Home Blog Page 1258

Video Call આવ્યો.. છોકરી અચાનક નિર્વસ્ત્ર થઈ, બાદમાં નંખાઈ બ્લેકમેલની જાળ, કૌભાંડનો નવો કીમિયો સેકસટોર્શન

Video call came.. girl suddenly naked

  • વોટ્સએપ પર કૌભાંડ નવું નથી. પરંતુ તેના પર કૌભાંડની નવી રીત આવતી રહે છે. આવી જ એક પધ્ધતિ સેક્સટોર્શન છે જે આજકાલ ચર્ચામાં છે.

સામાન્ય ફોન કોલ્સ પર ઘણીવાર સ્પામ કોલ્સને (Spam calls) અવગણીએ છીએ. પરંતુ ભાગ્યે જ કોઈ વોટ્સઅપ પર કોલ મિસ કરશે. જો તમે WhatsApp કોલને ખૂબ જ મહત્વપૂર્ણ માનીને ઉપાડો અને તમને છેતરવામાં (Cheat) આવે તો શું થશે. કૌભાંડ પણ એવું છે. જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

છેલ્લા કેટલાક દિવસોમાં સેક્સટોર્શનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ કૌભાંડમાં થોડીક સેકન્ડોમાં કંઈક એવું થાય છે કે યુઝરના હોશ ઉડી જાય છે. ઉદાહરણ તરીકે વપરાશકર્તાઓને વિડિયો કોલ મળે છે પછી સમગ્ર કૌભાંડની વાર્તા શરુ થાય છે.

આ માત્ર વાર્તા નથી પરંતુ વાસ્તવિકતા છે :

અમારી સાથે તેની વાર્તા શેર કરતી વખતે એક વ્યક્તિએ કહ્યું કે તે સાંજે તેના ઘરે કેટલાક મહેમાનો સાથે બેઠો હતો. આ દરમિયાન તેને વોટ્સએપ પર કોલ આવે છે . શરૂઆતમાં તેણે તે કોલને અવગણ્યો પરંતુ સતત બેથી ત્રણ વખત કોલ્સ પ્રાપ્ત કર્યા પછી તેને આ કોલ જરૂરી લાગ્યો.

તમે કેવી રીતે છટકી શકો છો

હવે પ્રશ્ન એ છે કે તમે આવા કેસને કેવી રીતે ટાળી શકો. પોલીસના જણાવ્યા મુજબ અનુસાર સ્કેમર્સ લોકોને ખૂબ જ સ્માર્ટ રીતે ફસાવે છે અને આવા કિસ્સાઓમાં તેમને ટ્રેક કરવા મુશ્કેલ છે.

સ્કેમર્સ એક રાજ્યમાં રહેતા અન્ય રાજ્યોનાં લોકોને નિશાન બનાવે છે. જેમ કે તેઓ ઉત્તર ભારતમાં રહેતા દક્ષિણ ભારતના વપરાશકર્તાને ટાર્ગેટ કરશે. આવી સ્થિતિમાં તેમને ટ્રેક કરવું મુશ્કેલ છે. તેઓ કોલિગ માટે અલગ-અલગ નંબરનો ઉપયોગ કરે છે.

તો પછી તેમને ટાળવાનો ઉપાય શું છે ?

તમે આવા કોલ્સને ટાળી શકતા નથી પરંતુ તમે આવી મુશ્કેલીમાં આવવાથી ચોક્કસપણે બચી શકો છો. આ માટે તમારે ફક્ત સાવચેત રહેવાની જરૂર છે. કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા વિડિયો કોલ્સ પ્રાપ્ત કરશો નહીં. જો જરૂરી હોય તો નંબર પર ઓડિયો કોલ કરો અને કોલ કરનારનો હેતુ શું છે તે તપાસો. આ રીતે તમે તમારી જાતને મુશ્કેલીમાંથી બચાવી શકો છો.

આ પણ વાંચો :-

વંદે ભારત ટ્રેનના ટક્કરથી મહિલાનું કમકમાટી ભર્યું મોત, આણંદ પાસે રેલવે ટ્રેક ઓળંગતી વખતે સર્જાઈ દુર્ઘટના

0

Vande Bharat train hit a woman and died

  • આણંદ રેલ્વે સ્ટેશન પાસે સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી 54 વર્ષીય મહિલાનું કમકમાટી ભર્યું મોત, મહિલાની ઓળખ બીટ્રાઈસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે.

