Home Blog Page 1237

ફેસબુક યુઝર્સ સાવધાન ! જો-જો આવી ભૂલ કરતા નહીં તો એક ઝાટકે થઇ જશે બેંક એકાઉન્ટ સાફ

Facebook users beware

  • આજકાલ ફેસબુક દ્વારા અનેક રીતે ઓનલાઈન છેતરપિંડી થવા લાગી છે એટલા માટે ફેસબુકનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

ફેસબુક (Facebook) એ વિશ્વના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ્સમાંથી એક છે અને આ એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા તમે દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ વ્યક્તિ સાથે કનેક્ટ થઈ શકો છો અને દુનિયાના કોઈપણ છેડેથી લોકો તમારી સાથે જોડાયેલ રહી શકે છે. ઓળખીતો હોય કે કોઈ અજાણ્યો કોઈ પણ ફેસબુક પર તમારો મિત્ર બની શકે છે.

તમારા વિચારો વ્યક્ત કરવા અને મિત્રોનું વર્તુળ વધારવા માટે ફેસબુક એ સારી એપ છે પણ આજકાલ ફેસબુક દ્વારા અનેક રીતે ઓનલાઈન છેતરપિંડી થવા લાગી છે. ઘણા ફેસબૂક યુઝર્સ અલગ અલગ રીતે અનેક છેતરપિંડીના શિકાર બન્યા છે. એટલા માટે હવે ફેસબુકનો ઉપયોગ કરતી વખતે વધુ સાવચેતી રાખવાની જરૂર છે. સાથે જ કેટલીક એવી બાબતો છે. જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફેસબુક દ્વારા જો કોઈ તમને કોઈ પણ લિંક મોકલે છે તો તે લિંક પર ક્લિક ન કરવું જોઈએ. સામાન્ય રીતે આવી લિંક્સ આકર્ષક ઓફર સાથે મોકલવામાં આવે છે અને લિંક ક્લિક કરવા પર તમારું એકાઉન્ટ હેક પણ થઈ શકે છે. એક વખત હેક થઈ ગયા પછી તમારી પ્રોફાઇલમાં રહેલ દરેક વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ કરીને હેકર્સ તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકાય છે.

ફેસબુક પર ખૂબ જ સસ્તા દરે કે મફત વસ્તુઓ અને સામાન આપવાનો દાવો કરતી જાહેરાતોથી બચવું જોઈએ અને તેની જાળમાં ક્યારેય ન ફસાવવું જોઈએ. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં યુઝર્સના બેંક ખાતામાંથી આવી લોભમણી જાહેરાતોની આડમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા જ તમામ પૈસા ઉપાડીને બેંક ખાતું ખાલી કરી દેવામાં આવે છે.

Facebook પર તમારી ફ્રેન્ડ લિસ્ટમાં તમે જેને ઓળખો છો તેને જ એડ કરવા જોઈએ. આ ઉપરાંત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી કે સ્વીકારતા સમયે એ ખાતરી કરવી જોઈએ કે પ્રોફાઇલ ફેક તો નથીને. જો કોઈપણ અજાણ્યા વ્યક્તિને એડ કરી લેવાથી તે તમારા એકાઉન્ટની માહિતીની મદદથી છેતરપિંડી પણ કરી શકે છે.

જો તમારા કોઈ મિત્રના નામે ફરીથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી રહી હોય તો તે એક્સેપ્ટ ન કરવી જોઈએ. આ પાછળ કારણ એ છે કે હાલ સાયબર ક્રિમિનલ્સ ડુપ્લીકેટ ફેસબુક આઈડી બનાવીને લોકો સાથે આડેધડ છેતરપિંડી કરી રહ્યા છે.

ફેસબુક દ્વારા જો તમારો કોઈ ઓળખીતો વ્યક્તિ બેંક ખાતાની વિગતો અથવા પૈસા માંગે તો તે ક્યારેય ન આપવા જોઈએ. એવું પણ શક્ય છે કે કોઈ વ્યક્તિએ તમારા ઓળખીયા વ્યક્તિનું ફેસબુક એકાઉન્ટ હેક કર્યું હોય અને પછી તેના નામે તમારી પાસેથી પૈસા માંગવામાં આવતા હોય છે.

આ પણ વાંચો :-

29 નવેમ્બર 2022, આજનું રાશિફળ : આ રાશિના લોકોને મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

29 November 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
આનંદ ઉત્સાહ પૂર્ણ ‌દિવસ આવકનું પાસુ મજબુત બનતું જણાય. આ‌‌ર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શકય બને. માતૃસુખમાં વધારો થાય. ‌મિત્રોથી લાભ. પ‌રિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શકય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ‌ચિંતા રહે.

‌મિથુન
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાકી શકાય. નાણાંકીય, બાબતો માટે ઉત્તમ ‌દિવસ, નાના ભાઈ બહેનોની પ્રગ‌તિ થતી જણાય. સંતાનની પ્રગ‌તિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્ર‌તિકારક શ‌ક્તિ ઘટે. થાક લાગે.

કર્ક
‌મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઇ વ્ય‌ક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પ‌ત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફથી સારા સમાચાર મળે.

‌સિંહ
આત્મ‌વિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના ‌મિત્રો ને મળવાનું થાય. ‌મિત્રો નો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. ‌વિદ્યાર્થી ‌મિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગ‌તિ આવક વધશે.

કન્યા
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્ય‌ક્તિને સફળતા મળે. માતા-‌પિતા તરફથી શાં‌તિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ અનુભવાશે.

તુલા
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનત ના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃ‌શ્ચિક
ભાગ્યના બળે આવકમાં વૃ‌દ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઈ બહેનથી ‌ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલના ધંધા માટે શુભ.

ધન
માન‌સિક અશાં‌તિ રહે. નકારાત્મક ‌વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાં‌તિથી ‌દિવસ પસાર કરવા. ભગવાન ‌શિવની ઉપાસનાથી લાભ થાય.

