Home Blog Page 1257

10 નવેમ્બર 2022 રાશિફળ : 7 રાશિના જાતકો પર વિષ્ણુ ભગવાનની રહેશે અસીમ કૃપા – બની રહ્યો છે પ્રવાસનો યોગ

10 November 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલું કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે.  ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળું. કોર્ટ-કચેરી સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ
દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઈ બહેન પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારું રહેશે..

સિંહઃ
અભિમાનમાં વધારો થાય. સિદ્ધાંતવાદી વલણ રહે. ભાઈબહેન પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય.

કન્યાઃ
‌દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની ત‌બિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય.

તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રુશ્વતs લવાથી દૂર રહેવું. અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળું રહે. પાચનશક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય.

વૃશ્ચિકઃ
વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન. ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઈચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ
મન ઉપર ખોટા-નકાતારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમિયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે, જો આપ પ્રેમસંબંધમાં હો તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ
‌નિર્ણયશક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિપત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઈ જાય.

મીનઃ
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનો એ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભના યોગ બને છે.

આ પણ વાંચો :-

ગુજરાત કોંગ્રેસમાં કયા સિનિયર નેતાઓને ચૂંટણી લડવાના અભરખા જાગ્યા ? કોણ ક્યાંથી લડી શકે છે ચૂંટણી ?

0

Which senior leaders in Gujarat Congress

  • કોંગ્રેસમાં ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) કેટલાક સિનિયર નેતાઓેને (Senior Leaders) ચુંટણી લડવાના અભરખા જાગ્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલકી પેટલાદ બેઠક પરથી ચુટંણી લડવા તત્પર થયા છે. જો ભરતસિંહને (Bharat Singh) ટિકિટ મળે તો વર્તમાન ધારાસભ્ય નિરંજન પટેલની (Niranjan Patel) ટિકિટ કપાઇ શકે છે.

એવી જ રીતે કોંગ્રેસમાં ખેડબ્રહ્મા બેઠક પરથી તુષાર ચૌધરી ચુટણી લડવા તૈયાર થયા છે. પાલનપુરના વર્તમાન ધારાસભ્યની ટીકીટ કપાઇ શકે છે. તેમના સ્થાને રવિરાજ ગઢવીને ઉમેદવાર બનાવવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે. મહેન્દ્રસિંહ વાઘેલાના કોંગ્રેસ પ્રવેશ બાદ કેટલીક બેઠકના ગણિત બદલાયા છે. કોંગ્રેસ મહેન્દ્ર સિંહને બાયડ, કપડવંજ કે દેહગામથી ચુંટણી મેદાનમાં ઉતારી શકે છે. મહેન્દ્ર સિંહ બાયડ– કપટવંજ પર કોંગ્રેસના સીટીગ ધારાસભ્ય છે.

મહત્વનું છે કે કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર છે એટલે કોંગ્રેસ આ વખતે ગમે તેમ કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં એવી રણનીતિ બનાવી હતી કે તેઓ પાર્ટીના જૂના દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારશે. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા ભરતસિંહ ચૂંટણી ચૂંટણી લડે એવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પેટલાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. પરંતુ હાલ આણંદ જિલ્લાની પેટલાદ બેઠક પર નિરંજન પટેલ સીટિંગ ધારાસભ્ય છે.

આ પણ વાંચો :- 

ગુજરાત AAPના સ્ટાર પ્રચારકની યાદી જાહેર- આ દિગ્ગજ ક્રિકેટર સહિત આ લોકોનાં નામનો સમાવેશ થયો

0

List of Gujarat AAP’s Star Pracharak announced

  • 20 નેતાઓની આ સૂચીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચડ્ડાનું નામ પણ સામેલ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પોતાના સ્ટાર પ્રચારકોની સૂચી જાહેર કરી દીધી છે. 20 નેતાઓની આ સૂચીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Chief Minister Bhagwant Mann) સાથે જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia), સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઠ્ઠાનું નામ પણ સામેલ છે.

