Home Blog Page 1221

જો જો હો ! કોઈ તમારા દસ્તાવેજથી ખેલ ન કરી જાય, સોશિયલ મીડિયામાંથી ફોટા લઈ બારોબાર લોન લેવાઈ, આવી રીતે ફૂટ્યો ભાંડો

If yes! No one can play with your documents

  • રાજ્યમાં ખોટા દસ્તાવેજો આપીને છેતરપીંડી કરવાના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આવો જ એક બનાવ મેઘરજમાં બનવા પામ્યો છે.

રાજ્યમાં ખોટા દસ્તાવેજો (False documents) આપીને છેતરપીંડી કરવાના બનાવોમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આવો જ એક બનાવ મેઘરજમાં બનવા પામ્યો છે. જેમાં એસઆરપી (SRP) જવાનના નામે  ખોટા દસ્તાવેજો બનાવડાવી કોઈ પણ કોમર્શિયલ મિલકત (Commercial property) ન હોવા છતાં ખોટા પુરાવા ઉભા કરી બેંકમાંથી લોન લઈ બેંક સાથે છેતરપીંડી કરતા મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

બે ભેજાબાજોએ ખોટા ભાડા કરાર કર્યા :

મેઘરજના મૂળ વતની અને એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા આશીશભાઈ ધોબી જેઓએ મેઘરજ માં કોઈ જ પ્રકારની કોમર્શિયલ મિલકત ધરાવતા ન હોવા છતાં તેમના નામે ખોટા પુરાવા ઉભા કરી બે ભેજાબાજ વ્યક્તિઓએ મેઘરજની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાંથી લાખો રૂપિયાની લોનની રકમ ઉપાડી લીધી હતી. ભેજાબાજોએ ખોટા ભાડા કરાર અને નોટરી કરી લોનના કાગળો બેંકમાં રજુ કર્યા હતા.

મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી :

ત્યારે એસઆરપી જવાનના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પાસપોર્ટ સાઈઝ ફોટા પણ મેળવી લેવાયા હતા એસઆરપી જવાનના નામે લાખો રૂપિયાની લોન ઉધરી ગઈ હોવાનું ધ્યાનમાં આવતા આશીશભાઈ ધોબી નામના જવાને મેઘરજ પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજ રજૂ કરી લાખોની લોન મેળવી લેનારા મેઘરજ તાલુકાના રોલા ગામના રાવળ ભીખાભાઈ હીરાભાઈ અને મોડાસા તાલુકાના રામપુર- શીનાવાડ ગામના મનહરભાઈ પુનાભાઈ ખાંટ સામે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે તપાસ શરૂ કરી છે.

બેંક મેનેજર શું કહે છે :

આ બાબતે બેંક મેનેજર નિકુંજ ચૌધરીએ જણાવ્યું હતું કે આશિષ ધોબીના નામે કોઈએ લોન લીધી નથી. પરંતું આશિષભાઈ ધોબીને દુકાનના માલિક બનાવીને અન્ય બે વ્યક્તિ દ્વારા ભાડા કરાર કરીને લોન લેવામાં આવી છે. ત્યારે બેંકમાં લોનનો હપ્તો નિયમિત ન ભરતા હોઈ આ બાબતની જાણ થવા પામી છે. ત્યારે આરોપીઓ દ્વારા અત્યાર સુધી માત્ર લોનનું વ્યાજ જ ચૂકવવામાં આવ્યું છે. જ્યારે લોનની રકમ ચૂકવવાની બાકી છે. આ બાબતે અમે લીંગલ નોટીસ મોકલી છે.

આ પણ વાંચો :-

પાલિતાણામાં જૈનોના પવિત્ર યાત્રાધામમાં તોડફોડથી સમાજ રોષે ભરાયો, હુમલા બાદ તત્કાલ હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી

0

Harsh Sanghvi held a meeting with

  • ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન બાદ શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવીના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ કરાઈ છે

પાલિતાણા ગિરિરાજ પર્વત (Palitana Giriraj Mountain) પર ચાલતો વિવાદનો ક્યારે અંત આવશે. ભાવનગર જિલ્લાના પાલીતાણા ગિરિરાજ પર્વત પર સીસીટીવીના થાંભલાની તોડફોડ કરાઈ છે. શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવી ના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ (Sabotage) કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે જૈન સમાજ રોષે ભરાયો છે. તો બીજી તરફ ગૃહ વિભાગે પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.

ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય અગાઉ પર્વત પર આવેલા શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન ચાલ્યું હતું. જેમાં ગુજરાત ભરના સંતો મહંતો શિવ મંદિર બચાવવા આંદોલનમાં જોડાયા હતા અને અંતે સરકારની મધ્યસ્થીથી સમાધાન થયું હતું. ત્યારે હવે પેઢી દ્વારા સૂરજકુંડ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવીના થાંભલાઓ નુકશાન કરાતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

જ્યારે શિવ મંદિરના પરિસરમાં પેઢી દ્વારા લોખંડના થાંભલાઓ ઊભા કરી દબાણ કરાતું હોવાની શિવ મંદિરના મહંત દ્વારા અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શેત્રુંજય પર્વત પર સુરજકુંડ પાસે CCTV ઉભા કરાયા હતા. કેટલાક લોકોએ CCTV ના પોલ હટાવ્યા છે.

ત્યારે સોશિયલ મીડિયામાં તોડફોડની ઘટના પર મહંતે સ્પષ્ટતા કરી છે કે કોઈ તોડફોડ નથી કરાઈ માત્ર પોલ હટાવવામાં આવ્યા. તો બીજી તરફ, વીજ પોલ હટાવવામાં આવતા જૈન સમાજમાં નારાજગી જોવા મળઈ છે. શિવ મંદિરમાં જૈનો દ્વારા દબાણ કરાતું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ લાંબા સમયથી આંદોલન ચલાવે છે.