ગુજરાતના આણંદ રેલ્વે સ્ટેશન (Anand Railway Station) પાસે મંગળવારે મુંબઈ જતી સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની (Vande Bharat Express Train) ટક્કરથી એક 54 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર ભોગ બનનાર મહિલા ઓળખ બીટ્રાઈસ આર્ચીબાલ્ડ પીટર (Beatrice Archibald Peter) તરીકે થઈ છે.

તેમણે કહ્યું કે અકસ્માત સાંજે 4.37 વાગ્યે થયો છે. તેમણે કહ્યું કે, મહિલા ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. તે મહિલા અમદાવાદમાં રહેતી હતી પીટર આણંદમાં એક તેના સંબંધીને મળવા જતી હતી.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે મહિલાનું મોત :

ટ્રેન ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહી હતી. રેલવે અધિકારીએ જણાવ્યું કે આણંદમાં ટ્રેનનું કોઈ સ્ટોપેજ નથી તેમજ વધુ તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે, વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયાના સમાચાર સામે આવ્યા હતા.

જેમાં અસદુદ્દીન ઓવૈસી ચૂંટણીલક્ષી ગુજરાતમાં પ્રવાસ આવી રહ્યાં હતા. જોકે પોલીસે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે સોમવારે બનેલી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં ટ્રેનની અડફેટે આવીને ટ્રેક પર ઢોર મારવાના ઓછામાં ઓછા ત્રણ બનાવો બન્યા છે.

આ પણ વાંચો :-

નશામાં ચૂર યુવકોના કાર સ્ટંટે લીધો વ્યક્તિનો જીવ, આ વીડિયો જોઈ ઉભા થઇ જશે રૂવાડાં

0

The car stunt of the drunken youth

  • સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નશામાં ધૂત યુવકોને એક વ્યક્તિ પર પુરઝડપે કાર ચઢાવી દીધી.

ગુરૂગ્રામમાં (Gurugram) એક ચોંકાવનારી ઘટનામાં સ્ટંટ કરી યુવકોએ એક વ્યક્તિ પર પુર ઝડપે કાર ચઢાવી દીધી. કારની ઝપેટમાં આવેલા વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઇ ગયું. આ રૂવાડાં ઉભા કરી દેનાર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ખૌફનાક અકસ્માત ગુરૂગ્રામના ઉદ્યોગ વિહાર (Udyog Vihar of Gurugram) ફેજ-2 માં રવિવારે રાત્રે 2 વાગે સામે આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરતાં 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

વાયરલ થયો ચોંકાવનારો વીડિયો :

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે નશામાં ધૂત યુવકોનું ગ્રુપ કારથી ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં લગભગ 10-12 યુવક દારૂની દુકાનની બહાર મારૂતિ અર્ટિગા, એક હ્યુંડાઇ વેન્યૂ અને એક હ્યુન્ડાઇ ક્રેટા વડે સ્ટંટ કરતાં જોઇ શકાય છે.

અચાનક એસયૂવીમાંથી એકે કાબૂ ગુમાવી દીધો અને રાહદારીને ટક્કર મારી દીધી જેથી તેમાંથી બે નીચે પડી ગયા. એક કચરું વીણનારનું ઘટનાસ્થળે મોત થઇ ગયું. જ્યારે બે અન્ય ઘાયલ થઇ ગયા.

7 આરોપીની ધરપકડ :

ઘટના બાદ અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. પોલીસે બે કારોને જપ્ત પણ કરી લીધી છે. ઘટના વિશે પૂછવામાં આવતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીઓમાંથી એક કમિશ્નર કાર્યાલયમાં કોમ્યુટર ઓપરેટર છે. જ્યારે ત્રણ લોકો એક ટ્રાવેલ એજન્સી માટે કામ કરી રહ્યા હતા. પોલીસે તમામ આરોપીઓ પર ગંભીર કલમો નોંધવામાં આવી છે.

આ પણ વાંચો :-

50 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલાં દિગ્ગજ નેતા 51માં વર્ષે ભાજપમાં ! રાઠવાના જવાથી કોંગ્રેસનું રમણ ભમણ

0

A veteran leader who has been a Congress MLA

  • મોહન રાઠવાએ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) ફરી એક વખત તૂટી રહી છે. હાલ રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. મોહન રાઠવા (Mohan Rathwa) ભાજપમાં જોડાવવાની વાતો વચ્ચે ખળભળાટ મચી જવા પામ્યો છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય (Tribal MLA of Congress) ભાજપમાં જોડાશે.