ભગવંત માન સાથે જ પાર્ટીએ ગુજરાત ચૂંટણી પ્રચારમાં દિલ્હી સાથે જ પંજાબના નેતાઓ પર પણ વિશ્વાસ બતાવ્યો છે. પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે બે મહિલા નેતાઓને પણ સામેલ કર્યા છે.

આ સાથે જ સ્ટાર પ્રચારકોની સૂચીમાં પૂર્વ ક્રિકેટર અને પંજાબથી રાજ્યસભાના સંસદ સભ્ય હરભજન સિંઘને પણ ગુજરાતમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ઈસુદાન ગઢવી પણ સ્ટાર પ્રચારકોની સૂચીમાં છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપરાંત મનોજ સોરઠિયા, અલ્પેશ કથિરિયા અને યુવરાજસિંહ જાડેજાને પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ સાથે જ આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રચારના સ્ટાર પ્રચારકોમાં પંજાબ સરકારની બે મહિલા મંત્રી બલજિંદર કૌર અને અનમોલ ગગન માનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સ્ટાર પ્રચારકોમાં જગમલ વાળા, રાજૂ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, મથુર બલદાણિયા , અજીત લોકિલ, રાકેશ હીરપરાને પણ સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

5G વાપરવા માટે લેવું પડશે નવું સીમ ? Reliance Jio એ આપી જાણકારી

Need to get a new SIM to use 5G

  • 5Gની શરૂઆતથી જ લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું તેમને 5G સિમ કાર્ડની પણ જરૂર પડશે. હવે કંપનીએ આ જાણકારી આપી છે.

રિલાયન્સ જીઓ દ્વારા Jio True 5G સેવા શરૂ કરવામાં આવી છે. કંપનીએ તેની સેવાને ઘણા શહેરોમાં જીવંત કરી છે. જો કે 5G સેવા હજુ સુધી અહીંના તમામ વપરાશકર્તાઓ સુધી પહોંચી નથી. Jioએ દશેરાના અવસર પર ચાર શહેરોમાં તેની 5G સેવા શરૂ કરી છે. બાદમાં કંપનીએ તેને વધુ બે શહેરોમાં વિસ્તરણ કર્યું છે. તેમાં 5G સેવા છે અને અન્ય 5G આધારિત Wi-Fi ફીચર્ડ છે.

કંપનીએ આપી જાણકારી :

5Gની શરૂઆતથી જ લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શું તેમને 5G સિમ કાર્ડની પણ જરૂર પડશે. હવે કંપનીએ આ જાણકારી આપી છે. એટલે કે Jio એ જણાવ્યું છે કે તમારે Jio True 5G માટે નવા સિમ કાર્ડની જરૂર પડશે કે નહીં.

શું તમારે 5G સિમની જરૂર છે?

Jio એ પોતાના ઓફિશિયલ ટવિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે. આ ટવિટ અનુસાર, તમારું Jio સિમ 5G તૈયાર છે. તમારા માતા-પિતા અને મિત્રો પાસે સિમ 5G તૈયાર છે.

એટલે કે Jio યુઝર્સને નવું સિમ કાર્ડ લેવાની જરૂર નથી. તેના બદલે 5G સેવા તેમના હાલના સિમ કાર્ડ પર જ ઉપલબ્ધ થશે. આ સિમ કાર્ડ 5G તૈયાર છે.

કયા શહેરોમાં Jio 5G સેવા મળી રહી છે? 

જિયોએ શરૂઆતમાં તેની 5G સેવા ચાર શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં શરૂ કરી હતી. જો કે થોડા દિવસો પછી તે અન્ય બે શહેરોમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તમે ચેન્નાઈમાં પણ Jio 5G સેવાનો ઉપયોગ કરી શકશો. તે જ સમયે રાજસ્થાનના નાથદ્વારામાં કંપનીએ Jio 5G પર આધારિત Wi-Fi સેવા શરૂ કરી છે.

આ પણ વાંચો :-

સુરતમાં સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપારનો ધંધો, 9 મહિલા સહિત 13 ની કરાઈ ધરપકડ

Prostitution business running

  • સુરતના વેસુ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી સ્પાની આડમાં ચાલતો દેહવ્યાપારનો ધંધો ઝડપી લીધો હતો.

છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં (Criminal Activity) સુરતનું નામ મોખરે થઇ રહ્યુ છે. હત્યા, દુષ્કર્મ સહિતની ઘટનાઓ બાદ હવે દેહ વ્યાપારના (Body Trade) ધંધા ચાલી રહ્યા હોવાનું પોલીસ પોલીસને કાને વાત પડી હતી. પોલીસે વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પામાં (Lucky Family Spa) પોલીસે દરોડા પાડયા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચના (Surat Crime Branch) આ દરોડા દરમિયાન સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનું સામે આવતા ચકચાર જાગી હતી. જેને લઇને પોલીસે 9 મહિલાઓ સહિત કુલ 13 લોકોની ધરપકડ કરી લીધી હતી.

દરોડા દરમિયાન બે ગ્રાહકો પણ ઝડપાયા :

પોલીસે તપાસ હાથ ધરતા લકી ફેમિલી સ્પામાં 2 મહિલા સંચાલકો સ્પા ચલાવતાં હોવાનું સામે આવ્યું હતું.  દરોડા દરમિયાન બે ગ્રાહકો પણ ઝડપાયા હતા. જે ને લઇને કુલ રૂપિયા 44 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

અગાઉ પોલીસ દ્વારા કરાઇ હતી કાર્યવાહી :

અગાઉ પોલીસ દ્વારા  છેલ્લા 3 દિવસ કૂટણખાના વિરુદ્ધ વિશેષ ઝુંબેશ શરુ કરવામાં આવી હતી. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર બાદ સુરત પોલીસ દ્વારા ભટાર અને વરાછા વિસ્તારમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્પાના ઓથા હેઠળ ચાલતા વધુ 4 કૂટણખાના ઝડપી પાડ્યા હતા.  ભટાર અને વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે સ્પા પર દરોડા પાડીને 20થી વધુ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત પોલીસે ત્રણ દિવસથી સ્પેશિયલ ડ્રાઇવ શરુ કરી ગોરખધંધા સામે લાલ આંખ કરીને 12થી વધુ સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના સ્થાને કોણ લડશે ચૂંટણી ? ટિકિટ મુદ્દે આપ્યું મોટું નિવેદન…

0

election instead of Dabang MLA Madhushrivastav

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં ભાજપમાં પણ કોને ટિકિટ મળશે અને ક્યાંથી એની ચર્ચાઓ તથા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન વડોદરાનાં દબંગ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે ચૂંટણી લડવા અંગે મોટુ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું છે કે અગાઉ મે મજાકમાં કહ્યું હતું કે હું અથવા મારા પત્નીમાંથી કોઈ એક ચૂંટણી લડશે (Will contest the election). પરંતુ ભાજપની પોલિસી છે કે પરિવારના સભ્યોને ટિકિટ નહીં મળે તો પછી હું ભાજપની આ નીતિની સાથે છું. પાર્ટી સાથે જ જોડાયેલો રહીશ. મધુ શ્રીવાસ્તવે (Madhu Srivastava) ટિકિટ મુદ્દે આપેલા નિવેદન પર નજર કરીએ…

મધુ શ્રીવાસ્તવે ટિકિટ મુદ્દે કર્યો ઘટસ્ફોટ :

તેમણે કહ્યું કે અગાઉ મેં મશ્કરીમાં કહ્યું હતું કે ચૂંટણી હું લડુ કે મારા પત્ની એક જ વાત છે. પરંતુ ભાજપની નીતિ સ્પષ્ટ છે કે એક જ પરિવારથી ટિકિટ આપવામાં આવશે નહીં. જેના કારણે હું આનું સન્માન કરું છું અને આગળ પણ ભાજપ સાથે જ જોડાયેલો રહીશ. હું ભાજપનો સેવક છું.

ચૂંટણી પ્રચારની તૈયારી વિશે કહ્યું :

મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ટિકિટનો સવાલ જ નથી આવતો અત્યારે આ અંગે પાર્ટી નક્કી કરશે. મે અગાઉ જ કહ્યું હતું એમ કે હું પાર્ટીમાં જ રહીશ અને જનતાની સેવા કરતો રહીશ. હવે ચૂંટણીમાં ક્યારે અને ક્યાંથી ઉમેદવારી મળશે એ પાર્ટી નક્કી કરશે.