મામલો ગૃહ વિભાગમાં પહોંચ્યો :

પાલીતાણા ડુંગર પર તોડફોડ મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. ગૃહ વિભાગે આ મામલાની ગંભીર નોંધ લીધી છે. 5 વાગે ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઈ હતી. બેઠકમાં IG, SP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવા સૂચના અપાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. જવાબદારો સામે પગલાં ભરવા ગૃહ રાજ્યમંત્રી આદેશ આપશે.

તો બીજી તરફ શેત્રુંજય પર્વત પર ભગવાન આદિનાથના પગલાં ખંડિત થવાનો મામલે જૈન સમાજ ગિન્નાયો છે. અમદાવાદના તમામ જૈન સંઘોએ તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં તમામ જૈન સંઘના એક હજારથી વધુ લોકો એકત્રિત થયા હતા. તો એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ બેઠકમાં પહોંચ્યા હતા. આ બેઠકમાં આકરા નિર્ણય લેવાય તેવી સંભાવના છે. તો આગામી રવિવારે પ્રતિક સ્વરૂપે રેલી પણ યોજાશે.

આ મામલે શ્રી મહાસંઘ અમદાવાદના પ્રમુખ મહેન્દ્ર શાહે જણાવ્યું કે, મંદિરની આસપાસ થતું માઈનિંગ અટકવું જોઈએ. અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય કરી જૈન અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડી હતી. માત્ર 2-5 વ્યક્તિઓની ધરપકડથી નહિ ચાલે. આ ષડયંત્ર બંધ થવું જોઈએ. 10 મુદ્દાઓની માગણી સાથે સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળશે.

આ પણ વાંચો :-

 M S યુનિવર્સિટી બની નશાનો અડ્ડો ? ગાંજાની સિગારેટ ફૂંકતા વિદ્યાર્થીઓના ફોટો વાયરલ થતા વિવાદ, જાણો સમગ્ર મામલો

0

Has MS University become a hangout

  • એમ.એસ. યુનિવર્સિટી અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે ફરી પાછી એમ.એસ.યુનિવર્સિટી વિવાદમાં આવવા પામી છે. યુનિવર્સિટીમાં ગાંજાની સિગારેટ ફૂંકતા ફોટો વાયરલ થવા પામ્યા છે.

એમ.એસ. યુનિવર્સિટી (M.S. University) અવાર નવાર વિવાદમાં આવતી રહે છે. ત્યારે ફરી પાછી એમ.એસ. યુનિવર્સિટી વિવાદમાં આવવા પામી છે. યુનિવર્સિટીમાં ગાંજાની સિગારેટ (Cannabis cigarettes) ફૂંકતા ફોટો વાયરલ થવા પામ્યા છે. ત્યારે વાયરલ થયેલ ફોટોમાં યુવક ગાંજાની સીગરેટ ફૂંકતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વિદ્યાર્થીઓનાં ફોટા વાયરલ થતા વિવાદ થવા પામ્યો છે. વાયરલ ફોટામાં વિદ્યાર્થી હોસ્ટેલમાં બેસીને નશો કરતો હોવાનું સ્પષ્ટ દેખાય છે. ત્યારે યુનિવર્સિટીમાં અગાઉ દારૂ પાર્ટીને લઈને વિવાદ થયો હતો. ત્યારે આ વાયરલ ફોટાની Gujarat Guardian પુષ્ટિ કરતું નથી.

અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે એમ.એસ.યુનિવર્સિટી :

અગાઉ વડોદરાની MS યુનિવર્સિટી વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. શિક્ષણના ધામ સમાન વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે હાલ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અજાણ્યા શખ્સોએ યુનિવર્સિટીમાં પાર્ટી કેમ કરી તેવો અણીયારો સવાલ ઊભો થયો છે.

વડોદરાની MS યુનિવર્સિટીમાં દારૂ અને નોનવેજની પાર્ટી :

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ‘ચિકન કુકડુ કુ‘ ગીત વાગે છે. તેમજ હોસ્ટેલ રૂમમાં બેસીને અજાણ્યા વિદ્યાર્થીઓ દારૂ અને ચિકનની પાર્ટીની મોજ માણતા નજરે  પડે છે. જોકે આ મામલે સ્થાનિક પોલીસ યુનિવર્સિટી સત્તાધીશોનું આબરૂ ધૂળધાણી થઇ છે.

બીજી બાજુ MS યુનિવર્સિટીમાં પાર્ટીની રંગતને લઇને અજાણ્યા વિદ્યાર્થીઓને કોનું છે પીઠબળ ? અને શિક્ષણના ધામને અભડાવવાનો ઉદ્દેશ શું ? તેવા પણ સવાલો ઊભા થયા છે. જેને પગલે યુનિવર્સિટીના સત્તાધીશો અને પોલીસે અજાણ્યા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 ગુજરાત હાઈકોર્ટેની સરકારને કરી ટકોર કહ્યું કે તમામ સ્કૂલમાં ફરજિયાત ગુજરાતી ભણાવવો નહીંતર….

0

The Gujarat High Court challenged

  • સરકારને ટકોર કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે શાળા પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. એટલું જ નહીં, ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવાયું છે કે તમામ બોર્ડને ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ પડે છે.