મોહન રાઠવાએ કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહન રાઠવા છે.

કોણ છે મોહન રાઠવા ?

  • સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ.
  • 11 વખત ધારાસભ્ય બન્યા.
  • છોટાઉદેપુરથી સતત 1972થી ધારાસભ્ય બન્યા.
  • 55 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય તરીકે પ્રતિનિધિત્વ કર્યુ.
  • કોંગ્રેસના સૌથી સિનિયર નેતા.

મોહનસિંહ રાઠવા છોટાઉદેપુર બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય મોહન રાઠવા સૌથી વધુ વાર ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે. છોટા ઉદેપુર વિધાનસભા બેઠક – 182 પરથી છેલ્લી 11 ટર્મથી એટલે કે  1972થી અત્યાર સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે.

ગુજરાતમાં સતત 9 વખત ચૂંટાઈને વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેનારા મોહનસિંહ રાઠવા 2012માં સતત વધુ વખત ચૂંટાવાનો વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે તેઓ 10મી વખત ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા, 2017માં પોતાનો જ વિક્રમ પોતે તોડીને ગુજરાતના અવલ્લ નંબરના ધારાસભ્ય બન્યા હતા.

છેવાડાના આદિવાસી બેલ્ટમાં પહેલાથી રાઠવા રાજ રહેલુ છે. ત્યારે એકબીજાના સંબંધીઓ ગણાતા રાઠવા બ્રધર્સ વચ્ચે ટિકિટનો જંગ છંછેડાયો હતો. છોટાઉદેપુર, રાજપીપળાની બેઠકો પર આદિવાસીઓનું પ્રભુત્વ વધુ છે. આ બેલ્ટમાં વર્ષોથી માત્ર 3 નેતાઓનો દબદબો રહ્યો છે. સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા. ત્રણેય પરસ્પર એકબીજાના સંબંધી ગણાય છે. પરંતુ રાજકારણમાં કોઈ સગો હોતો નથી વખત આવ્યે એ પણ સાબિત થઈ ચૂક્યું છે.

No description available.

છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર આદિવાસી બહુમતો જોવા મળે છે. આ સાથે જ અહીં રાઠવા જ્ઞાતિના મતોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે. જણાવી દઈએ કે આ બેઠક પર જ્ઞાતિ આધારિત ગણિત ખૂબ જ પ્રબળ છે. આ બેઠક પર સૌથી વધુ વખત મોહનસિંહ રાઠવાનો વિજય થયો છે.

મોહનસિંહ રાઠવા 1972-90 સુધી, 1990-97 સુધી, 1998-2002, 2007 થી 2022 સુધી સતત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. સતત મોહનસિંહનું આ બેઠક પર પ્રભુત્વ રહેલું છે. જેથી હવે નારણ રાઠવાએ હવે ટિકિટ માટે જંગ છેડયો.

આ પણ વાંચો :-

ઓછા સમય બનવું છે અમીર ? દરરોજ કરી લો આ 5 કામ, જીંદગીભર ભરેલું રહેશે ખિસ્સું

Want to be rich in less time

  • જો તમે ઓછા સમયમાં અમીર બનવા માંગો છો તો પોતાના ઘરે આ 5 કામ દરરોજ શરૂ કરી દો. થોડા સમયમાં તમને અસર દેખાવવાનું શરૂ થઇ જશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા લાગશે.

જીંદગીમાં દરેક મનુષ્ય ઇચ્છે છે કે તેની પાસે ખૂબ ધન-સંપત્તિ હોય, તેનું સ્વાસ્થ્ય સૌથી (Health) સારું હોય, તેના ઘરમાં કોઇ વસ્તુની કમી ન હોય અને સમાજમાં તેનું ખૂબ માન-સન્માન (Respect) હોય પરંતુ આ બધી ઇચ્છાઓ દરેકની પુરી થઇ શકતી નથી.