આ પણ વાંચો :-

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે ? તેલ કંપનીઓના કરોડોના નુકસાનના આંકડા ચિંતાજનક, કેવી રીતે પૂરાશે ખાડો

0

Can petrol-diesel prices rise again

  • તેલ કંપનીઓમાં સતત નુકસાન થઈ રહ્યું છે; IOC, BPCL અને HPCLને જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂ. 2,748.66 કરોડનું નુકસાન. તેના પરથી સંકેતો મળી રહ્યા છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધી શકે છે.

ઓઈલ કંપનીઓ (Oil Company) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પેટ્રોલ, ડીઝલ અને સ્થાનિક એલપીજીના ભાવમાં થયેલા નુકસાનને કારણે આ નુકસાન વધ્યું છે. વિદેશી બજારમાં કિંમતોમાં તેજી વચ્ચે સ્થિર છૂટક કિંમતોને કારણે કંપનીઓને નુકસાન (Loss) થઈ રહ્યું છે.

શું દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel Prices) વધવાના છે ? આ જણાવી રહ્યાં પરંતુ જે રીતે તેલ કંપનીઓને સતત નુકસાનમાં ચાલી રહી છે તેના પરથી સંકેતો મળી રહ્યા છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ (Petroleum Marketing) કંપનીઓ IOC, BPCL અને HPCLને જુલાઈ-સપ્ટેમ્બરમાં રૂ. 2,748.66 કરોડનું નુકસાન થયાની માહિતી મળી છે. આ સતત બીજું ક્વાર્ટર છે જ્યારે કંપનીઓને નુકસાન થયું છે.

રૂ. 272.35 કરોડની ખોટ :

શેરબજારોને આપવામાં આવેલી માહિતીમાં તેલ કંપનીઓએ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નુકસાનના આંકડા આપ્યા છે. આ મુજબ IOCએ 29 ઓક્ટોબરના રોજ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 272.35 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી બતાવી છે જે નાણાકીય FY23 એટલે કે નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં IOCને રૂ. 1,992.53 કરોડની ખોટ કરી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ એલપીજી નીચી કિંમતે વેચી નુકસાન ભોગવ્યું છે.

HPCL ફરી નુકસાન :

3 નવેમ્બર, 2022ના રોજ HPCLએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ. 2,172.14 કરોડની ખોટ નોંધાવી છે. જે એપ્રિલ-જૂનમાં રૂ. 10,196.94 કરોડની અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક ખોટ નોંધવામાં આવી છે. આ સિવાય ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની BPCLની ખોટ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 304.17 કરોડ હતી તેમજ તેને પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 6,263.05 કરોડની ખોટ હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર :

તેલ કંપનીઓને થઈ રહેલા ભારે નુકસાનનું સૌથી મોટું કારણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર હોવાનું માનવામાં આવે છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ સતત સાત મહિનાથી ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

22000 કરોડની સબસિડી :

કંપનીઓને છેલ્લા બે વર્ષમાં ઓછી કિંમતે LPG વેચવાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આપવામાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી હતી. સરકાર દ્વારા 22,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાથી જે નુકસાન થયું તેની ભરપાઈ કરવામાં નિષ્ફળ જ રહી. IOCને છેલ્લા ક્વાર્ટરના અંતે LPG સબસિડી તરીકે રૂ. 10,800 કરોડ મળ્યા હતા. જ્યારે HPCLને રૂ. 5,617 કરોડ અને BPCLને રૂ. 5,582 કરોડ મળ્યા હતા.

આ પણ વાંચો :-

દેશ મનમોહન સિંહનો ઋણી છે…: નીતિન ગડકરીએ કેમ પૂર્વ PMના ખૂલીને કર્યા વખાણ ? 