પ્રાથમિક શાળામાં (Primary school) ગુજરાતી ભણાવવા અને ફરજિયાત કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સરકારને ટકોર કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે જે શાળા પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. એટલું જ નહીં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જણાવાયું છે કે તમામ બોર્ડને ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ પડે છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ પ્રાથમિક શાળામાં ગુજરાતી ભાષા ભણવા અને ફરજિયાત કરવા મામલે ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી થઈ છે. જેમાં હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ભણાવવા સરકાર લાચારી ના બતાવે. ગુજરાતી ભાષા ભણવવા માટેનો પરિપત્ર સરકારનો જ છે તો લાચારી શા માટે સરકાર બતાવી રહ્યું છે. ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડને આ નિયમ લાગુ પડે છે. ત્યારે ફરજીયાત ગુજરાતી ભણવવાના નિર્દેશનો સરકાર અમલ કરાવે.

જે કોઈ બોર્ડ કે પછી શાળાઓ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરતી ના હોય તેમની વિરુદ્ધ રાજ્ય સરકારે કાર્યવાહી કરવી જોઈએ તેવું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે માતૃભાષા ભણવી એ દરેક વ્યક્તિનો અધિકારી છે. જો સરકાર આ બધા નિયમની અમલવારી કરવામાં લાચાર બનતી હોય કે અશક્ષમ બનતી હોય તો કોર્ટ પોતાનો નિર્ણય આપશે.

મહત્વનું છે કે, સરકાર તરફી રજુઆત કે સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. આ મામલે વધુ સુનાવણી આગામી 22 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. રાજ્યની તમામ સરકારી કચેરીઓ, સંકુલો અને જાહેર સ્થળોએ નામ, સૂચના, માહિતી કે દિશા- નિર્દેશો લખેલા હોય તે લખાણોમાં પણ હિન્દી- અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. ત્યારબાદ હવે હાઈકોર્ટ પણ આ અંગે ટકોર કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર પણ રાજ્યમાં માતૃભાષા ગુજરાતીનો વ્યાપ વધારવાની દિશામાં પ્રાગતિશીલ છે. જે અંગે અગાઉ 8 મહાનગરોમાં શિક્ષણ સંસ્થાઓ, વ્યાપારિક સંસ્થાઓના નામના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજી સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાના આદેશ કરવામાં આવ્યા હતા.જે મામલે સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ઠરાવ પણ જારી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

રાજસ્થાનનાં કોટામાં ચાર-ચાર વિદ્યાર્થીઓનાં આપઘાત ! સંતાનોને ડોક્ટર, ઈજનેર બનાવવાની ઘેલછા કારણભૂત

  • માત્ર સામાજિક પ્રતિષ્‍ઠા માટે થઈને સંતાનની કુદરતી રૂચિની વિરુદ્ધ જઈને કૃત્રિમ માર્ગે લઈ જવાથી આવા માઠા પરિણામ જ આવી શકે.
  • કોટા શિક્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. પરંતુ આધુનિક કોચિંગ સેન્ટરોની ક્ષમતા ભાગ્યે જ કોઈ તપાસ કરતું હતું.
  • આપઘાત કરીને મોતને ભેટેલા માત્ર ૧૭, ૧૮ વર્ષનાં બાળકો પરિવારથી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં હતાં અને એકનાં એક સંતાન હતાં !
  • ૯૦ ટકા ઉપરાંત માર્ક લાવતી એક વિદ્યાર્થિનીએ પણ આપઘાત કરી લીધો, કારણ તેમણે પોતાની નહીં પરિવારની ઈચ્છાથી સાયન્સમાં પ્રવેશ લીધો હતો. પરંતુ તેની ઈચ્છા જુદી જ હતી.

પરિવારની સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવવાની ઘેલછા અને સારા નંબર્સ લાવવાનો આગ્રહ કાચી વયના સંતાનો માટે કેટલો જોખમી પુરવાર થાય છે એ ગત દિવસોમાં રાજસ્થાનનું (Rajasthan) શિક્ષણનું સેન્ટર ગણાતા કોટામાં એક વિદ્યાર્થિની સહિત ચાર વિદ્યાર્થીઓએ કરેલી આત્મહત્યાની ઘટનાએ પુરવાર કરી બતાવ્યું છે બાળકના કુદરતી વિકાસને જ્યારે બળજબરીથી કૃત્રિમ વિકાસનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે બાળકો કોઇને કોઇ વિકૃતિનો શિકાર બને છે.

આજકાલ દરેક પરિવાર એવું ઇચ્છે છે કે તેમનું સંતાન મેડિકલ (Medical) અથવા તો ઈજનેરી ક્ષેત્રમાં (Engineering field) જવો જોઇએ પરંતુ બાળકને ઉચ્ચ શિક્ષણ અપાવવાની ઘેલછામાં પરિવાર એ વાત ભુલી જાય છે કે કુદરતે તેમના સંતાન માટે શું નિર્માણ કર્યું છે. પરંતુ પ્રતિષ્‍ઠાની હોડમાં સંતાનના કુદરતી વિકાસને નજર અંદાજ કરવામાં આવે છે. અભ્યાસના વધારે પડતા ભારણને કારણે વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ છાશવારે બનતી રહે છે પરંતુ થોડા દિવસની ચિંતા અને ચર્ચા બાદ બધુ જ ભુલી જવાય છે અને શિક્ષણનો વેપલો ફરી ધમધમતો થઇ જાય છે.