મકર
ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ તથા ‌વિશાળ મન રહેશે. ભ‌ક્તિમાં મન પરોવાશે. ઓફીસ, સ્ટેશનરી, જ્યો‌તિષીના ધંધામાં લાભ. અડચણો, મુશ્કેલીનું ‌નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધા‌ર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભ
જોમ-જુસ્સામાં વધારો થાય. ‌મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમ ભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ‌ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીન
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગ‌તિ થી આનંદ થાય. ‌વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ‌દિવસ. આદ્યા‌ત્મિક પ્રગ‌તિ થાય. બીજા ને મદદ કરવાથી દીલ હરખાય. ‌મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

શ્રદ્ધા મર્ડર કેસમાં ગુજરાત કનેક્શન : સુરતના ડ્રગ પેડલર સાથે છે આફતાબનો સંબંધ

0

Gujarat connection in Shraddha murder case

  • આફતાબના ડ્રગ્સ એન્ગલમાં હવે સુરત સાથે તાર જોડાયા, સુરતનો કુખ્યાત ડ્રગ પેડલર આફતાબને ડ્રગ્સ પહોંચાડતો હોવાનો ખુલાસો થયો.

દિલ્હીમાં (Delhi) શ્રદ્ધા મર્ડર કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે હવે શ્રદ્ધા મર્ડર કેસનું ગુજરાત (Gujarat) કનેક્શન ખૂલ્યું છે. આફતાબ સાથે જોડાયેલ ડ્રગ પેડલરની (Drug peddler) ધરપકડ થઈ છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, ડ્રગ પેડલર સુરતનો હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ પેડલર ફૈઝલ મોમીનની (Faisal Momin) ધરપકડ કરાઈ છે. તે સુરતનો છે. ફૈઝલ મોમીન આફતાબ પૂનાવાલાને (Aftab Poonawalla) ડ્રગ પહોંચાડતો હતો. ત્યારે શ્રદ્ધા મર્ડર કેસમાં સુરત પોલીસ પણ દોડતી થઈ છે.

સુરતનો ફૈઝલ મોમીન આફતાબ પૂનાવાલાને ડ્રગ્સ પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. તેથી હવે ફૈઝલ મોમીનના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમીનની 4 દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પાંડેસરા અને અમરોલીમાં 4 કરોડના ડ્રગ કેસમાં ફૈઝલની મુંબઈથી ધરપકડ કરાઈ હતી. ત્યારે ફૈઝલ મોમીન હાલ સુરતની લાજપોર જેલમાં છે.

બે વાર થયો છે આફતાબનો પોલિગ્રાફી ટેસ્ટ :

દિલ્હીના મહરૌલી વિસ્તારમાં પોતાની પ્રેમિકા શ્રદ્ધાની ઘાતકી હત્યા કરીને તેના મૃતદેહા 35 ટુકડા કરનાર આરોપી આફતાબનો સોમવારે ત્રીજીવાર પોલીગ્રાફી ટેસ્ટ થશે. હાલ કોર્ટે આફતાબને 13 દિવસની ન્યાયિક પૂછપરછમાં રાખ્યો છે. તે દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. આફતાબનો નાર્કો ટેસ્ટ આંબેડકર હોસ્પિટલના ડો.નવીન કરશે.

આફતાબ પૂનાવાલાનો અત્યાર સુધી બે વાર પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો છે. એફએસએલની ટીમે ગુરુવારે ટેસ્ટ દરમિયાન 8 કલાક તેની પૂછપરછ કરી હતી. શુક્રાવેર આફતાબની 3 કલાક પૂછપરછ કરાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આફતાબની તબિયત ખરાબ થવાને બીજા દિવસે અમે પૂછપરછ કરી શક્યા ન હતા. આ કારણે સોમવારે તેનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો છે.

શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ ફોરેન્સિક તપાસમાં થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જે હાડકાં પોલીસને મળી આવ્યા હતા તેના  બ્લડ ક્લોટ  અને શ્રદ્ધાના પિતાના DNA સેમ્પલને મેચ કરવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે ફોરેન્સિક લેબે  બ્લડ ક્લોટ અને હાડકાનું શ્રદ્ધાના પિતાના DNA સેમ્પલ સાથે મેચ કર્યું હતું. જેમાં ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયું હોવાની પુષ્ટિ થઈ છે.

સમગ્ર રિપોર્ટમાં લાગશે સમય :

પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ફોરેન્સિક તપાસની ટીમે દિલ્હી પોલીસને એ વાતની મૌખિક જાણકારી આપી છે. એવું કહેવાયું છે કે સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને આપવામાં હજું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને થોડા દિવસનો સમય લાગી શકે છે.

પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા એગ્ઝાબિટની તપાસ બાદ શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ થઈ ગઈ છે. બીજી બાજુ ફોરેન્સિક ટીમે પોલીસને એ પણ જણાવ્યું કે તેમને આરીથી બોડી કાપવાના નિશાન મળ્યા છે. આવામાં પોલીસ હવે આગળની કાર્યવાહી કરવાની સાથે ડિટેઈલ રિપોર્ટ મળવાની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો :-

ભડકે બળી રહ્યું છે ચીન, અનેક મોટા શહેરોમાં મોટેપાયે બળવો ! શી જિનપિંગને હટાવવા માટેના લાગ્યા નારા

China is on fire

  • નોંધનીય છે કે ચીનમાં આ પ્રકારનું પ્રદર્શન અને શી જિનપિંગ વિરુદ્ધ ખુલ્લેઆમ નારા લગાવવા એ સામાન્ય વાત નથી. ચીનમાં સરકાર અને રાષ્ટ્રપતિની સીધી આલોચના કરવા બદલ કડક સજા થાય છે. ચીનના અનેક શહેરોમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને શી જિનપિંગની સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે.