જો તમે ઇચ્છો તો આ બધી વસ્તુઓ તમને મળી જાય તો આજે પણ તમને માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના અચૂક ઉપાય જણાવીએ. વાસ્તુ શાસ્ત્રના (Vastu Shastra) અનુસાર દરરોજ 5 વિશેષ કાર્યથી માં લક્ષ્મી (Maa Lakshmi) પ્રસન્ન થઇને તમને જાતકો પર ખૂબ કૃપા વરસાવે છે.

ધન પ્રાપ્તિ માટે માટે અપનાવો આ રીત :

તમારા ઘરમાં તુલસીનો છોડ તો જરૂર હશે. આ છોડમાં માં તુલસીનો વાસ ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે દરરોજ સવાર-સાંજ તુલસીના છોડ પર ઘીનો દીવો પ્રગટાવી તેની પૂજા કરો છો માં લક્ષ્મી (Maa Lakshmi) પ્રસન્ન થઇને પરિવારની બધી ઇચ્છાઓ પુરી કરી દે છે.

ભોજન કરતી વખતે પૂર્વ દિશામાં રાખો મોઢું :

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર તમે જ્યારે પણ ભોજન કરો છો તો પ્રયત્ન કરો કે તમારું મોઢું પૂર્વ દિશામાં હોય. આ દિશા સૂર્ય દેવને સમર્પિત અને શુભ ગણવામાં આવે છે. ભોજન કરતે વખતે તમે ભૂલથી પણ તમારા પગમાં ચપ્પલ ન પહેરો નહીતર માતા અન્નપૂર્ણા નારાજ થઇ શકે છે.

ઈશાન ખૂણામાં કરો ગંગાજળનો છંટકાવ :

ઘરના ઈશાન ખૂણાને સૌથી વધુ શુભ ગણવામાં આવે છે એવામાં નકારાત્મક શક્તિઓ આ ભાગ પર કબજો કરવા માટે પ્રવેશનો પ્રયત્ન કરે છે. જ્યોતિષ વિદ્રાનોના અનુસાર આવી બુરી શક્તિઓને ઘરથી દૂર રાખવા માટે તમે નિયમિત રૂપથી ઈશાન ખૂણામાં ગંગાજળનો છંટકાવ જરૂર કરો.

દરરોજ સવારે ઉઠતાં જ જુઓ પોતાની હથેળી :

જો તમે ઓછા સમયમાં ધનવાન બનવા માંગો છો તો સવારે ઉઠતાં જ સૌથી પહેલાં તમારી હથેળીને જોવાની આદત પાડો. આ સાથે જ ‘કરાગ્રે વસતે લક્ષ્મી‘ મંત્રનો જાપ કરો. માન્યતા અનુસાર આમ કરવાથી મા સરસ્વતી અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને જાતક પર પોતાની કૃપા વરસાવે છે.

આ પણ વાંચો :-

9 નવેમ્બર 2022, આજનું રાશિફળ : ગણપતિ બાપાની અસીમ કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ

9 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદમાં વૃદ્ધિ થાય મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂ મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જૂના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહવધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણા. લક્ષ્મીની પ્રાપ્‍તી થાય. પરિવારમાં શાંતી વધે. માતાની તબિયત સાચવવી સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધન હાનિનાના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્ની સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નીસુખમાં વૃદ્ધિધ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધન:
દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમિયાન આરોગ્ય જળવશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

Loan Recovery Rules : લોન ચૂકવી શક્યા નથી અને બેંકવાળા હેરાન કરે છે ? તો જાણો તમારા ગ્રાહક તરીકેના અધિકાર.

0

Loan Recovery Rules

  • જો તમને હોમ લોન કે પછી કોઈ બીજી લોન લીધી છે અને કોઈ કારણસર લોન ચૂકવી શકવાની ક્ષમતામાં નથી કે પછી કેટલાક હપ્તા ભરી શક્યા નથી ત્યારે આ સ્થિતિમાં બેંક અથવા લોન આપનાર સંસ્થા પોતાના રિકવરી એજન્ટ મારફત તમને ડરાવે ધમકાવે છે તો આ સ્થિતિમાં તમને કાયદાકીય રક્ષણ મળે છે. જાણી લો તમારા હક્કની વાત.

અનેક લોકો કાર ખરીદવા (Car Loan), બાળકોના ભણતર (Education Loan) અને લગ્ન, બિઝનેસ કરવા (Business Loan) અને ઘર ખરીદવા (Home Loan) માટે બેન્કમાંથી લોન લે છે. બેન્ક ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે અનેક પ્રકારની ઓફર રજૂ કરે છે. લોન એક ખૂબ જ મોટી નાણાકીય જવાબદારી છે. તમારે દર મહિને લોનનું ઈએમઆઈ (EMI) ચૂકવવાનું રહે છે.