અહિંયા સૌથી મહત્વનો સવાલ એ પણ છે કે શાળા, કોલેજોમાં ભણાવવામાં આવતા જ વિષયો ખાનગી ટ્યુશન કલાસીસમાં ભણાવવામાં આવે છે એજ ટેક્સ બુક અને એજ વિષય જો ભણાવવાના હોય તો, શાળા, કોલેજોમાં ખરેખર શું ભણાવવામાં આવે છે? આ સમસ્યા આજની નથી ભૂતકાળમાં પણ આ વિષયો ઉપર અનેક વિવાદ ઉભા થયા હતા અને ત્યાર પછી પણ વિદ્યાર્થીઓના આપઘાતનો સિલસિલો અટક્યો નથી. ખરેખર તો પ્રાઇવેટ ટ્યુશન કલાસીસને તાળા મારી દેવા જોઇએ. પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ એ કોઇ સરકાર માન્ય શિક્ષણ સંસ્થાઓ નથી વળી ઘણાં કિસ્સામાં આવા ટ્યુશન કલાસીસના શિક્ષકોનું બાળકોને ભણાવવાનું લેવલ સાવ તળિયાનું હોય છે. પરંતુ ટ્યુશન કલાસીસમાં ઉભી કરવામાં આવતી ભૌતિકતા અને કુદરતી રીતે જ હોશિયાર વિદ્યાર્થીઓના પરિણામ પોતાના નામે ચઢાવીને વેપલો વર્ષોથી ચાલી રહ્યો છે.

વહેલી સવારે અને મોડી રાત સુધી ચાલતા ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા બાળકો સાથે ભૂતકાળમાં અનેક વખત અત્યંત આઘાતજનક ઘટનાઓ બનવા પામી છે પરંતુ ત્યાર પછી પણ આવી આઘાતજનક ઘટનાઓ રોકવામાં કે ટ્યુશન કલાસીસના લાખો કરોડોના વેપારને બંધ કરાવવાની એક પણ સરકારે હામ ભીડી નથી બલ્કે વધુને વધુ ટ્યુશન કલાસીસના નામે વેપારની હાટડીઓ ખુલ્લી રહી છે.

સુરતમાં ભૂતકાળમાં બનેલી એક અત્યંત આઘાતજનક ઘટના બાદ વહેલી સવારના અને મોડી રાત સુધી ચાલતા ટ્યુશન કલાસીસના સમય ઉપર પાબંધી મુકવામાં આવી હતી પરંતુ ફરી પાછી બધુ જ રાબેતા મુજબ ધમધમતુ થઇ ગયું છે.

ખેર, રાજસ્થાનનું કોટા ઉચ્ચ શિક્ષણ માટેનું ‘હબ’ ગણવામાં આવે છે. અહિંયા, મેડિકલ, ઇજનેરી, આઇટી અને સનદી સેવામાં જોડાવાની ઘેલછા સાથે લાખો વિદ્યાર્થીઓનો પ્રવાહ પ્રતિવર્ષ કોટા તરફ વહેતો રહે છે અને પરિવારો પણ બાળકને કોટામાં એડમિશન અપાવ્યું હોવાનું ગૌરવ અનુભવતા રહે છે ઘણા પરિવારો તો એવા પણ છે કે સંતાનો ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે કોટામાં મકાન ખરીદીને બાળકનો અભ્યાસ પુરો થાય ત્યાં સુધી પડાવ નાંખે છે!

અલબત્ત બાળકમાં કુદરતી રૂચિ હોય અને મેડિકલ કે ઇજનેરીમા જાય તેની સામે વાંધો હોઇ શકે જ નહી પરંતુ બાળક ઉપર ડોકટર કે ઇજનેર બનવા માટે બળજબરી કરવામાં આવે ત્યારે આપઘાત જેવી કરૂણ ઘટનાઓ બનતી જ રહેવાની. કોટામાં ૧૭ થી ૧૮ વર્ષના ત્રણ વિદ્યાર્થીઓએ આપઘાત કરીને જીવતર ટુંકાવી લીધા હતા, વળી આ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ પરિવારોનું એકનું એક પુરુષ સંતાન હતા. જ્યારે એક વિદ્યાર્થિનીએ આપઘાત કરતા પૂર્વે લખેલો પત્ર (સ્યુસાઇડનોટ) ધ્રુજી જવાય એટલો વેદના સભર અને બાળકને રૂચિથી વિરૂધ્ધ જઇને ડોકટર કે ઇજનેર બનાવવાની ઘેલછા કેટલી ખતરનાક પુરવાર થાય તેની હૃદયદ્વાવક વાતો લખી હતી.

બે દિવસ પહેલા હોસ્ટેલમા પોતાના રૂમમા આપઘાત કરી લેનાર અંકુશ આનંદ (ઉ.વ.૧૭) ઉજ્જવલ (ઉ.વ.૧૮) આ બન્ને બિહારના વતની હતા જ્યારે પ્રણવ વર્મા (ઉ.વ.૧૭) મધ્યપ્રદેશનો વતની હતો આ ત્રણે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કોટામાં અભ્યાસ કરી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પરિવારોએ આકરી ફી પણ ચૂકવી હતી પરંતુ સામાજિક પ્રતિષ્‍ઠાના મોહમાં પરિવારો એ વાત ભુલી ગયા હતા કે તેમના સંતાનોમા કુદરતે કઇ ક્ષમતાનુ નિરૂપણ કર્યું છે. કુદરતના ક્રમની અવગણના કરીને સંતાનોને ડોકટર, ઇજનેર બનાવવાની ઘેલછાએ સંતાનોને જ છીનવી લીધા હતા.

kota story photo

આ તરફ માત્રને માત્ર ધંધાદારી હેતુ સાથે શિક્ષણનો વેપાર કરતી સંસ્થાઓએ પણ વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિનો અભ્યાસ કર્યો નહીં જ હોય અન્યથા બાળકોએ આપઘાતનો માર્ગ પસંદ કર્યો જ ન હોત.