ચીનમાં (China) વધતા કોરોના વાયરસના (Corona virus) કેસ વચ્ચે લોકડાઉન (Lockdown) લગાવવામાં આવતા જ લોકો ભડકી ગયા છે. ચીનના અનેક શહેરોમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને શી જિનપિંગની સરકાર સામે પ્રદર્શન કરી રહ્યા છે. ચીની નાગરિકોને તેમના રાષ્ટ્રપતિ શી જિનપિંગની (President Xi Jinping) કડક ઝીરો કોવિડ પોલીસી જરાય પસંદ આવી રહી નથી.

હજારો પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતર્યા છે અને પોલીસનો સામનો કરી રહ્યા છે. પોલીસ પ્રદર્શનકારીઓને (Police demonstration) રોકવામાં લાગી છે પરંતુ સ્થિતિ બેકાબૂ બની રહી છે. ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ (President Xi Jinping) વિરુદ્ધ નારા લાગી રહ્યા છે.

સૌથી મોટો બળવો?

મળતી માહિતી મુજબ બેઈજિંગ, અને શાંઘાઈ સહિત ચીનના અનેક શહેરોમાં કોવિડ-19ના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનનો વિરોધ  થઈ રહ્યો છે. શાંઘાઈમાં તો જ્યારે હજારો પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતર્યા તો પોલીસે તેમની સાથે કડકાઈ આચરી. અનેક લોકોને પોલીસની કારોમાં બાંધી દેવાયા. બેઈજિંગ અને નાનજિંગ સહિત અન્ય જગ્યાઓ પર પણ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પ્રદર્શન કર્યા.

લોકડાઉનના કારણે 10 લોકોના મોત !

રિપોર્ટ મુજબ ચીનના નોર્થ-વેસ્ટ શહેર ઉરુમકીમાં પણ વિરોધ પ્રદર્શન બાદ અશાંતિ છે. અહીં એક ટાવર બ્લોકમાં આગ લાગવાના કારણે 10 લોકોના મોત થઈ ગયા. લોકો આ માટે લોકડાઉનને જવાબદાર ઠેરવી રહ્યા છે. જો કે ચીની અધિકારીઓ આ વાતનો ઈન્કાર કરે છે કે કોવિડ પ્રતિબંધોના કારણે લોકોના મોત થયા.

રિપોર્ટ મુજબ ચીની સરકાર વિરુદ્ધ નારા લગાવનારાઓને પોલીસ શોધી રહી છે. જો કે લોકડાઉનના કારણે ચીનના અનેક શહેરોમાં નાગરિકો ગુસ્સામાં છે અને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. કોવિડ પ્રતિબંધોથી નારાજ લોકોએ હાલમાં જ ઝેંગ્ઝોથી ગ્વાંસઝૂ સુધી હિંસક વિરોધ પ્રદર્શન પણ કર્યું.

આ પણ વાંચો :- 

 

પેન્શનરો માટે ગુડ ન્યુઝ ! EPFO પેન્શન નિયમોમાં થઈ શકે છે ફેરફાર, થશે મોટો ફાયદો

0

Good news for pensioners

  • EPFO એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન હેઠળ પે સ્કેલને ઉચ્ચ પગાર ધોરણ સાથે લિંક કરવા જઈ રહ્યું છે તેને કારણે તે કર્મચારીઓને બમણો લાભ મળશે જેમનો માસિક પગાર રૂ. 21000 સુધી છે.

ઘણા લોકો નોકરી કરતાં હોય છે અને લગભગ નોકરિયાત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની પેન્શન યોજનાનો લાભ લેતા હોય છે. એવા કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર (Central Govt) ટૂંક સમયમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની પેન્શન યોજનાની પગાર મર્યાદા વધારી શકે છે. જણાવી દઈએ કે EPFO એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન હેઠળ પે સ્કેલને 21000 ઉચ્ચ પગાર ધોરણ સાથે લિંક કરવા જઈ રહ્યું છે અને તેને કારણે તે કર્મચારીઓને (Employee) બમણો લાભ મળશે જેમનો માસિક પગાર રૂ. 21000 સુધી છે.

જણાવી દઈએ કે હાલમાં EPFOની કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજનામાં નિવૃત્તિ બચત યોજના માટેની પગાર મર્યાદા 15,000 રૂપિયા પ્રતિ માસ છે અને તેને વધારીને 21,000 રૂપિયા કરવામાં આવશે. જો સરકાર આ નિર્ણય માટે મંજૂરી આપે છે તો 75 લાખ વધુ કર્મચારીઓ EPFOના દાયરામાં આવશે અને હાલ તેમની સંખ્યા 6.8 કરોડ છે. ખાસ જાણવાનું રહ્યું કે પગાર મર્યાદા છેલ્લે 2014માં 6,500 રૂપિયા પ્રતિ માસથી વધારીને 15,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી હતી.

પેન્શનરોને સૌથી વધુ ફાયદો થશે :

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર પગાર મર્યાદા વધારવા માટે ટૂંક સમયમાં નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી શકે છે જે મોંઘવારી અનુસાર તેની મર્યાદા નક્કી કરશે. સાથે જ EPFOના કાર્યક્ષેત્રમાં આવવા માટે સમય સમય પર તેની સમીક્ષા પણ કરવામાં આવશે. હાલ 15,000 રૂપિયા માસિક પગાર પર 12%ના દરે 1,800 રૂપિયા છે.

જો પગાર મર્યાદા વધારીને 21,000 રૂપિયા કરવામાં આવે છે તો 12% દરે PF યોગદાન વધીને 2,520 રૂપિયા થઈ જશે અને તેનાથી રિટાયરમેન્ટ ફંડમાં પણ ઘણો વધારો થશે. આ નિર્ણયથી ખાસ પેન્શનરોને સૌથી વધુ ફાયદો મળી શકે છે.

EPFO તરફથી મળે છે વ્યાજ  :

જણાવી દઈએ કે આ યોજના હેઠળ કર્મચારીના પગારમાંથી 12% રકમ કાપીને પેન્શન યોજનામાં જમા કરવામાં આવે છે અને કંપનીએ સામે તે જ રકમ કર્મચારીના ખાતામાં જમા કરવાની હોય છે. એટલે કે કર્મચારીની બચત 1 દિવસમાં બમણી થઈ જાય છે. તેના પર EPFO તરફથી વ્યાજ મળે છે જે કોઈપણ બેંકની FD કરતા વધારે હોય છે.