0

Country owes Manmohan Singh

  • અમે રસ્તાઓ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. તેમના દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાને કારણે જ અમે રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શક્યા : નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Union Road Transport and Highways Minister Nitin Gadkari) મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની (Former Prime Minister Manmohan Singh) પ્રશંસા કરી હતી. એક કાર્યક્રમમાં ગડકરીએ જણાવ્યું હતું કે મનમોહન સિંહ દ્વારા 1991માં નાણાં પ્રધાન તરીકે શરૂ કરાયેલા આર્થિક સુધારાએ (Economic Reforms) ભારતને નવી દિશા આપી કારણ કે તે ઉદાર અર્થતંત્રની શરૂઆત કરે છે.

ગડકરી ‘TIOL એવોર્ડ્સ 2022‘ સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે, ‘ભારતને ઉદાર આર્થિક નીતિની જરૂર છે, જેમાં ગરીબોને પણ ફાયદો થાય તે હેતુ હોય. 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા આપી.

આર્થિક સુધારા માટે દેશ તેમનો ઋણી રહેશે. હું 90ના દાયકામાં મહારાષ્ટ્રમાં મંત્રી હતો. અમે રસ્તાઓ બનાવવા માટે નાણાં એકત્ર કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાને કારણે જ અમે રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શક્યા.

આ સાથે તેમણે ઉમેર્યું હતું કે કેવી રીતે ઉદાર આર્થિક નીતિ કોઈપણ દેશના વિકાસમાં મદદ કરી શકે તેનું ચીન એ એક સારું ઉદાહરણ છે. બીજી બાજુ ભારતના સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારતને આર્થિક વિકાસને વેગ આપવા માટે વધુ મૂડી ખર્ચ રોકાણની જરૂર પડશે.

તેથી NHAI સામાન્ય માણસ પાસેથી હાઈવેના નિર્માણ માટે પણ ભંડોળ એકત્ર કરી રહ્યું છે. ગડકરીએ કહ્યું કે તેમનું મંત્રાલય 26 ગ્રીન એક્સપ્રેસ-વે બનાવી રહ્યું છે અને તેમને ભંડોળની કોઈ અછતનો સામનો કરવો પડી રહ્યો નથી. તેમના મતે NHAIની ટોલ આવક 2024 સુધીમાં રૂ.1.40 લાખ કરોડ થશે જે હાલમાં વાર્ષિક રૂ.40,000 કરોડ છે.

આ પણ વાંચો :-

T20 World Cup 2022 માં ઘડાયા 1992 જેવા ઘાટ ! શું આ કારણોથી ફરી પાકિસ્તાન જીતશે ટ્રોફી ?

0

T20 World Cup 2022 will be like 1992

  • 1992ની જેમ આ વખતે પણ પાકિસ્તાન વર્લ્ડકપની સેમિફાઈનલમાં તુક્કાથી આવી ગયું છે. ત્યારે ફરી એકવાર સવાલ એ આવીને ઊભો છે કે શું ઈમરાન ખાનની જેમ આવખતે બાબરના હાથમાં આવશે વર્લ્ડ કપની ટ્રોફી ? કેમ આવું થઈ શકે છે તેના કારણો પણ જાણો.

હાલ ટી20 વર્લ્ડકપ (T20 World Cup) એના અંતિમ અને રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. એક તરફ ભારત પોતાના દમખમથી સેમિફાઈનલમાં (Semifinals) પહોંચ્યુ. તો બીજી તરફ પાકિસ્તાન કિસ્મતના જોરે ધક્કો ખાતા ખાતા સેમિફાઈનલમાં પહોંચ્યું. સ્થિતિ એવી થઈ છે કે ફરી એકવાર ભારત-પાકિસ્તાન (India-Pakistan) પણ મેદાનમાં સામસામે જોવા મળી શકે છે.

જોકે આનાથી ઉલટું બીજી પણ એક સ્થિતિ છે જે સંકેત આપે છે 1992 જેવા. જી હાં વર્લ્ડકપ 2022 માં ફરી એકવાર 1992 જેવા ઘાટ ઘઢાયા છે. તે સમયે પણ ઈમરાન ખાનની કેપ્ટનશીપ વાળી પાકિસ્તાનની ટીમ તુક્કાથી ફાઈનલમાં આવી ગઈ હતી. અને કપ જીતી ગઈ હતી. આ વખતે પણ પરિસ્થિતિ કંઈક એવા જ સંકેત આપી રહી છે. ત્યારે 1992 અને 2022 માં કેટલી સામ્યતા છે તેના વિશે જાણીએ.