આ ઉપરાંત એક કૃતિ નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરતા પૂર્વે તેમણે પરિવારને સંબોધીને લખેલી સ્યુસાઇડ નોટ ખરેખર હૃદયદ્રાવક હતી. કૃતિનો એક એક શબ્દ આંખ ખોલનારો હતો પરંતુ ચાર ચાર વિદ્યાર્થીઓના આપઘાતની ઘટના પછી પણ કોટામાં શિક્ષણનો વેપાર બંધ થઇ જશે એવું માનવાને કોઇ જ કારણ નથી. કારણ કે શિક્ષણના વેપારમાં એક નહી અનેક રાજકારણીઓની પણ હિસ્સાદારી હોવાનું માનવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ભારોભાર અનુકંપા ધરાવે છે. દિકરીઓને શિક્ષિત કરવા માટે તેઓ સતત આગ્રહી રહ્યાં છે. પરંતુ ચાર ચાર વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓની વાત તેમના કાન સુધી પહોંચી હશે કે કેમ? તેની સામે પણ શંકા છે.

દર વખતે બનતુ આવ્યું છે તેમ માનવ અધિકાર આયોગના લોકોએ રાજ્ય સરકારને પત્ર પાઠવીને ઘટના અંગે જવાબ માંગ્યો છે. અને કોટા શહેરની મુલાકાતે જનાર હોવાનુ પણ જણાવ્યું છે પરંતુ માનવ અધિકાર આયોગ આનાથી કંઇ વધુ કરી શકે કે વ્યવસ્થામા પરિવર્તન લાવી શકે કે શિક્ષણના વેપાર ઉપર નિયંત્રણ લાવી શકે એવું કંઇજ બનવાનું નથી.

ભૂતકાળમાં પણ વિદ્યા‌િર્થનીઓ ઉપર બળાત્કાર, છેડતી, હત્યા, અપહરણ જેવી ઘટનાઓમા માનવ અધિકાર પંચે નિર્ણાયક ભૂમિકા ભજવી હોવાનુ યાદ નથી. આમ પણ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવાથી કેન્દ્ર સરકાર પણ દાખલારૂપ હસ્તક્ષેપ કરે તેવી આશા રાખવાનું શક્ય નથી.

તમારી પ્રતિષ્‍ઠા માટે બાળકનાં ભોળપણાનો ફાયદો ઉઠાવો નહીં :

  • સરકાર ઈચ્છતી હોય કે કોઈ બાળક આપઘાત કરે નહીં, તો કોચિંગ ક્લાસ તત્કાળ બંધ કરાવે.
  • કોટામાં આપઘાત કરનાર વિદ્યાર્થિની કૃતિ ત્રિપાઠીની હૃદયદ્રાવક સ્યુસાઈડ નોટ.
  • કોચિંગ વિદ્યાર્થીઓને નબળા બનાવે છે, બાળકો બોજ હેઠળ દબાઈને આપઘાત કરવા તરફ વળે છે, ૯૦+ માર્ક હોવા છતાં હું આપઘાત કરી રહી છું તો બીજા બાળકોની હાલત કેવી હશે?

કોટામાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થિની કૃતિએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે, “હું ભારત સરકાર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયને કહેવા માંગુ છું કે જો તેઓ ઈચ્છે છે કે કોઈ બાળકનું મૃત્યુ ન થાય તો, શક્ય તેટલું જલ્દી તેઓએ આ કોચિંગ સંસ્થાઓ બંધ કરી દેવી જોઈએ. આ કોચિંગ વિદ્યાર્થીઓને નબળા બનાવે છે. એમના પર ભણતરનું એટલું દબાણ હોય છે કે બાળકો એના બોજ હેઠળ દટાઈ જાય છે.

કૃતિએ લખ્યું છે કે તે કોટામાં ઘણા વિદ્યાર્થીઓને ડિપ્રેશન અને સ્ટ્રેસથી આત્મહત્યા કરતા રોકી શકી હતી પરંતુ તે પોતાની જાતને રોકી શકી નથી. ઘણા લોકો માનશે નહીં કે મારા જેવી 90+ માર્ક્સ ધરાવતી છોકરી પણ આત્મહત્યા કરી શકે છે, પરંતુ મારા મન અને હૃદયમાં કેટલી નફરત છે તે હું તમને સમજાવી શકું એમ નથી.

તેની માતાને ઉદ્દેશીને તેણે લખ્યું છે, “તમે મારા બાળપણનો અને બાળક હોવાનો ફાયદો ઉઠાવ્યો અને મને વિજ્ઞાન પસંદ કરવા દબાણ કરતાં રહ્યાં. હું પણ તમને ખુશ કરવા માટે વિજ્ઞાનનો અભ્યાસ કરતી રહી. મને ક્વોન્ટમ ફિઝિક્સ અને એસ્ટ્રોફિઝિક્સ જેવા વિષયો ગમવા લાગ્યા અને હું ફક્ત તેમાં જ બીએસસી કરવા માંગતી હતી. હું તમને કહી દઉં કે આજે પણ મને અંગ્રેજી સાહિત્ય અને ઈતિહાસ ગમે છે કારણ કે એ મને મારા અંધકારભર્યા સમયમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થાય છે.”

કૃતિએ તેની માતાને ચેતવણી આપતાં લખ્યું છે કે, ‘11મા ધોરણમાં ભણતી નાની બહેન સાથે આ પ્રકારની ચાલાકી અને બળજબરીભર્યું કૃત્ય ન કરજો. તે જે બનવા માંગે છે અને જે ભણવા માંગે છે એ તેને કરવા દેજો કારણ કે તે તેમાં શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે, જેને તે પસંદ કરે છે.

સ્પર્ધામાં આપણે આપણાં બાળકોનાં સપનાં છીનવી રહ્યાં છીએ. આજે આપણે આપણા પરિવારો સાથે હરીફાઈ કરવા લાગ્યા છીએ કે ફલાણાના દીકરા-દીકરી ડોક્ટર બની ગયા તો આપણે પણ આપણાં સંતાનોને ડોક્ટર બનવવાં છે. જો ફલાણાના દીકરી-દીકરો સીકર/કોટા હોસ્ટેલમાં હોય, તો આપણે પણ ત્યાં જ ભણાવીશું, પછી બાળકના સપના ગમે તે હોય… અમે અમારા સપના તેમના પર લાદીને જ રહીશું.