કોર્ટે આ મર્યાદાને પણ કરી હતી રદ  :

કેન્દ્ર હાલમાં EPFOની એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ માટે દર વર્ષે લગભગ રૂ. 6,750 કરોડ ચૂકવે છે અને તેમાં EPFOએ યોજના તરફના સબસ્ક્રાઈબર્સને મૂળભૂત પગારના 1.16 ટકા યોગદાન આપે છે. હાલ માં જ સુપ્રીમ કોર્ટે 2014 ની કર્મચારી પેન્શન યોજનાની માન્યતાને સમર્થન આપ્યું હતું અને કોર્ટે પેન્શન ફંડમાં જોડાવા માટે રૂ. 15,000 માસિક વેતનની મર્યાદાને રદ કરી હતી.

આ પણ વાંચો :- 

 જીગ્નેશ મેવાણીની સભામાં લાગ્યા મોદી-મોદીના નારા, કહ્યું- હજુ મારો વિરોધ…….

0

Modi-Modi’s slogans were heard in Jignesh Mevani

  • વડગામની વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર જીગ્નેશ મેવાણીની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા હતા.

જો કે કેટલાક યુવાનોના વિરોધ અને મોદી-મોદીના નારા વચ્ચે પણ જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) પોતાની સભા ચાલુ રાખી હતી. સોશિયલ મીડિયામાં મેવાણીની આ સભાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં (Social media) વાઈરલ થઈ રહ્યો છે.

મેવાણી સામે યુવાનોએ લગાવ્યા મોદી-મોદીના નારા :

વડગામ વિધાનસભામાં આવતા જગાણા ગામમાં જીગ્નેશ મેવાણી ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. આ દરમિયાન કેટલાક યુવાનોએ જોરશોરથી મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જોકે જીગ્નેશ મેવાણીએ પોતાનું ભાષણ ચાલુ રાખતા કહ્યું કે, મારો અવાજ તો દિલ્હી જાય છે.

ઔર જો જીગ્નેશ મેવાણી બોલતા હૈ તો 56 ઇંચ કે દાવે કા ક્યા હોતા હૈ ફૂસ્સ. પણ આ જગાણાની ધરતી પર ડંકાની ચોટ પર કહું છું તાકાત હોય તો વિપુલ ચૌધરી માટે બોલવું હતું કે જીગ્નેશ મેવાણી બોલ્યો છે અને હજુ હું સભા કરવા જવાનો છું. જે આસામની જેલથી ડર્યો નથી એ આવું કરવાથી શું ડરે?

મેવાણીએ કર્યા ભાજપ પર આકરા પ્રહાર :

તેમણે આગળ કહ્યું કે, ભાજપને મારી નમ્ર વિનંતી કે હજુ વડગામમાં ચાર જગ્યાએ વિરોધ કરાવો એટલે મારો વોટર ટાઈટ થઈ જાય. જે લોકો શહીદ ભગતસિંહ કે સુભાષચંદ્ર બોઝ જોડે પણ નહોતા અને 52 વર્ષ સુધી ત્રિરંગો લહેરાવ્યો નહીં આજે મારી બહેનો માતાને કહેવા આવ્યો છું. તમારું જીવન, તમારી પરિસ્થિતિ અને બાળકોનું ભવિષ્ય એનો વિચાર કરીને વોટ કરવાનો છે.

આ પણ વાંચો :-

ગળામાં ચોકલેટ ફસાઈ જતાં બાળકનું તડપીને થયું દર્દનાક મોત, જાણી લો બચવાના આ ઉપાય

0

A child died of suffocation after chocolate

  • તેલંગાણાના વારંગલમાં ગળામાં ચોકલેટ ફસાઇ જતાં 8 વર્ષના બાળકનું દર્દનાક મોત થયું છે. તમારા બાળક સાથે પણ આવી ઘટના ન થાય તેન માટે તમારે કેટલાક ઉપાય તાત્કાલિક જાણવાની જરૂર છે. આ ઉપાય આજે અમે તમને જણાવીશું.

બાળકોને ચોકલેટ અથવા ચોકલેટ ફ્લેવરવાળી ટોફી (Chocolate flavored toffee) ખાવી ખૂબ ગમે છે. પરંતુ આ ચોકલેટ (Chocolate) એ એક માતા પિતા પાસેથી તેમના ઘરનો કુળ દિપક છીનવી લીધો. બાળકે જેવી ચોકલેટ ખાધી, તે તેના ગળામાં ફસાઈ ગઈ અને શ્વાસ રૂંધવાથી (suffocation) તેનું દર્દનાક મોત થયું. આ ઘટના બાદ પરિવારમાં હાહાકાર મચી ગયો છે અને માતા પિતા રડી રડીને વિલાપ કરી રહ્યા છે. એવામાં આ જાણવું જરૂરી છે કે આવી ઘટના સર્જાતા આપણે શું કરવું જોઇએ. જેનાથી બાળકનો જીવને કોઇ નુકસાન ન થાય.

તેલંગાણાના વારંગલ જિલ્લામાં સર્જાઈ ઘટના :

 આ દુખદ ઘટના તેલંગાણા (Telangana) ના શહેર વારંગલ (Warangal) માં થઇ. રાજસ્થાન નજીક લગભગ 20 વર્ષ વારંગલ જઇને વસેલા કંઘન સિંહ ત્યાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની અને 4 બાળકો હતા.

તે વિદેશ યાત્રા માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યાં પરત ફર્યા બાદ કંઘન સિંહે પોતાના બાળક માટે ચોકલેટ ખરીદી હતી અને તેને આપી હતી. સેકન્ડ ક્લાસમાં અભ્યાસ કરતો પુત્ર સંદીપ સિંહ (8 વર્ષ) એ સ્કૂલમાં તે ચોકલેટ ખાધી તો તે તેના ગળામાં ફસાઇ ગઇ.

