ચોક્કસ આકાર લઈ રહી હશે.

ખેર, નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણીનો જંગ જીતવા હવે જવાબદારી પોતાના માથે લઈ જ લીધી છે અને વ્યૂહરચનાનાં ભાગરૂપે જ ગુજરાતનાં છેક છેવાડાનાં અને આદિવાસીઓની વસ્તી ધરાવતા વલસાડ જિલ્લાનાં નાનાપોંઢા ખાતેથી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કરીને ચૂંટણી જંગનો પ્રારંભ કરાવ્યો હતો અને વડાપ્રધાનની ગણતરી પાર પડશે તો આ વખતે ગુજરાતનાં આદિવાસી મતદારો ભાજપનો પ્રભાવ અને વિશ્વાસ વધારવામાં નિર્ણાયક પુરવાર થશે. વડાપ્રધાન મોદીએ પણ તેમના વક્તવ્ય દરમિયાન ઘણી સુચક વાતો કરી હતી અને પાછલી ચૂંટણીનાં તમામ રેકોર્ડ તોડીને ભાજપને ભવ્ય જીત અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ આદિવાસીઓ સાથેનાં તેમના જુના સંબંધો તાજા કર્યા હતા અને આદિવાસી આગેવાન રત્નુભાઈને પણ યાદ કર્યા હતા તથા નાનાપોંઢાનાં તારકેશ્વર મહાદેવને યાદ કરીને લોકોની લાગણીઓ જીતવાનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લે તેમણે ઉમેદવારને ઓળખીને નહીં પરંતુ ભાજપનાં ‘કમળ’ને ઓળખીને જંગી મતદાન કરવા અપીલ કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની પણ ભરપેટ સરાહના કરી હતી.

આ પણ વાંચો :-