PHOTO-2022-12-16-18-00-48 (1)

આજે આપણી શાળાઓ (કોચિંગ સંસ્થાઓ) બાળકોને પારિવારિક સંબંધોનું મહત્વ શીખવી શકતી નથી, શાળાઓ બાળકોને નિષ્ફળતાઓ કે સમસ્યાઓ સામે લડતા શીખવવા માટે પણ સક્ષમ નથી. તેમના મનમાં એકબીજા માટે માત્ર સ્પર્ધાની લાગણીઓ ભરવામાં આવે છે, જે તેમનાં જીવનમાં ઝેર ફેલાવી રહી છે. જે નબળો છે તે આત્મહત્યા કરી રહ્યો છે અને જે થોડો મજબૂત છે તે નશા તરફ આગળ વધી રહ્યો છે.

જ્યારે આપણા બાળકો નિષ્ફળતાઓથી ભાંગી પડે છે, ત્યારે તેઓ જાણતા નથી કે તેનો સામનો કેવી રીતે કરવો જોઈએ. આ નિષ્ફળતાથી તેમનું કોમળ હૃદય તૂટી જાય છે, જેના કારણે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. વાલીઓને વિનંતી છે કે તમારા બાળકોની નિષ્ફળતાને તેમની નબળાઈ ન બનવા દો. જીવન ખૂબ જ કિંમતી છે, જેમાં શિક્ષણ આજીવિકા કમાવામાં માત્ર એક ટકો ભૂમિકા જ ભજવે છે.

 

મોદી સરકારે તેલ કંપનીઓને આપી મોટી રાહત ? શું હવે થશે પેટ્રોલ-ડીઝલ સસ્તું ?

Modi government gave big relief to oil

  • 1 જુલાઈના રોજ પેટ્રોલ-એટીએફ પર 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટરની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી.

સતત વધતા જતા પેટ્રોલ-ડિઝલના (Petrol-Diesel) ભાવને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની કમર તૂટી ગઈ છે. ત્યારે લોકો હવે ઈંધણના ભાવોમાં ઘટાડાની આશા રાખીને બેઠાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના (Crude oil) ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે હવે કેન્દ્ર સરકારે તેલ કંપનીઓને મોટી રાહત આપી છે.

ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના વિન્ડફોલ ટેક્સમાં સરકારે ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ સ્થાનિક કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઓઈલ પરનો ટેક્સ ઘટાડીને 1700 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં તે રૂ.4900 પ્રતિ ટન હતો.

5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 1.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે :

આ સિવાય ATF પર વિન્ડફોલ ટેક્સ 5 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 1.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા પેટ્રોલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ પર ઝીરો વિન્ડફોલ ટેક્સ લાગુ છે. તેને યથાવત રાખવામાં આવ્યો છે. હાઈ સ્પીડ ડીઝલ પર વિન્ડફોલ ટેક્સ 8 રૂપિયાથી ઘટાડીને 5 રૂપિયા કરવામાં આવ્યો છે.

ડીઝલ પર 13 રૂપિયાની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી :

આ પહેલા 1 જુલાઈએ પેટ્રોલ-ATF પર 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટરની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી. આ સાથે કાચા તેલના સ્થાનિક ઉત્પાદન પર પ્રતિ ટન 2323250 રૂપિયાનો વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો.

વિન્ડફોલ ટેક્સ શું છે :

વાસ્તવમાં વિન્ડફોલ ટેક્સ ચોક્કસ પરિસ્થિતિ અથવા પરિસ્થિતિમાં લાદવામાં આવે છે. તે તે સ્થિતિમાં જાય છે જ્યારે કંપની અથવા ઉદ્યોગને ઘણો ફાયદો થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ રીતે પણ કહી શકાય કે જ્યારે કંપની ઓછી મહેનતે સારો નફો મેળવે છે.

ત્યારે સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવે છે. ચોક્કસ વધારાની આબકારી જકાત વિના લાદવામાં આવેલા વિન્ડફોલ ટેક્સનો હેતુ સ્થાનિક તેલ ઉત્પાદકો દ્વારા મેળવેલા નફાને શોષવાનો છે. સરકાર દ્વારા દર 15 દિવસે તેની સમીક્ષા કરવામાં આવે છે. સમીક્ષાના આધારે તેમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

 

Whatsapp એ કરી દીધું છે કન્ફર્મ ! આવી રહ્યું છે ધમાકેદાર ફીચર્સ, જોઈને તમે થઈ જશો ખુશ

Whatsapp has confirmed! Explosive features

  • મેટાની ઓનરશિપવાળી મેસેજિંગ એપ વોટ્સએપમાં જલદી યૂઝર્સને એક નવું ફીચર મળવાનું છે. જેની સાથે તે વીડિયો કોલ્સ દરમિયાન પણ ફોન પર બીજી એપનો ઉપયોગ કરી શકશે. આ ફીચર આવતા વર્ષે રોલઆઉટ કરવામાં આવશે.

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp માં સતત નવા ફીચર્સ સામેલ કરવામાં આવી રહ્યાં છે અને દરેક નવા ફીચર્સને એપમાં સામેલ કરતા પહેલા બીટા વર્ઝનમાં (Beta version) ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ બીટા વર્ઝનમાં સામેલ કરવામાં આવેલા દરેક ફીચર્સ એપમાં સામેલ થાય તે જરૂરી હોતું નથી. હવે વોટ્સએપે એક નવા ફીચરને કન્ફર્મ કરી દીધુ છે.