ગળામાં ચોકલેટ ફસાઈ જવાથી બાળકનું મોત :

તેના લીધે તેને શ્વાસ (Choke Throat) લેવામાં સમસ્યા થવા લાગી અને તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેને તડપતાં જોઇ સાથે અભ્યાસ કરનાર બાળક ડરી ગયા. ક્લાસ ટીચરે જ્યારે બાળકની સ્થિતિ જોઇ તો તાત્કાલિક સ્કૂલ મેનેજમેન્ટને અવગત કર્યા. ત્યારબાદ બાળકને નજીકના સરકારી MGH હોસ્પિટલમાં લઇ જવાયો.

ત્યાં પહોંચે તે પહેલાં બાળક બેભાન થઇ ગયો હતો અને તેના શ્વાસ પણ બંધ થઇ ગયા હતા. ડોક્ટરોએ બાળકને બચાવવાનો પુરતો પ્રયત્ન કર્યો પરંતુ તેનું દુખદ મોત થઇ ગયું. આ ઘટનાથી બાળકના પરિવાર સાથે જ સ્કૂલમાં માતમ છવાઇ ગયો.

કેમ થાય છે ગળું ચોક થવાની ઘટનાઓ?

ગળામાં ખાવાની અને શ્વાસ લેવાની નળી એક જ હોય છે. એટલા માટે કોઇપણ વસ્તુને ચાવી ચાવીને ખાવાની સલાહ આપવામાં આવે છે. જેથી તે ગળા (Causes of choke throat) માં ફસાય ન જાય. ચોકલેટ, ટોફી, ચ્યુંગમ અથવા એવી ઘણી ચિકણી વસ્તુને ખાતા અને તેને ચાવવી મુશ્કેલ હોય છે. એવામાં તે ગળામાં ફસાવવી અને ગળુ ચોક થવાનો ખતરો વધી જાય છે. એવામાં શરીરને મળનાર ઓક્સિજનની સપ્લાય અટકી જાય છે અને પીડિતનું થોડીવારમાં જ મોત થઇ જાય છે.

જો બાળકને ગૂંગળામણ થાય છે તો?

જો કોઇપણ વસ્તુ મોંઢામાં નાખવાથી બાળકનું ગળુ ચોક થઈ જાય તો તમે તાત્કાલિક તેનું મોઢું ખોલાવો. જો તમે ગળામાં ફસાયેલી વસ્તુને સ્પષ્ટ દેખાઈ રહી છે તો મોંઢામાં આંગળી નાખીને તેને નિકાળવાનો પ્રયત્ન કરો. પરંતુ ગળામાં ફસાયેલી વસ્તુ દેખાઇ રહી નથી તો આવી ભૂલ કરશો નહી. નહીતર વસ્તુ વધુ ફસાઈ જશે.

આ પણ વાંચો :-

WhatsApp યુઝર્સ સાવધાન ! 50 કરોડ લોકોના મોબાઇલ નંબરનું થઇ રહ્યું છે ઓનલાઈન વેચાણ ! જો-જો ક્યાંક તમે…

Attention WhatsApp users વોટ્સએપના લગભગ 500 મિલિયન યુઝર્સના ફોન નંબર વેચાણ માટે ઓનલાઈન મૂકવામાં આવ્યા છે. ત્યારે યુઝર્સના મોબાઈલ નંબરનો ડેટાબેઝ વેચવાનો દાવો કરવામાં આવ્યો છે

વોટ્સએપના લગભગ 50 કરોડ યુઝર્સના ફોન નંબર ઓનલાઈન વેચાણ (No. online sales) માટે મૂકવામાં આવ્યા છે. આ ઇતિહાસમાં સૌથી મોટા ડેટા ચોરી હોઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હેકિંગ (Hacking) કોમ્યુનિટી ફોરમ પર એક જાહેરાત પોસ્ટ કરવામાં આવી છે.

જેમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 500 મિલિયન WhatsApp વપરાશકર્તાઓના મોબાઇલ નંબર વેચાણ માટે ઉપલબ્ધ છે. ડેટાબેઝમાં 84 જુદા જુદા દેશોના વોટ્સએપ યુઝર્સના મોબાઈલ નંબર છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઇજિપ્ત, ઇટાલી, સાઉદી અરેબિયા અને ભારતનો સમાવેશ થાય છે.

સાયબર ગુનેગારો મુખ્યત્વે ફિશિંગ હુમલાઓ માટે આ માહિતીનો ઉપયોગ કરે છે. એટલા માટે વોટ્સએપ યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ અજાણ્યા નંબરોથી આવતા કોલ અને મેસેજથી સાવચેત રહે. હેકિંગ ફોરમ પર એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ડેટામાં 32 મિલિયનથી વધુ અમેરિકન યુઝર્સના ફોન નંબર હાજર છે. વપરાશકર્તાઓમાંથી 45 મિલિયન ઇજિપ્તમાં, 35 મિલિયન ઇટાલીમાં, 29 મિલિયન સાઉદી અરેબિયામાં, 20 મિલિયન ફ્રાન્સમાં અને 20 મિલિયન તુર્કીમાં છે. આ ડેટાબેઝમાં રશિયામાં લગભગ 10 મિલિયન વપરાશકર્તાઓ અને બ્રિટનમાં 11 મિલિયનથી વધુ વપરાશકર્તાઓના ફોન નંબર શામેલ છે.

ગુનેગારોએ ડેટાબેઝ કેવી રીતે મેળવ્યો તે સમજાવ્યું નથી :

જો કે વેચનાર દાવો કરે છે કે તમામ નંબરો મેટા-માલિકીના પ્લેટફોર્મના સક્રિય વપરાશકર્તાઓના છે. જ્યારે ગુનેગારોએ ડેટાબેઝ કેવી રીતે મેળવ્યો તે સમજાવ્યું નથી, વિક્રેતા કહે છે કે તેઓએ ડેટા એકત્રિત કરવા માટે તેમની પોતાની યુક્તિઓનો ઉપયોગ કર્યો.