1992ના વર્લ્ડ કપમાં એ સાબિત થયું હતું કે નસીબથી વધુ બળવાન કોઈ નથી. પાકિસ્તાને પોતાની પ્રથમ 5માંથી 3 મેચ ગુમાવી હતી. 1 મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું અને માત્ર 1 મેચમાં જીત મેળવી હતી. એ તબક્કે કોઈ ઈમરાનની ટીમને વર્લ્ડકપનો દાવેદાર નહોંતી માનતી. પણ કિસ્મતે કરવટ બદલી અને પાકિસ્તાનનું પત્તુ ચાલી ગયું. અને ઈમરાન મિયાંએ વર્લ્ડકપ ઉપાડીને ફોટા પડાવ્યાં.

અત્યારે ચાલતા T20 વર્લ્ડ કપમાં પણ બધાને ચોંકાવીને પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારત તો ઠીક પણ એ પછી ઝિમ્બાબ્વે સામે પણ મેચ ગુમાવ્યા બાદ પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી ગયું એ વાતથી બધા ચોંકી ગયા છે.

સાઉથ આફ્રિકા પોતાના ક્રિકેટિંગ ઇતિહાસમાં પહેલીવાર એસોસિએટ નેશન (નેધરલેન્ડ્સ) સામે હાર્યું અને પાકિસ્તાન સેમિ.માં પહોંચ્યું. 2022ના વર્લ્ડ કપની સ્ક્રીપ્ટ પાકિસ્તાન સામે 1992 જેવી સાબિત થઈ રહી છે. અહીં આપણે જાણીશું બંને વર્લ્ડ કપની સમાનતા વિશે એ પછી તમે અમને જણાવજો કે ઇતિહાસનું પુનરાવર્તન થશે કે નહીં?

1) ઓસ્ટ્રેલિયામાં પહેલો વર્લ્ડ કપ :

1992માં ઓસ્ટ્રેલિયામાં વનડે ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. 2022માં T20 ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. બંને કેસમાં હોમ ટીમ સેમિફાઇનલમાં પહોંચ્યા વિના ટૂર્નામેન્ટની બહાર થઈ.

2) અગાઉના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર :

1987ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે મેચ ગુમાવી હતી. ત્યારે એલન બોર્ડરની ટીમ સામે ઇમરાન અને બોય્ઝે 18 રને લાહોર ખાતે બાજી ગુમાવી હતી. ગયા વર્ષના T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. દુબઇ ખાતેની એ મેચ કાંગારુંએ 5 વિકેટે બાજી મારી હતી.

3) બંને વખતે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં MCG ખાતે હાર :

1992માં પાકિસ્તાન પોતાની વર્લ્ડ કપની પહેલી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમ્યું હતું. તેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ પ્રથમ મેચ પાકિસ્તાને મેલબોર્નમાં જ રમી હતી, જેમાં ભારતે તેને 4 વિકેટે હરાવ્યું હતું.

4) ગ્રુપ સ્ટેજમાં ભારત સામે પાકિસ્તાનની હાર :

આ વખતે તો પાકિસ્તાન પોતાની ગ્રુપ સ્ટેજની પહેલી મેચમાં ભારત સામે હારી જ ગયું છે આશ્ચર્યની વાત એ છે કે 1992માં પણ ઇમરાન ખાનની ટીમે મોહમ્મદ અઝહરુદ્દીનની ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ત્યારે પાકિસ્તાનને 43 રને માત આપી હતી.