જો કોઈ ગ્રાહક લોન લીધા બાદ ફિક્સ્ડ તારીખ સુધીમાં લોનનો હપ્તો ના ચૂકવે તો આ પ્રકારની પરિસ્થિતિમાં બેન્ક ગ્રાહકોને ફોન કરવા લાગે છે અને મેસેજ મોકલવા લાગે છે. પૈસા ચૂકવવામાં ના આવે તો રિકવરી એજન્ટ ગ્રાહકોને ડરાવતા અને ધમકાવતા પણ હોય છે.

આ પ્રકારની પરિસ્થિતિમાં ગ્રાહકોને પોતાના અધિકાર વિશે જાણકારી હોતી નથી. આ કારણોસર રિકવરી એજન્ટ ગ્રાહકોને પરેશાન કરવા લાગે છે. જો તમારી સાથે પણ આ પ્રકારે કરવામાં આવ્યું છે તો અહીંયા અમે તમને ગ્રાહકોના અધિકાર વિશે જાણકારી આપી રહ્યા છીએ.

આ પ્રકારના મામલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ કેટલાક નિયમો બનાવ્યા છે. જો ગ્રાહક લોન ના ચૂકવી શકે અને કોઈ બેન્ક ગ્રાહકોને ડરાવે અથવા ધમકાવે તો ગ્રાહક તે અંગે પોલીસ ફરિયાદ કરીને પેનલ્ટી પણ માગી શકે છે.

બેન્ક ડિફોલ્ટરના ઘરે જવાનો અને કોલ કરવાનો સમય :

બેન્કને પોતાના ડૂબેલા પૈસા વસૂલવાનો અધિકાર છે. પરંતુ તે માટે બેન્કે RBIએ બનાવેલ નિયમોનું પાલન કરવાનું રહેશે. બેન્કનો ઓફિસર અથવા રિકવરી એજન્ટ ડિફોલ્ટરને સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી જ કોલ કરી શકે છે. ઉપરાંત ડિફોલ્ટરના ઘરે જવાનો સમય પણ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધીનો જ છે. આ સમય સિવાય બેન્કનો પ્રતિનિધિ આવે તો તમે તે અંગે કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

જો કોઈ ગ્રાહક આગામી 90 દિવસોમાં હપ્તાના પૈસા જમા ના કરે તો બેન્ક તે ગ્રાહકને નોટીસ મોકલે છે. ત્યારબાદ પૈસા જમા કરાવવા માટે અન્ય 60 દિવસનો સમય આપવામાં આવે છે. ત્યારબાદ જો કોઈ વ્યક્તિ પૈસા જમા ના કરે તો બેન્ક તે વ્યક્તિની સંપત્તિ (ઘર અને કાર) ની હરાજી કરીને પોતાના પૈસા વસૂલી શકે છે.

રિકવરી એજન્ટ મનમાની કરે તો ગ્રાહકે શું કરવું જોઈએ ?

જો તમે બેન્ક પાસેથી લોન લીધી છે અને તમે તે લોન ચૂકવી શકતા નથી તે પરિસ્થિતિમાં બેન્ક રિકવરી માટે સંપર્ક કરી શકે છે. જો તમે પૈસા ચૂકવી શકતા નથી તો બેન્કના અધિકારી અથવા રિકવરી એજન્ટને ગેરવર્તણૂંક કરવાનો કોઈ જ અધિકાર નથી.

જો કોઈ બેન્ક અધિકારી તમને માનસિક અથવા શારીરિક રીતે પરેશાન કરે છે. તો તમે બેન્કને તેની ફરિયાદ કરી શકો છો. RBIના નિયમ અનુસાર તમને હેરાન કરનાર વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તમે પોલીસ ફરિયાદ કરીને તમે દંડ પણ વસૂલી શકો છો.

આ પણ વાંચો :-

નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવો ફક્ત આ એક વસ્તુ, સફેદ વાળ પણ થઈ જશે કાળા

Mix in coconut oil and apply just

  • ધીરે-ધીરે સફેદ થઈ રહેલા વાળ ક્યારે માથા પર વધી જાય છે ખબર નથી રહેતી. નારિયેળ તેલના આ ઉપાયથી તમારા વાળ ઝડપથી સફેદ થવાથી અટકશે અને સફેદ વાળ પણ કાળા થશે.