આ પહેલીવાર નથી જ્યારે મેટા અને તેના પ્લેટફોર્મ્સ ડેટાની ચોરીના સમાચાર આવ્યા હોય ત્યારે ગયા વર્ષે, એક ગુનેગાર 500 મિલિયનથી વધુ ફેસબુક વપરાશકર્તાઓની માહિતી મફતમાં ઓનલાઇન ઓફર કરી રહ્યો હતો. તે સમયે લીક થયેલા ડેટામાં ફોન નંબરની સાથે અન્ય વિગતો પણ સામેલ હતી.

આ પણ વાંચો :-

કેજરીવાલની ભવિષ્યવાણી વચ્ચે AAPને મોટો ઝટકો, ચૂંટણી પહેલા ગુજરાતની ચર્ચિત બેઠકના ઉમેદવારનું ભાજપને સમર્થન

0

Major blow to AAP amid Kejriwal’s prediction

  • ગુજરાતમાં કેજરીવાલની સરકાર બનવાની ભવિષ્યવાણી વચ્ચે AAPને વધુ એક ઝટકો લાગ્યો છે. કારણ કે ચૂંટણીના બે જ દિવસ અગાઉ અબડાસા બેઠકના AAP ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં દરેક પક્ષમાં રાજીનામાના કારણે ઉતાર-ચઢાવ શરૂ છે. ત્યારે વધુ આમ આદમી પાર્ટીને એક વખત ચૂંટણી પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. કચ્છની (Kutch) અબડાસા (Abdasa) બેઠકના AAPના ઉમેદવાર વસંત ખેતાણીએ ચૂંટણી પહેલાં ભાજપને સમર્થન કર્યું છે. તેઓએ ભાજપના સમર્થન સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેના ફોટો પણ સામે આવ્યા છે.

વસંત ખેતાણીના ભાજપનો ખેસ ધારણ કરેલા ફોટા સામે આવ્યા :

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર બે જ દિવસ બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ભારે વેગવંતો બન્યો છે. એવામાં કચ્છની અબડાસા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીના ભાજપનો ખેસ ધારણ કરેલા ફોટા સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કદાચ આજ રોજ PM મોદીની સભામાં વસંત ખેતાણી ભાજપને ટેકો કરવાની જાહેરાત કરી શકે છે.

થોડાંક દિવસ અગાઉ AAPના પ્રદેશ સચિવ રાજભા ઝાલા પણ ભાજપમાં જોડાયા હતા :

તદુપરાંત તાજેતરમાં જ થોડાંક દિવસ અગાઉ જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સચિવ (રાજકોટ) અને રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ રાજભા ઝાલા ભાજપમાં જોડાયા હતા. એ સિવાય વાંસદા તાલુકાના પણ 100થી વધુ AAP કાર્યકરો પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાતની ચૂંટણી પહેલા સંગઠનના મહામંત્રી સહિત તમામ પદાધિકારીઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

આ પણ વાંચો :-

વડાપ્રધાને સુરતને અભિભૂત કરી દીધું પરંતુ ગુજરાતમાં ‘આપ’ના પગ પેસારા માટે જવાબદારોને ઓળખવવા જરૂરી

The Prime Minister overwhelmed Surat

  • મોદીની સુરતની મુલાકાત બાદ લોકોનાં મન જરૂર બદલાશે, પરંતુ ભાજપ તરફી મજબૂત પરિણામ લાવવા નેતાગીરીએ મથામણ કરવી પડશે.
  • ઉચ્ચ શિક્ષણમાં પાટીદાર વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલાં અન્યાય સામે આંદોલન કરી રહેલા યુવાનોનો રાજકીય ઉપયોગ કરીને કોણે ફેંકી દીધા હતા?
  • આગેવાનોએ આંદોલનકારી યુવાનોનો ભાજપ અને સરકારનું નાક દબાવવા ઉપયોગ કર્યો પરંતુ રાજકારણમાં આવે એ પસંદ નહોતું.
  • પાટીદાર આંદોલનના નામે અનેક રાજકીય ખેલ ખેલાઇ ગયા ઘણાએ પોતાનું ધાર્યુ કરાવી લીધુ પરંતુ આંદોલનકારીઓ રખડી ગયા અને એમાંથી જ ‘આપ’નો ઉદય થયો; હજુ પણ મોડું થયું નથી, વડાપ્રધાન મોદી અને અમિત શાહ બાજી સંભાળી લેશે તો ૮મી ડિસેમ્બરે ભાજપ વધુ મજબૂત બનીને ઉભરી આવશે.
  • ભાજપ નેતૃત્ત્વ પણ યુવાનોમાં ઉભરાતા ઝનૂનને ઓળખી શક્યું નહોતુ, આ યુવાનોને સમયસર ભાજપમાં સમાવી લીધા હોત તો ‘આપ’ને તક જ મળી નહોત.
  • પાટીદાર અનામત આંદોલન વખતે કોણ ફાયનાન્સ કરતું હતું? સત્ય બધા જાણે છે પરંતુ કહેવાની હિંમત નથી.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) પ્રથમ તબક્કાની ચૂંટણીનાં મતદાન આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યાં છે. ચૂંટણી પ્રચારનાં અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે સુરતમાં સૌરાષ્ટ્રવાસી પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં સભા કરી હતી. મોદીનું ભાષણ પ્રભાવક રહ્યું હતું. તેમણે સુરતીઓને ઉપસાવ્યા હતા અને ભૂતકાળને વાગળ્યો હતો. ઉપરાંત સુરતનાં ડાયમંડ (Diamonds of Surat), ટેક્સટાઈલ ઉદ્યોગનાં વિકાસની દિશા પણ બતાવી હતી.