વોટ્સએપે બ્લોગ સાઇટમાં (WhatsApp Blog Site) કન્ફર્મ કર્યું છે કે જલદી એપલ આઈફોન યૂઝર્સને પિક્ચર-ઇન-પિક્ચર મોડનો ફાયદો મળવા લાગશે. આ ફીચરની સાથે વીડિયો કોલ દરમિયાન પણ ફોન ચલાવી શકાશે અને કોલમાં સામેલ લોકોને વીડિયો નાની વિન્ડોમાં દેખાતો રહેશે.

યૂઝર્સને ક્યારે મળશે નવો PIP મોડ?

મેટાની ઓનરશિપવાળી એપે બ્લોગમાં લખ્યું- આઈઓએસમાં પિક્ચર ઇન પિક્ચર મોડઃ હવે બીટા ટેસ્ટિંગમાં છે અને વર્ષ 2023માં રોલઆઉટ કરવામાં આવશે. મિનિમાઇઝ્ડ ઇન-કોલ વીડિયો સ્ક્રીનની સાથે મલ્ટીટાસ્કિંગ કરવું કોલ દરમિયાન સરળ થઈ શકે છે. અત્યારે વીડિયો કોલ દરમિયાન એપ મિનિમાઇઝ કરવા પર વીડિયો દેખાવાનો બંધ થઈ જાય છે.

આ રીતે કામ કરશે PIP મોડ ફીચર :

વોટ્સએપ અપડેટ્સની જાણકારી આપનાર પ્લેટફોર્મ WABetainfo એ જણાવ્યું કે વોટ્સએપનું પિક્ચર-ઇન-પિક્ચર મોડ તે રીતે કામ કરશે જેમ ફેસબુક અને યૂટ્યૂબ જેવી એપ્સ માટે કામ કરે છે. આ એપ્સ પર પ્લે કરેલા વીડિયો સ્ક્રીનના એક ભાગ પર ફ્લોટિંગ વિન્ડોમાં જોવા મળે છે અને હવે આમ વોટ્સએપ વીડિયો કોલ દરમિયાન પણ થશે.

એટલે કે સ્ક્રીન પર તમે કોઈપણ એપને એક્સેસ કરી રહ્યાં હોવ, ફ્લોટિંગ વિન્ડોમાં વોટ્સએપ વીડિયો કોલ ચાલતો રહેશે અને બાકી માટે તમારો વીડિયો ડિસેબલ થશે નહીં. આવો વિકલ્પ અત્યારે માઇક્રોસોફ્ટ ટીમ્સ જેવી મોબાઇલ એપ્સમાં આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

17 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : હનુમાન દાદાની અસીમ કૃપાથી આ રાશિના જાતકો પર થશે અઢળક ધનવર્ષા

17 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેરબજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકસાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજશોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઈ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારું મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝઘડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્રફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખ-હાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમિયાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

રાજભા ગઢવીએ પઠાણ ફિલ્મને લઈને દર્શાવ્યો વિરોધ, ગુજરાતમાં પઠાણ ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠી

Rajbha Gadhvi protested against Pathan film

  • લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ ઉતર્યા બોલિવૂડ ફિલ્મ પઠાણના વિરોધમાં. કહ્યું ગુજરાત અને ભારતમાં રિલીઝ ન થવી જોઈએ ફિલ્મ. હિન્દુ સંગઠનોને આગળ આવવા કરી અપીલ.

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની (Bollywood superstar Shah Rukh Khan) ‘પઠાણ’ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મનું ગીત બેશર્મ રંગ રિલીઝ થતા જ દિપીકા પાદુકોણની (Deepika Padukone) બિકીનીના રંગને લઈને વિવાદ શરૂ થયો છે. ધીરે ધીરે આ ફિલ્મને બોયકોટની હવા તેજ બની રહી છે. ત્યારે આ રંગ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. ત્યારે પઠાણ ફિલ્મના (Pathan movie) ગીતમાં દિપીકા પાદુકોણના કપડાના કલરને લઇને લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ (Rajbha Gadhavi) આકરા પ્રહાર કરીને ફિલ્મને બોયકોટ કરવાની ગુજરાતીઓને અપીલ કરી છે.

લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પઠાણ ફિલ્મને બોયકોટ કરવાની ગુજરાતીઓને અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, બોલિવુડે હિન્દુ સંસ્કુતિનુ અપમાન કર્યું છે. 75 વર્ષથી બોલિવુડે અપમાન કરવાનું કામ કર્યું છે. આ સાથે જ રાજભાએ ગુજરાતમાં પઠાણ ફિલ્મ રિલીઝ ન કરવાની અપીલ કરી છે. રાજભા ગઢવીએ વીડિયો શેર કર્યો છે.

રાજભાએ શું કહ્યું…

ટૂંકની ટચ એક વાત કરવી છે. આપણી સનાતન પરંપરાને ખરાબ બતાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે. પઠાણ ફિલ્મ આવી રહી છે. તેમાં ગીત રિલીઝ થયું છે. તેમાં દિપીકા પાદુકોણે ભગવા કપડા પહેર્યાં છે. મારે કહેવાનું એટલુ છે કે, પહેલા આપણા ભાણામાં માંખી ઉડાવાય. ગુજરાતીઓને કહુ છું કે, આ ફિલ્મ રિલીઝ કરાવવી ન જોઈએ. એ લોકોને બીજા કોઈ કામધંધા નથી. બોલિવુડવાળાઓએ 75 વર્ષથી આપણી ભાવના, પરંપરા સનાતન ધર્મ, હિન્દુત્વ સાથે ખરાબ કરવુ, એવુ નક્કી કર્યું છે. હજી ચાલુ છે. ગુજરાતના બધા સંગઠનો એક થઈ જાય. કરણી સેના, મહાકાલ, શિવસેના, બજરંગદળ, બધા ભેગા થાય.