ઘણા લોકો સફેદ વાળથી (White hair) પરેશાન રહે છે. સમય પહેલા સફેદ થઈ રહેલા વાળ ખરાબ ડાયેટ, જેનેટિક્સ, વાળમાં પોષણની કમી (Lack of nutrition in hair), વાતાવરણ અને ખરાબ જીવનશૈલી સાથે જોડાયેલી આદતોનું પરિણામ હોઈ શકે છે. એવામાં આ સફેદ વાળને સમય રહેતા કાળા કરવા જરૂરી છે.

અહીં તમને નારિયેળ તેલના અમુક ઘરેલુ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી વાળને કાળા કરી શકાય છે. આ ઉપાયોની અસર ધીરે-ધીરે દેખાય છે પરંતુ પ્રભાવ લાંબા સમય સુધી રહે છે અને આ નુસ્ખા સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પણ છે.

નારિયેળ તેલ અને મીઠો લીમડા :

મીઠા લીમડામાં સફેદ વાળને કાળા કરવાના પ્રાકૃતિક ગુણ હોય છે. વિટામિન બીથી ભરપૂર લીમડો હેર ફોલિકલ્સના કાળા રંગને યથાવત રાખવાનું કામ કરે છે અને વાળને સફેદ થવાથી રોકે છે. તેમાં બીટા-કેરાટિન પણ હોય છે જે વાળને મૂળમાંથી સફેદ થવાથી રોકવામાં કારગર છે.

માટે ઉપયોગ માટે મુઠી ભરીને મીઠો લીમડાના પાન લઈને તેને એક કપ નારિયેળ તેલમાં શેકી લો. જ્યારે પાન કાળા થઈ જાય તો તેલને ગેસ પરથી ઉતારી લો ઠંડુ કરી તેને એક શીશીમાં ભરી લો. આ તેલ તમારે અઠવાડિયામાં 2થી 3 વખત લગાવવાનું રહેશે.

નારિયેળ તેલ અને એલોવેરા  :

એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળ પર લાંબા સમયથી કરવામાં આવે છે. જેનું મુખ્ય કારણ તેના અનેક ગુણોથી ભરપૂર હોવાનું છે. વાળને કાળા કરવા માટે એક બાઉલમાં 2 ચમચી નારિયેળ તેલ, 2 ચમચી એલોવેરા જેલ અને 2 ચમચી લીંબુનું તેલ લો અને તેને સારી રીતે મિક્સ કરો. આ માસ્કને વાળના મૂળથી છેડા સુધી લગાવો અને લગભગ અડધા કલાક સુધી માથા પર રાખ્યા બાદ ધોઈ લો. આ માસ્ક અઠવાડિયામાં બે વાર વાપરી શકાય છે.

નારિયેળ તેલ અને મહેંદી :

સામાન્ય રીતે વાળમાં મહેંદી લગાવ્યા પછી સફેદ વાળ લાલ થઈ જાય છે. પરંતુ જો તમે આ રીતે મહેંદી લગાવશો તો વાળ સફેદ નહીં પણ કાળા થવા લાગશે. આ માટે એક બાઉલમાં એક ચમચી એલોવેરા જેલ સાથે 2 ચમચી નારિયેળ તેલ અને 2 ચમચી મહેંદી મિક્સ કરો. આ મિશ્રણને મિક્સ કર્યા બાદ 20 થી 25 મિનિટ સુધી વાળમાં રાખો અને માથું ધોઈ લો. જો તમે તેને અઠવાડિયામાં એકવાર પણ લગાવો છો. તો તેની અસર સારી રહેશે.

આ પણ વાંચો :-

“ક્યૂટ દેખાઈશ તો જ EMI ભરી શકીશ”, સોશિયલ મીડિયા પોસ્ટને લઈને જાહ્નવી કપૂરે કહી મોટી વાત

I can pay EMI only if I look cute Janhvi Kapoor

  • જાહ્નવી કપૂર એ એક્ટ્રેસમાંથી એક છે જે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખે છે. રીલ લાઈફમાં તે જેટલી સાધારણ દેખાય છે તેટલી જ રિયલ લાઈફમાં ગ્લેમરસ છે. સોશિયલ મીડિયા પર જેટલા પણ ફોટો જાહ્નવી પોસ્ટ કરે છે. તેનાથી તે સારી કમાણી કરે છે. તેનાથી તે EMI પણ ભરે છે.