વડાપ્રધાન મોદીએ સમગ્ર વક્તવ્ય દરમિયાન આમ આદમી પાર્ટીનો ક્યાંય પણ ઉલ્લેખ કર્યાં વગર આમ આદમી પાર્ટીની દેશ વિરોધી વિચારધારા સામે લોકોને ચેતવ્યા હતા. વડાપ્રધાન નજીકનાં ભૂતકાળમાં સુરત આવ્યા હતા, પરંતુ પાટીદાર પ્રભાવિત વરાછા વિસ્તારથી હંમેશા અંતર રાખતા આવ્યા હતા. પરંતુ આ વખતની ચૂંટણીમાં સુરતનાં બદલાયેલા રાજકીય ચિત્ર વચ્ચે વડાપ્રધાને પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં જંગી જાહેરસભા કરી હતી. પરંતુ તેમના સમગ્ર વક્તવ્ય દરમિયાન તેઓ શબ્દો તોલી તોલીને બોલતા હતા.

૨૦૦૭માં કેશુબાપાએ ભાજપમાં બળવો કર્યો ત્યારે સુરત એપી સેન્ટર રહ્યું હતું. પરંતુ એ વખતે સુરત જ નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત માટે સહયોગી પુરવાર થયું હતું. પરંતુ ૨૦૦૭ અને ૨૦૨૨નાં વિતેલા સમયમાં ઘણું બદલાયું છે. ગુજરાતની અત્યાર સુધીની ચૂંટણીઓ મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ બે પક્ષો લડતા આવ્યા છે. પરંતુ આ વખતે ‘આમ આદમી પાર્ટી’ નામનાં ત્રીજા રાજકીય પરિબળનો ઉમેરો થયો છે. ગુજરાતનો અત્યાર સુધીનો ઈતિહાસ છે કે, ગુજરાત બહારનાં એક પણ રાજકીય પક્ષો ગુજરાતમાં સફળ પુરવાર થયા નથી અને લોકોએ પણ સ્વીકાર્યા નથી. પરંતુ ગુજરાતનાં જ લોકોની અને ખાસ કરીને પાટીદાર સમાજનાં આગેવાનોની પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવાની વૃત્તિને કારણે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો થયો છે એવું ચોક્કસ કહી શકાય અને આમ આદમી પાર્ટીને થોડી ઘણી બેઠકો મળી જશે તો ‘જમ’ ઘર ભાળી ગયા જેવો ઘાટ થશે.

સુરતનો ‌વિસ્તાર અને વસ્તી બંને વધ્યા છે અને ‌વિતેલા દાયકા દર‌મિયાન ઘણું ઘણું બદલાયું છે. પાટીદાર સમાજમાં પણ અનેક જુથ ઉભા થયા છે પાટીદાર આગેવાનોનો આતંરીક ગજગ્રાહ હવે ખાનગી રહ્યો નથી. કેશુબાપાનો સમય જુદો હતો કેશુબાપા માત્ર પાટીદારોના જ નહીં સર્વ સમાજના સ્વીકૃત નેતા હતા. ઉપરાંત એ સમયે સમગ્ર પાટીદાર સમાજ પણ અકબંધ હતો પરંતુ બદલાતા રાજકીય સમીકરણો અને નવી પેઢીના ઉદય સાથે ઘણું બધું બદલાયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી પાટીદાર આગેવાનોની સમીક્ષા કરવામાં આવે તો કદાચ ઉપરથી એક દેખાતા હશે પરંતુ અંદરથી ખૂબ મોટો ‌વિખવાદ જોવા મળશે. કારણ આગેવાનોની આ‌‌ર્થિક સધ્ધરતા વધવાની સાથે સાથે સત્તાની નજીક રહેવાની પણ હરીફાઈ ચાલી રહી છે અને સત્તાની નજીક રહેવા માટે પોતીકા ઉપર પગ મુકવામાં પણ વાંધો નથી.

સુરત શહેરની ૧૦ અને સુરતને સ્પર્શતી અન્ય બે બેઠકો મળીને સુરતમાં ૧૨ બેઠકો માટે ચૂંટણી લડાઇ રહી છે. આ ૧૨ બેઠકો પૈકી પાંચ બેઠકો ‌સિવાયની બાકીની બેઠકના ઉમેદવારો કોણ છે એ કદાચ ભાજપના લોકોને પણ ખબર નહીં હોય! કામરેજ, વરાછા, કરંજ, કતારગામ અને ઓલપાડ આ બેઠકો ઉપર પાટીદાર આંદોલનકારી યુવાનો ‘આપ’ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ એજ યુવાનો છે જેમણે પાટીદાર યુવાનોને મે‌ડિકલ, એ‌‌ન્જિ‌નિય‌રિંગ સ‌હિતના ઉચ્ચ ‌શિક્ષણમાં પ્રવેશ સામે થતા અન્યાય સામે સરકાર સામે બંડ પોકાર્યું હતું. સરકારને ઉથલાવવા ઉપરાંત પાટીદારોને અનામત અપાવવા માટે સરકારને ફરજ પાડી હતી. આંદોલનમાં લગભગ ૧૪ યુવાનો શહીદ પણ થઈ ગયા હતા.

પરંતુ ખરી હકીકત પાટીદાર આંદોલન સમાપ્ત થયા બાદ શરૂ થઈ હતી. એક હકીકત એવી પણ છે કે આ આંદોલનકારીઓને કોણ ફંડ પૂરું પાડતું હતું એ કહેવાની જરૂર નથી. ઉપરાંત આંદોલન તોડી પાડવા પોતીકા લોકોએ જ ભૂ‌મિકા ભજવી હતી એ પણ હવે ખાનગી રહ્યું નથી. પરંતુ રાજકીય ક્ષેત્રે સ‌ક્રિય અને પોતાની જાત ને જ ‌નિર્ણાયક ગણાતા આગેવાનોએ જ વખત આવ્યે. આંદોલનકારી પાટીદાર યુવાનોને કોરાણે મુકી દીધા હતા. ગોપાલ ઇટા‌લિયા, અલ્પેશ ક‌થિ‌રિયા, ધાર્મિક માલ‌વિયા, હા‌ર્દિક પટેલ, મનોજ સોર‌ઠિયા, રામ ધડૂક વગેરે એવા યુવાનો છે કે જેઓ આંદોલનને કારણે જાહેર જીવનમાં પ્રવેશી ચૂક્યા હતા. ખરેખર તો આ યુવાનો પૈકીના કેટલાક યુવાનોને ભાજપે પોતાની ટીમમાં સમાવી લીધા હોત તો કદાચ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઉદય જ થયો ન હોત. આમાના ઘણા યુવાનો ભાજપ સાથે જ સંકળાયેલા હતા.