5) ગ્રુપ સ્ટેજમાં છેલ્લી ત્રણેય મેચ જીતી :

1992માં પાકિસ્તાને પોતાના ગ્રુપ સ્ટેજની છેલ્લી ત્રણેય મેચ જીતી હતી. તેમણે ઓસ્ટ્રેલિયાને પર્થ ખાતે 48 રને, શ્રીલંકાને પર્થ ખાતે 4 વિકેટે તો ન્યૂઝીલેન્ડને ક્રાઈસ્ટચર્ચ (ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં સંયુક્તપણે વર્લ્ડ કપ યોજાયેલો) ખાતે 7 વિકેટે હરાવ્યું હતું. આ વખતે પાકિસ્તાને પોતાની અંતિમ-3 ગ્રુપ ગેમ્સમાં નેધરલેન્ડ્સને પર્થ ખાતે 6 વિકેટે, સાઉથ આફ્રિકાને સિડની ખાતે 33 રને તો બાંગ્લાદેશને એડિલેડ ખાતે 5 વિકેટે હરાવ્યું હતું.

6) 1992 અને 2022 બન્ને વાર પાકિસ્તાન સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે :

બંને કેસમાં પાકિસ્તાને સેમિફાઇનલમાં એક પોઇન્ટના અંતરથી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું. તેમજ વધુ રસપ્રદ રીતે 1992માં પાકિસ્તાને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ઓકલેન્ડ ખાતે 4 વિકેટે હરાવ્યું હતું. આ વખતે પણ પાકિસ્તાન સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે જ ટકરાશે.

7) ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન વર્લ્ડ ચેમ્પિયન બન્યું :

1992માં ઇંગ્લેન્ડને ફાઇનલમાં 22 રને હરાવીને પાકિસ્તાન વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ વખતે પણ તેની પાસે તક છે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચવાની અને પછી ચેમ્પિયન બનવાની. તેમજ જો અન્ય સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ ભારતને હરાવી દે તો 1992ના ફાઇનલની જેમ આ વખતે પણ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે ફાઇનલ રમાઈ શકે છે. તમને શું લાગે છે આ ટૂર્નામેન્ટની બાકીની ત્રણ મેચમાં પણ 1992ની સ્ક્રીપ્ટ રિપીટ થશે કે પછી આ સંયોગોનો સેમિફાઇનલમાં અંત આવી જશે?

આ પણ વાંચો :-

 

ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂલથી પણ આ નિયમનો ભંગ ના કરતા, વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનું જાહેરનામું જાહેર

0

Vadodara District Election Officer issued a notification

  • વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા તમામ વાહનોની નોંધણી ફરજીયાત કરાવવાની રહેશે. સાથે જ પ્રચાર માટે ફોર વ્હીલરમાં 5 લોકો જ બેસી શકશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જેના કારણે તમામ રાજકીય પક્ષો (Political parties) ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. રાજકીય પક્ષો મતદારોને (Voters) આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ચૂંટણી પ્રચારને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી (Vadodara District Election Officer) દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીનું જાહેરનામું :

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવાર માટે કે પક્ષ માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ મેળવી તેને વાહનની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે.

પ્રચાર માટે ફોર વ્હીલરમાં 5થી વધુ લોકો નહીં બેસી શકે :

ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવેલા વાહનો સિવાય અન્ય કોઈપણ વાહનોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી. સાથે જ પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા ફોર વ્હીલરમાં 5 જ લોકો બેસી શકશે.

જાહેરનામાનો ભંગ કરનારને ફટકારવામાં આવશે સજા :

જાહેરનામા અનુસાર,ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહન પર વધારાની એસેસરીઝ ફીટ કરેલી હશે તો RTOની મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ચૂંટણી અધિકારીની રૂમમાં 5 વ્યક્તિને જ પ્રવેશ અપાશે. આ જાહેરનામાનો ભંગ કરનારને સજા ફટકારવામાં આવશે.

200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓને મંજૂરી નહીં :

મતદાન મથકોની 200 મીટરની ત્રિજ્યામાં 4થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. સાથે જ 200 મીટરની ત્રિજ્યામાં ટેબલ ખુરશી કે છત્રી પર પણ પ્રતિબંધ મૂકાયો છે. 200 મીટર ત્રિજ્યાની બહાર 1 ટેબલ, 2 ખુરશી અને 1 છત્રી રાખી શકાશે. 200 મીટર ત્રિજ્યા બહાર રાવટી, તંબુ કે મંડપ બાંધવા પર રોક લગાવવામાં આવી છે.

આ પણ વાંચો :-