ફિલ્મમેકર બોની કપૂરની (Filmmaker Boney Kapoor) લાડકી દિકરી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) રિયલ લાઈફ અને રીલ લાઈફ બન્નેમાં ખૂબ જ અલગ છે. ઓનસ્ક્રીન ઈમેજમાં (Onscreen Image) જ્યાં તે ખૂબ જ શરમાળ અને સાધારણ બતાવવામાં આવે છે. ત્યાં જ ઓફસ્ક્રીન તેનો ગ્લેમરસ અવતાર જોઈ ફેન્સ દિવાના થઈ જાય છે. સોશિયલ મીડિયા (Social media) પર જાહ્નવી કપૂર પોતાની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે.

સોશિયલ મીડિયા પર જાહ્નવી ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કરે છે. આટલું જ નહીં આ ફોટો પોસ્ટ કરીને તે મોટી કમાણી પણ કરે છે. આ પૈસાથી તે પોતાની EMI ભરે છે. જાહ્નવીએ પોતે આ વાતનો ખુલાસો એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

જાહ્નવી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ રાખે છે અલગ  :

એક ઈન્ટરવ્યૂમાં જાહ્નવીએ પોતાની રીલ અને રિયલ લાઈફને લઈને વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું કે, “મને લોકો ઘણી વખત એવું પુછે છે કે ફિલ્મોમાં તો મારી એક મિડલ ક્લાસ યુવતી અને સાધાર દેખાતી યુવતી જેવી ઈમેજ છે. ત્યાં સોશિયલ મીડિયા પર હું એકદમ ગ્લેમરસ જોવા મળું છું. એવામાં લોકો માટે બન્નેની વિવિધ ઈમેજ ગળે ઉતરવી મુશ્કેલ છે. હકીકતે હું આ વાતની ચિંતા નથી કરતી.

હું આ રીતનું કેલ્યુલેશન કરવાથી બચુ છું. દર્શનક જ્યારે મને મનીષ મલ્હોત્રાની સાડીમાં જુએ છે ત્યાં જ બીજી તરફ અચાનક કુર્તા પાયજામામાં જોવે છે તો તેમના મનમાં મારી બે ઈમેજ ક્રિએટ થઈ જાય છે. એક વસ્તુ મારા આર્ટનો ભાગ છે તો બીજી ક્યાંકને ક્યાંક મારી પર્સનલ લાઈફ છે. હું તેના વિશે વિચારૂ છું અને પ્રયત્ન કરૂ છુ કે વધારેમાં વધારે રિયલ અને સાચ્ચી રહું. જે છું તે જ લોકોને બતાવું.

રિયલ લાઈફમાં હું જેવી છું તેવી જ દેખાવું. રીલ લાઈફમાં જે પાત્ર મળે તેને સારી રીતે નિભાવવા પર હું વિશ્વાસ રાખુ છુ એક એક્ટર એ જ છે જે રિયલ લાઈફ અલગ રાખીને રીલમાં પોતાની ભુમિકામાં સારી રીતે ઉતરી જાય.”

પોસ્ટ દ્વારા વધારે પૈસા કમાય છે જાહ્નવી  :

જાહ્નવી કપૂરે જણાવ્યું, “સોશિયલ મીડિયા લાઈફ મારી ખૂબ જ શાનદાર છે. હું પોતાની આ પોસ્ટ્સથી એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરૂ છું કે અન્ય બ્રાન્ડ્સ મને એન્ડોર્સમેન્ટ્સ માટે અપ્રોચ કરે. જેમાં પોતાની EMI ભરી શકું. હું લાઈફમાં કંઈ પણ સીરિયસલી લેવાનું પ્રિફર કરતી નથી.

મારો સોશિયલ મીડિયા મારા માટે એક શાનદાર વિકલ્પની જેમ છે. જો હું ક્યૂટ દેખાવ છું તો પાંચ વધુ એક્સ્ટ્રા લોકો મારો ફોટો જોશે. મને બ્રેન્ડ્સ જોશે. વધારે કમાઈ શકીશ અને EMI સરળતાથી ભરી શકીશ.”