પરંતુ ભાજપની નેતાગીરી આગેવાનોના કહેવાથી ભ્ર‌મિત થઈ ગઈ હતી અને આંદોલનકારી યુવાનોને અસામા‌જિક તત્વો, ગુંડાઓ વગેરે રીતે ‌ચિતરવામાં આવ્યા હતા. કારણ કે આગેવાનોને એ વાતનો ડર હતો કે આ યુવાનો ભાજપમાં આવી જશે તો પોતાનું પતુ કપાઇ જશે. આવા જ કારણોને લઇને આંદોલનકારીઓની અવગણના કરવામાં આવતા યુવાનોમાં ઉભરાતુ ઝનુન પહેલા કોંગ્રેસ તરફ અને ત્યારબાદ આમ આદમી પાર્ટી તરફ વળી ગયું હતું અને સુરત મહાનગરપા‌લિકાની સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના બેનર હેઠળ એક નહીં ૨૭ કોર્પોરેટરો ચૂંટાઇ આવ્યા હતા!

આ ઘટના જ ભાજપ નેતાગીરી માટે ઇશારો હતી પરંતુ ત્યાર પછી પણ બાજી સંભાળી લેવાને બદલે ‘આપ’ સાથે સંકળાયેલા યુવાનો પ્રત્યે સતત નફરત ભાવ વ્યક્ત કરવામાં આવતા. રાજકીય ઝખમ વધુ વકર્યું હતુ અને કેજરીવાલને વાયા સુરત ગુજરાતમાં પગ મુકવાની જગ્યા મળી ગઈ હતી અને આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પગ જમાવવાની કોશીષ કરી રહી છે અને ‌વિધાનસભામાં થોડી ઘણી બેઠકો મળશે તો પણ આમ આદમી પાર્ટી માટે ગૌરવ રૂપ ઘટના ગણાશે અને આમ આદમી પાર્ટીનો કદાચ ઉદય થશે તો તેના માટે બીજુ કોઇ નહીં સુરતનું પાટીદાર નેતૃત્વ જવાબદાર ગણાશે.

વાત હાથમાંથી સરકી ગયા પછી હવે વડાપ્રધાન મોદી-ગૃહપ્રધાન અ‌‌મિત શાહ લીપાપોતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલબત હજુ છેલ્લા ‌દિવસોમાં પણ ‌ચિત્ર બદલી શકાય પરંતુ તેના માટે હવે બીજા કોઇએ નહીં ખુદ વડાપ્રધાન મોદીએ દોર હાથમાં લેવાની જરૂર છે. અન્યથા ગૃહરાજ્ય ગુજરાતમાં જ વડાપ્રધાને રાજકીય નુકસાની વેઠવાનો સમય આવશે. ગુજરાતની ચૂંટણીના પ‌રિણામો બદલવા માટે ઘણા એવા ક્ષેત્રો છે કે જેની સતત અવગણના કરવામાં આવી છે. આ એવા લોકો છે જેઓ જાહેરમાં મંચ ઉપર આવતા નથી પરંતુ રાજ્ય અને દેશની આ‌‌ર્થિક કરોડરજ્જુના મણકા બરાબર છે. ઉપરાંત આ લોકો જ ભાજપના પ્રચારક છે અને ભાજપના લોક પ્ર‌તિ‌નિ‌ધિઓની આ‌‌ર્થિક જરૂ‌રિયાતો પણ પુરી કરી રહ્યા છે. પરંતુ આવા લોકો માટે વડાપ્રધાન કાર્યાલય અને ભાજપ કાર્યાલયના દરવાજા કાયમ માટે બંધ રહે છે. મુલાકાત માટે હજારો વખત ‌રિકવેસ્ટ કરવા છતા વડાપ્રધાનની મુલાકાત મળતી નથી કારણ કે આ મુલાકાતોમાં જાણી જોઇને કેટલાક લોકો દ્વારા અવરોધ ઉભા કરવામાં આવે છે.

કારણ કે પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા માટે પણ વડાપ્રધાનની મુલાકાતો થવા દેવામાં આવતી નથી. આ વાતના કોઇ પુરાવા નથી પરંતુ પોતીકા વિશ્વાસુ લોકોને વડાપ્રધાન બોલાવીને સાંભળશે તો ઘણું બધું સત્ય બહાર આવશે.

પરંતુ હવે ભાજપની ધરી ક્રમશઃ નબળી પડી રહી છે તેમ છતાં હજુ પણ મોડું થયું નથી. વડાપ્રધાન ગુજરાતમાં પડાવ નાંખીને થોડી રાતના ઉજાગરા કરશે તો આગામી ૮મી ‌ડિસેમ્બરે ભાજપ વધુ મજબૂત બનીને ઉભરી આવશે. લોકોમાં મુરઝાઇ રહેલી ભાજપ તરફની ભાવના ફરી ખીલી ઉઠશે.

લોકો આજે પણ વડાપ્રધાન મોદીને ‘પ્રેમ’ કરે છે અને એક વાત ચોક્કસ છે કે જેને રાજકીય ખટપટો સાથે ‌નિસબત નથી અને રોજનું કમાઇને રોજ ખાનારો ખૂબ મોટો વર્ગ આજે પણ ભાજપને નહીં નરેન્દ્ર મોદીને ઓળખીને મત આપી રહ્યો છે અને એટલે જ ભાજપ સરકાર અડીખમ છે પરંતુ જે ‌દિવસે ગરીબ અને મધ્યમવર્ગના લોકોની નજરમાં નરેન્દ્ર મોદીની છબી ધુંધળી થઈ જશે તે ‌દિવસે ભાજપની ઇમારતને ધસી પડતા કોઇ રોકી નહીં શકે.

આ પણ વાંચો :-