આધ્યાત્મિક સાથે જોડાયેલા સાધુ સંતો જોડાય. ભગવા પહેરીને અશ્લીલ ડાન્સ કરીને આપણી પરંપરા ઉપર જે કરે છે તે હવે આપણે બિલકુલ સહન કરવાનુ નથી. 75 વર્ષ સુધી બોલિવુડે આ કર્યું છે. આ ફિલ્મ રિલીઝ ન કરવા દો. સેન્સર બોર્ડવાળાને પણ કહો કે, બધુ જોઈને તેના પર સાઈન કરો, તો સારું. હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ન કરો. આપણે ફિલ્મ રિલીઝ થવા ન દેવી, આપણા ઘરેથી શરૂઆત કરવી. આખા દેશમાં ક્યાંય રિલીઝ થવા નથી દેવી. દરેક ગુજરાતીઓ તૈયાર રહે.

આપણી ભાવના સાથે શુ કામ આવુ થાય છે એ પણ પ્રશ્ન પૂછો. એને ભગવા જ હાથમાં કેમ આવે છે. મારે વધુ કંઈ કહેવુ નથી. પરંતું ખરાબ ખાઈ ખાઈને તેમની માનસિકતા ખરાબ થઈ ગઈ છે. તેથી તેમને એવુ સૂઝ્યા કરે છે. તેમને સૂઝે છે, પણ બહાર દેખાતુ નથી. તેથી હવે તેને દેખાડવાની પણ આપણે વાત રાખવી છે. શાહરૂખ ખાન અને દીપુડીની ફિલ્મ આવે છે તે ફિલ્મ કે ગીત રિલીઝ થવા દઈશું નહિ. શું કામ તેઓ વારંવાર આવુ કરે છે.

આ પણ વાંચો :-

દારૂ પીને મૃત્યુ પામનારને એક પૈસો પણ વળતર નહીં મળે, નકલી દારૂના કારણે મોત પર CM નીતિશે કહ્યું….

0

Those who die after drinking alcohol

  • બિહાર વિધાનસભામાં સીએમ નીતિશે સ્પષ્ટ કહ્યું કે જો દારૂ પીવાથી મૃત્યુ થાય છે તો તેના માટે વળતર આપવામાં આવશે નહીં. પ્રતિબંધથી પરિસ્થિતિ સુધરી છે. તેમણે કહ્યું કે અમે સૌના હિત માટે કામ કરી રહ્યા છીએ.

બિહારમાં (Bihar) નકલી દારૂના કારણે થયેલા મોતને લઈને હોબાળો મચી ગયો છે. છાપરામાં નકલી દારૂ પીવાથી 50 લોકોના મોત થયા છે. વિપક્ષ નીતીશ કુમાર (Nitish Kumar) સરકાર પર આક્રમક છે. પરંતુ મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ વિપક્ષો સામે વળતો પ્રહાર કરવામાં પીછેહઠ કરી રહ્યા નથી. બિહાર વિધાનસભામાં સીએમ નીતિશે સ્પષ્ટ કહ્યું કે જો દારૂ પીવાથી (Drink Alcohol) મૃત્યુ થાય છે તો તેના માટે વળતર આપવામાં આવશે નહીં.

પ્રતિબંધથી પરિસ્થિતિ સુધરી છે. તેમણે કહ્યું કે અમે સૌના હિત માટે કામ કરી રહ્યા છીએ. અમે પ્રચાર કરીએ છીએ કે પીશો તો મરી જશો. તેને ગુજરાત રાજ્યનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ત્યાં પણ  આટલા લોકો મૃત્યુ પામ્યા. તે માત્ર એક દિવસની વાત હતી. તે પછી કોઈએ ચર્ચા કરી નહીં.

ભાજપે વિરોધ કર્યો હતો :

બિહાર વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપના ધારાસભ્યોએ હંગામો શરૂ કર્યો હતો. તેઓ વેલમાં આવ્યા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, ‘દારૂના કારણે થયેલા મૃત્યુ વિશે પૂછવામાં આવી રહ્યું છે કે તે ક્યાં સુધી બંધ થશે. તો અમે કહીશું કે દારૂના સેવનથી મૃત્યુ થશે તેવું સ્પષ્ટ લખ્યું છે. સરકાર આ સમગ્ર મામલે ગંભીર છે અને આ ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે CPI ધારાસભ્ય સતેન્દ્ર કુમારની માંગ પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો. સતેન્દ્ર કુમારે મૃતકોના પરિજનોને વળતરની માંગ કરી હતી. નીતિશ કુમારે કહ્યું, જેઓ દેશ પર રાજ કરી રહ્યા છે. તેમના રાજ્યની શું હાલત છે. ત્યાં પણ પ્રતિબંધ છે. આજે આપણે અલગ થઈ ગયા છીએ તેથી તેઓ હોબાળો કરી રહ્યા છે. દારૂ પીને મૃત્યુ પામનારને અમે વળતર તરીકે એક પૈસો પણ નહીં આપીએ.

મૃત્યુનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો :

છાપરામાં ઝેરી દારૂ પીવાથી મોતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. એક વકીલે સીજેઆઈની બેંચ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરી છે. પરંતુ સીજેઆઈએ વહેલી સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, જો મામલો આટલો મહત્વપૂર્ણ હતો.

તો તમારે ઉલ્લેખિત સૂચિમાં સામેલ કરવું જોઈતું હતું. હવે શિયાળુ વેકેશન બાદ જાન્યુઆરીમાં જ સુનાવણી શક્ય બનશે. અરજીમાં તપાસ માટે એસઆઈટીની રચના અને પીડિતોને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-