આ પણ વાંચો :-

ઔવેસી પર થયેલા પથ્થરમારાની વાઈરલ ઘટનાનો થયો પર્દાફાશ, પોલીસ તપાસમાં સામે આવ્યું કે…

0

The viral incident of stone pelting on Owasi

  • સોમવારે AIMIMના વરિષ્ઠ નેતા અસદુદ્દીન ઔવેસી અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. વંદે ભારત એક્સપ્રેસ દ્વારા મુસાફરી દરમિયાન તેમના કોચ પર પથ્થરમારો થયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

આ અંગે વારીશ પઠાણે (Warish Pathane) સભા દરમિયાન જણાવ્યું હતું. તેવામાં ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તત્કાલિક સર્ચ ટીમ તૈયારી કરી પથ્થરમારા પાછળ કોનો હાથ છે એની તપાસ શરૂ કરી દીધી હતી. ત્યાર પછી સર્ચ રિપોર્ટમાં આની પાછળનું મુખ્ય કારણ સામે આવી ગયું છે. જાણો આની પાછળ કોનો હાથ હતો…

પથ્થરમારાને લઈને સર્ચ રિપોર્ટમાં ઘટસ્ફોટ…

રેલવે ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટરના માર્ગદર્શનમાં ભરૂચ અને વડોદરા રેલવે પોલિસ સ્ટેશન, એલ.સી.બી અધિકારીઓ સાથે આર.પી.એફના અધિકારીઓને સર્ચ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે.

અસદુદ્દીન ઔવેસી જે ટ્રેનના કોચમાં બેઠા હતા તે દરમિયાન અંકલેશ્વર રેલ્વે સ્ટેશનન (Ankleshwar Railway Station) પાસે ડાઉન રેલવે ટ્રેક પરથી પૂર ઝડપે બીજી ટ્રેન આવી રહી હતી. એના કારણે ઔવેસી જે વંદે ભારત ટ્રેનમાં હતા એ અને અન્ય ટ્રેન આજુ બાજુમાંથી પસાર થઈ.

પરંતુ આ સમયે જે રૂટ પર બંને ટ્રેનો આસપાસથી પસાર થઈ ત્યાં સમારકામનું કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે. એટલે રેલવે ટ્રેકની આસપાસ પથ્થરો પણ રહેલા હતા. તેવામાં બીજી ટ્રેન જ્યારે વંદે ભારતની પાસેથી પસાર થઈ ત્યારે ટ્રેક પાસે રહેલો પથ્થર ઉછળીને વંદે ભારત ટ્રેનના કાચ સાથે અથડાયો હતો. આના પરિણામે ઔવેસી જે ટ્રેનમાં બેઠા હતા એનો એક કાચ તૂટી ગયો હતો. આ એક આકસ્મિક ઘટના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

કોઈ કાવતરુ ન હોવાના રિપોર્ટ્સ :

અસદુદ્દીન ઔવેસી જે ટ્રેનમાં હતા એનો આકસ્મિક રીતે કાચ તૂટી ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આની પાછળ કોઈ ષડયંત્ર કે કાવતરુ હોવાના પુરાવા મળ્યા નથી. વળી આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી.

પોલીસે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો :

પોલીસે સર્ચ રિપોર્ટ બાદ જણાવ્યું કે અસદુદ્દીન ઔવેસી પર જે પથ્થરમારો થયો એ ઘટનાની તપાસ કરવામાં આવી છે. આ દરમિયાન રેલવે ટ્રેક પર પડેલો પથ્થર ઉછળીને વંદેભારત ટ્રેન પર આવ્યો છે. આ તપાસમાં કોઈ વ્યક્તિએ ઈરાદાપૂર્વક પથ્થર ફેંક્યો હોવાનું સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ટ્રેનના ટ્રેકની આસપાસ સમારકામ ચાલી રહ્યું હોવાથી મેટલ પાર્ટસ અથવા પથ્થર ઉછલીને કાચ પર વાગ્યો હશે.

પોલીસે દાવો કર્યો છે કે :

પોલીસ તપાસમાં વધુ એક નિવેદન અપાતા દાવો કરાયો છે કે અસદુદ્દીન ઔવેસીએ મુસાફરી દરમિયાન પોતાની સીટ પણ બદલી હતી. એટલે ઈરાદાપૂર્વક કોઈએ પથ્થરમારો કર્યો હોવાનું લાગી રહ્યુ નછી.

આ પણ વાંચો :-